આજે અમદાવાદ ના વાતાવરણ માં ઉકળાટ વધારે હતો, વળી શાહીબાગ મંદિર ના મુખ્ય મંદિર માં બાંધકામ ચાલી રહ્યું છે આથી ઠાકોરજી ના દર્શન નો લાભ નિકટ થી ન મળ્યો……પણ હરિ અંતર થી થોડો છેટે રહે??? ચાલો મારા વ્હાલા ને અંતર માં વસાવીએ…
સભાની શરૂઆત યુવક મંડળ દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…….એ પછી એક યુવક દ્વારા ” સર્વે સખી જીવન જોવા ચાલો રે…..” બ્રહ્માનંદ સ્વામી રચિત પદ રજૂ થયું……! કલ્પના કરો કે શ્રીજી મહારાજ જ્યારે માણકી પર બેસી ને નીકળતા હશે ત્યારે એમની શોભા કેવી હશે??? કાશ…. ટાઈમ મશીન હોત અને એ ભવ્ય ભૂતકાળ ને વર્તમાન કરી શકત….!!! હરિ નું રૂપ જ એવું છે કે જેમાં જીવમાત્ર ખેંચાઈ આવે…..!! ત્યારબાદ ધવલભાઈ દ્વારા ” હરિ હૈયા ના હાર છો જી રે તમે….” મુક્તાનંદ સ્વામી દ્વારા રચિત પદ સ્વરબદ્ધ થયું…..જો હરિ ને જ હૈયા નો હાર બનાવી એ તો જીવન સદાય શોભાયમાન….પ્રફુલ્લિત…સુવાસિત રહે…..! એ પછી કનુભાઈ જેવા અનુભવી ગાયક ના સ્વરે ” ઓરા આવો રે ધર્મકુમાર રે…રાખું મારા નૈના માં…..”પ્રેમાનંદ સ્વામી રચિત પદ પ્રસ્તુત થયું……શ્રીહરિ જ સર્વે નો પ્રાણ આધાર છે…..એ જ સર્વસ્વ છે….એના વગર જીવન ની એક પળ પણ કલ્પના ન કરી શકાય…..અને એટલે જ સર્વે કાર્ય….સર્વે સંકલ્પ ના કેન્દ્ર માં એક એને જ રાખવા પડે તો જ એ સર્વે સફળ…સુફલ થાય….! કનુભાઈ એ કીર્તન..દોહા..છંદો ની રમઝટ બોલાવી દીધી અને સમગ્ર સભા ડોલી ઉઠી…….!!
ત્યારબાદ ગુરુહરી દર્શન (16-17 સપ્ટેમ્બર) નો લાભ વીડિયો ના માધ્યમ થી મળ્યો…..
અદભુત દર્શન…….!!!
ત્યારબાદ પૂ.પ્રયાગપ્રિય સ્વામી જેવા અદભુત વક્તા સંત દ્વારા ” ક્રોધ પર ખૂબ જ સરસ પ્રવચન થયું…જોઈએ સારાંશ માત્ર…
- આજના જમાના ના બે જ મોટા રોગ છે…અકળામણ અને ટકરાવ મણ…… એના મૂળ માં અહંકાર અને ક્રોધ છે…..વાલ્મિકી રામાયણ માં ક્રોધ ને વિનાશકારી કહ્યો છે….ભાગવત માં એને છૂપો શત્રુ કહ્યો છે…..વિવેક બુદ્ધિ નો નાશક કહ્યો છે…
- ક્રોધ અંતર ને બાળે છે…..અંદર આગ સળગતી રહે છે…..લોયા 1 ના વચનામૃત માં શ્રીજી એ ક્રોધ ને હડકાયા કૂતરા જેવો કહ્યો છે…..ક્રોધ ની ઉત્પત્તિ મોહ ..આસક્તિ ને લીધે પણ થાય છે…..પરિણામ મહાભારત નું યુદ્ધ છે…..ક્રોધ અંધકાર રૂપ છે…..પળ માં પાળિયા કરાવે છે……ખોટા નિર્ણય લેવડાવે છે…..
