આજે અમદાવાદ નું આકાશ “થોડી સી આગ…થોડા સા પાની…” ની જેમ રંગબેરંગી હતું…..ડિટ્ટો જીવન ની જેમ જ…..બસ એમાં જ આ જીવન ને સત્સંગ નો પાકો રંગ ચડાવતા રહેવા નું છે……એ માટે જ આજની સભા ને ..એ સભા ના…સર્વે ના કારણ એવા મારા વ્હાલા ના દર્શન…..
સભાની શરૂઆત યુવકો દ્વારા જીવ પ્રિય…જીવ ને સ્થિર કરતી સ્વામિનારાયણ ધૂન થી થઈ….એ પછી ધવલ દ્વારા ” વારે વારે જાઉં વારણીયે…..” પ્રેમાનંદ સ્વામી રચિત જોશ ભર્યું કીર્તન રજૂ થયું…..આ તો શ્રીજી મહારાજ ની પરમ કૃપા કે આપણા જેવા અધમ…પામર જીવ ને આવો સર્વોપરી આત્યંતિક કલ્યાણ નો માર્ગ….ગુણાતીત ગુરુ ની છત્રછાયા.. …અર્થસભર સત્સંગ નું સુખ આપ્યું…એ માટે એમના ચરણો માં કોટી કોટી સાષ્ટાંગ દંડવત કરીએ તો યે ઓછા છે….!! એ પછી જૈમીન દ્વારા ” જો ને સખી પેલા રણ ના પટ પર મંદિર બાંધ્યું સ્વામીએ…”નૂતન પદ રજૂ કર્યું…..આરબ દેશ માં જ્યાં જાહેર માં પૂજા પ્રાર્થના કરતા હજાર વાર વિચારવું પડે ત્યાં ગગન ને ચુમતું ભવ્યાતિભવ્ય મંદિર બનાવવું એ કોઈ દિવ્ય ચમત્કાર થી ઓછું નથી જ…..!!!
એ પછી પ્રગટ ગુરુહરી ના દિવ્ય વિચરણ દર્શન નો લાભ એક વિડીયો ના માધ્યમ થી મળ્યો…..
એ પછી 18 થી 20 જાન્યુઆરી, કણાદ , સુરત ખાતે ના વિચરણ નો વિડીયો રજૂ થયો…..અદભુત દર્શન….
એ પછી સભામાં હાજર શ્રી જયભાઈ શાહ (ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ના સુપુત્ર, BCCI ના ચેરમેન) દ્વારા પૂ. બ્રહ્મવિહારી સ્વામી નું અબુધાબી મંદિર ના નિર્માણ કાર્ય માં બહુમૂલ્ય યોગદાન માટે સન્માન થયું…..એમનું અને અન્ય રાજકીય અગ્રણીઓ નું સન્માન થયું. જયભાઈ એ પોતાના પ્રવચન માં કહયુ કે …એમના જીવન ની કારકિર્દી ની શરૂઆત આ રવિસભા થી જ થઈ હતી. જીવન ની અનેક ઊંચ નીચ ઘટનાઓ માં પ્રમુખસ્વામી મહારાજ અને baps સંતો નો સાથ સહકાર અને આશીર્વાદ રહ્યા છે……!!
ત્યારબાદ અબુધાબી ના વિશ્વવિખ્યાત ….આપણા baps હિન્દૂ મંદિર ના પ્રતિષ્ઠા પછી …બે માસ બાદ પ્રથમવાર જ પૂ. બ્રહ્મવિહારી સ્વામી સભામાં ઉપસ્થિત હતા…..તાળીઓ ના ગડગડાટ વચ્ચે એમનું પ્રવચન થયું…જોઈએ સારાંશ…..
- ઘણા સમય બાદ અમદાવાદ “ઘરે” પધાર્યા છીએ….આવી વિશાળ સભા જોઈ ને ખૂબ આનંદ થાય છે …Sweet home sweet….!!! બાપા ને પણ રોબિન્સ વિલ થી પરત આવ્યા બાદ આવો આનંદ થયેલો….!! અમે જ્યારે દીક્ષા લીધી ત્યારે પ્રમુખસ્વામી એ કહેલુ કે આ પાઘ નમી પડે એટલા બધા ઊંચા મંદિર અને ઊંચો વિકાસ થશે…..સ્ટેડિયમ નાના પડે એટલો બધો સત્સંગ થશે…..! ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રથમ સ્વામિનારાયણ મંદિર અહીં બનેલું. સંસ્થા ના સર્વે મોટા ઉત્સવો સમૈયા અહીં થયેલા…..
- આપણા શીર્ષર્થ દેશ નેતાઓ ગુજરાતી છે અને એ બંને પર આપણા ગુરુઓ નો અઢળક રાજીપો રહેલો છે. જય ભાઈ અહીં આવ્યા છે…તેમના પિતાશ્રી માટે મહંત સ્વામીએ કહેલું કે અમિતભાઇ આપણા છે…. દેશ ની સેવામાં એ સદાય પ્રગતિ કરતા રહેશે….દેશ આગળ વધતો રહેશે…..
