Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-12/05/24

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“જેમાં ત્રણ વાનાં હોય તે પાકો સત્સંગી કહેવાય….. તે ત્રણ વાનાં તે કયાં?

તો 1)    એક તો પોતાને ઇષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે દૃઢ કરીને પાળે પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને

2)  બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દૃઢપણે હોય પણ તેમાં કોઈ સંશય નાંખે તો સંશય પડે નહીં ને પોતાનું મન સંશય નાંખે તોય પણ સંશય પડે નહીં; એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. અને

3) ત્રીજો પોતાના ઇષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. તે જેમ માબાપ દીકરા-દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો.

……એ ત્રણ વાનાં જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય……

———————-

વચનામૃત ગઢડા મધ્ય-61

સર્વે ને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ….!!! ક્ષમા યાચના……! વિવિધ સાંસારિક કારણોસર સભા અને મારે છેટું પડી ગયું હતું….જે આજે પૂર્વવત થયું. સત્સંગ થી દુર રહેવા થી જીવ માં કૈક ખૂટતું હોય એમ લાગે છે અને કેમ ન લાગે??? આખરે જીવ નું સાચું પોષણ તો સત્સંગ જ કરે છે…બાકી બધી ક્રિયા ઓ તો દેહ અર્થે જ છે……તો ચાલો શરૂઆત મારા વ્હાલા ના મહામુલા….ચંદન ચર્ચિત…મોગરા ના ફૂલો થી આચ્છાદિત… શાંત શીતળ.. દર્શન થી…..

સભાની શરૂઆત યુવકો દ્વારા ધૂન થી થઈ……એ પછી એક યુવકે કોરસ સાથે પ્રેમાનંદ સ્વામી રચિત ” ખમ્મા ખમ્મા ……” પદ રજૂ કર્યું…..અને પછી બ્રહ્માનંદ સ્વામી રચિત ખૂબ જ રસાળ પદ ” ફૂલ ની બાંધી રે પોંન્ચી ..” રજૂ કર્યું……અને ફૂલ આચ્છાદિત એ મનમોહન …મનોચક્ષુ સમક્ષ છવાઈ ગયો….અસહ્ય ગરમી વચ્ચે શ્રીજી મહારાજ ને જે મોગરા ના ફૂલ નો શણગાર કરવા માં આવે છે એ ખૂબ જ દર્શનીય હોય છે અને એના પર જ આધારિત સંપ્રદાય નું ખૂબ જ જાણીતું પદ ” મોગરા ના ફૂલ….શ્રીજી ને પ્યારા મોગરા ના ફૂલ…” કવિ માવદાન રચિત આ પદ  પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા ભાવ ભર્યા સ્વરે રજૂ થયું…….અને આજની જ શ્રીજી ની મોગરા ફૂલ આચ્છાદિત મૂર્તિ સાક્ષાત દેખાણી….!! એ પછી યુવક મિત્ર જૈમીન ” આવો આવો ધર્મકુંવર અલબેલા….”સદગુરુ કૃષ્ણાનંદ રચિત પદ પ્રસ્તુત થયું…….! મહારાજ ની મૂર્તિ અને એની બારીકીઓ વિશે જે નંદ સંતો એ પદ રચ્યા છે એ કદાચ કોઈ એ રચ્યા નહીં હોય…..એ સમયે મહારાજ ની મૂર્તિ ના પ્રત્યક્ષ દર્શન અને એને શબ્દો માં ઢાળી ને રજૂ કરવા ની વિશિષ્ટ આવડત એ આપણા સંપ્રદાય ની મહામૂલી રીત છે……..અને આ પદો થી જ એ મરમાળી હરિકૃષ્ણ મૂર્તિ જીવ માં દ્રઢ થાય છે…..!! એટલે જ અહીં સત્સંગ જીવ નો સત્સંગ છે…..સહજ માં સમાધિ નું સુખ તે અહીંયા જોવા મળે….! એ પછી યુવક મિત્ર ધવલ દ્વારા ” તમે મીઠું બોલી ને મન લીધું રે…મીઠડા બોલાજી….” બ્રહ્માનંદ સ્વામી રચિત પદ સ્વરાંકિત થયું……..બાળપણ માં શ્રીજી મહારાજ દ્વારા પોતાના સેવક ને કહેલો…. એક નાનો અમથો લહેકો ….કવિ દલપતરામેં સાંભળ્યો હતો અને એ લહેકા ને…મીઠા અમૃત બોલ ને એ  આજીવન નહોતા ભૂલ્યા…તો વિચારો કે એ અમૃત વાણી કેવી હશે???? પુરુષોત્તમ ના બોલ કેવા હોય….એ વિચારો તો સમજાય કે એ સ્વરૂપ નું અખંડ સુખ કોને કહેવાય…!!

એ પછી પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ ના 6  મેં ના દિવ્ય વિચરણ ના દર્શન વિડીયો ના માધ્યમ થી થયા…..અદભુત દર્શન…!

એ પછી કોઠારી સ્વામી પૂ. ધર્મ તિલક સ્વામી દ્વારા વચનામૃત ગઢડા મધ્ય-61 પર આધારિત ” પાકા સત્સંગી કઇ રીતે થવાય…” વિષય પર અદભુત પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ માત્ર…

  • આ વચનામૃત….તથા ગઢડા મધ્ય-45..47 વગેરે વચનામૃત આપણા માટે દર્પણ સમાન છે……શ્રીજી મહારાજ પાકા સત્સંગી ની નિશાનીઓ…ઓળખાણ અહીં કરાવે છે…..
  • આ શુદ્ધ સત્સંગ છે ….સત એવા સત્પુરુષ નો સંગ….સંત સમાગમ….હરિ કથા અતિ દુર્લભ છે એમ તુલસી દાસે કહ્યું છે….ભગવાન માં જીવ જોડે…જીવ જોડવા પ્રેરે તેવા માતા પિતા….પુત્ર, સ્વજન….કદાચ અનંત પુણ્યએ મળે….પણ સાચા સંત નો સમાગમ તો અતિ દુર્લભ છે…..આવા સંત મળે તો એમનો સંગ કરી લેવો…..પ્રમુખ સ્વામી મહારાજ ની પણ સૌ હરિભક્તો આદર્શ..પાકા સત્સંગી બને તેવી અપેક્ષા છે…..
  • કાચા સત્સંગી રહીએ તો સત્સંગ નું યથાર્થ સુખ ન આવે…..ભલે ને વર્ષો જૂનો બાપ દાદા નો સત્સંગ હોય.!!!..શ્રીજી મહારાજે ધરમપુર ના કુશળ કુંવર બાઈ કહ્યું હતું કે અમારે હાથ થી છડેલા ચોખાની જેમ સર્વે ને અણી શુદ્ધ સત્સંગી કરવા છે…..આથી શ્રીજી ની શુ મરજી છે એ સમજી રાખવું…..બ્રહ્માનંદ સ્વામી …મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સાધુ ને પણ શ્રીજી એ ગુણબુદ્ધિ વાળા સત્સંગી કહ્યા હતા….અતિ નિષ્ઠાવાન..સેવાભાવી શિવલાલ શેઠ ને પણ એકવાર ગુણાતીતાનંદ સ્વામી કહ્યું હતું કે તમારા જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ દેખાય છે…..!!! કેમ…??? એનો ઉત્તર ઉપર ના વચનામૃત ગઢડા મધ્ય 61 માં છે……ત્રણ લક્ષણ વર્ણવ્યા છે….
  • નિયમ ધર્મ માં દ્રઢતા- અનિવાર્ય અંગ છે…..નિયમ ધર્મ એ બંધન નથી પણ મુક્તિ ના સાધન છે…..જેતલપુર ના વચનામૃત માં તો શ્રીજી એ કહ્યું કે જે નિયમ ધર્મ માં દ્રઢ રહેશે તેની રક્ષા પોતે કરશે….સુખ જ થશે….અનીતિ અને અધર્મ કરીશું તો અંતે મહા દુઃખ જ આવશે…..સ્વામી શ્રીજી નું વચન લેશ માત્ર પણ લોપવું નહીં….સત્સંગ સભાનો  અવશ્ય ..અચૂક લાભ લેવો….
  • ભગવાન ના સ્વરૂપ નો નિશ્ચય- આ દ્રઢ હોય તો બાકી ના બધા સાધન સહજ જ આવી જાય. આ એકડો છે ..જો એ હશે તો બધું જ આપોઆપ આવી જશે. આત્મનિષ્ઠા સત્સંગ માં અનિવાર્ય છે પણ ઉપાસના ની શુદ્ધતા..દ્રઢતા વગર એ નકામી છે….પંચાળા 7 વચનામૃત માં તો શ્રીજી કહે છે કે જીવ ઉર્ધ્વરેતા હોય પણ જો એને ભગવાન ના સ્વરૂપ ને સમજવા ની ખામી હોય તો એનું કલ્યાણ નહીં થાય…..! આપણે તો એક ધણી ના ઉપાસક….એ જ આપણા માટે  સર્વોપરી ભગવાન… પણ એમાં બીજા અવતારો ને ગૌણ કરવા ની વાત નથી….ઉપાસના ને સમજી રાખવી….એ સમજણ ને દ્રઢ રાખવી….આપણ ને જે મળ્યા એ ભગવાન ના સ્વરૂપ નો ઉત્કૃષ્ટ નિશ્ચય દ્રઢ રાખવો…..આવો દ્રઢ નિશ્ચય અને આશરો થશે તો કલ્યાણ માં ખામી નહીં રહે…..
  • ભગવદી નો પક્ષ- દેહ ના સબંધી નો જેવો પક્ષ રાખીએ તેવો ભગવાન ના ભક્ત નો પક્ષ રાખવો….ઇતિહાસ સાક્ષી છે કે ભગવાન ના ભક્ત નો પક્ષ જેણે રાખ્યો તેની કદાપિ અપકીર્તિ થઈ જ નથી….ભગવાને પણ આવા જ ભક્તો નો સાથ રાખ્યો છે.

મહારાજ સ્વામી ને સદાય પ્રાર્થના કરીએ કે આપણે પણ આવા પાકા સત્સંગી થઈએ…..

એ પર જ એક વિડીયો સંવાદ દ્વારા આપણા પરમ નિષ્ઠાવાન સત્સંગી અને પૂર્વ પ્રધાનમંત્રી ગુલઝારી લાલ નંદા સાહેબ ના જીવન ની એક સત્ય ઘટના ની રજુઆત થઈ…..રોજ વચનામૃત વાંચવા નો નિયમ ચુકી ગયા અને પરિણામે યજમાન ના આગ્રહ છતાં ભોજન ન કર્યું…..છેવટે એ નિયમ પળાયો પછી જ જમ્યા…..!!! ગુલઝારી લાલ નંદા સાહેબ બધા જ આહનીક નિયમ ધર્મ દ્રઢ રીતે પાળતા( રોજ પ્રાતઃ પૂજા, સો માળા, વચનામૃત નું પઠન…રાત્રે ચેષ્ટા સિવાય સુવા નું નહીં વગેરે)  છતાં એક વાર શાસ્ત્રીજી મહારાજે એક પ્રશ્ન ના ઉત્તર માં  એમને કહેલું કે તમારો સત્સંગ તો પાશેરા માં પૂણી સમાન છે……!!!! બોલો…વિચારો …..કે આવા દ્રઢ નિષ્ઠાવાન હરિભક્ત નો સત્સંગ આવો હોય તો આપણે ક્યાં છીએ??? આપણું લેવલ કેટલું???…વિચારો….વિચારો…..મોટા પુરુષ ની આજ્ઞા મુજબ આપણું જીવન છે???

એ પછી સદગુરુ પૂ.ઈશ્વર ચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વાદ માં કહ્યું કે – નંદાજી ને મુંબઇ માં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ચાલુ કરેલા સમાધિ પ્રકરણ ની પ્રતીતિ થી સત્સંગ થયેલો…..ચાર વર્ષ સુધી નંદાજી એ સત્સંગ ચકાસ્યો….સત્સંગ નો અભ્યાસ કર્યો…બધું સમજ્યા…. પછી શાસ્ત્રીજી મહારાજ માં ભાવ થયો….બધા ઉત્સવો સમૈયાઓ માં આવતા….યોગીજી મહારાજ માં ખૂબ હેત ભાવ રહેતો….બધા નિયમ ધર્મ દ્રઢ પણે પાળતા….યોગીજી મહારાજ ની ભલામણ થી છપૈયા માં રેલવે સ્ટેશન કરી આપ્યું…..એ સમયે કાલુપુર મંદિર આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજે એમના  11 વર્ષ ના સુપુત્ર તેજેન્દ્ર પ્રસાદજી ને યોગીબાપા નું સ્વાગત કરવા સ્ટેશને મોકલેલા …બાપા ત્રણ દિવસ ત્યાં છપૈયા રોકાયેલા…..! પ્રમુખ સ્વામી મહારાજ તેમની અંતિમ અવસ્થા માં અમદાવાદ એમના નિવાસ સ્થાને પધારેલા અને આખા શરીરે હાથ ફેરવેલો…..! એમનું જીવન પ્રેરણા દાયી છે……

આપણા સંનિષ્ઠ હરિભક્ત અતિ વિદ્વાન ….અક્ષર પુરુષોત્તમ જ્ઞાન ના પ્રચારક  પ્રોફેસર શ્રી ગજેન્દ્ર પાંડા નું બે દિવસ પહેલા ધામ ગમન થયું છે……એ જાહેરાત પૂ.ઇશ્વરચરણ સ્વામી એ કરી.

