“…..ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે, ભગવાનને વિષે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધિન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઇચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે.
પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે. અને તે ભક્ત હોય તે સ્થૂળભાવે યુક્ત છે અને દેહધારી છે, માટે ભગવાન પણ સ્થૂળભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે; અને પોતાની સામર્થીને છુંપાડીને તે ભક્ત સંગાથે પુત્રભાવે વર્તે છે અથવા સખાભાવે વર્તે છે અથવા મિત્રભાવે વર્તે છે અથવા સગાંસંબંધીને ભાવે વર્તે છે, તેણે કરીને એ ભક્તને ભગવાનની ઝાઝી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તને ઇચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે….”
————————————–
ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-કારીયાણી-૫
મનુષ્ય નો એક સામાન્ય ગુણ છે……જે જુએ છે…..સાંભળે છે ..એને જ સત્ય માને છે. માટે જ સત્પુરુષ કે ભગવાન નજર સમક્ષ હોય, છતાં એમના વિષે દિવ્યભાવ નથી આવતો…એ એમના ચરિત્રો જોઈને, એમને સામાન્ય મનુષ્ય જ સમજે છે…અને ભગવાન પણ ભક્ત ની આ સમજણ ની મર્યાદા ને સમજી..મનુષ્ય ચરિત્રો કરી તેને લાડ લડાવે છે……! અધ્યાત્મ…..ભક્તિ..એક ગહન પણ સહજ વિષય છે. તો આજ ની સભા સત્પુરુષ ના આ ચરિત્ર પર જ હતી…..
સખત બફારા વચ્ચે આજે સમયસર સભા મા પહોંચી ગયો…..અને સૌપ્રથમ શ્રીજી અને ધામ-મુકતો-અવતાર ના દર્શન……
સભામાં ગોઠવાયા ત્યારે પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી જેવા કલાકાર સંત દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થઇ……અને એ જ જોશ મા કીર્તન રજુ થયું….” તમે મારા થયા…હું તમારો થયો….”..ભગવાન ને સાચા હૃદય થી દ્રઢ નિષ્ઠા ભાવે ભજવા થી એ ભક્ત પર રાજી થાય છે….અને એના જ થઇ ને રહે છે.
ત્યારબાદ પુ.બ્રહ્મવિહારી સ્વામી જેવા અત્યંત રસપ્રદ અને વિદ્વાન વક્તા દ્વારા પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની અમેરિકા યાત્રા….એમના ચરિત્ર અને અમેરિકા ના હરિભક્તો ની નિષ્ઠા અને સેવા ભક્તિ પર ખુબ જ સુંદર પ્રવચન થયું……જોઈએ એના અમુક અંશ….
- પ્રમુખ સ્વામી મહારાજ નો પોતાનો સંકલ્પ હતો કે અમેરિકા ને આંગણે અક્ષરધામ થાય……અને એમની ઈચ્છા હતી કે રોબીન્સ્વીલી ની આ ભૂમિ પર હરિકૃષ્ણ મહારાજ ના પગલા થાય……જે એમના સંકલ્પે જ થયું….
- ૯૩ વર્ષ ની અત્યંત નાજુક અવસ્થા અને નબળું સ્વાસ્થ્ય – કોઈને લાગતું ન હતું કે- સ્વામીશ્રી ૧૮-૨૦ કલાક ની લાંબી યાત્રા કરી અમેરિકા આવી શકશે…..પણ સ્વામીશ્રી એ દિવ્ય ચરિત્ર બતાવ્યું અને- કોઈ પણ જાત ની તકલીફ વગર- તદ્દન સારા સ્વાસ્થ્ય સાથે- ઉત્સાહ સાથે- સ્વામીશ્રી અમેરિકા -ભક્તો ના મનોરથ પુરા કરવા પધાર્યા…..
- એમની આ યાત્રા…..સંકલ્પ યાત્રા હતી……એક સ્વપ્ન યાત્રા હતી…….એક અશક્ય ને શક્ય બનાવતી યાત્રા હતી……
- સ્વામીશ્રી એ ૧૮ કલાક લાંબી વિમાન યાત્રા મા- દહીં ખીચડી ખાધા……સંતો-ભક્તો સાથે હાસ્ય વિનોદ કર્યો…..અને આ તરફ- સ્વામીશ્રી અમેરિકા પહોંચ્યા ત્યારે ૧૦-૧૫ હજાર હરિભક્તો રાત્રે ૧ વાગ્યા સુધી -સ્વામીશ્રી ની પ્રતીક્ષા મા બેઠા રહ્યા…..અને એમના આગમન -દર્શન નો લાભ લઇ ને જ ગયા…..! ધન્ય એમની ભક્તિ ને…..!
