Search This Blog

Monday, April 25, 2016

BAPS રવિસભા-૧૭/૦૪/૨૦૧૬

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દ્રઢ આશરોએ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે……… અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહીં……….
તે આશરામાં ત્રણ ભેદ છે.
૧) એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. અને
૨)  બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે, તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી; એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. અને
૩) ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય……….. તે ભગવાનનું સગુણ-નિર્ગુણપણું તથા અન્વય-વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિકાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે તથા પુરુષપ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટપુરુષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિરૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિકરૂપે વર્તે છે એ સર્વ રીતને સમજી જાણે; અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય…….. એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહીં……… ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં………….. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહીં…………”
————————————
વચનામૃતમ-ગઢડા પ્રથમ-૩૩
ભગવાન ને  રાજી  કરવાના  અનેક સાધનો હશે પણ શ્રેષ્ઠ સાધન તો  ભગવાનમાં  દ્રઢ વિશ્વાસ….દ્રઢ નિષ્ઠા….દ્રઢ  આશરો જ છે…જો  એ  હશે તો બીજા સાધનો ન્યૂન હશે તો પણ ચાલશે……!!! તો આજની એકાદશી ની રવિસભા -આ દ્રઢ આશરા ના પ્રતિપાદન…મહિમા ના ગાન માટે હતી…..! આપણ ને તો સત્પુરુષ મહા સમર્થ મળ્યા છે…આશરો દ્રઢ નહિ હોય તો એ હેતે-પ્રીતે-રીતે કરાવી ને પણ કસર ટાળશે……એટલે આપણે તો એ  સત્પુરુષ ને બસ રાજી જ કરવાના છે…..
સભામાં ગોઠવાયા પહેલા મારા વ્હાલા ના મનભરી ને દર્શન કરવા માં આવ્યા……
12985400_1693874294233736_1188693400595693070_n
અને સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે યુવક મિત્રો દ્વારા “સ્વામિનારાયણ નામ મારા વ્હાલા..” ધુન્ય ચાલી રહી હતી….ધુન્ય પૂરી થઇ એટલે કીર્તન ” સુખસાગર હરિવર સંગે…” અને  ” સર્વે માન તજી શામળિયા ..” મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન નો લાભ મળ્યો…….
પુ.વિવેકશીલ સ્વામી એ  “પ્રમુખ સ્વામી મહારાજ ની પરાભક્તિ” પર અનેક રસપ્રદ પ્રસંગો દ્વારા મનોનીય પ્રવચન કર્યું….જોઈએ એનો સારાંશ….
  • જેમ શ્રીજી મહારાજે પોતાના ગુરુ રામાનંદ સ્વામી ને પત્ર માં  લખ્યું હતું કે -મીઠા વગર ની રસોઈ નકામી હોય છે તેમ મનુષ્ય ના જીવનમાં જો ભક્તિ ન હોય..ભગવાન ન હોય તો એ જીવન ક્ષુલ્લક કહેવાય……..
  • પ્રગટ અક્ષર બ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ને માઈક્રોસ્કોપ થી જુઓ તો સમજાય કે- એમના જીવન ની પ્રત્યેક ક્રિયા…ક્ષણ માં  એક શ્રીજી ને  જ આગળ રાખ્યા છે…….કોઈ સન્માન ની વાત હોય…કોઈ નવી વસ્તુ પ્રસાદી ની કરવાની હોય…..અરે હાર સ્વીકારવા નો હોય…તો પણ શ્રીજી જ સદાયે આગળ જ હોય..!
  • આત્મનિવેદી ભક્તિ નું જીવંત અને સર્વોચ્ચ સ્વરૂપ હોય તો એ છે –  પ્રમુખ સ્વામી મહારાજ……….એમના હરિકૃષ્ણ મહારાજ ને થાક લાગ્યો છે…આરામ ની જરૂર છે……ભૂખ લાગી છે……એનો વિચાર સદાયે એમના અંતર માં રહ્યો છે……….!
અદ્ભુત…..અદ્ભુત…………! આવી ભક્તિ તો ભગવાન ના અખંડ ધારક સંત જ કરી શકે……….! ત્યારબાદ સ્વામીશ્રી  ના સારંગપુર ખાતે ના વિચરણ- ૯-૧૦ એપ્રિલ ,૨૦૧૬ ના દર્શન  વિડીયો ના માધ્યમ થી થયા……જે નીચેની લીંક થી તમે પણ કરી શકો છો…..