એ પછી એક વિડીયો દર્શન  દ્વારા પ.પૂ.મહંત સ્વામી મહારાજ ના વચનામૃત ગઢડા પ્રથમ 8 ના આધારે આશીર્વાદ નો લાભ મળ્યો…..સર્વે ઇન્દ્રિયો અને અંતઃકરણ ને એક ભગવાન માં જ જોડવા..ભગવાન માં અસાધારણ પ્રીતિ કરવી…..અને આ બધું સત્પુરુષ ના દ્રઢ સંગ થકી જ થાય…..સમજી રાખવું..!!

જાહેરાત થઈ કે પ્રખ્યાત પ્રોફેસર શ્રી કે સી બ્રહ્મભટ્ટ દ્વારા એક પુસ્તક- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એક વિરાટ પ્રતિષ્ઠાન નિર્માતા…..પ્રગટ થયું છે….

આજની સભા નો એક જ સાર હતો…..સત્સંગી થાવું તો પાકા સત્સંગી જ થવું….સ્વામી શ્રીજી ની મરજી મુજબ જ સત્સંગી થાવું…..આખરે આ તો જીવ ના કલ્યાણ ની વાત છે….અધૂરું કલ્યાણ ન પોસાય……મનુષ્ય અવતાર વારંવાર થોડો મળે છે???? નિર્ણય તમારો….કલ્યાણ તમારું…..!!!

સત્સંગ સહજ છે…..અતિ કઠિન પણ છે…પણ જો શ્રીજી ની મરજી મુજબ જીવન થશે તો સત્સંગ અચૂક સફળ થશે…..સહજ માં બ્રહ્મરૂપ થવાશે અને લખચોરાસી લટકા માં ટળશે….!! આ તો બ્રહ્મ માર્ગ છે…માટે નિયમો પણ આગવા છે…

જય જય સ્વામિનારાયણ…..સદાય પ્રથમ શ્રીહરિ ને રે…

રાજ


Leave a comment

BAPS રવિસભા-03/03/24

શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

“સત્સંગમાં દૃઢ પાયો કેનો થાય ને કેનો ન થાય?” પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો, ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, “જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિક સર્વેમાંથી પણ ગુણ લીધા……

એવી રીતે….. સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દૃઢ પાયો થાય છે, અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દૃઢ પાયો નથી.”

વચનામૃત-લોયા-5

આજે અમદાવાદ માં ગઈકાલ ના માવઠા ની અસર રૂપે વાતાવરણ ઠંડુ હતું…….જીવન માં આમ જ માવઠા અને તડકા છાયા આવ્યા કરે છે…અનિશ્ચિતતા વચ્ચે પણ જો જીવ નું કલ્યાણ નિશ્ચિત કરતું હોય તો તે છે સત્સંગ છે…..ભક્તિ:કૃષ્ણસ્ય સર્વદા….એમ જગત નો નાથ શિક્ષાપત્રી માં કહી ગયો છે…..માટે જ અહીં હરપળ ભક્તિ..જ્ઞાન..ધર્મ અને વૈરાગ્ય યુક્ત સત્સંગ છે અને જીવ નું કલ્યાણ નિશ્ચિત છે…..એ જ સત્સંગ ને વધાવવા આજે રવિસભા માં સમયસર આવી ગયા…..સૌપ્રથમ મારા વ્હાલા ના નેણભરી…હૃદય ભરી ને દર્શન…..

સભાની શરૂઆત સ્વામિનારાયણ ધૂન થી થઈ……અને સભા આ લય માં જોડાઈ પછી એક યુવક દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત ” પ્યારી લાગે છે તારી…..” પદ રજૂ કર્યું……ભગવાન નું સર્વે દિવ્ય છે…રુચિરં છે…..પ્રેમભીનું છે……એ પછી અન્ય એક યુવક દ્વારા ” લાગી રે લગન મને સ્વામી તારા નામ ની……”…પદ રજૂ કર્યું…..જો સત્પુરુષ માં આમ જ દ્રઢ પ્રીતિ થાય તો ભગવાન ની પ્રાપ્તિ સહેજે છેટે નથી……બસ આ બ્રહ્મ સત્ય સમજી રાખવું…..! એ પછી મિત્ર જૈમીન દ્વારા ” ભગવાન સૌનું ભલું કરો….ભગવાન ભજી લેવા…” પદ રજૂ થયું……બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ના જીવન કવન નું આ પદ એમના ગુણાતીત કરુણા ના દર્શન કરાવે છે. સૌનું ભલું થાજો…એ જ પ્રાર્થના એમના જીવન માં સદાય વણાયેલી હતી….અને એ જ રીત એમના જીવન ની હતી. આપણા ગુરુ આવા તો આપણે કેવા થાવું???એ વિચારી લેવું……..

એ પછી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ નાદુરસ્ત સ્વાસ્થ્ય ને લીધે અમદાવાદ યોગીજી મહારાજ હોસ્પિટલમાં આરામ માં છે…એમના 28 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી ના દર્શન નો લાભ વીડિયો દર્શન દ્વારા મળ્યો….

આટલી મોટી ઉંમરે …નાદુરસ્ત સ્વાસ્થ્ય વચ્ચે પણ સ્વામીશ્રી ની ભક્તિ જુઓ……એ જ સ્થિરતા.. એ જ ભક્તિ ભાવ……!!! અદભુત…..!!

એ પછી સ્વયં શ્રીજી ની વાણી સ્વરૂપ એવા વચનામૃત લોયા -5 ના નિરૂપણ નો લાભ પૂ. વિવેકમુની સ્વામી જેવા વિદ્વાન…બુલંદ સ્વર ના વક્તા દ્વારા મળ્યો…..જોઈએ સારાંશ….

  • આ સત્સંગ જીવ ના જન્મ મરણ ના રોગ ને ટાળે એવો છે……ગુણાતીત તો છડેચોક કહે છે કે અમારો જન્મ જ આવા સત્સંગ થકી આ રોગ ને ટાળવા થયો છે…..શ્રીજી મહારાજ તો કહે છે કે જીવ એક દિવસ નો સત્સંગ કરે તો ય લખ ચોરાસી ટળી જાય છે…..આ સત્સંગ સુખદાયક છે….અને આપણો એક જ સંકલ્પ છે….અક્ષરધામ …! એ પ્રાપ્ત કરવા સત્સંગ અનિવાર્ય છે…..
  • ગુણાતીત સ્વામી કહે છે કે બીજે જે કાર્ય…કલ્યાણ એક કલ્પે થાય તે અહીં એક દિવસ માં થાય……અહીં સત્સંગ એ સત્પુરુષ નું શરીર છે…જો જીવ ને સત્સંગ માં ગુણ લેવા નો સ્વભાવ હોય તો તે અચૂક બ્રહ્મરૂપ થાય…..ગુણ લીધા નો સ્વભાવ હોય તો આપણા માં ગુણ ની વૃદ્ધિ થાય…આપણું અંતર સદ્ગુણો થી ભરાઈ જાય….માટે જ સદાય ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી…..
  • દરેક વ્યક્તિ માં કૈક તો સદગુણ હોય જ છે…જો એ ગુણ પરખતા અને ગ્રહણ કરતા આવડે તો જીવન સફળ થઈ જાય…..આપણે બંધ આંખે પણ શ્રેષ્ઠ વસ્તુ જ લઈએ છીએ..તો ખુલ્લી આંખે અને ખુલ્લી સમજણે સારા ગુણ કેમ ન લઈએ??? …કયારેક કોઈના ગુણ ચાહી એ છતાં દેખાય નહીં તો વચનામૃત ગ.પ્ર.24 મુજબ એ જીવના સત્સંગ નો ….તેનો ભગવાન નો યોગ થયો છે તેથી તેના પુણ્ય નો પાર નહીં…તેમ વિચારી ને તેનો ગુણ લેવો…..No negativity in satsang ….એમ બાપા એ કહ્યું હતું.
  • જો અવગુણ લેવા નું શરૂ થાય તો તે વધતો વધતો સત્પુરુષ અને ભગવાન ના અભાવ સુધી પહોંચે અને જીવ સત્સંગ માં થી પડી જાય…..માટે જ સત્સંગ માં સદાય ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી…..

એ પછી પૂ.દિવ્ય કિશોર સ્વામી અને યુવકો ના મધુર સ્વરે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત “ભાગ્ય જાગ્યા રે આજ …જાણવા….” પદ રજૂ થયું…….. બ્રહ્મ સત્ય….!! આપણા પુણ્યો નો પાર નથી….અનંત જન્મો ના પુણ્યો સફળ થાય ત્યારે આવો સત્સંગ…આવા સત્પુરુષ….આવા ઇષ્ટદેવ સાક્ષાત મળે……પ્રાપ્તિ ના મહિમા નો કોઈ પાર ન કહેવાય….કારણ કે જ્યાં આપણો હાથ સ્વયં શ્રીજી એ ગ્રહયો છે……!!!!! વાત સમજવી અઘરી છે પણ સમજો તો આ બ્રહ્મ સત્ય સમજાય…..!!!

એ પછી સભામાં ઉપસ્થિત સદગુરુ પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પોતાના પ્રસંગોચિત આશીર્વચન માં કહ્યું કે…(જોઈએ સારાંશ માત્ર) – યોગીબાપા ની પ્રિય વાત હતી…સ્વામી ની વાતો ની 4/136 ની વાત-

“…ભગવાનના ભક્તના ગુણ કહેવા; તેમાંથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય, ને એમાં દાખડો કાંઈ પણ ન મળે, એમ કરવાનું કહ્યું, પણ ફલાણો આવો ને ફલાણો આવો, એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા ને તેનું આપણે શું કામ છે?……. ને કોઈને નહિ સમજાતું હોય તો વળી આગળ સમજાશે; તેની શી ઉતાવળ છે? ને ક્યાં ભાગી જાય એમ છે? પણ કોઈના દોષ ન કહેવા…… તેમાં લવા ને બાદશાહની દાઢીનું દૃષ્ટાંત દીધું, તે મુખ્ય માથે લેવું…….”

….માટે જ સત્સંગ માં આવ્યા છીએ તો ગુણ જ ગ્રહણ કરવા….તો જ છૂટકો છે. સત્સંગ માં અવગુણ લીધા કરતા હોય તો તે અર્ધ બળેલા કાષ્ઠ ની જેમ અંતર માં ધૂંધવાયા કરે અને અંતે સત્સંગ માં થી પડી જાય……શુભ વાસના વાળો જીવ સર્વે ના ગુણ જ લે…..મહિમા જ સમજે…..અને એ જ સત્સંગ માં આગળ વધે….આપણા ગુરુઓ એ એ જ કર્યું છે….કોઈનો અવગુણ લીધો જ નથી…જાગા સ્વામી કહેતા કે પારકી ક્રિયા…પારકો આકાર ..પારકા દોષ કયારેય ન જોવા……! સત્સંગ માં દાસાનુદાસ….નાના માં નાના થઈને રહેવું……એમ કૃષ્ણજી અદા કહેતા….! દરેક નો મહિમા સમજવો…..શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ અક્ષર પુરુષોત્તમ ના મહિમા ની વાત મારે માથે બેસી ને કરે તો ય મંજુર છે…..!  સંત તુકારામ…સંત એકનાથ…વગેરે સંતો ના આખ્યાન ..પ્રસંગો આપણ ને ખબર જ છે. તેમની ગુણ ગ્રાહક દ્રષ્ટિ ને લીધે જ એ ભક્તિ માં મોટેરા થયા….સત્સંગ નો ખપ હોય પણ જો કોઈ સત્સંગી નો અવગુણ લેતા હોય તે જીવ અભાગી છે….! ભગવાન ના ભક્ત નો કોઈ અવગુણ લે તો સ્વામી ને એ ગમે નહીં…..સત્સંગ ના ગુણ આવે તો નમ્રતા આવે….દાસભાવ આવે…..અને એ દેખાય…અને તો જ સત્સંગ કર્યો કહેવાય….!!આ વાત નું સદાય જાણપણું રાખવું……

અદભુત વાત…..!!! એ પછી પ.પૂ ડોક્ટર સ્વામી એ  લખેલ …જગતપુર મંદિર ના નિર્માણ માટે ની બાળ બાલિકા ભક્તો ની સેવા માટે ની પ્રેરણા આપતો પત્ર રજૂ થયો…..એ પછી રાયસણ ગુરુકુલ માં ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓ નું જાહેર સન્માન થયું.

આજની સભાનો એક જ સાર હતો કે- આ સત્સંગ ની પ્રાપ્તિ અનંત જન્મો ના પુણ્ય ફળીભૂત થયા હોય તો જ થાય…..માટે જ સત્સંગી માત્ર દિવ્ય છે…..સર્વે ના ગુણ જ લેવા…કારણ કે આપણે સત્સંગ માં ટકવું છે…..આગળ વધવું છે……છેવટે તો આપણે સત્સંગ માં બ્રહ્મરૂપ થવા જ આવ્યા છીએ…બરોબર ને…!!!!

અહીં તો જે દાસાનુદાસ થાય તે જ મોટેરો થાય…….!! અધ્યાત્મ ની આ જ રીત છે……સમજી રાખો…..

સર્વે ને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ…..