- વચનામૃત ગઢડા પ્રથમ 28 માં ક્રોધી મનુષ્ય ના લક્ષણ કહે છે……એ અર્ધ બળેલા કાષ્ઠ ની જેમ અંદરોઅંદર ધૂંધવાયા કરે છે…..ક્રોધ નું રૂપ વિરૂપ છે…એ જેના માં હોય તેને કુરૂપ કરી નાખે છે…….ક્રોધી મનુષ્ય નું મુખ એટલે જ કુરૂપ હોય છે……ક્રોધ અગ્નિ સમાન છે….ક્ષણિક ગાંડપણ છે……ક્ષણ નો ક્રોધ મનુષ્ય ને આંધળો કરી નાખે છે…વિવેક અવિવેક રહેતો નથી અને ખૂબ જ ખોટા વિનાશકારી નિર્ણય લેવડાવે છે…..અમદાવાદ 8 માં શ્રીજી કહે છે કે ક્રોધ ને લીધે માણસ ના પુણ્ય નો નાશ થાય છે……ગઢડા પ્રથમ 27 માં મહારાજ ને ધર્મ નો લોપ થતો જોઈ ક્રોધ આવે છે……પણ એ ક્ષણિક હોય છે…..પોતાના સર્વે શરણાગત ને સહન કરવા ની આજ્ઞા કરી…….ક્રોધ નો ત્યાગ કરવા નું કહ્યું….
- આપણો સત્સંગ તો આપણા ગુણાતીત ગુરુઓ ની સહન શીલતા નો…કરુણા નો સાક્ષી છે…..ગુણાતીતાનંદ સ્વામી એ તો પોતાને માર મારનાર ઉગા ખાચર ને પુત્ર થાય એ માટે પ્રાર્થના કરેલી……આજે મહંત સ્વામી મહારાજ તો નિર્માની પણા ની મૂર્તિ છે……સ્વામી જેવા થઈ એ સત્સંગ માં રહીએ એ જ સૂત્ર…..!!!!
એ પછી ક્રોધ વિશે એક વીડિયો સંવાદ ની પ્રસ્તુતિ થઈ……ક્રોધ ની વ્યાખ્યાઓ…થતા નુકશાન….રજૂ કરતો વીડિયો બ્રહ્મસત્ય સમાન હતો……એક ક્ષણ નો ક્રોધ અનેક જિંદગી વેરાન કરી શકે છે…..!!
એ પછી આ ક્રોધ ની ભયાનકતા ને દૂર કરવા શુ કરવું?? શાસ્ત્રો કહે છે કે સાચા સંત ને શરણે જવું……” શાંતિ પમાડે એને સંત કહીએ” વિષય પર પૂ.નિર્મલ ચરિત સ્વામી દ્વારા પ્રવચન થયું ..જોઈએ સારાંશ…..
- શાંતિ બધાને જોઈએ છે…..પણ માર્ગ અયોગ્ય હોય તો શાંતિ ને બદલે અશાંતિ મળે છે……એ માટે શ્રીજી મહારાજ કહે છે કે સાચી…અખંડ શાંતિ જોઈતી હોય તો સાચા સંત નું શરણું લેવું……
- મહંત સ્વામી મહારાજ શ્રીજી ની ઉપરોક્ત વાત નો ભાવાર્થ કરતા કહે છે કે ..આપણો સ્વભાવ અને એના થી આવતા દુઃખ ગમે તેવા હોય પણ જ્યારે આપણ ને સાચા સંત મળે એટલે સૂર્યોદય થી જેમ અંધકાર દૂર થઈ જાય તેમ આવા સર્વે સ્વભાવ અને એના થી થતા દુઃખ દૂર થઈ જાય છે…..