- આ અબુધાબી મંદિર બન્યું છે તે માટે બાપા એ કહ્યું કે જે અહીં આવશે તેને આ ચમત્કાર લાગશે…એનો અનુભવ થશે. આ ભગવાન નું જ કાર્ય છે….કોઈ મનુષ્ય નું કાર્ય શક્ય જ નથી……છેલ્લા ત્રણ ચાર દિવસ માં અઢી લાખ થી વધુ દર્શનાર્થીઓ આવી ચુક્યા છે….દોઢ કલાક ની લાઈન….ચાર ચાર કિમિ ઉઘાડા પગે ચાલી ને ભક્તો અહીં દર્શને આવે છે……બધાને આશ્ચર્ય થાય છે. બધા સંતોષ પૂર્વક દર્શન કરી ને જાય છે. બધાને અહીં અનુભવ થાય છે કે ભગવાન અહીં સાક્ષાત છે…..બાપા તો આ મંદિર ની રચના ને double Cinderella story કહે છે.
- સરકાર માં ઉચ્ચ પોસ્ટ પર રહેલા….કાશી વિશ્વનાથ નો કોરિડોર…રામ મંદિર ના નિર્માણ કાર્ય માં પાયા ના સંચાલન માં રહેલા શ્રી ડી એસ મિશ્રા સાહેબે કહ્યું કે રામ મંદિર હતું અને આજે પુનઃ બન્યું પણ આ અબુ ધાબી નું મંદિર નિર્માણ તો ખરેખર ચમત્કાર જ છે……મુસ્લિમ ધર્મગુરુ ઓ ના પણ આવા જ અનુભવ છે….એમણે કહ્યું કે આ ધરતી પર આવું મંદિર…આવી મૂર્તિઓ…એમની આરતી પૂજા થાય એ કેવળ ભગવાન ની કૃપા થી જ થાય….એમ ને એમ ન થાય….! અત્યાર સુધી માં 80 જેટલા દેશો ના રાજદૂત આ મંદિર દર્શને આવી ચુક્યા છે. ઇજિપ્ત ના રાજદૂતે તો કહ્યું….This temple is greater than the pyramids….As pyramid talks about past…This mandir talks about future….!!!!
- જગત માં શાંતિ લાવવા નો ભગવાન સ્વામિનારાયણ નો આ એક નીર્ધાર છે…સંકલ્પ છે….કાર્ય છે. એટલા માટે જ મહંત સ્વામી ને આટલો બધો અહોભાવ આ મંદિર માટે છે.પ્રમુખ સ્વામી બાપા કહેતા કે અમારે તો ભગવાન ભજવા..ભજાવવા નું કાર્ય છે..આ મંદિરો તો વચ્ચે બની જાય છે….!! આ મંદિર પર બાપા નો…બધા જ સદગુરુ સંતો નો અઢળક પ્રેમ છે…કારણ કે આયોજન…કલ્પના થી પણ અધિક સારું થયું છે. જે કેવળ ભગવાન કૃપા થી જ થયું….જેણે અડધું દુબઇ બાંધ્યું છે એવા નખીલ ગ્રુપ ના ચેરમેન સુલતાન સુલેમાને તો બ્રહ્મવિહારી સ્વામી ને જાન્યુઆરી માં કહ્યું કે આ મંદિર જુલાઈ સુધી માં જ પૂરું થઈ શકે……પણ આપણે તો ફેબ્રુઆરી માં આ મંદિર પૂરું થઈ ગયું…….પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે કોઈ મુશ્કેલી આવે…મંદિર નું કામ અશક્ય લાગતું હોય તો શાસ્ત્રીજી મહારાજ આગળ પાંચ માળા કરજે…..!!! અને મંદિર પૂરું થઈ ગયું….! આ તો ખરેખર ભગવાન નું જ કામ છે…..મોદી સાહેબે મંદિર પૂર્ણ થયેલું જોઈ મને કહ્યું કે…પ્રમુખ સ્વામી આજે પુનઃ પ્રગટ થઈ ગયા….!!!
- Khaleej times અબુ ધાબી ના છાપા એ તો એ સમયે 40 પાના ની વિશેષ પૂર્તિ મહંત સ્વામી ના ફોટા સાથે છાપી…..જગત ભર ના છાપા ઓ એ આની વિશેષ નોંધ લીધી……સર્વે એ મંદિર ના ખૂબ વખાણ થયા……એક એવો કપરો સમય પણ હતો કે ત્યાં ની ધરતી પર ભગવા પહેરી પગ મુકવો અશક્ય હતો……એમાં પણ બાપા એ અતિ કઠિન વિચરણ કર્યું છે….બધા ધર્મો માં સંવાદિતા વધે એ માટે ધૂળ ની ડમરીઓ વચ્ચે…રણ માં બાપા એ ધૂન કરાવી હતી……સંકલ્પ કર્યો હતો જે આજે પૂર્ણ થાય છે……મોટા પુરુષ ના વચન ક્યારેય નિષ્ફળ જતા નથી…લખી રાખજો…!!!