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS રવિસભા- 26/11/23

આજે મારા માટે વિક્રમ સંવત 2080 ની પ્રથમ સભા હતી…..ગયા રવિવારે બહાર હોવાથી સભામાં હાજર ન રહેવાયું….આજે સવાર થી જ અમદાવાદ અને સમગ્ર ગુજરાત મેઘરાજા ની ઘટા માં ઢંકાયેલું હતું…..વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો અને ઠંડી બર્ફીલી બની ગઈ….છતાં સમય પહેલા સભામાં પહોંચી ગયો….નવા વર્ષ માં પ્રથમ વાર જ મારા વ્હાલા ના હૃદય ભરી ને દર્શન કર્યા……હરિ તો સૌનો….તો ચાલો હરિ ને અંતર માં વસાવીએ….

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ” રામકૃષ્ણ ગોવિંદ…..” ધૂન થી થઈ……સંપ્રદાય ના પાયા ની આ ધૂન થી અંતર હરિમય થઈ ગયું…..એ પછી મિત્ર જૈમીન દ્વારા રાગ ચારુકેશી માં ” સબસે ઊંચી પ્રેમ સગાઈ…..” ભક્તકવિ સુરદાસ રચિત પદ રજૂ થયું……આ તો અનેરો ભક્તિ માર્ગ છે જ્યાં સર્વ સમર્થ ભગવાન એક પ્રેમ ના શસ્ત્ર થી જ જીતાય છે…..એ તો સાવરો ગુમાની છે….એ તો કેવળ અને કેવળ પ્રેમીજન ને જ વશ થાય છે…….ઝૂકે એનો શ્રીનાથ……વ્રજસખી ને વશ વનમાળી સદાય…..!!!! એ પછી પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી ના મુખે ” કલી મેં સાચો સતયુગ આયો……” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…..સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા અને એ જ અખંડ સુખ સર્વ ને આપ્યું….આત્યંતિક કલ્યાણ નો માર્ગ સર્વ ને બતાવ્યો…સર્વે જીવ ને સાચા અર્થમાં બ્રહ્મરૂપ થવાનો માર્ગ બતાવ્યો…….આમ, જ્યાં ભગવાન પ્રગટ ત્યાં જ ધર્મ..અને ત્યાં જ સતયુગ….!!….ત્યારબાદ જૈમીન દ્વારા મહાદેવ નો મહિમા પ્રગટ કરતું પદ ” કૈલાશ કે નિવાસી…નમું બારબાર હું….” ….પ્રસ્તુત થયું….આપણા સનાતન ધર્મ ની શોભા જ આ છે….હરિ હોય કે હર…..બસ એમની ભક્તિ થકી જ પરમ કલ્યાણ ને પામવા ના માર્ગ સહજ મળી રહે છે…….જીવ ને શિવ કરે એ જ આ સનાતન ધર્મ…..!!!

અમદાવાદ શાહીબાગ મંદિર, માં દિવાળી ઉત્સવ..અન્નકૂટ ઉત્સવ આદિક ઉત્સવો નો દર્શન લાભ વીડિયો ના માધ્યમ થી સૌને મળ્યો……

અદભુત…રસપ્રદ વીડિયો દર્શન…..!!!

ત્યારબાદ પૂ. અક્ષર વત્સલ સ્વામી જેવા અતિ પ્રખર વક્તા અને વિદ્વાન સંત ના મુખે..” હૈયે જ્યોત જલાવીએ…સનાતન ધર્મ ની” વિષય પર પ્રવચન નો લાભ મળ્યો…..જોઈએ સારાંશ….

  • સનાતન ધર્મ…..સનાતન જ છે અને સ્વામિનારાયણ સંપ્રદાય એ વૈદિક અને સનાતન ધર્મ નો જ એક ભાગ છે…..સનાતન ધર્મ નો અર્થ …..સનાતન એવો…અવિનાશી ધર્મ છે….ગીતા માં ભગવાન શ્રીકૃષ્ણ એ આ જ વાત કરી છે…..આ ધર્મ…અજન્મા છે….અવિનાશી છે…જેની આધુનિક ઇતિહાસ પણ પુષ્ટિ કરે છે……મનુષ્ય ની ઉત્પત્તિ સાથે સંકળાયેલો છે….
  • સનાતન ધર્મ એટલે જ હિન્દૂ ધર્મ??? હિન્દૂ શબ્દ કોઈ પુરાતન …વૈદિક શાસ્ત્રો માં નથી…..આ શબ્દ બહાર ના લોકો એ આપણ ને આપેલો છે…..પર્શિયન ઇતિહાસ માં આ શબ્દ નો પહેલો ઉપયોગ થયેલો….સિંધુ નદી ની આસપાસ રહેતા લોકો એટલે હિન્દૂ…એમાં બૌદ્ધ..જૈન બધા જ આવી ગયા…….બાકી આપણો મૂળ ધર્મ સનાતન જ છે……આપણે જ સૌથી પ્રાચીન છીએ….આપણો ઋગ્વેદ સૌથી પ્રાચીન પુસ્તક છે…..આપણા ધર્મ ની ઓછા માં ઓછી દસ હજાર વર્ષનો ઇતિહાસ છે…..જે સાબિત થયું છે…..બાકી ના ધર્મ નો ઇતિહાસ 2500 વર્ષ ની આસપાસ નો જ છે…..ઇજિપ્ત..ગ્રીક..રોમન…આદિક સાંસ્કૃતિક પરંપરા ઓ નાશ પામી…..આજે એ નથી…પણ હજારો વર્ષ થી આપણી સંસ્કૃતિ…આપણો ધર્મ આજે પણ ટકી રહ્યો છે…..એ જ સંસ્કૃત પરંપરા હજુ પણ જીવાય છે….
  • બાહ્ય આક્રમણ ખોરો એ આપણી સંસ્કૃતિ પર ભયાનક આક્રમણ કર્યા…..ભારે નરસંહાર..મંદિરો વિદ્યાપીઠો નો નાશ થયો છતાં…..આપણું અસ્તિત્વ આજે પણ એટલું જ નવપલ્લવિત છે…..તાજું છે…..આ ધર્મ એક વિશાળ જ્ઞાન પ્રવાહ છે…એમાં અનેક પ્રવાહો ઉમેરાયા છે…..આ ભાગીરથી નદી સદાય વહેતી રહી છે…..કારણ એના માં સંકીર્ણતા નથી…જડતા નથી……એના માં નવા પ્રવાહ ભળ્યા છે પણ સ્વરૂપ એ જ રહ્યું છે……
  • ભગવાન ના અવતારો પ્રગટ થતાં રહ્યા છે…..એમના નામ શાસ્ત્રો માં ઉમેરાતા રહ્યા છે….ધર્મ માં વધાવતા રહ્યા છે…..ઋગ્વેદ માં આશરે 60 થી વધુ દેવો ના નામ છે…એમાં થી ઘણા ના નામ આજે અજાણ્યા છે…તો સામે આપણા ભગવાન ના અવતારો ને સમગ્ર દુનિયા એ પણ સ્વીકાર્ય કર્યા છે……આ તો સનાતન ની વિશિષ્ટતા છે…જેમાં સહેજે જડતા નથી….આર્ય સમાજ વાળા સ્વામી દયાનંદ સરસ્વતી એ તો પોતાના ગ્રંથ સત્યાર્થ પ્રકાશ ભગવાન કૃષ્ણ…મહાદેવ….સ્વામિનારાયણ નું ખંડન કર્યું છે છતાં એ સનાતની ધર્મ ના કહેવાયા……અહીંયા સર્વે મત મતાંતર નું સ્વાગત થાય છે……કોઈ જડતા નથી….
  • સનાતન ધર્મ એક..પણ દાર્શનિક મત ને આધારે અનેક સંપ્રદાય છે……પોત પોતાના મત..ઇષ્ટદેવ ને જ એ સર્વોપરી ગણે છે..અન્ય અવતારો નું ખંડન… ન્યુન અધિક પણુ બતાવ્યું છે……છતાં આ સર્વે એક સનાતન ધર્મ નો એક ભાગ છે……અહીં મત ભેદ છે…..એ પણ સ્વીકાર્ય છે…..બૌદ્ધ અને જૈન જેવા અલગ જ દાર્શનિક મત..તત્વજ્ઞાન ધરાવતા ધર્મ …પણ સનાતન ધર્મ ના ભાગ રૂપે જ અભિન્ન રહ્યા છે……..
  • સનાતન ધર્મે સર્વે મત…તત્વજ્ઞાન….તાત્વિક ભેદ…..સંપ્રદાય….પેટા ધર્મો ને સહેજે સ્વીકાર્યા છે…..આ અવિનાશી ધર્મ પ્રવાહ છે જેમાં સર્વે નું અંગ સ્વીકાર્ય છે…..સનાતન ધર્મ ને એક શબ્દ ની વ્યાખ્યા માં બાંધવું મુશ્કેલ છે…..અનેક વ્યાખ્યા ઓ છે પણ સનાતન ધર્મ એના થી અધિક વિસ્તૃત છે……વિશાળ છે……કોઈ અવતાર ને માનો કે ન માનો…એના થી સનાતની થવાતું નથી…..સનાતન ધર્મ કૈક અલગ જ છે…..
  • સનાતન ધર્મ…એટલે સર્વે મતો…તત્વજ્ઞાન….નું સ્વાગત……તપ,ત્યાગ,ભક્તિ,ધર્મ,સત્ય,પ્રેમ,સમજણ,જ્ઞાન,દયા..કરુણા ….વગેરે સદ્ગુણો નો સમન્વય એટલે સનાતન ધર્મ…….!!જીવન નુઅંતિમ લક્ષ્ય સમજાવે…મુક્તિ પમાડે…એના માર્ગ બતાવે…એ જ સનાતન ધર્મ…..!!
  • સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ નું જ સાચું સ્વરૂપ છે…..જ્યાં સ્વામિનારાયણ ભગવાન ને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અને તેમના સર્વે અવતારો ને એવા જ આદર, પૂજ્ય ..ભક્તિ ભાવ થી પૂજવા માં આવે છે……આ સંપ્રદાય નું તત્વજ્ઞાન વૈદિક છે….જે વેદો..ઉપનિષદો…પુરાણો આધારિત છે……સ્વામિનારાયણ ભગવાન પોતે સર્વે ભગવાન ના અવતારો ની ભક્તિ ની વાત કરી છે…..સર્વે વૈદિક શાસ્ત્રો ના સાર રૂપ વચનામૃત અને શિક્ષાપત્રી આપ્યા…….અક્ષર પુરુષોત્તમ નું જ્ઞાન પ્રગટ કર્યું……એ જ પરંપરા માં આજે મહંત સ્વામી મહારાજે અમેરિકા અક્ષરધામ માં ભારત ભર ના 555 તીર્થ ક્ષેત્રો..નદીઓ ના રજ અને જળ પધરાવ્યા છે…….
  • આ સ્વામિનારાયણ સંપ્રદાય માં તમામ હરિભક્તો એકાદશી હોય કે જન્માષ્ટમી.. રામનવમી…શિવરાત્રી કે અન્ય ઉત્સવો…..તે દિવસે તપ..ઉત્સવ અવશ્ય કરે છે……આપણે સનાતન ના બધા નિયમ ધર્મ…ઉત્સવો…અવતારો…આચાર્યો નો આદર…ભક્તિ…પાલન કરીએ છીએ……જે વેદોક્ત ભાષ્ય આપણે ત્યાં રચાયા છે, તેમાં કોઈ નું ખંડન નથી…….સર્વે ના તત્વજ્ઞાન આપણે આદર થી સ્વીકારી ને આપણું તત્વજ્ઞાન આગળ કર્યું છે……..અમેરિકા ના અક્ષરધામ માં તો આપણા સનાતન ધર્મ ના સર્વે અવતારો…ભક્તો ની મૂર્તિઓ સ્થાપવા માં આવી છે……
  • આપણી ભક્તિ વેદ શાસ્ત્રો મુજબ પતિવ્રતા ની ભક્તિ છે…જેમ પત્ની માટે પોતાનો પતિ જ સર્વોપરી તો આપણા માટે આપણા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જ આપણા માટે સર્વોપરી……પણ એનો મતલબ એ નથી કે બીજા અવતારો નું ખંડન થાય…અપમાન થાય…..અહીં તો ભગવાન સ્વામિનારાયણ ની આજ્ઞા છે કે કોઈ પણ દેવ ની નિંદા ન કરવી…..કોઈ અવતારો નું ખંડન નહીં…..એટલે જ આપણે સાચા સનાતની છીએ……કોઈનો પણ દ્રોહ કરી એ તો આપણે સનાતની ન કહેવાઈએ..એવું મહાભારત કહે છે………
  • આપણે સાચા સનાતની છીએ…એ વાત દ્રઢ રાખવી…એનો ગર્વ લેવો…….આપણે સાચા સત્સંગી થઈએ…એટલે સાચા સનાતની થઈ જઈએ……આ શાસ્ત્રોક્ત છે…..એમાં લેશમાત્ર પણ સંશય ન થવો જોઈએ…..અક્ષરધામ ની ..આપણા મંદિર ની ધજાઓ…સનાતન ધર્મ ની ધજાઓ છે….જે શિખરે ફરકે છે….ફરકતી રહેશે……ગર્વ છે કે આપણે સ્વામિનારાયણ સત્સંગી છીએ…..

