પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
“જેમાં ત્રણ વાનાં હોય તે પાકો સત્સંગી કહેવાય….. તે ત્રણ વાનાં તે કયાં?
તો 1) એક તો પોતાને ઇષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે દૃઢ કરીને પાળે પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને
2) બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દૃઢપણે હોય પણ તેમાં કોઈ સંશય નાંખે તો સંશય પડે નહીં ને પોતાનું મન સંશય નાંખે તોય પણ સંશય પડે નહીં; એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. અને
3) ત્રીજો પોતાના ઇષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. તે જેમ માબાપ દીકરા-દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો.
……એ ત્રણ વાનાં જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય……
———————-
વચનામૃત ગઢડા મધ્ય-61
સર્વે ને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ….!!! ક્ષમા યાચના……! વિવિધ સાંસારિક કારણોસર સભા અને મારે છેટું પડી ગયું હતું….જે આજે પૂર્વવત થયું. સત્સંગ થી દુર રહેવા થી જીવ માં કૈક ખૂટતું હોય એમ લાગે છે અને કેમ ન લાગે??? આખરે જીવ નું સાચું પોષણ તો સત્સંગ જ કરે છે…બાકી બધી ક્રિયા ઓ તો દેહ અર્થે જ છે……તો ચાલો શરૂઆત મારા વ્હાલા ના મહામુલા….ચંદન ચર્ચિત…મોગરા ના ફૂલો થી આચ્છાદિત… શાંત શીતળ.. દર્શન થી…..
સભાની શરૂઆત યુવકો દ્વારા ધૂન થી થઈ……એ પછી એક યુવકે કોરસ સાથે પ્રેમાનંદ સ્વામી રચિત ” ખમ્મા ખમ્મા ……” પદ રજૂ કર્યું…..અને પછી બ્રહ્માનંદ સ્વામી રચિત ખૂબ જ રસાળ પદ ” ફૂલ ની બાંધી રે પોંન્ચી ..” રજૂ કર્યું……અને ફૂલ આચ્છાદિત એ મનમોહન …મનોચક્ષુ સમક્ષ છવાઈ ગયો….અસહ્ય ગરમી વચ્ચે શ્રીજી મહારાજ ને જે મોગરા ના ફૂલ નો શણગાર કરવા માં આવે છે એ ખૂબ જ દર્શનીય હોય છે અને એના પર જ આધારિત સંપ્રદાય નું ખૂબ જ જાણીતું પદ ” મોગરા ના ફૂલ….શ્રીજી ને પ્યારા મોગરા ના ફૂલ…” કવિ માવદાન રચિત આ પદ પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા ભાવ ભર્યા સ્વરે રજૂ થયું…….અને આજની જ શ્રીજી ની મોગરા ફૂલ આચ્છાદિત મૂર્તિ સાક્ષાત દેખાણી….!! એ પછી યુવક મિત્ર જૈમીન ” આવો આવો ધર્મકુંવર અલબેલા….”સદગુરુ કૃષ્ણાનંદ રચિત પદ પ્રસ્તુત થયું…….! મહારાજ ની મૂર્તિ અને એની બારીકીઓ વિશે જે નંદ સંતો એ પદ રચ્યા છે એ કદાચ કોઈ એ રચ્યા નહીં હોય…..એ સમયે મહારાજ ની મૂર્તિ ના પ્રત્યક્ષ દર્શન અને એને શબ્દો માં ઢાળી ને રજૂ કરવા ની વિશિષ્ટ આવડત એ આપણા સંપ્રદાય ની મહામૂલી રીત છે……..અને આ પદો થી જ એ મરમાળી હરિકૃષ્ણ મૂર્તિ જીવ માં દ્રઢ થાય છે…..!! એટલે જ અહીં સત્સંગ જીવ નો સત્સંગ છે…..સહજ માં સમાધિ નું સુખ તે અહીંયા જોવા મળે….! એ પછી યુવક મિત્ર ધવલ દ્વારા ” તમે મીઠું બોલી ને મન લીધું રે…મીઠડા બોલાજી….” બ્રહ્માનંદ સ્વામી રચિત પદ સ્વરાંકિત થયું……..બાળપણ માં શ્રીજી મહારાજ દ્વારા પોતાના સેવક ને કહેલો…. એક નાનો અમથો લહેકો ….કવિ દલપતરામેં સાંભળ્યો હતો અને એ લહેકા ને…મીઠા અમૃત બોલ ને એ આજીવન નહોતા ભૂલ્યા…તો વિચારો કે એ અમૃત વાણી કેવી હશે???? પુરુષોત્તમ ના બોલ કેવા હોય….એ વિચારો તો સમજાય કે એ સ્વરૂપ નું અખંડ સુખ કોને કહેવાય…!!