ત્યારબાદ પુ.વિવેકજીવન સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા ” ગઢડા પ્રથમ-૩૩” વચનામૃત પર રસપ્રદ પ્રવચન થયું……જોઈએ એના અમુક અંશ….
  • વચનામૃત ગઢડા પ્રથમ-૩૩ માં શ્રીજી એ કહ્યું છે તેમ……શ્રીજી નો દ્રઢ આશરો જ  શ્રીજી ને રાજી કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે..સાધન છે….પણ આપણા જીવ ની વૃત્તિઓ સ્થિર નથી…આથી આ -માર્ગ આપણા માટે મુશ્કેલ છે…..
  • Revival….Reform..Contribution ..એ શ્રીજી એ આપેલા અદ્ભુત આશીર્વાદ આપણા પર છે…….Revival એટલે કે  સદગુણો નું પુનર્જીવન…સમાજ ને જીવંત કર્યો………Reform …જીવમાત્ર..સમાજમાત્ર  નું પરિવર્તન…. ..Contribution…સમાજ માં  ઉચ્ચ નૈતિકતા નું સંપાદન….ગુણાતીત સંત દ્વારા કલ્યાણ નો માર્ગ ચાલુ રાખવાનું યોગદાન…….એમના અનેક જીવન પ્રસંગ દ્વારા જાણવા મળે છે…..
  • ગુણાતીત સંત દ્વારા સદાયે પ્રગટ રહેવાનું……એમના દ્વારા કલ્યાણ નો માર્ગ ચાલુ રાખવાનું યોગદાન આજે પણ સ્પષ્ટ દેખાય છે…………
  • અંગ્રેજી માં એક શબ્દ છે…..entropy….સમયકાળ ની સાથે એનર્જી લેવલ માં થતો ઘટાડો- જો અધ્યાત્મિક ભાષા માં જોવામાં આવે તો – શારીરિક…માનસિક બળ માં -સંજોગ-કાળ-વય સાથે થતા ઘટાડા સાથે સરખાવી શકાય……પણ જો એમાં  આદ્યાત્મિક બળ અર્થાત Spiritual energy મજબુત હોય તો શારીરિક અને માનસિક બળ માં થતો ઘટાડો…..અસરકારક નથી રહેતો…….! સદ્ગુરુ સ્વરૂપાનંદ સ્વામી જયારે બીમાર પડ્યા ત્યારે શ્રીજી એ એમના ખબર અંતર પૂછ્યા તો- સ્વામી બોલી ઉઠ્યા…..” ટટ્ટુ ( અર્થાત દેહ)  બીમાર હૈ…અસવાર ( અર્થાત જીવ)  તાજા હૈ…” માટે અંતર નું બળ મજબુત કરો…..
  • જો આશરો દ્રઢ હોય તો મન નિશ્ચિંત રહે…….સ્થિર રહે………..નિર્ભય રહે….
  • પ.પુ.મહંત સ્વામી તો કહે છે કે- જો નિયમ ધર્મ દ્રઢ રહે તો આશરો દ્રઢ થાય…….નિષ્ઠા દ્રઢ થાય…..
  • શ્રીજી નો આશરો દ્રઢ રહે તે પુરતો નથી…..પણ સાથે સાથે શ્રીજી કહે છે એમ……અધ્યાત્મ માં જેમ જેમ આગળ વધીએ તેમ તેમ પાછા વળી ને અંતર ને તપાસતા રહેવું……..ચકાસતા રહેવું……….કે આપણો આશરો કેટલો દ્રઢ થયો છે……
  • અને જો સત્સંગ માં નિષ્ઠા કે આશરો દ્રઢ ન હોય…..એનો મહિમા દ્રઢ ન હોય……તો જીવ સહેજ કપરો કાળ આવે…..વિપરીત સંજોગ આવે…સહેજ અપમાન થાય તો સત્સંગ ચૂંથાઈ જાય……..માટે સત્સંગમાં પ્રગતિ નો માર્ગ- એ દ્રઢ આશરો જ છે………
  • સત્સંગમાં ખમતા શીખવું……..એ આશરો દ્રઢ બનાવે છે………….
  • શ્રીજી ના સમય માં પણ વજીબા જેવા પરમ ભક્ત હતા તો આજે પણ પ્રમુખ સ્વામી મહારાજ ના સમય માં અનેક ભક્તરાજ આવો જ અનન્ય દ્રઢ આશરો ધરાવે છે….પતિવ્રતા ની ભક્તિ ધરાવે છે……..પોતાનું સર્વસ્વ – સ્વામી ના એક ઈશારે અર્પણ કરવા તૈયાર રહે છે………
અદ્ભુત……અદ્ભુત…………..!!! આવો દ્રઢ આશરો આપણ ને છે????? જો આવી દ્રઢ નિષ્ઠા થાય તો જીવ સ્થિતપ્રજ્ઞ થઇ જાય……..અને એક ભગવાન ને જ સર્વ કર્તાહર્તા સમજે..માને….અને સુખ-દુખ માં સ્થિર રહી શકે………..
સભાને અંતે- અક્ષરધામ વાસી થયેલા ભક્તરાજ માટે સ્વામિનારાયણ ધુન્ય થઇ………….
આપણો તો એક જ નિર્ધાર…………..આપણે તો સત્પુરુષ ના સંગે- શ્રીજી ના સ્વરૂપ ની દ્રઢ નિષ્ઠા કરવી છે……એક એમના જ આશરા ને દ્રઢ કરવો છે…….શ્રીજી રાજી થાય એવા શરણાગત બનવું છે………….!!!
જય સ્વામીનારાયણ…..
રાજ

Monday, December 23, 2013

BAPS રવિસભા-૨૨/૧૨/૨૦૧૩

( Main blog- rajmistry2.wordpress.com)