અમદાવાદ ના જગતપુર મંદિર નું નિર્માણ કાર્ય ચાલે છે તેની વિશેષ માહિતી આવતા રવિસભા માં મળશે…..એના પછી ની રવિસભા શતાબ્દી ઉત્સવ ની સ્મૃતિ સભા રૂપે એ જ શતાબ્દી મેદાન માં યોજાશે……

આજની સભાનો એક જ સાર હતો કે……..સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મ નું જ સ્વરૂપ છે…..અજ્ઞાની …દ્વેષી લોકો ભલે બુમ બરાડા પાડે ……પણ જેને સ્વામિનારાયણ સંપ્રદાય ના સાચા જ્ઞાન ની જાણકારી છે…..તેને સત્ય શુ છે એ સહેજે સમજાય છે……..સ્વામિનારાયણ સત્સંગી હોવાનો ગર્વ આપણ ને છે……..બસ એનું સાચું જ્ઞાન અને ગર્વ આપણ ને થવો જોઈએ……!!

જય જય સ્વામિનારાયણ……

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

રાજ


Leave a comment

BAPS રવિસભા-11/06/23

…જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે…….”

— ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-ગઢડા પ્રથમ-31

આજે સભામાં થોડોક મોડો પહોંચ્યો…..સભાની શરૂઆત થઈ ગઈ હતી…..પણ સર્વ પ્રથમ મારા વ્હાલા ના મનભરી ને દર્શન કર્યા…..ચાલો તેનો ગુલાલ કરીએ…શ્વેત વસ્ત્રો માં શોભતો મારો શામળિયો…..

ધૂન પ્રાર્થના થી સભાની શરૂઆત થઈ….યુવક મિત્ર જૈમીન દ્વારા ‘ મને તમારા થાવું ગમે…..”પદ રજૂ થયું…..સત્સંગ નું હાર્દ આ જ છે….આપણે તો ભગવાન ના થાવું છે પણ આપણું જીવન એવું છે કે શ્રીજી ને આપણા થાવું ગમે??? પ્રશ્ન પોતાના અંતઃકરણ ને પૂછી જોઈએ…….!! અન્ય એક યુવક દ્વારા ” વ્હાલું લાગે મને મોહન મુખ તારું…….” બ્રહ્માનંદ સ્વમી રચિત પદ રજૂ થયું…….અદભુત પદ…..!! કોટી કોટી કંદર્પ….કામદેવ પણ શરમાય…ફિક્કા પડે એવું રૂપ તો મારા વ્હાલા નું છે…..જેના દર્શન ની એક ક્ષણ પણ પતિત જીવ ને પાવન કરી દે….બ્રહ્મરૂપ કરી દે..એટલી દિવ્યતા છે…!! પછી મિત્ર ધવલ દ્વારા ” મુને પ્યારી રે નટવર નાવ….મૂર્તિ તારી રે…”..સદગુરુ મંજુકેશાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…. બસ એ જ સુર…એ જ સાર….અનંત જન્મો…અનંત બ્રહ્માંડ નું સુખ તો એક શ્રીજી ની મૂર્તિ માં જ છે……!

ત્યારબાદ “ગુણો ના મહાસાગર મહંત સ્વામી મહારાજ.” વિષય પર એક અદભુત વીડિયો રજૂ થયો…..પ્રગટ સત્પુરુષ નો મહિમા આપણ ને સમજાય…તો એમની સાથે યથાર્થ હેતપ્રીત થી જોડાવાય……

આજની સભા માં પૂ.બ્રહ્મમુનિ સ્વામી જેવા પ્રખર વક્તા દ્વારા ” ગુણ ગ્રાહક દ્રષ્ટિ ” વિષય પર પ્રવચન નો લાભ સર્વ ને મળ્યો…..જોઈએ સારાંશ…

  • વચનામૃત માં મહારાજે કહ્યું છે કે સત્સંગ માં જેનો ગુણ ગ્રહણ કરવા નો ખપ છે તેનો સત્સંગ માં પાયો અચળ છે…..જો આવી દ્રષ્ટિ હોય…સત્સંગ માં સર્વે દિવ્ય મનાતા હોય…બ્રહ્મ ની મૂર્તિ મનાતા હોય તો ભગતજી મહારાજ ની જેમ અખંડ પરમ શાંતિ નો અનુભવ થાય ….અખંડ આનંદ નો અનુભવ થાય….
  • સત્સંગ માં એકબીજા નો મહિમા સમજવો અનિવાર્ય છે……કોઈનો સ્વભાવ કે વર્તન જોઈને તરત જ એના વિશે નિર્ણય ન લઈ લેવો…..
  • કોઈની સાથે આંટી ન પાડી દેવી……સત્સંગ 90℅ આંતરિક છે…..અંતઃકરણ શુદ્ધ હશે તો સત્સંગ પણ શુદ્ધ અને દ્રઢ થશે………માન બધો ખેલ બગાડે છે…..અને જીવ સત્સંગ માં થી પડી જાય છે. ગ.પ્રથમ 31 માં કહ્યું છે કે – સત્સંગ માં મોટયપ સમજણ થી આવે છે…ભગવાન ની આજ્ઞા…એમના નિશ્ચય થી આવે છે…..
  • આપણા સંતો નું જીવન જુઓ…..એકબીજા નો મહિમા જુઓ….અહીં સેવા કરતા હરિભક્તો નું જીવન જુઓ….તો એમનો મહિમા સમજાય…..મહંત સ્વામી મહારાજ નું જીવન જુઓ…..શતાબ્દી ઉત્સવ માં દર્શનાર્થીઓ ના ચરણ ની રજ પોતાને માથે ચઢાવી……!! કેવો મહિમા….કેવી દ્રષ્ટિ…!!

અદભુત પ્રવચન……!

ત્યારબાદ પૂ. બ્રહ્મપ્રકાશ સ્વામી રચિત એક સંવાદ “..પડવું જ નથી…” યુવકો દ્વારા રજૂ થયો……

સત્સંગ ના અભાવ અવગુણ ની વાતો..વ્યક્તિઓ થી બચવું…..કુસંગ થી બચવું…..કોઈના વિશે અભાવ અવગુણ ની વાતો થી દુર રહેવું….

ત્યાર બાદ આપણા હરિભક્ત શ્રી કનુભાઈ પંચાલ નું પૂ. શ્રીહરિ સ્વામી ને હસ્તે – લલિત અકાદમી દ્વારા ચિત્રકલા ક્ષેત્રે યોગદાન બદલ ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ જાહેર માં સન્માન થયું…..

આજની સભાનો એક જ સાર હતો- સત્સંગ માં રહેવું હોય તો અભાવ અવગુણ છોડવા…..સદાય ગુણ ગ્રાહક દ્રષ્ટિ જ રાખવી….અવગુણ જોવા હોય તો પોતાના જ જોવા અને ગુણ જોવા હોય તો બીજા ના જ જોવા…..! એકબીજા નો મહિમા સમજવો……

આ જ સાર વ્યવહાર મા પણ લાગુ પડે છે……છેવટે આ તો જીવ ના કલ્યાણ ની વાત છે ,એમાં જો અભાવ અવગુણ નું ઝેર લાગે તો કલ્યાણ બગડે……મોક્ષ બગડે….માટે જ એમાં પડવું જ નથી….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

ન ભૂતો ન ભવિષ્યતી….

જો ધર્મ, અર્થ ને કામ સંબંધી જે ફળની ઇચ્છા તેનો ત્યાગ કરીને……… તેનાં તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે………… તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-ગઢડા મધ્ય-11

જીવન માં કેવળ ભગવાન ની પ્રસન્નતા ને અર્થે જે કર્મ થાય છે તે જ કર્મ -ભક્તિ છે અને તે જ મોક્ષ નું કારણ બને છે -એ જ સર્વે શાસ્ત્રો નો સાર છે અને એ જ ગીતા માં સ્વયં શ્રીહરિ એ કહ્યું છે . આ બ્રહ્મ વિધાન એટલા માટે યાદ આવ્યું કે- જીવ ને મોક્ષ અપાવે એવો ઉત્સવ હમણાં જ ગયો. કોરોના ને લીધે છેલ્લા બે વર્ષ થી જેની તૈયારી લાખો હરિભક્તો સંતો કરી રહ્યા હતા તે મહા મહોત્સવ- શ્રી પ્રમુખ સ્વામિ મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ ને આંગણે અત્યંત ધામધૂમ થી……ભક્તિ ભાવપૂર્વક….મહિમા સાથે ….તન, મન, ધન અને જીવ ના સમર્પણ સાથે શાનદાર ઉજવાયો .લગભગ 80 હજાર થી વધુ સ્વયંસેવકો ની હાજરી , એક કરોડ થી વધુ દર્શનાર્થી ઑ ની મુલાકાત સાથે આ મહોત્સવ ના ડંકા સમગ્ર જગત માં ગુંજયા………!!

મહોત્સવ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામિ મહારાજે કહ્યું તેમ “ન ભૂતો ન ભવિષ્યતી ” ઉજવાયો તેનું કારણ શું?? તો મારી સમજણ મુજબ – આ મહોત્સવ ની સફળતા અને સુફળતા માટે જે મુખ્ય કારણ હતા તે નીચે મુજબ છે …..

  • શ્રીજી મહારાજ ની પરમ કૃપા- એમની કૃપા – મરજી -રાજીપા સિવાય તો એક પાંદડું પણ હલી શકતું નથી….પછી બીજી વાત જ શું કરવી ??
  • ગુણાતીત ની પ્રત્યક્ષ હાજરી અને રાજીપો- શ્રીજી ના અખંડ ધારક સંત જ્યાં બિરાજમાન હોય ત્યાં જીવમાત્ર ને સમાસ થાય….અને એ સહેજે ખેંચાય…..નિયમ ધર્મ સહેજે બળવત્તર રહે…..એનું પ્રાધાન્ય રહે……
  • સમર્પિત સંતો અને હરિભક્તો- સત્પુરુષ ની આજ્ઞા માં સંપૂર્ણ સમર્પિત એવા સંતો કે જેમણે છેલ્લા એક બે વર્ષ થી પોતાનો દેહ..સગવડો પોતાના ગુરુ ની આજ્ઞા માં યા હોમ કરી ને શતાબ્દી ઉત્સવ માટે સમર્પિત કરી દીધી….અને એના આયોજન માં પોતાની આગવી બુદ્ધિમતા અને અનુભવ નો ઉપયોગ કરી ને અઘરા કામ ને પણ સહજ બનાવી દીધું. તો સામે હરિભક્તો એ પણ પોતાનો સમય, મન, તન ,ધન બધું જ ગુરુ આજ્ઞા એ , સંતો ના આયોજન મુજબ કૃષ્ણર્પણ કરી દીધું. સંસાર ના વ્યવહાર ને ગૌણ કરી….નોકરી ધંધા ને થોડોક સમય વિરામ આપી , જીવ ના કલ્યાણ માટે સૌકોઈ મંડી પડ્યા……જે આજે પણ પ્રત્યક્ષ દેખાય છે…..

આ મહોત્સવ માં સંતો હરિભક્તો એ પોતાનું સર્વસ્વ કૃષ્ણાર્પણ કરી દીધું…….જેટલા સ્વયંસેવકો એટલી જ આ મહોત્સવ ની સફળતા પાછળ ની ગાથાઓ……!! તમે કોઈ જગ્યા એ જોયું છે કે – ગુરુ ની એક આજ્ઞા થાય અને શિષ્ય પોતાનું બધું જ છોડી ને ગુરુ ની આજ્ઞા માં જોડાઈ જાય….!! અહીંયા તો કોઈ પોતાના પરિવાર ને છોડીને આવ્યું હતું તો કોઈ નોકરી ધંધા ને તાળા મારી ને…..તો કોઈ પોતાના લગ્ન પાછા ઠેલી ને આવ્યું હતું તો કોઈ પોતાના સ્વજનો ની અંતિમ ક્રિયાને અન્ય સ્વજનો ને સોંપી ને આવ્યા હતા….અરે અમુક તો સમગ્ર પરિવાર સહિત સેવામાં જોડાઈ ગયા હતા…..! આ લોકો ને શુ સ્વાર્થ હતો?? એ તો માત્ર પોતાના ગુરુ અને ઇષ્ટદેવ ના રાજીપા અર્થે જ આવ્યા હતા…..અને આજના કલિયુગ માં આવું તો બસ આ સંપ્રદાય માં જ જોવા મળે…! આમ, આવો કલ્પનાતીત, સમયાતીત ઉત્સવ તો માત્ર આ સંસ્થા માં જ શક્ય છે….બીજાના તો આ સ્કેલ પર…આ ઉત્સવ કરવો અતિ કઠિન છે……રોજના જ્યાં સવારે 7 વાગ્યા થી રાત્રી ના 11 વાગ્યા સુધીમાં લાખો લોકો ની આવાગમન રહેતું હોય …તેમના માટે વિવિધ આયોજન કરવા…એ પણ કોઈ જાત ની સમસ્યા વગર….એ કદાચ આપણી કલ્પના બહાર છે.

