सत्यस्य स्वात्मनः सङ्गः सत्यस्य परमात्मनः।
सत्यस्य च गुरोः सङ्गः सच्छास्त्राणां तथैव च॥८॥
विज्ञातव्यमिदं सत्यं सत्सङ्गस्य हि लक्षणम्।
कुर्वन्नेवंविधं दिव्यं सत्सङ्गं स्यात् सुखी जनः॥९॥
સત્સંગ દીક્ષા
અર્થાત- સત્ય એવા આત્માનો સંગ કરવો, સત્ય એવા પરમાત્માનો સંગ કરવો, સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સચ્છાસ્ત્રનો સંગ કરવો એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું. ……આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે…….
ઉનાળો હવે અમદાવાદ ને ઘેરી રહ્યો છે……પણ સત્સંગ માં તો શિર સાટે ય જવું એવો મોટા પુરુષો નો મત છે…..આખરે અહીં તો ક્ષણભંગુર દેહ ના કલ્યાણ કરતા અક્ષર એવા જીવ ના કલ્યાણ ની વાત છે…..પછી એક અમદાવાદી તરીકે જ્યાં ફાયદો મોટો હોય ત્યાં જ જાવું અને પરિણામે આજની સભામાં સમય પહેલા પહોંચી ગયા…..સૌપ્રથમ મારા વ્હાલા ના અદભુત …શાંત…શીતળ દર્શન……ચાલો તૃપ્ત થઈએ….
સભાની શરૂઆત મન ને સ્થિર કરનારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ……..એ સ્થિર થયું એટલે જીવ મૂર્તિ માં ચોંટ્યો….. એક યુવકે ” ધર્મપતિ હરિકૃષ્ણ જી ..તમે ભક્તપતિ ભગવાન…..એ વર માંગુ છું…” પ્રેમાનંદ સ્વામી રચિત પ્રાર્થના પદ રજૂ કર્યું…….અને હૃદય એ પ્રાર્થના માં લીન થઈ ગયું…..નિર્વિકલ્પ…એકાંતિક…નિર્દોષ બુદ્ધિ યુક્ત…દાસનુદાસ ભાવે અખંડ ભક્તિ એ જ સદાય ની પ્રાર્થના છે. જો એ મળે તો બ્રહ્મરૂપ ચપટી માં થવાય…..!! ત્યારબાદ યુવક મિત્ર ધવલ દ્વારા “સદગુરુ એ સાન માં સમજાવીયું રે લોલ…..સત્સંગ વિના સુખ ક્યાંય નથી રે લોલ….” ભક્ત કવિ વલ્લભ દાસ રચિત પદ રજૂ થયું……બ્રહ્મસત્ય….! સત્સંગ વિના જીવ ને સુખ ક્યાંથી મળે??? જીવ નું પોષણ જ એ કરે છે….ત્યારબાદ મિત્ર નીરવ ના સ્વરે ” સ્વામી શ્રીજી નું આ જ્ઞાન …સિંહ ગર્જના સમાન….” પદ રજૂ થયું……ખરેખર સાચી વાત….!! વેદોક્ત સિદ્ધાંત કે જેને સ્વયં શ્રીજીમહારાજ દ્વારા સાર રૂપે આપણ ને મળ્યો છતાં તે એક ખુણિયું જ્ઞાન તરીકે અમુક વર્ષો દબાયેલું…છાનું રહ્યું…..કારણ?? આ સિદ્ધાંત સિંહ ગર્જના સમાન હતો….કાચા પોચા માણસો નું આ કામ નહોતું….લોકલાજે….સમાજ ની …જુના શાસ્ત્રો ની તંતી ના બીકે કોઈ એને જાહેર માં પ્રગટ ન કરી શક્યા….પણ ગુણાતીત પરંપરા એ પોતાના શિર સાટે આ જ્ઞાન ને છડેચોક પ્રસરાવ્યું…… અને આજે એનું પરિણામ સમગ્ર જગત માં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત રૂપે બ્રહ્માંડ માં ગુંજે છે……!!!!
એ પછી ગયા રવિવારે બાપા શાહીબાગ મંદિરે રવિસભામાં પધાર્યા હતા તેની સ્મૃતિ દર્શન એક વિડીયો ના માધ્યમ થી થયા……
અદભુત દર્શન…..