 ”….એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો હું પ્રશ્ર્ન પુછું છું જે……. “શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને ચારેને ભગવાનના સ્‍વરૂપનો નિશ્વય તો સરખો છે, માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે?”
પછી એ પ્રશ્ર્નનો ઉત્તર મુનિએ કરવા માંડયો પણ થયો નહિ…….. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જ્ઞાની છે તે તો બ્રહ્મસ્‍વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે. માટે એને ભગવાનના સ્‍વરૂપ વિના બીજી મનમાં કાંઇ કામના રહેતી નથી અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે, તેને ભગવાનનો નિશ્વય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે………. તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારું ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઇ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને જેને કોઇ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્‍યવાન હોય અને જો તે વૈરાગ્‍યને યોગે અહંકારે યુક્ત વર્તે તો, એ પણ એને વિષે મોટી ખોટ છે, અથવા અત્‍યંત આત્‍મજ્ઞાનનું બળ હોય, અથવા ભગવાનને વિષે દૃઢ ભકિતનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહિ અથવા તેની આગળ દીન વચન બોલાય નહિ, તો એ પણ એને વિષે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે…….”
————ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ-૫૬——-
તો ઉપરોક્ત વચનામૃત નો સાર એ છે કે- ભક્ત થાવું તો જ્ઞાની જ થાવું…..કારણ કે જ્ઞાન ને બળે જ- સતપુરુષ થકી- ભગવાન ના સ્વરૂપ નો મહિમા સાચી રીતે સમજાય છે અને દ્રઢ નિષ્ઠા થાય છે………આ બ્રહ્મ સત્ય એ જ આ સભાનો મુખ્ય સાર હતો.  કહેવા નું એટલું કે- રવિસભા એ જ્ઞાન નો…. સત્સંગ નો અદભૂત ખજાનો છે…..અઠવાડિયા ના સંસારિક કાર્યો ની દોડધામ મા અટવાયેલા-થાકેલા આ જીવ ને રીચાર્જ કરવા માટે- રવિસભા થી મોટું શસ્ત્ર કોઈ નથી……!
તો આજે સભામાં સમયસર પહોંચી ગયો- અને સર્વ પ્રથમ ધનુર્માસ ના- આ અદભૂત દર્શન…..મારા વ્હાલા ના…..તમે પણ દર્શન કરો……
આજ ના દર્શન....
આજ ના દર્શન….
સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે- યુવકો દ્વારા ધૂન્ય થઇ રહી હતી……સ્વામિનારાયણ ધૂન – એ આ જીવ ને પોષણ-શક્તિ-હિંમત આપતું એક અનન્ય બળ છે……જીવન મા કોઈ પણ વિપરીત સ્થિતિ આવે- વિકટ પરિસ્થિતિ આવે કે- સંકટ આવે- અ મહામંત્ર નો ઉચ્ચ સ્વરે જાપ કરવો- બળ જરૂર રહેશે…..એની પાકી ગેરંટી..! ત્યારબાદ એક યુવક દ્વારા કીર્તન રજુ થયું…..”અનુભવી આનંદ મા બ્રહ્મરસ ના ભોગી રે…..”…..અદભૂત હતું….બ્રહ્મરસ ના ભોગી ની આ જ નિશાની છે…..સહજ-આનંદ હમેંશા…! બીજું એક કીર્તન અદભૂત હતું…..બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત કીર્તન ના શબ્દ હતા……”ઝલકે છે સુંદર ભાલ જાઉં બિહારી રે ,કેસર નું તિલક સોહામણું  ગિરધારી..રે……”….અને જાણે કે શ્રીજી ની એ મુરત નજર સામે છવાઈ ગઈ…….!
ત્યારબાદ એક અદભૂત ગાથા રજુ થઇ……લંડન બેપ્સ યુવક મંડળ ના ૧૦ જેટલા યુવકો એ એક પોતાની એક તપ યાત્રા નું સચિત્ર-ભાવભીનું વર્ણન કર્યું. એમનાં પ્રતિનિધિ પ.ભ. રાકેશભાઈ કારા એ -લગભગ કલાક ચાલેલી આ અદભૂત ગાથા વર્ણવતા કહ્યું કે- ૧૦ સપ્ટેમ્બર ના રોજ લંડન થી યુવક મંડળ- નેપાળ પહોંચ્યું…..હેતુ સ્પષ્ટ હતો- કે ૨૦૦ વર્ષ પહેલા નિલકંઠ વરણી એ કરેલી ગંડકી નદી-થી માનસરોવર ની યાત્રા -નો અનુભવ કરવો- અને સાથે સાથે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના સ્વાસ્થ્ય માટે -આ તપ યાત્રા કરવી…..! આવા સર્વોપરી હેતુ સાથે શરુ થયેલી યાત્રા અને એમનાં અનુભવો- સાંભળી ને થયું કે શૂન્ય નીચે ૧૫-૨૦ ડીગ્રી તાપમાન મા- કેટકેટલા ભીડા પડે છે- છતાં આ યુવાનો એ પણ વિદેશ ની ધરતી પર જન્મેલા-ઉછરેલા- ભગવાન ને -ગુરુ ને રાજી કરવા નીકળ્યા છે….! લાલ ગંડકી નદી, મુક્તિનાથ, કૈલાસ માનસરોવર ની આ વિષમ યાત્રા અને અત્યંત ઠંડી અને પાતળી હવા વચ્ચે પણ- ભગવાન ને સ્નાન, પૂજા,આરતી,સ્તોત્ર દ્વારા રાજી કરવા ના નિયમો ફોટો-વિડીયો દ્વારા રજુ થયા………ભગવાન સ્વામિનારાયણ એ અત્યંત ખુલ્લા શરીરે- શૂન્ય ની નીચે ૪૦ ડીગ્રી મા લગભગ ૬ દિવસ- કૈલાસ માનસરોવર મા ગાળ્યા હતા………એ વિચારી ને જ હૃદય ઉછાળી ઉઠે છે…..! એમને શું સ્વાર્થ હતો…..??? આવી વિષમ સ્થિતિ મા ખુલ્લા શરીરે-ભૂખ્યા તને તપ કરવા નું તાત્પર્ય શું??? જીવમાત્ર નું કલ્યાણ……બીજું શું…! સમજો- તો જાણો-અને અનુભવો કે ભગવાન પોતાના ભક્તો માટે- જીવ માત્ર ના કલ્યાણ માટે- કેવ કેવા ઉદાહરણો પોતે કષ્ટ વેઠી ને પ્રત્યક્ષ કરે છે……! શત્ શત્ વંદન આ યુવાનો ને કે જે સર્વોપરી હેતુ લઈને- આટ આટલા ભીડા વેઠી ને આ કઠિનતમ યાત્રા પૂરી કરી અને ગુરુહરિ ને- હરિ ને રાજી કર્યા…….! આપણે આ માર્ગ મા કેટલે છીએ?