એ પછી પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ ના 6 મેં ના દિવ્ય વિચરણ ના દર્શન વિડીયો ના માધ્યમ થી થયા…..અદભુત દર્શન…!
એ પછી કોઠારી સ્વામી પૂ. ધર્મ તિલક સ્વામી દ્વારા વચનામૃત ગઢડા મધ્ય-61 પર આધારિત ” પાકા સત્સંગી કઇ રીતે થવાય…” વિષય પર અદભુત પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ માત્ર…
- આ વચનામૃત….તથા ગઢડા મધ્ય-45..47 વગેરે વચનામૃત આપણા માટે દર્પણ સમાન છે……શ્રીજી મહારાજ પાકા સત્સંગી ની નિશાનીઓ…ઓળખાણ અહીં કરાવે છે…..
- આ શુદ્ધ સત્સંગ છે ….સત એવા સત્પુરુષ નો સંગ….સંત સમાગમ….હરિ કથા અતિ દુર્લભ છે એમ તુલસી દાસે કહ્યું છે….ભગવાન માં જીવ જોડે…જીવ જોડવા પ્રેરે તેવા માતા પિતા….પુત્ર, સ્વજન….કદાચ અનંત પુણ્યએ મળે….પણ સાચા સંત નો સમાગમ તો અતિ દુર્લભ છે…..આવા સંત મળે તો એમનો સંગ કરી લેવો…..પ્રમુખ સ્વામી મહારાજ ની પણ સૌ હરિભક્તો આદર્શ..પાકા સત્સંગી બને તેવી અપેક્ષા છે…..
- કાચા સત્સંગી રહીએ તો સત્સંગ નું યથાર્થ સુખ ન આવે…..ભલે ને વર્ષો જૂનો બાપ દાદા નો સત્સંગ હોય.!!!..શ્રીજી મહારાજે ધરમપુર ના કુશળ કુંવર બાઈ કહ્યું હતું કે અમારે હાથ થી છડેલા ચોખાની જેમ સર્વે ને અણી શુદ્ધ સત્સંગી કરવા છે…..આથી શ્રીજી ની શુ મરજી છે એ સમજી રાખવું…..બ્રહ્માનંદ સ્વામી …મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સાધુ ને પણ શ્રીજી એ ગુણબુદ્ધિ વાળા સત્સંગી કહ્યા હતા….અતિ નિષ્ઠાવાન..સેવાભાવી શિવલાલ શેઠ ને પણ એકવાર ગુણાતીતાનંદ સ્વામી કહ્યું હતું કે તમારા જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ દેખાય છે…..!!! કેમ…??? એનો ઉત્તર ઉપર ના વચનામૃત ગઢડા મધ્ય 61 માં છે……ત્રણ લક્ષણ વર્ણવ્યા છે….