ત્યારબાદ, આપણા ગુણાતીત ગુરુઓ ની રુચિ મુજબ સારંગપુર માં ચાલતા યુવા તાલીમ કેન્દ્ર (YTK) વિશે વિશેષ પરિચય એક વીડિયો ના માધ્યમ થી મળ્યો…..બાપા કહે છેકે જેં ૬૦ વર્ષ માં પ્રાપ્ત ન થાય તેવા ગુણ અહી માત્ર છ માસ માં યુવકો ને મળે છે…..!!! શક્ય હોય તો આ યુવક તાલીમ કેન્દ્ર નો લાભ અવશ્ય લેવો….. જ…!!! છેલ્લા ૧૬ વર્ષ માં બે હજાર થી વધુ યુવકો અહી તાલીમ લઈ ને તૈયાર થયા છે …..બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે શરૂ કરેલી અને આજે મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત.. પોષિત…આ કેન્દ્ર ના આજે ડંકા વાગે છે.
આજે સભામાં મહામહોપાધ્યાય મહા આચાર્ય શ્રી પૂ. ભદ્રેશ સ્વામી હાજર હતા અને સત્સંગ વિશે વિશેષ પ્રવચન નો લાભ એમની જ્ઞાન સભર વાણી થી મળ્યો…..જોઈએ સારાંશ….
- આપણે અતિ ભાગ્યશાળી છીએ કે સર્વોપરી ભગવાન….એમને ધારણ કરનાર પ્રગટ સત્પુરુષ….સર્વોપરી સિદ્ધાંત…સર્વોપરી સત્સંગ સાક્ષાત મળ્યા છે…..
- સત્સંગ દીક્ષા ગ્રંથ માં મહંત સ્વામી એ સત્સંગ શબ્દ ની વ્યાખ્યા કરી છે….સત્સંગ એટલે…સત્ય એવો આત્મા…સત્ય એવા ભગવાન…સત્ય એવા ગુરુ…સત્ય એવા શાસ્ત્રો…મળ્યા એ જ સત્સંગ….
- જેવો સંગ એવો રંગ….આપણે જે પણ આજે છીએ એ સંગ ને લીધે જ છીએ….વચનામૃત માં અનેક વચનામૃત માં સંગ શુદ્ધિ ની વાત કરી છે…..
- પ્રથમ …આત્મા નો સંગ એટલે કે આત્મ વિચાર કરવો..અંતરદ્રષ્ટિ કરવી…સત્ય એટલે પોતાના આત્મા નો સંગ સદાય કરવો….આપણે દેહ નથી પણ આત્મા છીએ…એ વિચાર કરવો.
- બીજો- સત્ય એવા ભગવાન નો સંગ…વિચાર…સમાગમ કરવો. નિત્ય પૂજા દર્શન…કથાવાર્તા…કીર્તન…..નવધા ભક્તિ…. થી ભગવાન નો સંગ સદાય કરવો…..આ સહજ થાવું જોઈએ…પરાણે નહીં. ભગવાન ના મહિમા નો નિરંતર વિચાર કરતા રહેવું. એ જ સર્વ કર્તાહર્તા છે….એ જે કરશે એ સારું જ કરશે એનું અખંડ ચિંતવન કરવું જેથી સ્થિતપ્રજ્ઞ થવાય….સુખદુઃખ માં સ્થિર રહેવાય…અભય થઈ જવાય….જીવન માં પરિપૂર્ણતા નો અનુભવ થાય છે… આપણે આપણા ગુરુઓ ના જીવન માં આ સ્થિતિ સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
- ત્રીજી વાત- સત્ય એવા ગુરુ નો સંગ કરવો……મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે….ગીતામાં ભગવાને કહ્યું કે …શ્રેષ્ઠ મનુષ્ય નું અનુસરણ કરવું….ગુરુ નો સંગ એટલે એમની સ્મૃતિ કરવી. એમણે કરેલા ઉત્સવો..સમૈયાઓ….ની સ્મૃતિ કરવી જેથી એમની સ્મૃતિ સદાય રહે…ત્રણ લાભ થાય…1. બ્રહ્મરૂપ થવાય…2. ભગવાન ના યથાર્થ સ્વરૂપ મહિમા ની ઓળખાણ થાય…3. ભગવાન ના પ્રગટ પણા નો અનુભવ થાય છે…ગુરુ ના મહિમા..કાર્ય…આશીર્વચન.. આજ્ઞા….નો વિચાર સદાય કરવો. એમની સ્મૃતિ સદાય કરવી. જેવી ભગતજી મહારાજ ને પોતાના ગુરુ ગુણાતીતાનંદ સ્વામી વિશે નિષ્ઠા ભક્તિ હતી તેવી ભક્તિ આપણે આપણા ગુરુ ની કરવી….એમના પ્રસંગો ની સ્મૃતિ કરીએ તો ય આપણી મૂંઝવણ ટળી જાય….