- શરૂઆત માં ત્યાં એક વીલા માં આપણું નાનું મંદિર હતું….પણ એક દીવાલ દૂર કરી ને નોટિસ આવી…તે માટે બાપા ની આજ્ઞા થી સંતો ત્યાં ના શેખ ને મળ્યા…સત્ય સમજાવ્યું તો આશ્ચર્ય વચ્ચે એ શેખે વિલા માં મંદિર ની છૂટ આપી દીધી. આ જ સત્પુરુષ ની…સત્ય ની તાકાત હતી….શેખ માં ભગવાન નો પ્રવેશ થયો અને મંદિર બન્યું……!! જ્યાં એ મિટિંગ માં માત્ર બે સંત હતા અનેંક શેખ હતા…ત્યાં હમણાં મિટિંગ થઈ ત્યાં અનેક સંતો હતા….મહંત સ્વામી ને દેશ ના મહેમાન તરીકે સન્માન ..સ્વાગત મળ્યું…..! એ જ ભગવાન ની અને સત્પુરુષ ની તાકાત છે.
- ત્યાં ના શેખે ઉદાર હૃદયે 27 એકર જમીન આપી….અઢળક સહકાર સેવા આપી…..લાઈફટાઈમ માટે જમીન…પાણી….વીજળી મફત કરી આપી. આપણા મંદિર ને ઓફિશિયલ પરમિશન આપવા વિશેષ સરકારી વિભાગ બનાવ્યો અને આપણા કારણે ત્યાંના ચર્ચો ને પણ આપણી સાથે પરમિશન મળી…..સાથે ભગવાને પણ આપણ ને મળેલી જમીન માં એક મોટી શીલા મૂકી…..જેની પર આપણું મંદિર અનંત કાળ માટે ઉભું રહેશે……રેતી પણ સલ્ફર ફ્રી મળી…..બાંધકામ સાવ સહેલું થઈ ગયું…….આ જ ભગવાન કૃપા છે. મહંત સ્વામી એ પોતાના પત્ર માં આ જ લખ્યું હતું….!!! ભારત માં એક વાર સંતો નું હેલિકોપ્ટર ભૂલ થી ગાલિયકોટ દરગાહ માં ઉતર્યું….ત્યાં ના મુસ્લિમો એ સ્વાગત કર્યું અને એ જ મુસ્લિમ વ્હોરા ના પુત્ર દુબઇ માં 3D પ્રિન્ટિંગ નું કામ કરે છે એમણે આપણું મંદિર મોડલ અને 3D પ્રિન્ટિંગ વાળી દીવાલ સેવામાં બનાવી આપી……….!!! આ પણ એક ચમત્કાર જ છે…..શ્રીલંકા ના રાજદૂતે શ્રીલંકા થી, આપણા સંતો ની વિનંતી થી સીતાજી જ્યાં બિરાજતા હતા તે અશોક વાટિકા માં થી વડ નું વૃક્ષ દાન કર્યું……મંદિર પ્રતિષ્ઠા ના યજ્ઞ સમયે ખૂબ વરસાદ પડ્યો….પણ યોગ્ય સમયે વરસાદ બંધ થયો… યજ્ઞ થયો..સફળ થયો…..!! ભગવાન નું જ આ કાર્ય છે. …શાસ્ત્રીજી મહારાજ ના જીવન વિશે એક મોટો લેખ ત્યાંના છાપા માં છપાયો……મહંત સ્વામી નો વિશાળ ફોટો ત્યાંના મસ્જિદ માં લગાવ્યો છે…….આ જ ભગવાન અને સંત નું કાર્ય છે…..
- મહંત સ્વામી એ પત્ર માં લખેલું……કે ત્યાં રાજા તમારા રખેવાળ થશે. અને અમને ત્યાંના રાજા ના ભાઈએ અમને બોલાવી ને કહ્યું કે અમે ખૂબ રાજી છીએ અને તમે હવે અમારા સંરક્ષણ માં છો……! આ કેવળ ભગવાન અને સત્પુરુષ ની જ તાકાત છે…..
- આપ સૌ ત્યાં પધારો…….આમંત્રણ છે….
આજે સભામાં સદગુરુ પૂ.ત્યાગવલ્લભ સ્વામી હાજર હતા…..તેમનું સન્માન થયું.
તારીખ 17/4 શ્રીહરિ જયંતિ છે…રાત્રે 8 વાગ્યે ભવ્ય સભા છે……21 તારીખે સારંગપુર ફુલદોલ ઉત્સવ છે…લાભ લેવો…..
આજની સભા….ભગવાન અને એમના ધારક સંત ના સંકલ્પ …કૃપા ના મહિમા માટે હતી…..એમના સંકલ્પ પૂર્ણ થાય જ છે…આપણે પેલી રામાયણ ની ખિસકોલી ની જેમ…..નિમિત્ત બની ને એ સંકલ્પ પૂર્તિ માં ભળવા નું છે…..
જય જય સ્વામિનારાયણ….
સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..
રાજ