- અને સ્વયમ સેવકો ની તો વાત થાય એવી નથી……રજનીશ રાય( જેની બંને કીડની ફેલ છે…) હોય કે યુવરાજ સિંહ ઝાલા……એવા સદાયે અગ્રેસર સ્વયમ સેવકો એ દિન-રાત જોયા વગર- પોતાની જાત ને સેવા મા હોમી દીધી…..અને સત્પુરુષ- શ્રીજી ને રાજી કરી લીધા….
- સ્વામીશ્રી ૧૦-૧૨ દિવસ ત્યાં રોકાયા ને હરિભક્તો ને- એ મંદિર પરિસર અને અક્ષરધામ ની ૧૭૦ એકર જમીન ને પોતાના પવિત્ર -પાવનકારી દર્શન થી અભિભૂત કરી દીધી…..
- આપણે સંજોગ જોઈને વાત કરીએ….જયારે સત્પુરુષ ની વાત પ્રમાણે સંજોગ બદલાય……….સ્વામીશ્રી અત્યારે સાવ ઓછું બોલે છે પણ એમના સંકલ્પો થી વગર બોલ્યે અગણિત…વિશાળ..અકલ્પનીય કાર્યો થાય છે….
- સ્વામીશ્રી એ અમેરિકા ના હરિભક્તો ને કોલ આપ્યો છે કે ૨૦૧૭ મા /૨૦૧૯ મા -અક્ષરધામ- મૂર્તિ પ્રતિષ્ઠા માટે સ્વયમ પધારશે,…….! જય હો…!
- અને સ્વામીશ્રી ની આટલી ઉમરે – બળભરી વાતો સાંભળો તો થાય કે- દિવ્યતા તો અહી જ છે……આટલો ઉત્સાહ..નિષ્ઠા…..સકારાત્મકતા ..બસ અહી જ છે..!
તો- ઉપર ની વાતો પરથી સ્પષ્ટ થાય છે કે- સ્વામીશ્રી એ પોતાનો દેહ સુધ્ધા -હરિભક્તો ના કલ્યાણ માટે સમર્પિત કરી રાખ્યો છે……!
ત્યારબાદ એક-બે દિવસ પહેલા અમેરિકા થી પાછા ફરેલા પુ.ઈશ્વર ચરણ સ્વામી એ પણ સ્વામીશ્રી ના વિચરણ ના પ્રસંગો નું અવિસ્મરણીય વિવરણ કર્યું…….સ્વામીશ્રી ને અક્ષરધામ નુંઅં મંદિર એટલું બધું ગમ્યું કે- ૧૦-૧૨ દિવસ ના રોકાણ દરમિયાન સ્વામીશ્રી ૭-૮ વાર -મંદિર ને નિહાળવા- દર્શને પધાર્યા…..!
ત્યારબાદ- સભાને અંતે- સ્વામીશ્રી ના ૨૦૧૨ ના વિચરણ-પ્રસંગો નું નિરૂપણ કરતુ પુસ્તક પ્રકાશિત થયું છે…..માહિતી અને ચિત્રો થી ભરપુર આ પુસ્તક વસાવવા મા આવશે……! સાથે સાથે નવા કેલેન્ડર્સ માટે ની પણ જાહેરાત થઇ…..
અન્ય એક જાહેરાત મા- આવતા રવિવારે “બાળ પારાયણ” છે…….અને તેની જાહેરાત બાળકો એ આજે- અદ્ભુત રીતે કરી..જુઓ ચિત્ર…
અને હા…..આવતા શુક્રવારે- જળઝીલની નો ઉત્સવ- છે….આ દિવસે -આજ્ઞા મુજબ નિર્જળા એકાદશી કરવા ની છે…….અને ઉત્સવ નો સમૈયો – શાહીબાગ મંદિરે- સવારે ૧૧ વાગે થી શરુ થશે…..
તો- ટૂંકમાં- સત્પુરુષ ના મનુષ્ય ચરિત્રો અદ્ભુત હોય છે…….એમાં મનુષ્ય ભાવ ન આવે અને દિવ્ય ભાવ જણાય ત્યારે સમજવું કે….સમજવું કે હવે આપણે કલ્યાણ ના માર્ગ પર છીએ……બ્રહ્મ ના માર્ગ પર છીએ……
રાજી રહેજો
જય સ્વામિનારાયણ…..
રાજ