પૂ. સંતો નું માઈક્રો લેવલ નું આયોજન તો જુઓ……..નગર માં આવનારા પ્રત્યેક દર્શનાર્થી ને એના મન ની સાથે સાથે દેહ ને પણ પૂરતું પોષણ મળી રહે…જરૂર પડ્યે એકદમ ચોખ્ખા , વોશરૂમ ની પૂરેપૂરી સગવડ….આરામ ની જરૂર પડે તો યોગ્ય જગ્યા એ બેસવા ની સગવડ…..હોસ્પિટલ, સલામતી વ્યવસ્થા, ખોવાયેલી વસ્તુઓ ને શોધવા ની વ્યવસ્થા, શો ને સમજાવવા માટે ના સ્વયંસેવકો….. વહીલચેર/બેટરીવાળી ગાડીઓ/શટલ વ્યવસ્થા…..વગેરે..વગેરે…!! કેટકેટલી વ્યવસ્થાઓ……! આપણે તો કદાચ વિચારી પણ ન હોય તેવી સગવડ નું આગોતરું આયોજન…..અદભુત…અદભુત….!! અને સ્વયંસેવકો ની નિષ્ઠા તો જુઓ….એ નાના બાળ બાલિકા હોય કે મહિલાઓ…કે પુરુષ સ્વયંસેવકો……સવારે 5 થી 6 વાગ્યા વચ્ચે તૈયાર થઈ ને નગર માં સેવા માટે 7 થી 7.30 વચ્ચે પહોંચી જવાનું…આરતી થાય અને સેવા ચાલુ….બપોરે જમવા માટે વારાફરતી જઇ આવવા નું….અને રાત્રે 11 વાગ્યા સુધી સેવા ના ઝંડા ફરકતા રાખવા ના….!! પોતાના દેહ ની પરવા જ નહીં…બસ સેવા જ સેવા..અને મુખ પર સહજ આનંદ જુઓ તો સમજાય કે આત્મનિષ્ઠા કોને કહેવાય…!!!

ટૂંકમાં….આ મહોત્સવ કેવળ એક મહોત્સવ જ નહોતો પણ બ્રહ્મ માર્ગ તરફ આગળ વધવા નું એક નિમિત્ત હતો…….બ્રહ્મોત્સવ હતો……બ્રહ્મ ના કાર્ય નો મહિમા સમજી ને જીવ માં એ બ્રહ્મગુણ ને ઉતારવા નો ઉત્સવ હતો……લાખો લોકો અહીં આવી ને ગયા….શુ કરી ને ગયા?? એ જો માત્ર ફરવા જ આવ્યા હશે તો પણ એમને થોડો ઘણો તો ગુણ આવ્યો જ હશે…..અને એમના જીવન માં કૈક તો સકારાત્મક બદલાવ આવ્યો જ હશે…….ઘણા ના જીવન જડમૂળથી પણ બદલાયા જ હશે……એના કેટલાય દ્રષ્ટાંત આપણે સોશિયલ સાઇટ્સ પર વાંચી ચુક્યા છીએ…….અને આ ઉત્સવ થી ઘણા ને કૈક ને કૈક પ્રેરણા મળી હશે જ……!!

અરે…મહોત્સવ ના અંત માં જુઓ તો સમજાય કે……સ્વયં સત્પુરુષ ને આ ઉત્સવ નો કેટલો મહિમા છે…!! નગર માં આવેલ દર્શનાર્થી ઓ ના ચરણ ની ધૂળ મંગાવી ને પોતાને શિર ચડાવી…….સ્વયંસેવકો ને મોટા મોટા સંતોએ …સદગુરુ સંતો એ સાષ્ટાંગ દંડવત કર્યા…..!!!! ન ભૂતો…ન ભવિષ્યતિ…….. આવું તો ક્યારેય જોયું નથી કે સાંભળ્યું નથી…!!! હવે વિચારો કે જેના ગુરુ આવા નિર્માની હોય તે ગુરુ માટે એમના શિષ્ય શુ ન કરે???

ખરેખર , BAPS સંસ્થા ના લાખો કાર્યકરો માં થી એક હોવાનો મને ગર્વ છે…કેફ છે…..આ તો સ્વયં શ્રીજી ની સંસ્થા છે……સ્વયં ગુણાતીત ગુરુઓ ની સંસ્થા છે કે જેમણે અપમાનો સહન કરી ને પણ સર્વનું સદાય ભલુ જ ઇચ્છયું છે…..ભલું જ કર્યું છે……

આ બ્રહ્મ મહોત્સવ માં મને જે સેવા કરવાનો મોકો મળ્યો એ માટે હું મારા ગુરુનો…મારા શ્રીજી નો અનંત જન્મો સુધી ઋણી રહીશ……બસ એમની આજ્ઞા માં રહેવાય…એમના રાજીપા માં રહેવાય……એટલે ભયો..ભયો…..!

જય જય સ્વામિનારાયણ….. જય જય…અક્ષર પુરુષોત્તમ…..!

સેવક રાજ ના સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ…..


Leave a comment

BAPS રવિસભા- 13/11/2022

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“કીર્તન રહેવા દ્યો ને સર્વે સૂરત દઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે,……… જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે તેના કર્તાહર્તા એક ભગવાન છે. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે.

………અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વકર્તાહર્તા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે………….

વચનામૃત ગઢડા મધ્ય 21

(આજે ખૂબ જ આનંદ ની વાત હતી કે આજની સભા સ્વયં સત્પુરુષ …બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ જીવંત પ્રસારણ રૂપે નિહાળી રહ્યા હતા)

આજે મારા માટે વિક્રમ સંવત 2079 ના નવા વર્ષ ની પ્રથમ સભા હતી. ગયા બે રવિસભા નો લાભ ન લઈ શકાયો….. આથી આ રવિવારે બધા કામ કાજ પડતા મૂકી સભા નો લાભ લેવા સમયસર આવી ગયા……સત્સંગ તો અમદાવાદ માં આજે ભરપૂર જામ્યો છે…શતાબ્દી નગર માં હજારો સયંસેવકો મનમૂકી ને સેવા કરી ને સત્સંગ ને ચરિતાર્થ કરી રહ્યા છે…..એ સૌને સાષ્ટાંગ દંડવત સહિત સૌપ્રથમ સર્વે કાર્ય ના કારણ એવા મારા વ્હાલા ના દર્શન….

સભાની શરૂઆત પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી અને સંતો યુવકો દ્વારા ધૂન પ્રાર્થના થી થઈ…..મન એકતાલ થઈ ગયું….ત્યારબાદ એક સ્વામી એ એક નવું જ કીર્તન કે જે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના વડતાલ ત્યાગ ને દર્શાવતું કીર્તન ….”વૃતાલય સે ચલા સ્વામી શુદ્ધ ઉપાસના ધારી….” રસિક દાસ રચિત રજૂ કર્યું…આજની જ તિથિએ … માત્ર 5 સાધુઓ …અને મુઠ્ઠીભર હરિભક્તો સાથે ભારે હૃદયે …એક હરિકૃષ્ણ મહારાજ ની મરજી અને મૂર્તિ ને હૃદય માં ધારી …શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસે કેવળ એક સિદ્ધાંત ને પ્રવર્તન અર્થે વડતાલ થી મહાપ્રયાણ કર્યું અને એક બ્રહ્માંડ માં અક્ષર પુરુષોત્તમ ના વાવટા ફરકાવી દીધા….જે આજે બુલંદ ઊંચાઈ એ પુરજોર ફરકે છે અને એની ગુંજ નવખંડ માં સંભળાય છે….!! ત્યારબાદ પૂ. કૃષ્ણસ્વરૂપ સ્વામી ના સ્વરે…” દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ…” રજૂ થયું…એ જ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત મૂર્તિ મંત થયો…એ સુવર્ણ ગાથા ની રજુઆત થઈ……એક હરિભકતે ” કરે પાપી અતિશય પોકાર….” દેવાનંદ સ્વામી રચિત ઉપદેશ કીર્તન રજૂ કર્યું….

એ પછી અબુધાબી મંદિર અને અમદાવાદ મંદિર માં ઉજવાયેલા દિવાળી અને અન્નકૂટ ના દિવ્ય વીડિયો દર્શન નો લાભ મળ્યો….

અદભુત વીડિયો…..!!

ત્યારબાદ આપણી સંસ્થા ના વરિષ્ઠ સંતો પૈકી એક સારંગપુર મંદિર કોઠારી પૂ.જ્ઞાનેશ્વર સ્વામી દ્વારા “સંજીવની રૂપ સમજણ- ભગવાન સર્વકર્તાહર્તા ” વિષય પર આધારિત પ્રવચન વચનામૃત ગઢડા મધ્ય 21 ના આધારે થયું…….જોઈએ સારાંશ…

  • સુખ ના અર્થે એક જ વાત છે….ભગવાન સર્વકર્તાહર્તા છે…..ભગવાન જે પ્રગટ પ્રમાણ છે..એ જ સર્વકર્તાહર્તા છે..આ વિચાર દ્રઢ થયો, મહિમા સમજાયો તો કલ્યાણ પાકું….અંતર માં શાંતિ રહે…કેફ રહે….એ જ વાત સત્સંગ દીક્ષા માં પણ છે…
  • આપણા સર્વે પ્રશ્નો નું મૂળ…અજ્ઞાનતા છે….બધું હું જ કરું છું….સર્વે મારા થી જ થાય છે…આમ માને એટલે અહંકાર દેખાય…દંભ છતો થાય…પણ પોતાની ભૂલો પોતાના દોષ…દેખાય જ નહીં…!! આને જ આસુરી વૃત્તિ કહે છે….હિરણ્યકશિપુ અને રાવણ આવી જ આસુરી વૃત્તિ વાળા હતા….જેમની હાર થઈ અને ભગવાન ને જ સર્વકર્તાહર્તા માનનાર પ્રહલાદ જી જેવા ભક્ત નો જય થયો….
  • આપણા સંકલ્પ વિકલ્પ પણ લૌકિક હોય છે અને ભગવાન ને કરેલી પ્રાર્થના એની પરીપૂર્તિ માટે જ હોય છે…પણ ભગવાન તો પોતાના ભક્ત નું સારું કરવા જ બેઠા છે…જે આપણા માટે સારું હશે એ જ આપશે….બાકી નહીં આપે.. અને આપણી પ્રાર્થના સફળ ન થાય એટલે આપણે સત્સંગ માં થી પડી જઈએ છીએ….એ જ અજ્ઞાનતા છે. …સદાય યાદ રાખવું કે…દાસ ના દુશ્મન હરિ કોઈ દી હોય નહીં..!!
  • માટે જ જો સવળો વિચાર હોય કે એક ભગવાન જ સર્વકર્તાહર્તા છે તો પછી માનઅપમાન..સુખ દુઃખ..હરખ શોક.. શાને થાય??
  • આપણી પ્રાપ્તિ મોટી છે….સત્પુરુષ અને એમના થકી પ્રગટ પ્રમાણ ભગવાન મળ્યા છે પછી દુઃખ શાનું?? આ પ્રાપ્તિ અને એની પ્રતીતિ ..એનો મહિમા સદાયે દ્રઢ કરવો ….

મહંત સ્વામી મહારાજે હાકલ કરી હતી કે દિવાળી અને નવું વર્ષ તો નગર માં જ…! અને 14000 થી વધુ હરિભક્તો એ એનો અદભુત લાભ લીધો…..એના વીડિયો દર્શન રજૂ થયા…

ત્યારબાદ સભામાં ઉપસ્થિત સદગુરુ વિવેકસાગર સ્વામી એ સભાને પ્રસંગોચિત આશીર્વચન નો લાભ આપ્યો…જોઈએ સારાંશ

  • કેંનોપનિષદ નો એક પ્રસંગ છે કે દેવો ભગવાન ને લીધે વિજય ને પામ્યા પણ વિજય ને અંતે ભગવાન ને ભૂલી ગયા તો ભગવાને તેમને એ જ્ઞાન કરાવવા લીલા રચી….અહંકાર થી ગ્રસ્ત દેવો એક તણખલું પણ હલાવી ન શક્યા…અને છેવટે ભગવાન નો મહિમા સમજાયો….આપણું મન કહો કે ક્રિયા ..એ સર્વે પાછળ ભગવાન ની મરજી જ છે….એમનું જ બળ છે….જીવ ને કર્મ કરવા ની સ્વતંત્રતા આપે છે પણ ફળ તો ભગવાન જ આપે છે..
  • ભગવાન નું જ આ બધું છે…એમનું જ કરેલું છે….અને ભક્તો માટે જે કાંઈ થાય છે એ ભગવાન ની જ મરજી છે….જગત ના સર્વે રંગ રીતિઓ… રચનાઓ…ઋતુઓ કે વ્યવસ્થાઓ પાછળ ભગવાન જ છે….ભગવાન ને આમ કર્તાહર્તા સમજીએ તો જ અંતર માં શાંતિ રહે…..એ જે કરશે એ સારું જ કરશે પછી ફિકર કાહે કી??? લંડન માં મંદિર માટે લીધેલી જમીન નો કેસ હારી ગયા પણ પ્રમુખ સ્વામી મહારાજ નું રૂવાળું ય ન ફરક્યું….!!! અને છેવટે નિસડેન માં વિશાળ જગ્યા મળી…..
  • ભગવાન જે કરે એ સારા માટે જ હોય છે…..લાંબુ..શાંતિ થી વિચારો તો બધું સમજાય……કારણ કે ભગવાન પોતાના ભક્તો નું અહિત કરે જ નહીં……જે કરતા હશે એ સારા માટે જ હશે. ….કશું પોતાના પર લેવું જ નહીં….મેં કર્યું..મારા દ્વારા જ થયું…એમ વિચારી એ તો અહંકાર આવે અને પતન થાય…….પ્રમુખ સ્વામી એ મહાન કાર્ય કર્યા પણ ક્યારેય મેં કર્યું ..એવું કહ્યું નથી……સદાય નિર્માની રહ્યા…બધું ભગવાન ને જ સર્વકર્તાહર્તા સમજી ને જ વર્ત્યા…!!