- નિયમ ધર્મ માં દ્રઢતા- અનિવાર્ય અંગ છે…..નિયમ ધર્મ એ બંધન નથી પણ મુક્તિ ના સાધન છે…..જેતલપુર ના વચનામૃત માં તો શ્રીજી એ કહ્યું કે જે નિયમ ધર્મ માં દ્રઢ રહેશે તેની રક્ષા પોતે કરશે….સુખ જ થશે….અનીતિ અને અધર્મ કરીશું તો અંતે મહા દુઃખ જ આવશે…..સ્વામી શ્રીજી નું વચન લેશ માત્ર પણ લોપવું નહીં….સત્સંગ સભાનો અવશ્ય ..અચૂક લાભ લેવો….
- ભગવાન ના સ્વરૂપ નો નિશ્ચય- આ દ્રઢ હોય તો બાકી ના બધા સાધન સહજ જ આવી જાય. આ એકડો છે ..જો એ હશે તો બધું જ આપોઆપ આવી જશે. આત્મનિષ્ઠા સત્સંગ માં અનિવાર્ય છે પણ ઉપાસના ની શુદ્ધતા..દ્રઢતા વગર એ નકામી છે….પંચાળા 7 વચનામૃત માં તો શ્રીજી કહે છે કે જીવ ઉર્ધ્વરેતા હોય પણ જો એને ભગવાન ના સ્વરૂપ ને સમજવા ની ખામી હોય તો એનું કલ્યાણ નહીં થાય…..! આપણે તો એક ધણી ના ઉપાસક….એ જ આપણા માટે સર્વોપરી ભગવાન… પણ એમાં બીજા અવતારો ને ગૌણ કરવા ની વાત નથી….ઉપાસના ને સમજી રાખવી….એ સમજણ ને દ્રઢ રાખવી….આપણ ને જે મળ્યા એ ભગવાન ના સ્વરૂપ નો ઉત્કૃષ્ટ નિશ્ચય દ્રઢ રાખવો…..આવો દ્રઢ નિશ્ચય અને આશરો થશે તો કલ્યાણ માં ખામી નહીં રહે…..
- ભગવદી નો પક્ષ- દેહ ના સબંધી નો જેવો પક્ષ રાખીએ તેવો ભગવાન ના ભક્ત નો પક્ષ રાખવો….ઇતિહાસ સાક્ષી છે કે ભગવાન ના ભક્ત નો પક્ષ જેણે રાખ્યો તેની કદાપિ અપકીર્તિ થઈ જ નથી….ભગવાને પણ આવા જ ભક્તો નો સાથ રાખ્યો છે.
મહારાજ સ્વામી ને સદાય પ્રાર્થના કરીએ કે આપણે પણ આવા પાકા સત્સંગી થઈએ…..
એ પર જ એક વિડીયો સંવાદ દ્વારા આપણા પરમ નિષ્ઠાવાન સત્સંગી અને પૂર્વ પ્રધાનમંત્રી ગુલઝારી લાલ નંદા સાહેબ ના જીવન ની એક સત્ય ઘટના ની રજુઆત થઈ…..રોજ વચનામૃત વાંચવા નો નિયમ ચુકી ગયા અને પરિણામે યજમાન ના આગ્રહ છતાં ભોજન ન કર્યું…..છેવટે એ નિયમ પળાયો પછી જ જમ્યા…..!!! ગુલઝારી લાલ નંદા સાહેબ બધા જ આહનીક નિયમ ધર્મ દ્રઢ રીતે પાળતા( રોજ પ્રાતઃ પૂજા, સો માળા, વચનામૃત નું પઠન…રાત્રે ચેષ્ટા સિવાય સુવા નું નહીં વગેરે) છતાં એક વાર શાસ્ત્રીજી મહારાજે એક પ્રશ્ન ના ઉત્તર માં એમને કહેલું કે તમારો સત્સંગ તો પાશેરા માં પૂણી સમાન છે……!!!! બોલો…વિચારો …..કે આવા દ્રઢ નિષ્ઠાવાન હરિભક્ત નો સત્સંગ આવો હોય તો આપણે ક્યાં છીએ??? આપણું લેવલ કેટલું???…વિચારો….વિચારો…..મોટા પુરુષ ની આજ્ઞા મુજબ આપણું જીવન છે???