- World peace foundation ની રચના 1910 માં થઈ પણ એ પછી તો બે વિશ્વયુદ્ધ થયા અને WPF ની રચના નો ઉદ્દેશ્ય નિષ્ફળ ગયો…..વિદ્વાનો એ આ નિષ્ફળતા વિશે વિચારણા કરી અને અમુક સિદ્ધાંત આપ્યા…..એ બધા સિદ્ધાંત એ જ મુદ્દા હતા જે આજથી 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા વચનામૃત માં કહેવા માં આવ્યું હતું……સમજણ….હોય ત્યાં જ સુખ છે..શાંતિ છે…..એ જ વાત બાપા એ યુનો ના શાંતિ પરિષદ માં વાત કહી હતી. એ સિદ્ધાંત હતા …. Destroy your bad habits ( એ જ વાત ગ.પ્ર.51 વચનામૃત માં છે…સ્વભાવ ટાળવા…..પોતાનો સ્વભાવ સુધરશે તો બધું જ સુધરી જશે…) હીરો ગમે તેટલો ચમકતો હોય પણ જો અંદર એક નાનો ડાઘ હોય તો એની કિંમત ઘટી જાય છે તેમ અંતર માં રહેલો ક્રોધ અન્ય બધા સદ્ગુણો…સુખ ને શૂન્ય કરી નાખે છે.
- આપણા સત્સંગ માં અનેક ઉદાહરણ છે કે જેમાં અધમ સ્વભાવ ધરાવતા વ્યક્તિઓ ગુણાતીત ગુરુ ના યોગ માં આવ્યા અને સત્સંગ માં નિષ્ઠાવાન હરિભક્ત બન્યા…….આમ, સાચા સંત ને સંગે જીવ ના સ્વભાવ છૂટે છે……જીવ સત્સંગી બને છે….
- સાચા સંત મળે તો જીવ ની સમજણ દ્રઢ થાય છે….સ્પષ્ટ થાય છે…..અને પરિણામે જીવન ની દરેક પરિસ્થિતિમાં શાંત..સ્થિર રહી શકે છે…પ્રગતિ કરી શકે છે…..સદગુણ માં વધારો થાય…..બીજા ના ભલા માં આપણું ભલું…એ ભાવના જીવન માં દ્રઢ થાય……
- મોટા પુરુષ ની મરજી માં …રાજીપા માં રહીએ તો અંતર માં શાંતિ પ્રાપ્ત થાય……
એ પછી સત્સંગ પરીક્ષા માં ઉચ્ચ ક્રમે ઉત્તીર્ણ થનાર હરિભક્તો નું જાહેર માં સન્માન થયું……..આજે આંતરરાષ્ટ્રીય દીકરી દિન છે….ઘાટલોડિયા ની એક સત્સંગી ની દીકરી ક્રિશા ના બનાવેલ ચિત્ર ને મુખ્યમંત્રી દ્વારા સન્માન મળ્યું…એ દીકરી નુ સન્માન થયું. મંગળવારે જળ ઝીલણી એકાદશી છે…..એ દિવસે સવારે શાહીબાગ મંદિરે પૂજા છે…અવશ્ય પધારવું….
આજની સભાનો એક જ સાર હતો…….જીવન માં સુખી થવું હોય…અખંડ શાંતિ પ્રાપ્ત કરવી હોય તો મોટા પુરુષ માં યથાર્થ જોડાવું…..એમની મરજી માં…એમની આજ્ઞા માં….એમના રાજીપા માં રહેવું….મનધાર્યું મૂકવું અને એ કહે એમ કરવું…એ જ શાંતિ નો રાજમાર્ગ….!!
સદાય જોડાયેલા રહેશો………સમજતા રહેશો…..સમજણ જ સત્સંગ છે…..
સદાય પ્રથમ શ્રીહરિ ને રે……..
જય સ્વામિનારાયણ
રાજ