સભામાં જાહેરાત થઈ કે- નવો વિભાગ ઉભો થયો છે…પસ્તી વિભાગ….ઘરની બધી પસ્તી નગરમાં રસોડા પાસે જમા કરાવવી…..સેવક તરીકે સેવા માટે લાભ લેવાનું ચાલુ જ છે….70 વર્ષ સુધી ના સશક્ત વ્યક્તિઓ સર્વે પોતાના નામ નોંધાવી શકશે. દર્શનાર્થીઓ કે જે બપોરે 2 વાગે થી ફ્રી… મફત એન્ટ્રી છે….કોઈ પૈસા લેવાના નથી….ખોટા મેસેજ લોકો થી ચેતજો…..દર્શનાર્થીઓ પોતાના નામ નોંધાવી શકશે. ….બાલી ઇન્ડોનેશિયા માં G20 દેશોના ધાર્મિક ગુરુઓ ભેગા થયા હતા…..જેમાં આપણા મહામહોપાધ્યાય ભદ્રેશ સ્વામી ગયા હતા……આવતા રવિવારે એ પોતે આપણી રવિસભા માં લાભ આપશે…

આજની સભા નો એક જ સાર……આપણા થી તો એક સૂકું તરણું પણ ઉપડે તેમ નથી…એક ભગવાન જ સર્વકર્તાહર્તા સમજીશું તો જ જીવન જીવવા માં…સર્વે ક્રિયામાં નિમિત્ત ભાવ રહેશે….સુખ શાંતિ રહેશે….બ્રહ્મરૂપ થવાશે…..

સર્વ હરિ નું જ……માર્ગ પણ એ જ ….ગંતવ્ય પણ એ જ…..! સર્વે ક્રિયા એની પ્રસન્નતા ના અર્થે જ કરવી…..એ જ નિમિત્ત ભાવ….સાક્ષીપણું…. સ્થિતપ્રજ્ઞતા….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે……

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા- 16/10/22

“….ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે…….અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વકર્તા જાણે તોય પણ જન્મ-મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં. અને જે જીવ ભગવાનને સર્વકર્તાહર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી……

….જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામીસેવકભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો……”

ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વકર્તા જાણીને, તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે………..

……અમારો તો એ જ ઇશક છે ને એ જ સિદ્ધાંત છે જે, ‘તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કર્તાહર્તા જાણીને અને સ્વામીસેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી. અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં.’ માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજ્યો……”

— ભગવાન શ્રી સ્વામિનારાયણ… વચનામૃત કારીયાણી 10

આજે રવિસભા પ્રત્યક્ષ રૂપે શાહીબાગ હતી પણ પરોક્ષ રૂપે શતાબ્દી મહોત્સવ નગર માં હતી , કારણ કે અડધું અમદાવાદ સત્સંગ મંડળ “ટાણા”ની સેવા કરવા નગરે ઉમટયું હતું……ચાલો એ સૌને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ કહી ને …સર્વે ના કારણ… ક્ષેત્રજ્ઞ એવા શ્રીહરિ…મારા વ્હાલા ના દર્શન કરીએ…

સભાની શરૂઆત, સંતો યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…….ત્યારબાદ એક યુવક દ્વારા..” વંદન ગુરુજી…વંદન પ્રમુખજી…..સેવામાં રાખો સદાય…..” વનમાળી દાસ રચિત પદ રજૂ થયું. ગુરુ આજ્ઞા એ પ્રવૃત્તિ માં જોડાઈ , કેવળ એક હરિ ની પ્રસન્નતા અર્થે પ્રવૃત્તિ કરવી , એ પણ નિષ્કામી ભક્તિ નો એક પ્રકાર છે……..અને આ પણ બ્રહ્મરૂપ થવાનો માર્ગ છે……. ગુરુ આજ્ઞા એ થતી સર્વે ક્રિયાઓ…ભક્તિ રૂપ હોય છે…..! એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત અદભુત જોશીલું પદ “આજ મને સામે મળ્યો છે અલબેલો….” રજૂ થયું……! અદભુત પદ……એ અલબેલો…રંગડા નો રેલો આપણા હૃદય માં યથાર્થ વસી જાય એટલે ભયો..ભયો…!! ત્યારબાદ સારંગપુર થી પધારેલા એક સાધક દ્વારા “પ્રમુખજી….છોજી અમારું જીવન…..” કોઠારી બાપા ભક્તિપ્રિય સ્વામી રચિત પદ નો લાભ મળ્યો…..સત્પુરુષ જો આપણો આત્મા બને તો એના જેવા ગુણ આપણા થાય અને બ્રહ્મ સંગાથે બ્રહ્મરૂપ થવાય……એમાં કોઈ શક નથી.

ત્યારબાદ 28 સપ્ટેમ્બર ના રોજ મહારાષ્ટ્ર ના તીર્થસ્થાન નાસિક માં નવીન ભવ્ય મંદિર ની પ્રતિષ્ઠા વિધિ દર્શન નો વીડિયો દ્વારા સૌને લાભ મળ્યો….

ત્યારબાદ પૂ. પ્રિય સ્વરૂપ સ્વામી દ્વારા વચનામૃત કારીયાણી 10 ના આધારે રસપ્રદ પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ….

  • શરદ ઋતુ માં રચાયેલું આ વચનામૃત છે…..શ્રીજી મહારાજ ને તાવ ની કસર જણાય છે…આમાં ભગવાન નું મનુષ્ય ચરિત્ર દેખાય છે. મહારાજ ની આ કસર જ ભક્તો ને માટે કઠણ કાળ સમાન છે…આમ ભક્ત ભગવાન નો પરમ સ્નેહ અહીં દેખાય છે.
  • આવો જ સ્નેહ આજે પણ સત્પુરુષ અને હરિભક્તો વચ્ચે જોવા મળે છે…અમદાવાદ ના રામચંદ્ર ભાઈ બારોટે, પ્રમુખ સ્વામી મહારાજ ને આંખ માં તકલીફ થાય ત્યારે ભગવાન ને પ્રાર્થના કરી કે એ આંખ ની તકલીફ અમને થાય પણ બાપા ને ન થાય….!!
  • ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજી….એમના સ્વરૂપ અને મહિમા સમજી ને….કેવળ એમની પ્રસન્નતા અર્થે જ….એમને સ્વામી જાણી ને જ જે તપ થાય….સેવા થાય….તે જ ઉત્તમ છે…મોક્ષ નું કારણ છે….
  • સર્વે જીવ ના કાળ કર્મ ના ફળપ્રદ દાતા એક ભગવાન જ છે….માયા ના આવરણ થી જીવ ના સ્વભાવ ઘડાય છે….પણ સર્વ જીવ ના નિયંતા એક ભગવાન જ છે. આમ ભગવાન નું કર્તાપણું સમજવું એ મોક્ષ નું એક કારણ છે…ગ.પ્ર 65 માં કહ્યું તેમ…ભગવાન જીવ ને શક્તિ- જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ,ક્રિયા શક્તિ- આપે છે…જીવ સુષુપ્તિ માં જાય ત્યારે એને કશું જ જ્ઞાન નથી હોતું..પણ એ સુષુપ્તિ માં થી જગાડનાર એક ભગવાન જ હોય છે…..આમ મહિમા સમજવો
  • ઘણીવાર જીવ બધો મહિમા સમજે અને વર્તે તો ય દુઃખ આવે છે …કેમ?? એની પાછળ ભગવાન નો હેતુ જીવ ના કલ્યાણ માટે જ હોય છે…..શૂળી નો ઘા સોય તો ટાળવા માટે જ ભગવાન આવું કરે છે…..જીવ ના મોક્ષ માટે પણ ભગવાન આવું કરે છે….જીવ ની મોહ માયા..અહં મમત્વ તૂટે…મુક્ત થઈ પરમ પદ ને પામે એ જ ભગવાન અને મોટા પુરુષ નો સ્વાર્થ હોય છે……ગ.પ્રથમ 62 મુજબ તો ભગવાન ક્યારેક ભક્ત ની નિષ્ઠા ચકાસવા તેની કસોટી કરતા હોય છે…..!! અદભુત…અદભુત…!!
  • જીવ જો ભગવાન નો આ મહિમા..આ સ્વરૂપ…આ લીલા જાણે….સર્વ કર્તાહર્તા પણુ… સમજે… તો જીવ બ્રહ્મરૂપ થઈ એક ભગવાન ને પામે છે……જીવ નિર્ભય થઈ જાય છે……નચિંત થઈ જાય છે…..દરેક ક્રિયામાં એક ભગવાન ની આજ્ઞા માં સહજ વર્તાય છે…કોઈ સ્વભાવ નડતા નથી…મનમાં સહેજ પણ પ્રશ્ન ..સંકલ્પ કે વિકલ્પ થતા નથી……આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન માં આવી નિષ્ઠા સ્પષ્ટ દેખાય છે……સદાયે હળવાફુલ…. સદાય સ્થિર….સહજ આનંદ માં દેખાય છે……
  • બસ ..આ જ સમજવા માટે ભગવાન ને સદાય પ્રાર્થના કરવી….અને વર્તવું.

અદભુત પ્રવચન…..!! ત્યારબાદ પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વચન નો લાભ આપતા કહ્યું કે- ભગવાન ને રાજી કરવા તપ કરવું…અને મોક્ષ માટે તો એક ભગવાન ને જ સર્વ કર્તાહર્તા જાણવા..સમજવા એ જ છે….આશાભાઈ.. ઈશ્વરભાઈ નું સર્વસ્વ આગમાં ખાખ થઈ ગયું છતાં શાસ્ત્રીજી મહારાજ ને સેવા કરી ને રાજી કર્યા….પ્રમુખ સ્વામી મહારાજે એમના સેવાકાળ માં અતુલ્ય કાર્યો… પ્રગતિ કરી પણ બધું જ એક શ્રીજી દ્વારા જ થયું છે એવો વિચાર સદાય રહ્યો છે…એવો ભગવાન નો સર્વ કર્તાહર્તા નો ભાવ સમજાય તો જીવ ક્યાંય પાછો ન પડે…ડગી ન જાય…! આવા પ્રમુખ સ્વામી મહારાજ નો શતાબ્દી ઉત્સવ અત્યંત ધામધૂમ થી થવાનો છે….લગભગ 50000 જેટલા સ્વયંસેવક સમૈયા માં થવાના છે…..અમેરિકા અક્ષરધામ માં પણ હરિભક્તો તન મન ધન થી સેવામાં ખૂબ મંડી પડ્યા છે…..જોરદાર સેવા સૌ કરી રહ્યા છે….સત્સંગ ની પ્રગતિ કલ્પના બહાર ની થઈ છે….હરિભક્તો..સંતો..મંદિરો ના અદભુત કર્યો થઈ રહ્યા છે…આપણે અત્યારે ટાણા ની સેવામાં જોડાઈ જવું…..

એ પછી જાહેરાત મુજબ…અમદાવાદ ના વાસુદેવ ભાઈ મિસ્ત્રી ના પુત્ર..એકના એક પુત્ર જે એન્જીનીયર… IIM માં થી MBA થયેલા હાર્દિકભાઈ મિસ્ત્રી, અને અન્ય યુવક વિજયરાજ ભાઈ , અને ભાવેશભાઈ પટેલ (વિધવા મા નો એક માત્ર પુત્ર) દીક્ષા લેવાના છે તેમનું અભિવાદન થયું……!! અદભુત….અદભુત….!! દિવાળી ઉત્સવ માં લગભગ 10000 થી વધુ હરિભક્તો શતાબ્દી નગર માં સેવામાં જોડાવા ના છે…..! અદભુત…..! 24 તારીખે સાંજે…દિવાળી ના દિવસે ચોપડા પૂજન થવાનું છે…25 તારીખે ગ્રહણ ની સભા છે….26 તારીખે સવારે નૂતન વર્ષ ની મહાપૂજા, અન્નકૂટ દર્શન નો લાભ મળશે.

આજની સભાનો એક જ સાર હતો કે– આ સત્સંગ એ શ્રીજી નો જ સંકલ્પ છે…જે કાંઈ થઈ રહ્યું છે…અને થશે એ કેવળ અને કેવળ શ્રીજી મહારાજ ના સંકલ્પ મુજબ જ…એમની મરજી અનુસાર જ થાય છે…એમ શ્રીહરિ નું સર્વકર્તા હર્તા પણુ મનાશે… સમજાશે તો જીવન માં આપણે સ્થિતપ્રજ્ઞ બનીશું…બ્રાહ્મી સ્થિતિ સહેજે પ્રાપ્ત થશે….કલ્યાણ થશે….!! એક એમની મરજી એ જ આપણું પ્રારબ્ધ….એમનો રાજીપો એ જ આપણું કર્મ….આપણું જીવન

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય સ્વામિનારાયણ..

રાજ


2 Comments

BAPS રવિસભા-29/05/2022

“..ભગવાનનું જે એક નિમિષમાત્રનું દર્શન તે ઉપર અનંત કોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાંખી દેઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળાં કરીએ તો પણ તેના કોટિમા ભાગની બરોબર પણ થાય નહીં…..”