એ પછી સદગુરુ પૂ.ઈશ્વર ચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વાદ માં કહ્યું કે – નંદાજી ને મુંબઇ માં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ચાલુ કરેલા સમાધિ પ્રકરણ ની પ્રતીતિ થી સત્સંગ થયેલો…..ચાર વર્ષ સુધી નંદાજી એ સત્સંગ ચકાસ્યો….સત્સંગ નો અભ્યાસ કર્યો…બધું સમજ્યા…. પછી શાસ્ત્રીજી મહારાજ માં ભાવ થયો….બધા ઉત્સવો સમૈયાઓ માં આવતા….યોગીજી મહારાજ માં ખૂબ હેત ભાવ રહેતો….બધા નિયમ ધર્મ દ્રઢ પણે પાળતા….યોગીજી મહારાજ ની ભલામણ થી છપૈયા માં રેલવે સ્ટેશન કરી આપ્યું…..એ સમયે કાલુપુર મંદિર આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજે એમના 11 વર્ષ ના સુપુત્ર તેજેન્દ્ર પ્રસાદજી ને યોગીબાપા નું સ્વાગત કરવા સ્ટેશને મોકલેલા …બાપા ત્રણ દિવસ ત્યાં છપૈયા રોકાયેલા…..! પ્રમુખ સ્વામી મહારાજ તેમની અંતિમ અવસ્થા માં અમદાવાદ એમના નિવાસ સ્થાને પધારેલા અને આખા શરીરે હાથ ફેરવેલો…..! એમનું જીવન પ્રેરણા દાયી છે……
આપણા સંનિષ્ઠ હરિભક્ત અતિ વિદ્વાન ….અક્ષર પુરુષોત્તમ જ્ઞાન ના પ્રચારક પ્રોફેસર શ્રી ગજેન્દ્ર પાંડા નું બે દિવસ પહેલા ધામ ગમન થયું છે……એ જાહેરાત પૂ.ઇશ્વરચરણ સ્વામી એ કરી.
એ પછી એક વિડીયો દર્શન દ્વારા પ.પૂ.મહંત સ્વામી મહારાજ ના વચનામૃત ગઢડા પ્રથમ 8 ના આધારે આશીર્વાદ નો લાભ મળ્યો…..સર્વે ઇન્દ્રિયો અને અંતઃકરણ ને એક ભગવાન માં જ જોડવા..ભગવાન માં અસાધારણ પ્રીતિ કરવી…..અને આ બધું સત્પુરુષ ના દ્રઢ સંગ થકી જ થાય…..સમજી રાખવું..!!
જાહેરાત થઈ કે પ્રખ્યાત પ્રોફેસર શ્રી કે સી બ્રહ્મભટ્ટ દ્વારા એક પુસ્તક- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એક વિરાટ પ્રતિષ્ઠાન નિર્માતા…..પ્રગટ થયું છે….
આજની સભા નો એક જ સાર હતો…..સત્સંગી થાવું તો પાકા સત્સંગી જ થવું….સ્વામી શ્રીજી ની મરજી મુજબ જ સત્સંગી થાવું…..આખરે આ તો જીવ ના કલ્યાણ ની વાત છે….અધૂરું કલ્યાણ ન પોસાય……મનુષ્ય અવતાર વારંવાર થોડો મળે છે???? નિર્ણય તમારો….કલ્યાણ તમારું…..!!!
સત્સંગ સહજ છે…..અતિ કઠિન પણ છે…પણ જો શ્રીજી ની મરજી મુજબ જીવન થશે તો સત્સંગ અચૂક સફળ થશે…..સહજ માં બ્રહ્મરૂપ થવાશે અને લખચોરાસી લટકા માં ટળશે….!! આ તો બ્રહ્મ માર્ગ છે…માટે નિયમો પણ આગવા છે…
જય જય સ્વામિનારાયણ…..સદાય પ્રથમ શ્રીહરિ ને રે…
રાજ