ત્યારબાદ- પૂ.ઈશ્વરચરણ સ્વામી એ ગઢડા પ્રથમ ના ૫૬ મા વચનામૃત નું સુંદર નિરૂપણ- ઉપરોક્ત યુવાનો ને આશીર્વાદ અને અભિનંદન આપતા કર્યું……..જોઈએ એનો સારાંશ,…..
  • સત્સંગ મા -ભગવાન ને જ્ઞાની ભક્તો પ્રત્યે વિશેષ ભાવ રહે છે- કારણ કે- એ ભક્તો જ ભગવાન ના સ્વરૂપ ને યથાર્થ સમજે છે- જાણે છે……અને ભગવાન ને પામે છે.
  • ભગવાન વિના જીવે કશું ન ઇચ્છવું……એક ભગવાન મા જ જીવ રાખવો…..તો જ કલ્યાણ થાય
  • સત્સંગ ની શરૂઆત- માન મુકવા થી જ થાય- જો માન મુકાય- અને દાસાનુદાસ નો ગુણ આવે તો જ સત્સંગ મા પ્રવેશ થાય- ટકાય……નહીતર પતન થાય……
  • યોગીજી મહારાજ ને તો યુવકો પ્રત્યે એટલો પ્રેમ કે- એક મા ની જેમ એમની સેવા કરતાં……વીનું ભગત( પૂ.મહંત સ્વામી નું પાર્ષદ તરીકે નું નામ) ની બીમારી વખતે- યોગીબાપા – સભા છોડી ને એમની સેવા મા લાગ્યા હતા…….એ પ્રસંગ અદભૂત હતો….
  • સત્પુરુષ ના વિષે જેટલી દ્રઢ પ્રીતિ એટલો જ જીવ આત્મદર્શન ને પામે છે…..અંતે માન ઘટે છે અને સત્સંગ નું સાચું સુખ આવે છે……
  • એક ભગવાન ને જો કર્તાહર્તા મનાય તો- જ જીવ આત્મ સત્તા રૂપે વર્તી શકે…..અને અંતર મા ટાઢક રહે…..શાશ્વત સુખ રહે……
સત્ય વચન…..બ્રહ્મ વચન…..!
સભાને અંતે જાહેરાતો થઇ…….
  • પૂ.બ્રહ્મદર્શન સ્વામી જેવા તેજસ્વી -વિદ્વાન સંત ના મુખે “સ્વામિનારાયણીય સાધના” પર ઓડીઓ સીડી બહાર પડી છે…….ચોક્કસ લેવી….મન ના બધા સંશયો દુર થઇ જ્ઞાની ભક્ત થવાશે…….
  • તા-૧૦ ડીસેમ્બર થી ૨૮ ફેબ્રુઆરી-૨૦૧૪ સુધી- શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ- શાહીબાગ મા રાહત ભાવે ” ઘૂંટણ બદલવા ની ટ્રીટમેન્ટ” નો કેમ્પ થવાનો છે……નિદાન મફત છે- સર્જરી રાહત ભાવે થાશે…….આ માટે ડૉ. આનલ રાવલીયા – હોસ્પિટલ ખાતે નો કોન્ટેક્ટ કરવો……
તો- ચાલો- આ બ્રહ્મ સભા ના સાર ને બસ- અંતર મા મમળાવતા રહેજો……..યાદ રાખો- શ્રીજી ને જ્ઞાની-નિર્માની-ભક્તો જ ગમે છે…….
રાજી રહેશો……
રાજ

Tuesday, January 10, 2012

શ્રીહરિના પ્રસાદીના પત્રો


સ્વામિનારાયણ સંપ્રદાય મા પત્રો- લેખન- સાહિત્ય રચના ની પરંપરા અદભૂત રહી છે. છેક પૂ. રામાનંદ સ્વામી ના સમય થી થયેલા અભૂતપૂર્વ પત્ર લેખન ના પુરાવા આજે પણ સંપ્રદાય મા જ્ઞાત છે.  શ્રી બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સંપ્રદાય ના આજ ના પુસ્તકો મા પણ પૂ. શાસ્ત્રીજી મહારાજ, પૂ. ભગતજી મહારાજ, પૂ. નિર્ગુણદાસ સ્વામી દ્વારા લેખિત અસંખ્ય પત્રો આજે પણ ઉપલબ્ધ છે. એમાં પણ પૂ. શાસ્ત્રીજી મહારાજ નો અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત માટે નો દાખડો , પૂ. નિર્ગુણદાસ સ્વામી ના પત્રો મા સુપેરે જોવા મળે છે. એવું કહેવાય છે કે પૂ. નિર્ગુણદાસ સ્વામી પત્રો લખતા એ- એક મોટા અહેવાલ  થી ઓછા ન હતા. પત્રો થી સંપ્રદાય નું જે પોષણ થયું , છે, જે જગજાહેર વાત છે.

” શ્રીજી ના પ્રસાદી ના પત્રો” એ શ્રીજી મહારાજે સ્વયં લખેલા પત્રો નો અમુલ્ય સંગ્રહ છે. મે આ પુસ્તક નો શોધવા ઘણા મંદિરો કે ઘણા સ્થળો ની મુલાકાત લીધી, સંતો ની સાથે, મંદિરો ના સંચાલક મંડળ સાથે ચર્ચા કરી પણ – એ ક્યાં ય પણ પ્રાપ્ત ન થઇ. લગભગ ૯૦ વર્ષ પહેલા પ.ભ. માધવલાલ કોઠારી એ આ પુસ્તક પ્રકાશિત કર્યું હતું અને તેની એક પ્રત ગુજરાત વિદ્યાપીઠ મા પણ છે. અમુક સમય પહેલા હું અને રીના કાલુપુર સ્વામી. મંદિરે દર્શને ગયા હતા અને ત્યાં આગળ , ચર્ચામાં ખબર પડી કે – હિમતનગર સ્વામિનારાયણ મંદિરે – પૂ. શાસ્ત્રી શ્રી હરજીવન દાસ સ્વામી એ – શેઠ પરિવાર ના સહયોગ થી આ પુસ્તક પુનઃ પ્રગટ કર્યું છે. હું તો ઉત્સાહિત થઇ ગયો અને તુરંત જ હિમતનગર રહેતા સબંધી નો સપર્ક કરી- આ પુસ્તક મેળવવા મા આવ્યું. હજુ ગઈકાલે જ મારા હાથમાં આ પુસ્તક આવ્યું અને હું જાણે કે સાતમાં આકાશ મા હોઉં- એટલો આનંદ થયો.
કેટલીક ઝલક……
  • શ્રીજી મહારાજે લખેલો પ્રથમ પત્ર- કે રામાનંદ સ્વામી પર હતો, એ એમના સ્વ- હસ્તાક્ષર મા પ્રગટ થયો છે. એ સમય ની ભાષા- મા વ્રજ કે હિન્દી મા લખાયેલો આ પત્ર- શ્રીજી નો- પોતાનો સત્સંગ દ્રઢ કરવા માટે ની દિશામાં પ્રથમ પ્રયાસ હતો.