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-સારંગપુર-1

સૌ અમદાવાદી હરિભક્તો ના હૈયા ના ઉમળકા ની વાત…..ગુરુ મહંત સ્વામી મહારાજ , સૌ અમદાવાદીઓ ના મનોરથ પુરા કરવા 1 લી જૂન થી અમદાવાદ ના આંગણે પધારી રહ્યા છે….અને એની અંતિમ તૈયારીઓ આજે સભામાં દેખાતી હતી…..સભાગૃહ છલોછલ ભરેલો હતો અને ઉત્સાહ પણ….!!! આ ઉત્સાહ અને આનંદ સાથે મારા વ્હાલા ને વધાવીએ….તેમના દિવ્ય દર્શન દ્વારા…

સભાની શરૂઆત , યુવક મિત્રો દ્વારા ધૂન અને પ્રાર્થના થી થઈ….માહોલ દિવ્ય દિવ્ય થઈ ગયો….!! એક યુવક મિત્ર જૈમીન વૈદ્ય દ્વારા …વલ્લભદાસ રચિત પદ ” જોગીડા નો જાદુ મારા હૃદયે રમે…..” રજૂ થયું……! જોગીબાપા ના સ્નેહ નો જાદુ …આજે આપણી સંસ્થા ના વરિષ્ઠ …સદગુરુ સંતો ને જોઈએ ત્યારે સમજાય છે કે……એ જાદુ કેવો હતો..!! કેવળ એમના સ્નેહ ને કારણે અનેક ભણેલા ગણેલા યુવકો એ સમય માં દુનિયા ની ચકાચૌધ છોડી વૈરાગ્ય ને પંથે હાલી નીકળ્યા……..! એ એક ચમત્કાર થી ઓછું નથી જ…..પૂ.ડોક્ટર સ્વામી કહેતા કે…અમે કોઈ સાધુ થાય એવા જ નહોતા….આ તો જોગીબાપા નો જ ચમત્કાર હતો…!..

આજે આપણી સભા માં પ્રસિદ્ધ ટીવી કલાકાર દિલીપભાઈ જોશી હાજર હતા….પૂ.યજ્ઞપ્રિય સ્વામી દ્વારા એમનું સ્વાગત થયું. એ એક સંનિષ્ઠ હરિભક્ત છે અને દરેક રવીસભા માં એ નિયમિત હાજર રહે છે….એમની સાથે સત્સંગ ને લગતી પ્રશ્નોત્તરી થઈ….અને એમના ઉત્તરો દ્વારા સર્વ ને પ્રેરણા મળી….જોઈએ માત્ર સારાંશ..એમના ઉત્તરમાં થી

  • દરેક રવિસભા અચૂક ભરવી….પ્રશ્નો અનેક આવે પણ મોટા પુરુષ ની આજ્ઞા પ્રમાણે રવિસભા માં હાજર રહેવું….આપણા બધા પ્રશ્નો ના ઉત્તર અહીં મળશે…સાઈકીયાટ્રિક પાસે જવાની જરૂર નહીં પડે….બીજો વિચાર કરવો જ નહીં…
  • ધર્માદો આપણી આવક ને શુદ્ધ કરે છે……ઘરમાં શુદ્ધ લક્ષ્મી આવે એમાં જ સુખ છે….આમે ય આપનાર પણ એ જ છે…અને એને જ પાછું આપવા નું છે….આપણે તો નિમિત્ત માત્ર છીએ….લક્ષ્મી નો સારા..સાચા માર્ગે અહીં ઉપયોગ થાય છે…
  • અન્ય ને સત્સંગ નો મહિમા કહેવો…આપણ ને જે પ્રાપ્ત થયું છે, એને બીજા સાથે વહેંચવું….એનું પણ કલ્યાણ થાય. સમય નો સદુપયોગ કરવો…ભગવાન અને બાપા માટે કાઢવો…
  • આહાર શુદ્ધિ સત્સંગ માં શક્ય છે…ઘરના લોકો સાથે હોય …એમનો સાથ હોય તો આ શક્ય છે….જમવાનું બનાવતી વખતે, બનાવનાર ના વિચાર પણ ખાનાર ને અસર કરે છે…માટે શરીર ના લાભ માટે…આહાર ઘર નો જ લેવો….
  • પ્રમુખ સ્વામી મહારાજ વિશે વિશેષ માં “જેને ગુણે રીઝયા ગિરધારી” પુસ્તક થી જાણ્યું…ઘણો પ્રભાવિત થયો…બીજાના ભલા માં આપણું ભલું- જો જીવન માં ઉતરે તો બાકી શુ રહે?? ગુરુ નો મહિમા સમજાયો પછી બાકી શુ રહે?? પૂર્વ ના પુણ્ય હોય ત્યારે આવો સત્સંગ મળે….બાપા કહે છે તેમ ..ભગવાન કરે તે સારું જ કરે…જીવન માં શાંતિ રહે તેનું કારણ એ જ છે
  • તિલક ચાંલ્લો…આપણી શાન છે…આપણું ગૌરવ છે…એમાં શરમ શાની?? એ ન હોય તો કૈંક ખૂટતું હોય એમ લાગે..
  • પ્રમુખ સ્વામી મહારાજ ની મુલાકાત મિત્ર નીતિન દેસાઈ દ્વારા થઈ…રૂબરૂ દર્શન નો લાભ નહોતો મળ્યો પણ સ્કૂટર ચલાવતી વખતે ..બાપાની વાત થઈ તો બાજુ ની જ એક ગાડી માં બાપા ના સાક્ષાત દર્શન થયા…!! ગુરુ એ સામે થી દર્શન આપ્યા….! આઠમ નો ઉપવાસ હતો અને શૂટિંગ માં એ જ દિવસે જમવાનો સીન કરવા નો હતો…આ ધર્મસંકટ માં બાપા એ માર્ગ બતાવ્યો અને સીન સફળતા થી ભજવાઈ ગયો.
  • મહંત સ્વામી મહારાજ સાથે નો પ્રસંગ- દિલ્હી મંદિર તરફ થી બાળકો ની સભા માં જવાનું હતું પણ એ જ દિવસે શૂટિંગ હતું. બાપા ની દયા થી શૂટિંગ કેન્સલ થયું અને આ સભામાં હાજર રહી શક્યો…..એ જ રીતે બાપા ની કૃપા થી મન ના સંકલ્પ મુજબ એમની દ્રષ્ટિ પડી….રૂબરૂ મળવાનું થયું અને બાપા એ હાર પહેરાવ્યો…સંકલ્પ પુરા કર્યા..
  • શતાબ્દી ઉત્સવ આવ્યો છે….બાપા એ જે કાર્ય કર્યું છે તે અતુલ્ય છે….કદાચ આપણ ને પૃથ્વી પર મનુષ્ય અવતાર મળ્યો છે એ આ ઉત્સવ માટે જ મળ્યો છે..એમ સમજવું….આપણા મોટા ભાગ્ય છે કે આપણ ને આ સેવા મળી છે….બસ , હવે આપણો વારો છે…..હાકલ છે…જોડાઈ જવું….

અંતે પૂ.કોઠારી સ્વામી ધર્મતિલક સ્વામી એ સ્મૃતિ ભેટ આપી એમનું સન્માન કર્યું…..! અદભુત વ્યક્તિત્વ…અદભુત નિષ્ઠા….અદભુત વાતો…!!

ત્યારબાદ વીડિયો ના માધ્યમ થી પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના અમદાવાદ ખાતે ના દિવ્ય વિચરણ ની સ્મૃતિ ઓ ના દર્શન થયા…! અદભુત વીડિયો…!! અનંત સ્મૃતિઓ….અખંડ સ્મૃતિઓ….સર્વોપરી સ્મૃતિઓ….એક પળ પણ ન વિસરાય તેનું ધ્યાન રાખજો…

એ પછી પૂ.વિવેકજીવન સ્વામી એ પોતાના પ્રવચન માં કહ્યું કે…..( સારાંશ..)

  • સત્પુરુષ નો પ્રભાવ જ એવો છે કે આપણી સર્વ ઇન્દ્રિયો..અંતઃકરણ એમનામાં ખેંચાઈ જાય…
  • ભગવાન અને સંત 4 સાધન દ્વારા પોતાના ભક્તો ને સુખ આપતા હોય છે…– દર્શન, મળવું,વાતો અને પ્રસાદી..
  • ભગવાન નું નિમિષ માત્ર નું દર્શન ….સર્વોપરી છે એના તોલે કઇ ન આવે….એનું સુખ સાંગોપાંગ અનુભવાય છે…જીવ પુરણકામ થઈ જાય છે જ્યારે વિષય નું સુખ તો જે તે ઇન્દ્રિય પૂરતું જ હોય છે…..
  • મોટા પુરુષ ના અંગેઅંગમાં ભગવાન રહ્યા છે…એમના દર્શન માત્ર થી પણ આપણા સંકલ્પ સિદ્ધ થાય…અંતર માં શાંતિ થાય…..દર્શન એકાગ્રતા થી કરવા…મૂર્તિ અંતરમાં ઉતારવી….આડાઅવળા ડોલવું નહિ…..સ્થિર નેત્રો એ …દ્રષ્ટિ ને નિયમ માં રાખી ને ..મનન કરતા કરવું. સારંગપુર-2 ના વચનામૃત માં કુશલકુંવર બાઇ ની જેમ દર્શન કરવા.
  • મુંબઈમાં મહંત સ્વામી મહારાજે , સાત દિવસ ના અલગ અલગ સાત હાર બનાવ્યા હતા….યોગીજી મહારાજે આ સાતેય દિવસ ના હાર નું વર્ણન એક સાથે તાદ્રશ્ય કરી બતાવ્યું હતું…..કેવા દર્શન કર્યા હશે બાપા એ..!! આવી રીતે એકાગ્ર મને દર્શન કરવા ના છે….
  • એકાગ્રતા હોય….દર્શન ની તાલાવેલી હોય…લગની હોય તો દર્શન નું યથાર્થ સુખ આવે છે….મહિમા સાથે દર્શન કરવા થી…..એનું મનન કરવા થી…. દર્શન સુખ સદાય એવું ને એવુંજ રહે છે….
  • મહંત સ્વામી મહારાજ પધારવાના છે ….જગ્યા થોડીક ઓછી છે અને સત્સંગ ઘણો મોટો…માટે નિયમ ની મર્યાદા માં રહી…કાર્યકરો ની સૂચના મુજબ..વ્યવસ્થા જાળવી ને દર્શન નો લાભ લેવો….! નાની મોટી અગવડો જોઈને દર્શન ..સત્સંગ નું સુખ ન ગુમાવવું….મોટું મન રાખી..સ્વભાવ છોડીને…વ્યવસ્થા જાળવી ને આ અમૂલ્ય લાભ લઇ લેવો…

ત્યારબાદ સભામાં જાહેરાત થઈ કે…

  • શતાબ્દી સેવામાં સિવિલ એન્જીનિયરો ની તાત્કાલિક જરૂર છે….કાર્યાલય માં સંપર્ક કરવો
  • સ્વામીશ્રી..1 જૂન શાહીબાગ પધારવાના છે….સાંજે 6 થી 7 સ્વાગત સભા છે…વ્યવસ્થા પ્રમાણે સાથ આપવો…
  • કાર્યક્રમ મુજબ સવારે 6 વાગે આરતી..કથાવાર્તા…બાપા ની પૂજા દર્શન નો લાભ મળશે…સાંજે 6 થી 8 વિદ્વાન સંતો ના મુખે પારાયણ નો લાભ…બાપા ના સમીપ દર્શન નો લાભ મળશે…કાર્યકરો પાસ આપના વારા મુજબ પાસ આપને પહોંચાડશે….પાસ વગર પ્રવેશ મળશે નહીં….તારીખ પ્રમાણે જ પ્રવેશ મળશે….પાસ સાથે પ્રાર્થના પત્ર પણ મળશે…ઘરે થી લખી ને લાવવી…..ભોજન માટે પાસ અનિવાર્ય છે જે મંદિર સામે ના મેદાન માં આયોજન કરેલું છે…
  • જે તે વિસ્તાર ના પરા સભાઓ ચાલુ જ રહેશે…..વિવિધ સેવાઓ ની માહિતી કાર્યકરો દ્વારા આપ ને મળશે….

આજની સભાનો સાર એક જ હતો……..સત્પુરુષ અને ભગવાન ના રાજીપા અર્થે જીવાય એટલું જ જીવન આપણું સફળ જીવન…….! બસ , એ જ સત્પુરુષ અને ભગવાન ની મૂર્તિ ના એકાગ્ર ..સ્થિર મને દર્શન કરી ને અંતર માં સ્થિર કરવા….જેથી એ મૂર્તિ ની અખંડ સ્મૃતિ રહેશે તો ય આપણું કલ્યાણ પાકું…!!

અધ્યાત્મ ગહન શાસ્ત્ર છે, પણ જો ગુરુ ના રાજીપા માં રહેવાશે તો આ શાસ્ત્ર સહજ થઈ જશે….પહેલી નજરે ટાઈમપાસ લાગતી વાતો….જીવ ના મોક્ષનું કારણ બનશે….

સમજતા રહો……એમાં જ સુખ છે….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS વિશિષ્ટ રવિસભા-8/05/2022

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી……. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભારી રાખવા…..

…….. તે શા સારુ જે, કદાપિ દેહ મૂક્યા સમે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિષે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય……….. તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ…….. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.”