- ચોથું…..સત્ય એટલે સત્ય શાસ્ત્રો નો સંગ કરવો…આપણા માટે વચનામૃત આવું શાસ્ત્ર છે…મોક્ષ શાસ્ત્ર છે. જીવન ના દરેક પ્રશ્નો નું સમાધાન..સહજ…સાવ લોક સામાન્ય ભાષા માં અહીં આ ગ્રંથ માં થી મળે છે. યોગીબાપા તો કહેતા કે જે કોઈ 108 વાર વચનામૃત વાંચે તો તેને મહારાજ ના દર્શન થાય…!! વચનામૃત ને એની લઢણ માં જ વાંચવું તો જીવ માં દ્રઢ થાય…મહારાજ સ્વામી અને ગુરુઓ ના જીવન ચરિત્ર પણ વાંચવા……જેથી આપણી સ્મૃતિ તાજી રહે..દ્રઢ રહે…..મહિમા સમજાય.
- આ ચારેય સંગ યથાર્થ રાખીએ તો જીવ બળિયો થાય….બ્રહ્મરૂપ થાય. એમાં ય ત્રીજો સંગ…સત્પુરુષ નો સંગ અવશ્ય…મહિમા એ સહિત કરવો. ભગવાન ને આવા સત્સંગ માટે સદાય પ્રાર્થના કરવી.
અદભુત પ્રવચન….!! સહજ ભાષા માં ગહન જ્ઞાન…..!!!
એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વચન માં કહ્યું કે ( સારાંશ માત્ર) – પૂ.ભદ્રેશ સ્વામી વિદ્વતા ની દ્રષ્ટિએ આપણા સંપ્રદાય માં અજોડ છે. ગુણાતીત સ્વામીએ એમના બીજા પ્રકરણ માં સંગ ની વાત અનેક વાર કરી છે. અંતર માં સદાય ટાઢું રહે એ માટે સદાય સત્સંગ કરવો. બ્રહ્મરૂપ થઈ..આત્મા રૂપ થઈ ને ભગવાન નું ભજન સદાય કરવું. ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજવા…..સંશય ન કરવો. આપણા ગુરુઓ એ આ જ કર્યું છે. પૂ.ભદ્રેશ સ્વામી એ આપણો સિદ્ધાંત શાસ્ત્રો ને આધારે સ્પષ્ટ કર્યો છે. આગળ પણ તેમની આ સંશોધન યાત્રા પ્રગતિ કરતી રહે….
The letter નામની એક ડોક્યુમેન્ટરી પ.પૂ. મહંત સ્વામી મહારાજે ડિસેમ્બર 2020 માં , કોરોના કાળ વખતે અબુધાબી મંદિર નિર્માણ સમયે એક પત્ર લખેલો …એ પર બની છે…..જે 5 એપ્રિલ , 2024 ના રોજ યૂટ્યૂબ અને આપણી વેબસાઈટ પર રજૂ થશે. જેનું ટ્રેલર આજે રજૂ થયું.
આજની સભાનો એક જ સાર હતો……જીવનો સત્સંગ કરી લેવો……આ અતિ દુર્લભ મનુષ્ય અવતાર અને એનાથી ય દુર્લભ આવો સર્વોપરી સત્સંગ આમ ચૂટકી માં નથી મળતો…..એ તો અનંત જન્મો ના સુકૃત ભેગા થાય ત્યારે આ ભગવદ કૃપા એ જ આ યોગ મળે છે. માટે જ સત્સંગ કરી લેવો…..આ જન્મ સફળ કરી લેવો….સ્વયં શ્રીજી જ કહે છે કે સત્સંગ વિના તો અતિ વિદ્વાન હોય તે પણ અધોગતિ ને પામે છે…….!
સમજી રાખો….સત્સંગ ના મહિમા ને સમજી રાખો…જીવ માં દ્રઢ કરી લો….
જય જય સ્વામિનારાયણ…. જય જય અક્ષરપુરુષોત્તમ….
સદાય પ્રથમ શ્રીહરિ ને રે….
રાજ