આજે સમાચાર માં એક વાત વારેઘડીએ છવાયેલી રહી….ભારત ના જાટ સંપ્રદાયે , જો એમને જાતી આધારિત અનામત નહિ મળે તો દિલ્હી ને મળતો પાણી પુરવઠો અટકાવવા ની ધમકી આપી!!!! શું થઇ રહ્યું છે આ બધું????? જો રાજસ્થાન ના , ગુર્જર સમાજ, અનામત માટે જનતા ની ટ્રેનો, મિલકતો ને નુકશાન પહોંચાડી શકતો હોય તો જાટ કેમ પાછળ રહી જાય….? અનામત નું ભૂત હવે એટલું બધું વકર્યું છે કે એ ભારત ના વિકાસ માટે એક મોટી આફત બની ગયો છે અને કહેવાતા આપણા નેતાઓ , અને સરકારો ચુપચાપ આ ખેલ ને જોયા કરે છે…પ્રોત્સાહન આપે છે….જ્યાં પ્રજા જ આવી હોય ત્યાં રાજા માટે શું અપેક્ષા રખાય?????અરે “ખાપ” તરીકે ઓળખાતી હરિયાણા ની પંચાયતો એમના ફાલતું સિદ્ધાંતો ને કાયદો બનાવવા છે ક સંસદ કે સુપ્રીમ કોર્ટ જઈ શકે છે……તાલિબાનો ભારત માં જ છે….
મારા કેટલાક “ફાલતું” સજેશન….”ફાલતું” એટલા માટે કે એના થી કોઈનામાં સુધારો થવાનો નથી….બસ મન ની ભડાશ નીકળશે….એટલું જ…..
- કોંગ્રેસ અને જનતા સરકારે જે માંડલ પંચ નું ભૂત ઉભું કર્યું છે…એના વધુ અમલ માટે…સરકારે એક ખરડો પસાર કરવો જોઈએ અને સમગ્ર ભારત ને જાતી આધારિત વહેંચી, બ્રાહ્મણ,વાણિયા થી માંડી ને મુસલમાનો ને અનામત ફીક્ષ કરી આપવું જોઈએ….જે જન્મ થી લઈને મૃત્યુ સુધી દરેક ક્ષેત્રે, સાર્વજનિક કે પ્રાઇવેટ ..બધી જગ્યા એ લાગુ પડે….આથી બધા ખુશ…!!!! બધા અનામત….!!!
- ક્યાંતો બધા લોકો ની અટક કે જાતિ જ કાઢી નાખવી જોઈએ…કોઈ એની અટક થી ઓળખાય જ નહિ….ન રહેગા બાંસ , ન બજેગી બાંસુરી….( આ વિચાર કે તુક્કો અશક્ય છે..હું જાણું છું…પણ વાતો ના વડા ક્યારેક સારા લાગે છે…)
- સરકારી નોકરીઓ માત્ર અનામત ને આધારે જ અપાય….કોઈ જનરલ કે સામાન્ય સીટ રાખવા ની જ નહિ….ઓપન વાળા ક્યાં જશે??? એ જાતે જ કઈ ક તો શોધી જ લેશે…ભાઈ એને પણ જીવવા નું છે….
- ક્યાંતો અનામત માત્ર જરૂરીયાતમંદ કે ગરીબ લોકો ને( “ગરીબ” ની વ્યાખ્યા કરવી પડે…મોટો પ્રશ્ન???) માટે જ રાખવી…..
અટવાઈ ગયા ને??? હું નહિ પણ પ્રત્યેક ભારતીય ક્યાંક ને ક્યાંક તો અટવાયેલો જ છે…..અનામત ચીજ જ એવી છે….જેને માટે , જે હેતુ માટે બનાવેલી…એ પણ ક્યાંક અટવાયેલા જ છે ને…!! આમાં નુકશાન કોને છે???? ભારત ને જ ને…..મને -તમને બધા ને….!!!
સમજી ને ચાલો….સફર અનંત છે અને વળાંક નો પાર નથી…..
રાજ