શ્રીજી નો પૂ. રામાનંદ સ્વામી પર નો ઐતિહાસિક પત્ર
  • લગભગ ૫૪ પત્રો પ્રગટ થયા છે, જે મોટાભાગે ગુજરાતી- ( એ સમય ની ગુજરાતી) મા છે. હજુ અસંખ્ય પત્રો મળ્યા નથી- આથી લીસ્ટ કદાચ લાંબુ હોઈ શકે છે.
  • એમાં થી અમુક પત્રો શ્રીજી એ સ્વયં લખેલા છે, તો મોટાભાગ ના પત્રો- શ્રીજી એ શુક્મુની, મુળજી બ્રહ્મચારી કે અન્ય લહિયા સંતો ને હાથે લખાવેલા છે.
  • પત્રોમાં મોટેભાગે ઉપદેશો, આત્મા-પરમાત્મા નું જ્ઞાન, જીવ ના કલ્યાણ ની વાતો, સંતો-હરિભક્તો  ના મહિમા ની વાતો કરેલી છે. અમુક પત્રો મા પોતાના સ્વરૂપ ની યથાર્થતા દર્શાવવા નો પ્રયત્ન પણ શ્રીજી એ કરેલો છે.
હજુ તો મે આ પુસ્તક વાંચવા નું શરુ જ કર્યું છે, અને હું પત્ર ના શબ્દે-શબ્દે ટપકતા શ્રીજી ની અમૃત વાણી/ઉપદેશો થી પ્રભાવિત થઇ ગયો છું. મને યાદ આવે છે કે પ્રસંગ કે જયારે – શ્રીજી ના એક પત્ર ને આધારે- હરિભક્તો , લગ્ન ની ચોરી મા થી ઉઠી ને જે કામ કરતા  હોય તે પડતું મૂકી ને પરમહંસ ની દીક્ષા લેવા હાજર થઇ ગયા હતા. એક જ રાત મા પાંચસો પરમહંસો ને દીક્ષા નો પ્રસંગ- એક અદભૂત અને અવિસ્મરણીય પ્રસંગ છે…..અને એ દર્શાવે છે કે – શ્રીજી ના પત્રો પણ કેટલા પ્રભાવશાળી હતા.

શ્રીજી ના પ્રસાદી ના પત્રો...
તો વાંચન ચાલુ છે…..અભ્યાસ ચાલુ છે…..આથી આ પત્રો ની ચર્ચા પણ ચાલુ જ રહેશે.
જય સ્વામિનારાયણ,
રાજ

Friday, November 18, 2011

એક વાત- શ્રીહરિ ની…….



જેના શબ્દે અમૃત છલકાયા......
શ્રીહરિ ના મુખે બોલાયેલા અમૃત મય શબ્દો ને પ.પૂ. સંતો એ ઝીલી લીધા અને કલમ- અક્ષર થી એમને , જીવમાત્ર ના અનંત કલ્યાણ માટે ” અક્ષર મૂર્ત” કર્યાં…….આજે સવારે હું વચનામૃત જોઈ રહ્યો હતો અને મારી નજર હમેંશ ની જેમ – વચનામૃત ના પ્રથમ પાના પર પડી……શ્રીજી ની સહજ વાણી અને આ મૂર્તિમંત શબ્દો જ – જીવ ને બ્રહ્મજ્ઞાન આપવા પૂરતા છે…….વાંચો ઉપર ના શબ્દો………..!
જેમ પૂ. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે…..સંતો કહે છે……શાસ્ત્રો કહે છે એમ…..શ્રીહરિ નો મહિમા જાણ્યા સિવાય- જીવ ને શ્રીજી નું સામીપ્ય મળતું નથી…..મહિમા વગર ની ભક્તિ પણ મોળી પડે છે…….સત્સંગ પણ મોળો પડે છે…..આથી જીવ ની અખંડ વૃતિ – એક માત્ર હરિ મા જોડાય એ માટે – શ્રીહરિ નું માહાત્મ્ય જાણવું અત્યંત જરૂરી છે…..અનિવાર્ય છે……..અને એક વાર , એ સમજાય એટલે બાકી બધું એક પલકાર માત્ર થઇ જાય છે…..
બાકી દુનિયાનું-બ્રહ્માંડ નું સૌથી મોટું સત્ય તો એ છે કે આપણે તો નિમિત્ત માત્ર છીએ……એક શ્રીહરિ ની મરજી વિના આપણે એક સુકું પર્ણ પણ ખસેડવા સમર્થ નથી……આ સત્ય આજે સમજો તો યે……કાલે સમજો તો યે…..અને અનંત જન્મે સમજો તો યે…….સમજ્યે જ છુટકો છે………! બાકી- ” શકટ નો ભાર તો અસંખ્ય શ્વાન તાણે જ છે……”
જય સ્વામિનારાયણ
રાજ

