“સત્પુરુષને વિષે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એ જ સાધન છે.”
——————————–
ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-વરતાલ-૧૧
આજે વિક્રમ સંવંત ૨૦૭૨ ની પહેલી એકાદશી હતી…અને ચાતુર્માસ ની અંતિમ એકાદશી…..અને એ પણ પ્રબોધિની એકાદશી…..એ પણ રવિસભા ને દિવસે……પછી હરિભક્તો ને બંને હાથ માં લાડુ કેમ ન હોય??? સત્સંગ ની આ અસ્ખલિત ..અનરાધાર વર્ષા માં બસ આમ જ ભીંજાતા રહીએ…એ જ શ્રીજી ના ચરણો માં …સત્પુરુષ ના ચરણો માં પ્રાર્થના…!
સભામાં જરાક મોડો પહોંચ્યો આથી દર્શન સભા બાદ થયા……પણ દર્શન થયા અને તન-મન-જીવ સંતૃપ્ત થઇ ગયા……હરિકૃષ્ણ ની હાટડી-માં વિવિધ શાકભાજી એટલી અદ્ભુત રીતે ગોઠવાયા હતા કે પળભર તો થયું કે બધા જ શાકભાજી ખરીદી લઈએ…..!!! જુઓ-તમે પણ કરો આ અદ્ભુત દર્શન…
સભાની શરૂઆત- પુ.વિવેક્મુની સ્વામી દ્વારા ધુન્ય-કીર્તન થી થઇ….નિર્જળા ઉપવાસ અને સતત પ્રવૃત્તિ વચ્ચે પણ સંતો ની તાજગી-ઉત્સાહ જોવા લાયક હતા…..”અનુપમ આજ પ્રબોધિની આઈ…” મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન અદ્ભુત હતું…..ત્યારબાદ પ્રસિદ્ધ ગવૈયા સંત- પુ.પ્રેમવદન સ્વામી ના પ્રબળ સ્વરે ” આજ મનોહર દેવ દિવાળી ..શ્રી હરિકૃષ્ણ બન્યા છે વ્યાપારી ” રજુ થયું અને સમગ્ર સભા જાણે કે પ્રબોધિની એકાદશી અને દેવદિવાળી ના ઉત્સવ માં એકાકાર થઇ ગઈ………..અને શ્રી હરિકૃષ્ણ મહારાજ ની હાટડી તો સર્વોપરી હતી….અને એમના જેવી વ્યાપારી બુદ્ધિ આગળ તો ભલભલા પાણી ભરે…!!! અદ્ભુત..!
ત્યારબાદ- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ૨૦૧૨-૧૩ દરમિયાન સારંગપુર અને અમદાવાદ માં ઉજવાયેલી પ્રબોધિની એકાદશી ઉત્સવો નો વિડીયો દર્શન થયા અને પછી પુ.ઈશ્વરચરણ સ્વામી દ્વારા – વરતાલ-૧૧ ના વચનામૃત પર આધારિત- સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ પર અદ્ભુત પ્રવચન થયું……જોઈએ એના સારાંશ…..
- અધ્યાત્મ માર્ગ માં સત્પુરુષ ની અનિવાર્યતા- વચનામૃત ના પાને-પાને શ્રીજી એ કહી છે…….વરતાલ- ૧૧ માં વચનામૃત માં કહ્યા મુજબ- સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ એ જ આત્મ દર્શન…..સત્પુરુષ નો મહિમા જાણ્યા નું……શ્રીજી નો સાક્ષાત્કાર કર્યા નું…….સાધન છે…..! જેને આત્મસાત કર્યે જ છૂટકો…..
- સમગ્ર સત્સંગ નો હેતુ જ આ છે…….
- સત્પુરુષ નો મહિમા સમજાય..એમનામાં અવગુણ ન દીસે…..મનુષ્યભાવ ન આવે તો જ- સત્પુરુષ માં શ્રીજી એ કહી એવી દ્રઢ પ્રીતિ થાય…..અને એમ કર્યા સિવાય છૂટકો જ નથી…..
- વચનામૃત-સારંગપુર-૨- માં શ્રીજી એ કહ્યું છે એમ સત્પુરુષ ની આજ્ઞા તત્કાલ પાળવી..સંશય ન કરવો……તો જ દ્રઢ પ્રીતિ થાય…..સાથે સાથે સતત ભજન નો ગુણ, દેહ નો અનાદર, સંતો-ભક્તો ની સેવા ની લગની, એકાગ્રતા અને મોટા પુરુષ ની-શ્રીજી ની અનુવૃતી સમજી એ તો કલ્યાણ નો માર્ગ સહજ થાય………સત્પુરુષ રાજી થાય….
- આપણા ગુણાતીત પુરુષો માં આ ગુણ સ્પષ્ટ દેખાય છે………..અને ભક્તિ નો એમણે જે દાખલો બેસાડ્યો છે એ અજોડ છે…….સામે- એમના ભક્તો આજે પણ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર રહે છે……શ્રીજી-સત્પુરુષ-મંદિરો ની સેવા માટે તો એ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે ત્યારે આવા ભવ્ય મંદિરો બને છે……
-
પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે; જાતિ વરણ ને રૂપે ન રીઝે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે... પ્રેમ ન નીપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે; પ્રેમીના પાસંગમાં જે શીશ સોંપે, તે જન પ્રેમી થાય રે...
વ્રજ વનિતાના પ્રેમની આગે, ઉડ્યા કોટિ કબીરા રે; મુક્તાનંદ એ પ્રેમનો મારગ, સમજે તે સંત સુધીરા રે..
- ઉપરોક્ત પંક્તિ ઓ ગઈ ને સ્વામીએ કહ્યું કે- આ પ્રીતિ ને જે સમજે- એને બીજું કશું સમજવું પડતું નથી……આ સત્સંગ-મંદિરો-તપ-જપ-વ્રત બધાનો સાર આ દ્રઢ પ્રીતિ માં છે……..શ્રીજી-સ્વામી -બાપા ને પ્રાર્થના કરીએ કે- નવા વર્ષમાં આપણે પણ આવી દ્રઢ પ્રીતિ સત્પુરુષ-શ્રીજી માં દ્રઢ થાય…..
અદ્ભુત…અદ્ભુત……..ત્યારબાદ- અમદાવાદ ખાતે ઉજવાયેલા અન્નકૂટ ઉત્સવ નો વિડીયો રજુ થયો…….સંતો-હરિભક્તો નું આયોજન-મહેનત અવર્ણનીય હતી…….અને મને ગર્વ છે કે- હું પણ આ સેવા નો એક નાનકડો હિસ્સો બની શક્યો…..! ત્યારબાદ અમુક જાહેરાતો અને સન્માન થયા….અન્નકૂટ ઉત્સવ ના સ્વયમ સેવકો કે જેમણે ઉત્તમ સેવા કરી હતી એમનું સન્માન થયું….
તો આજની સભા સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ-એનો મહિમા સમજવાની હતી……પ્રેમ ની આ ભાષા જે સમજે- તે ભવસાગર તરે…………!
જય સ્વામિનારાયણ……
રાજ