Saturday, September 24, 2011

શ્રીજી મહારાજ- સ્વરૂપ નિરૂપણ


હું ઘણીવાર- વચનામૃત કે સંતો દ્વારા લખાયેલ – શ્રીહરિ લીલામૃત કે ચરિત્ર નું પઠન કરું ત્યારે- સવાલ થાય છે કે – જેના માત્ર એક દર્શન થી લોકો ને સમાધી થઇ જાતી …એ દર્શન…સ્વરૂપ  કેવું હશે??? એક ચાખડી ના ચટકે કે..હાથ ના એક લટકે અનેક મુમુક્ષો ને સમાધી થઇ જાતી હતી. પૂ. પ્રેમાનંદ સ્વામી જેવા અતિ વિદ્વાન સંતે – એમની કૃતિઓ ..ભજનો..પદો મા શ્રીજી ની નાની નાની વાતો નું આબેહુબ વર્ણન કર્યું છે. કવીશ્વર દલપત રામ – શ્રીજી નો એક લટકો કે જે- એમણે આઠ વર્ષ ની ઉમરે સાંભળ્યો હતો- એ એમની જિંદગી ભર ભૂલ્યા ન હતા…….હરિભક્તો દ્વારા રોજ બોલાતી ચેષ્ઠા મા – મહારાજ ના આ સ્વરૂપ નું….લીલાઓ નું સુપેરે વર્ણન કર્યું છે.  વચનામૃત ની શરૂઆત મા શ્રીજી ની જીવન લીલા નું જે વર્ણન થયું છે – એમાં પણ એમના સ્વરૂપ ની..ક્રિયાઓ નું..ટેવો નું અદભૂત વર્ણન થયું છે. કદાચ – સ્વામિનારાયણ સંપ્રદાય ના મહાન સંતો એ – જે રીતે શ્રીજી મહારાજ ની આ લાક્ષણિકતા ઓ કે સ્વરૂપ નું જે રીતે માઈક્રો લેવલે વર્ણન કર્યું છે- એવું તો કોઈનું વર્ણન હજુ સુધી નહી થયું હોય. શરીર પર ના તલ, નિશાન  કે ચિહ્નો ..દંતપંક્તિ કે ચાલવા-ઊઠવા-બેસવા ની રીતો…….તમે કલ્પના ન કરી શકો એ રીતે એનું ખુબ જ ઝીણવટ ભર્યું વર્ણન થયું છે. જુઓ એના અમુક અંશ…..
 એવા જે સહજાનંદ સ્વામી મહારાજ તેની મૂર્તિ ના જે ચિહન તે પ્રથમ લખી એ છીએ…શ્રીજી મહારાજ ના બે ચરણવિંદ ના તળામા ઉર્ધ્વ રેખા છે , તે કેવી છે? તો અંગુઠા ની પાસે ની જે આંગળીઓ તેની બેય કોરે નીકળી છે ને પાની ને બેય કોરે નીકળી છે, અને જમણા પગ ના અંગુઠા ના થડ મા ઉર્ધ્વરેખા ની બેય કોરે કમળ ,અંકુશ,ધ્વજ,અષ્ટકોણ,વજ્ર,સ્વસ્તિક,જમ્બુફળ એમના ચિહન છે…અને જમણા પગ ના અંગુઠા ના નખમાં એક ઉભી રાતી રેખા  નું ચિહન છે…….અને એ જ અંગુઠા ને બહેરાલે પડખે એક તિલ છે ……..
ઓરીજીનલ- સ્વામીનારાયણ મ્યુઝીયમ , અમદાવાદ જોઈ શકાય છે.
  ….અને બે નેત્ર ને જે હેથલી ને ઉપલી પાંપણયો તેથી ઉપર ને હેઠે ઝીણી ઝીણી કરચલીઓ પડે છે..અને નાસિકા ઉપર શીળી ના ચાઠાંના ઝીણા ઝીણા ચિહન છે . અને મુખમાં જમણી કોરે હેઠ લી જે પ્રથમ દાઢય તેમાં શ્યામ ચિહન છે અને જીહવા તે કમળ ના પત્ર સરખી રક્ત છે અને ડાબા કાન ને માંહેલી કોરે શ્યામ બિંદુ નું ચિહન છે….અને વિશાળ ને ઊપડતું એવું જે લલાટ તેને વિષે તિલક ને આકારે ઉભી બે રેખાઓ છે…. 
” શ્રીજી મહારાજ ને નિત્ય પ્રત્યે પાછલી ચાર ઘડી અથવા ત્રણ ઘડી રાત્રી રહે તારે ઉઠીને દાતણ કરવાનો સ્વભાવ છે.અને તે પછી સ્નાન કરી ને , ને ધોયેલું જે કોરું વસ્ત્ર તેણે કરી ને શરીર ને લુંઈને પછી ઉભા થઇ ને પહેરવા ના વસ્ત્ર ને બે સાથળ વચ્ચે ભેળું કરી ને તેણે બે હાથે કરી ને નીચોવી ને પછી સાથળ ને, ને પગ ને લુઈ ને પછી ધોયેલું સુક્ષ્મ શ્વેત વસ્ત્ર તેને સારી પેઠે તાણી ને પહેરે છે………..
તો, વચનામૃત અને પ્રેમાનંદ સ્વામી ના અસંખ્ય પદો મા – મહારાજ વિષે બધું જ વર્ણન છે. જેમ તમે એને ઊંડાણ પૂર્વક વાંચતા જાઓ તેમ તેમ તમારી મનો- દ્રષ્ટી સમક્ષ મહારાજ ની મનોહર શ્યામળી મૂર્તિ છવાતી જાય છે…….! મહારાજ ના સ્વરૂપ ના તો જેટલા ગુણ લખવા હોય એટલા લખાય એમ છે પણ હું જયારે જયારે કાલુપુર મંદિર જાઉં ત્યારે- ત્યાં રંગમાહોલ કે સંત નિવાસ પાસે ના શ્રીજી ના નિવાસ સ્થાન ના દર્શને અચૂક જાઉં છું. ત્યાં આગળ ઘનશ્યામ મહારાજ ની જે મૂર્તિ છે- તે કદાચ અદ્દલોઅદ્દલ્ મહારાજ ના સ્વરૂપ ને વિષે સામ્યતા ધરાવે છે.
ઘનશ્યામ મહારાજ- કાલુપુર મંદિર
તમે ધ્યાન થી જુઓ તો ખબર પડે. શ્રીજી મહારાજ ની – પૂ. આધારાનંદ સ્વામી અને નારાયણ જી સુથારે બનાવેલી મૂર્તિ ચિત્ર સાથે એ મેળ ખાય છે.
શ્રીજી મહારાજ
સ્વામિનારાયણ ગુરુકુળ, અમદાવાદ મંદિર ના સ્ટોલ મા મે શ્રીજી મહારાજ નો ફોટો જોયેલો. કહેવાય છે કે – અંગ્રેજ અમલદારે એ ફોટો લીધો હતો અને એ સાચો ફોટો છે….પણ એ ચર્ચા નો વિષય છે કારણ કે શ્રીજી મહારાજ  ઈસવીસન  1830 મા ધામ મા ગયેલા અને કેમેરા ની શોધ  ઈસવીસન ૧૮૬૫ થી શરુ થયેલી પણ ફોટા ને જાળવવા ને ટેકનીક ૧૮૨૬ મા પેરીસ મા જોસેફ નીકેફર દ્વારા થયેલી. આથી ૧૮૩૦ મા શ્રીજી નો ફોટો લેવા ની આ વાત મા કઈ ક ખાસ દામ નથી લાગતો છતાં એમાં સત્ય ની તપાસ કરી શકાય.
શ્રીજી નો સાચો ફોટો ?????
ફોટો સૌજન્ય- ગુગલ ઈમેજ
જે હોય તે…..પણ મે એ ફોટો જોયેલો અને એ ફોટા મા પણ શ્રીજી મહારાજ( જો એ સાચો ફોટો હોય તો) અદભૂત લાગ્યા છે.  હરિ ની કોઈ પણ વાત- કે લીલા-કે સ્મૃતિ – મન ને તરબતર કરવા પૂરતી છે.  આખરે આપણા શાસ્ત્રો મા ભગવાન ને – એમની સ્મૃતિ ઓ ને વારંવાર યાદ કરવા નું- કેમ કહે છે???? કારણ કે , એના થી તમારા મન-હૃદય પર એક અમિત છાપ રચાય છે- વૃતિઓ-ઇન્દ્રિયો ભગવાન મા જોડાયેલી રહે છે અને જીવ સ્થિર થઇ મોક્ષ અથવા અક્ષરધામ ને પામે છે. આમેય , શ્રીકૃષ્ણ ભગવાને – શ્રીમદ ગીતા મા કહ્યું છે કે – મારા ભક્તો મને જે સ્વરૂપે પુજે છે અને ઈચ્છે છે તે સ્વરૂપે હું એમને પ્રાપ્ત થાઉં છું….તો બસ હરિ નું સ્વરૂપ- લક્ષણો -લીલા ચરિત્રો – મનમાં ઘૂંટી રાખો- એ તમારી નિષ્ઠા પાકી કરશે અને હરિ ની પ્રાપ્તિ સહજ કરાવશે.
બસ, આપણે તો આ જ જોઈએ છે…….તમારે શું જોઈએ છે? એ તમારે નક્કી કરવા નું છે……”આપ મૂઆં સ્વર્ગ ન જવાય….” કહેવત છે આથી- હરિ ને જેટલા જલ્દી હૃદય મા વસાવો એટલું જ સારું છે…..સહજ છે…..
સહજ આનંદ………સહજ આનંદ………….
જય સ્વામિનારાયણ….
રાજ

Thursday, August 18, 2011

દેહ ની રામાયણ…


શરીર……વપુ…….ખોળિયું……બોડી……દેહ…..! નામ અનેક છે પણ કામ મુખ્ય ત્રણ…..
  1. ભોગ અને સંતૃપ્તિ
  2. રક્ષણ અને અસ્તિત્વ
  3. કર્મ અને પ્રદર્શન
અને આ મુખ્ય ત્રણ કાર્ય નીચે તમે ચાહો- એ લક્ષણ આ ખોળિયા ને માટે મૂકી શકો છો. વ્યાખ્યાઓ અનંત છે….તો એની પરિભાષા પણ અનંત છે. તમે ” છગનભાઈ” છો…એ તમારું ખોળિયું છે કે એને ચલાવનારો તમારો ” માંહ્યલો” અર્થાત આત્મા છે…..??????..( માંહ્યલો – શબ્દ અમારા ગાંઠીયોલ કે ગોધમજી ના એક સિદ્ધ પુરુષ થઇ ગયા- શ્રીમદ જેસીંગ બાપા- એમનો તકિયા કલામ હતો. મારા મોટાબાપા ને ત્યાં એમની પધરામણીઓ અને મેળાવડા થતાં- એમાં અમે બાળકો – આને સાંભળતા રહેતા…)…..નક્કી કરવું મુશ્કેલ છે…..કારણ કે આત્મા ના સ્વધામ ગયા પછી પૂછીએ તો કહેવાય છે કે ” છગનભાઈ ધામ મા ગયા……..” ! તો જ્યાં સુધી આત્મા આ દેહ ને ચલાવે છે ત્યાં સુધી – તમે દેહ ને – આત્મા ના એકાકાર સ્વરૂપે ઓળખો છો.  અને જે મહાપુરુષો- પોતાને કેવળ ” એક આત્મા સ્વરૂપ” જ ઓળખે છે એ સ્થિતપ્રજ્ઞ થઇ – બ્રહ્મ ને પામે છે…..આ હું નહી- ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે…..અને વચનામૃતમાં – શ્રીજી કહે છે……!
તો દેહ શું છે……????  આયુર્વેદ કહે છે કે – દેહ છે , એ પંચમહાભૂતો ( જળ,વાયુ,આકાશ,અગ્નિ,પૃથ્વી) ને ત્રિદોષ( કફ,પિત્ત, વાયુ) થી બનેલું છે. એક અતીશુક્ષ્મ DNA ડીઝાઈન થી શરુ થયેલી આ રચના – એક ૬ ફૂટ ના માણસ મા બદલાઈ જાય છે – એ કઈ નાની સુની ઘટના નથી.  તમે કદાચ- આ ગર્ભધારણ થી લઇ ને જન્મ સુધી ની – ઘટના નો અભ્યાસ કરો તો યે તમે આસ્તિક થઇ જાઓ……એ ગેરંટી મારી….!!!
તો દેહ નું સ્વરૂપ- સ્પષ્ટ થયા પછી- એની બાહ્ય દુનિયા પછી – શરુ થાય છે……” દેહ ની રામાયણ…..”…દેહ ની આસક્તિ ના કારણે- એને નભાવવા ના કારણે- મનુષ્ય કે જીવ- બધું જ ( નૈતિક – અનૈતિક) કર્મો કરે છે……હવે તમે એક રૂટીન જીવન ના પ્રવાહ વિષે  વિચારો……..
  • બાળક નો જન્મ થયો- એટલે જેવો દેહ – ગર્ભાશય ની બહાર આવે- ગર્ભધારણ ના ૯ માસ- મા ના ગર્ભાશય  ના સલામત વાતાવરણ મા રહેલા બાળક ને  બહાર નું વાતાવરણ – એને સાનુકુળ નથી જ લાગતું…..આથી મહા કષ્ટ…વેઠી ને જન્મ થાય….
  • ૧- ૧.૫ વર્ષ સુધી- રોજ નવું નવું શીખવા ની રામાયણ……( રોગ-ભય-જીજ્ઞાસા-આનંદ-સ્વાદ તો સાથે હોય છે……..)
  • પછી શરુ થાય સ્કુલ મા પ્રવેશ- …..પહેલી વાર સ્કુલ મા જવાનું..દરેક બાળક માટે કઈ મજા ની વાત નથી હોતી……સ્કુલ મા જવાની આનાકાની- વિરોધ-ધમપછાડા……ચાલુ તે આખી જિંદગી ચાલુ જ રહે માત્ર નામ બદલાયા કરે…….
  • અભ્યાસ પુરો- એટલે નોકરી ની માયાજાળ- પોતાની ” જાત” ને ગોઠવવા ની……ધન.ધાન-સંપત્તિ- નાર- પ્રતિષ્ઠા — માટે નો જંગ શરુ થઇ જાય…..કેટલાક ની ગાડી – આમાં સડસડાટ ચાલે તો કેટલાક ની અટકી અટકી ને- પણ ગાડી તો ચલાવવી જ પડે…….છુટકો જ નહી……
  • અને પછી લગ્ન- ઘર-પત્ની-છોકરાં- અને ફરી એજ ઘટમાળ……..! ચાલુ ને ચાલુ જ…….!
ઘણીવાર થાય કે- બસ આ જ જિંદગી છે…….શું તેને કોઈ એક વ્યાખ્યા મા બાંધવી શક્ય છે??????  તો દેહ- પણ જિંદગી સાથે સંકળાયેલો છે- દેહ છે તો જીવન છે- આ રામાયણ છે………અને તેને અંતે- દેહ ની રામાયણ કહી શકાય….!
   હું મારી પોતાની વાત કરું તો- હું પણ અન્ય ને જેમ ” ફસાયેલો” જ છું……એ પણ પોતાની રાજીખુશી થી..! સ્થિતપ્રજ્ઞ થવાનો પ્રયત્ન- ચાલુ જ છે- હજુ સુધી ૦.૧% સુધી નથી પહોંચાયું……..હકીકત છે. અન્ય સસ્તન જીવો ની જેમ અસ્તિત્વ માટે લડતો રહ્યો છું……હજુ લડતા જ રહેશું……! સંસાર મા ઘુસ્યા છીએ તો – ખબર પડી કે – એક તદ્દન ભિન્ન વિચારો ધરાવતી વ્યક્તિ સાથે – કઈ રીતે અનુકુળ થાવું……એમાં પણ હજુ સંપૂર્ણ સફળ નથી થયા……! જવાબદારીઓ ચાલુ જ છે……..અને એ આવતી જ રહેશે……એનો કોઈ અંત નથી…..! દેહનની આસક્તિ ના કારણે ઘણા દુઃખી થાય છીએ……થવાના છીએ…..પણ શું કરીએ- દેહ દેહ નું કાર્ય કરે…..એ પણ પોતે એક પ્લાન્ટ જેવું છે- એને જે જોઈએ તે જોઈએ જ..( અલબત્ત ..દેહ એ મન નું ગુલામ છે…….એ યાદ રાખો…) અને સાથે દુઃખ આવે છે- એ – એ જોઈ શકતું નથી……દુઃખ આવે એટલે દેહ- તડપે અને એ વાત પણ અન્ય લોક મુખે સાંભળે- ” કોણે કહ્યું ‘તું કે બેટા બાવળિયે ચડજો……..”

 જયારે બીમારી આવે ત્યારે જ યાદ આવે કે- સાલું આ શરીર – આપણા કહ્યામાં નથી……અને જો શક્ય હોય તો શ્રીજી ને રૂબરૂ મળી પ્રાર્થના કરવી છે કે – હે………હરિ- જીવન ના એક-બે વર્ષ…..( હા….માત્ર એક-બે વર્ષ જ…અમદાવાદી છું ભાઈ….) બીમારી ના જ સમજી એને કાપી નાખો- અને કમ સે કમ ૯૮-૯૯ વર્ષ વગર બીમારી ના – કોઈ દેહ-વ્યાધી વગર ના આપો……” !!
જો કે આ વિચાર નર્યો સ્વાર્થી છે-  દેખાય છે….!!!!………ઇતિહાસ સાક્ષી છે કે – દુનિયામાં કોઈ મનુષ્ય-જીવ કે અવતાર એવો નથી થયો કે જેને દેહ ની વ્યાધી ન આવી હોય……! સ્વયં ભગવાન ને પણ દેહ  દુઃખ આવ્યા છે……! પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ને પણ પાર વગર ની દેહ-વ્યાધિઓ છે……!  અપન જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે…..દેહ સાથ આપે છે ત્યાં સુધી- કર્મ ચાલુ જ રહેવા નું…..અને કર્મ કરતાં જ રહેશું………મન મક્કમ છે….!
” થાકી ને બેસી પડનાર  અમે નથી…..ભાઈ…..
હારી ને રડી પડનાર અમે નથી ……ભાઈ….
ભલે આ દેહ સાથ આપે ન આપે હો “રાજ”…
એમાં અટવાઈ ને ખોવાઈ જનાર અમે નથી…..ભાઈ….”
તો – ભાઈ આ તો ભાડા નું મકાન છે…..ગમે ત્યારે ખાલી કરવું પડશે……જ્યાં સુધી છે ત્યાં સુધી એને બરોબર જાળવો…..અને એનો સાચો ઉપયોગ કરો……સ્થિતપ્રજ્ઞ થઇ શકાય છે- બસ ધીરે ધીરે પોતાને નિમિત્ત અને શ્રીજી ને સર્વ-કર્તા હર્તા મની- એના પર છોડતા જાઓ- એ સુખ આપે તો યે અને દુઃખ આપે તો યે…..એની મરજી- એનું સન્માન કરો અને જીવન ને જીવી જાઓ…..!
રાજ