વચનામૃત-ગઢડા પ્રથમ 3

આજે અમદાવાદ શાહીબાગ મંદિર નો ષષ્ટિ પૂર્તિ પાટોત્સવ..મહોત્સવ હતો. સાઈઠ..સાઈઠ વર્ષ ના વહાણા વીતી ગયા પણ શાસ્ત્રીજી મહારાજ નો એ જ બળવત્તર સંકલ્પ….યોગીજી મહારાજ નો અમીભર્યો પડકારો….પ્રમુખ સ્વામી મહારાજ નું એ જ ગગનચુંબી કાર્યક્ષેત્ર….આ બેપ્સ ના આંતરરાષ્ટ્રીય વડામથક માં ચારેકોર ગુંજે છે…અને એ જ કાર્ય મહંત સ્વામી મહારાજ દ્વારા જગતભરમાં માં આકાર લઈ રહ્યું છે. શાહીબાગ મંદિર અનેક આવા અદભુત પ્રસંગો નું સાક્ષી છે…અને એનો પાટોત્સવ હોય પછી બાકી શુ રહે?? સવારે પાટોત્સવ ની વિધિ…મહાપૂજા અને અત્યારે અન્નકૂટ અને વિશાળ સભા નો લાભ…પછી વ્યવહારે પાકા અમદાવાદીઓ ખોટ માં શીદ રહે??

સૌપ્રથમ મારા કેસરભીના નાથ ના દર્શન…

સભાની શરૂઆત , પૂ.મધુરકીર્તન સ્વામી, સંતો ના યુવકો ના મુખે સ્વામિનારાયણ ધૂન થી થઈ….અદભુત સ્વરાંકન…!! ત્યારબાદ પૂ.મધુરકીર્તન સ્વામી ના મધુર સ્વરે…જેરામ બ્રહ્મચારી રચિત ” મહેર કરી મારે મંદિરે પધાર્યા…થાળ ભરી મેં તો મોતીડે વધાવ્યા…” પદ રજુ કર્યું. મદ્ધમ… શાંત સ્વરે ગવાતા આ પદ ને જીવ માં સ્થિર કરવા જેવું હતું……ભગવાન જ્યારે આપણે અંતર ના આંગણે પધારે ત્યારે શું વિચારવાનું?? સંકલ્પ વિકલ્પ સમૂળા બંધ થઈ જાય..જીવ એક એનામાં જ સ્થિર થઈ જાય…!! ત્યારબાદ પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના સ્વરે ..ખૂબ જ પ્રસિદ્ધ કીર્તન એવું..મને અતિ પ્રિય એવું….ગોપાળ દાસ રચિત…” એક સમેં અમદાવાદ માં …આવ્યા શ્યામ સુજાણ…” રજૂ થયું અને શ્રીજી મહારાજ અમદાવાદ માં…શ્રીપુરમાં… પધાર્યા ..એ સમો..એ દિવ્ય માહોલ જાણે કે મનોચક્ષુ સમક્ષ ઉભરી આવ્યો……મન એ દર્શન માં ગરકાવ થઈ ગયું……!! અદભુત….! ત્યારબાદ પૂ.વિવેકમુની સ્વામી ના બુલંદ સ્વરે ..” મોરે મંદિર આજ બધાઈ……ગાવો મંગલ માઈ રે…” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું……ઘરઆંગણે આજે મંગલ પ્રસંગ હોય પછી ઉત્સવ માં બાકી શુ રહે??

ત્યારબાદ એક અદભુત વીડિયો દ્વારા ” મંદિર…ઈશ્વર કીપહેચાન” વિષય પર વિશેષ દર્શન સ્મૃતિ નો …મંદિર ના મહિમાનો લાભ મળ્યો…! સાક્ષાત ભગવાન નું જ સ્વરૂપ હોય તેમ મંદિર …આપણા જીવન…આપણા સંસ્કાર….આપણી સંસ્કૃતિ….આપણા અસ્તિત્વ નો એક મૂળભૂત…અભિન્ન હિસ્સો છે….!..એનો મહિમા સમજીએ એટલો ઓછો છે….! એમાંય આપણા બેપ્સ ના મંદિરો તો બ્રહ્મવિદ્યા ની પાઠશાળા ઓ છે……એ પ્રત્યક્ષ છે.

ત્યારબાદ…પૂ.અક્ષર વત્સલ સ્વામી જેવા વિદ્વાન…પ્રખર વક્તા દ્વારા સંસ્થા દ્વારા અમદાવાદ માં ઉજવેલા ઉત્સવો..લીલા સ્મૃતિઓ “શ્રીપુર મધ્યે’ વિષય પર ખૂબ જ રસપ્રદ પ્રવચન નો લાભ આપ્યો…..જોઈએ એનો સારાંશ માત્ર..

  • આજનો દિવસ સમગ્ર સંસ્થા ના હરિભક્તો માટે આનંદ નો ઉત્સવ દિન છે…..
  • બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો શરૂઆત માં , અમદાવાદ ખાતે મંદિર રચવા નો કોઈ સંકલ્પ નહોતો…. જેમ સ્વામિનારાયણ ભગવાન નું અહીં અપમાન થયું અને છતાં વિશ્વ નું પ્રથમ સ્વામિનારાયણ મંદિર અહીં સ્થાપ્યું. અમદાવાદ ની 362 જેટલી પોળો માં શ્રીજી ના પગલાં પડેલા છે….નાના મોટા અનેક દરવાજાઓ..બારીઓ…દેરા ઓ માં શ્રીજી ના પગલાં પડ્યા છે…..તેમ શાસ્ત્રીજી મહારાજે અહીંના મંડળ ના સ્નેહ…સમર્પણ ના લીધે…અહીં જ સર્વ પ્રથમ સમાધિ પ્રકરણ શરૂ કરેલું…..ભર સભામાં સમાધિ કરતા હરિભક્તો ને જોવા..અનેક વિદ્વાનો …અંગ્રેજો…છાપા વાળા અહીં આવતા.
  • બબુકાકા જેવા પરમ ભક્ત અને એવા સમર્પિત ભક્તો ની મંડળી થી શાસ્ત્રીજી મહારાજ ખૂબ રાજી થયા…એમનો સંકલ્પ પૂર્ણ કરવા…અમદાવાદ માં મંદિર રચવા નો કોલ આપ્યો….બંગલા ની જમીન લીધી….યોગીજી મહારાજે અહીં મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી. લાડુ વાળા લાલજી મહારાજ ની મૂર્તિ પૂ.બ્રહ્મપ્રકાશ સ્વામી ના પૂર્વશ્રમ ના દાદા લઈ આવેલા…એની પ્રતિષ્ઠા શાસ્ત્રીજી મહારાજે કરેલી અને મંદિર ની શરૂઆત ત્યાં થી થઈ ગયેલી.
  • ઈચ્છા શક્તિ..યોજના શક્તિ…ભગવાન ની શક્તિ..ભેગી થાય…સમન્વય થાય ત્યારે અશક્ય કર્યો શક્ય થાય. પ્રમુખ સ્વામી મહારાજ આનું જીવંત સ્વરૂપ હતું…..અનેક વિપરીત પરિસ્થિતી ઓ વચ્ચે પણ સ્વામી એ અનેક મોટા ઉત્સવો પાર પાડ્યા….અદભુત..!!
  • સ્વામિનારાયણ ભગવાન દ્વિશતાબ્દી મહોત્સવ, ગુણાતીત દ્વિશાતાબ્દી મહોત્સવ…જેવા ખૂબ મોટા ઉત્સવો તો અનામત આંદોલન ની જ્વાળા ઓ વચ્ચે સફળતા પૂર્વક…શાંતિ થી સંપન્ન થયા….આંદોલનો…દુષ્કાળ…….છતાં પણ મહા ઉત્સવો થયા…એની પાછળ ભગવાન નું સંત દ્વારા પ્રગટ પણુ દેખાય છે…
  • યોગી શતાબ્દી ઉત્સવ ..જેવા ઉત્સવ પણ…અત્યંત ધામધૂમ થી થયા….આ ઉત્સવો….પ્રેરણા ..ભક્તિ અને સમર્પણ ના પ્રતીક બન્યા….અનેક લોકો ના જીવન બદલાયા…..
  • આવા ઉત્સવો થી લોકો ને શાંતિ…વ્યસનમુક્ત…ધર્મ સંસ્કાર યુક્ત જીવન જીવવા ની પ્રેરણા મળી. આપણી સંસ્થા ના સ્વયંસેવકો તો સર્વોપરી છે…..આવા ઉત્સવો માં સ્વયંસેવકો એ પોતાનું તન મન ધન….સમય સર્વસ્વ અર્પણ કરી…સમર્પણ નો અતુલ્ય દાખડો બેસાડ્યો….એવી જ રીતે સંતો નું સમર્પણ પણ સર્વોપરી છે…સમગ્ર જીવન ..ગુરુ અને ભગવાન ને સમર્પિત કરી ને જીવી જવાની વાત ખૂબ જ અઘરી છે….
  • આવા ઉત્સવો…પ્રબળ ઈચ્છા શક્તિ….ભગવદ શક્તિ નું જ પરિણામ છે….આવા ઉત્સવ તો જીવ ને અંતકાળે સાંભળી આવે તો જીવ નું કલ્યાણ કરે તેવા છે…અને એટલા માટે જ ગુણાતીત પુરુષો …જીવ ના કલ્યાણ માટે આવા ઉત્સવો ની યોજના કરે છે…..આયોજન કરે છે……
  • આવનારો શતાબ્દી ઉત્સવ અનેક જીવો ના કલ્યાણ નું નિમિત્ત બનશે….વિશેષ બળ માટે , સ્વયં ગુરુહરી મહંત સ્વામી મહારાજ 3 જી જૂને અમદાવાદ પધારવા ના છે….સતત અઢી થી ત્રણ માસ સુધી અહીં રોકાઈ ને ..અનેક ઉત્સવો નો લાભ આપણ ને આપવાના છે…..લાભ લઇ લેવો…

ત્યારબાદ…શ્રીપુર મધ્યે…જે જે ઉત્સવો અહીં ઉજવાયા તેના વીડિયો દર્શન નો લાભ મળ્યો…! અદભુત દર્શન….સ્મૃતિ…!! સાથે સાથે આવનારા શ્રી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહા ઉત્સવ માં શુ લાભ મળશે? તેની ઝાંખી પણ સર્વ ને પ્રાપ્ત થઈ…! બસ ..હવે તો આ ઉત્સવ ની જ પ્રતીક્ષા છે….

પૂ.ઇશ્વરચરણ સ્વામી એ પોતાના આશીર્વચન નો લાભ આપતા કહ્યું કે…આ બધા ઉત્સવો આયોજન….ભગવાન અને સંત નો પ્રતાપ છે. બાપા તો આવા આયોજનો પાછળ ભગવાન ની સાથે સાથે આપણી વચ્ચે રહેલા સંપ..સુહ્ર્દભાવ અને એકતા છે , તેમ કહેતા. આવા ઉત્સવો છેક શ્રીજી મહારાજ ના સમય થી ચાલતા આવે છે….જીવ માત્ર નું કલ્યાણ થાય…એ જ ભાવના આવા ઉત્સવો પાછળ રહેલી છે….આપણે સૌએ સારામાં સારી સેવા કરવાની છે….સેવા ચાલુ થઈ ગઈ છે…સૌએ તૈયાર થવાનું છે…. મોટા પુરુષ ની આજ્ઞા પાળી ને એમને રાજી કરવાના છે…આવા ઉત્સવો માં સેવા ની સ્મૃતિ રહેશે તો જીવ માં સદાય શાંતિ રહેશે.

પ્રમુખ સ્વામી શતાબ્દી ઉત્સવ માં બાળકો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન શરૂ થવાનું છે….300 થી વધુ બાળકો ના ગ્રૂપ( એક ગ્રૂપ માં 4 બાળક) લાખો લોકો નો સંપર્ક કરશે. …અદભુત…અદભુત…!

ત્યારબાદ પૂ.અક્ષર વત્સલ સ્વામી એ ટૂંકી જાહેરાત કરતા કહ્યું કે- એક અફવા ફરે છે કે શિક્ષાપત્રી માં કહ્યું છે કે પટેલો મનુસ્મૃતિ પ્રમાણે શુદ્ર હોવાથી તિલક ચાંલ્લો ન કરવો……આ અફવા હાસ્યાસ્પદ છે. આપણે તો બધા બ્રહ્મ સમાજ ના જ છીએ…કોઈ નાત જાત માં માનતા નથી….બ્રહ્મ નું આચરણ કરનારા આપણે બધા બ્રહ્મ જ છીએ…….સ્વામિનારાયણ સંપ્રદાય …સ્વામિનારાયણ ભગવાન નો પોતાનો છે..કોઈ જાતિ નો નથી….બધાનો …છે….!!!.આવી અફવાઓ પ્રત્યે ધ્યાન ન આપવું.

આજની સભાનો એક જ સાર હતો…….મોટા પુરુષ અને ભગવાન ના આયોજન અલગ જ હોય છે….આપણે એને સમજવા માટે હજુ પાત્ર થયા નથી….બસ જીવનું સુખ જોઈતું હોય તો એમની આજ્ઞા મુજબ જોડાઈ જવું…સારધાર વર્તવું…..આવા ઉત્સવો…લીલા સ્મૃતિઓ જીવ માં દ્રઢ કરી લેવી…..સેવા કાર્ય ની ..ઉત્સવો ની સહેજ પણ સ્મૃતિ જો અંતકાળે રહેશે તો પણ આપણું કલ્યાણ પાકું….!

શ્રીજી જે કરતા હશે તે જીવ માટે સારું જ હશે….સર્વોપરી જ હશે….બસ એની દ્રઢ પ્રતીતિ કરો..

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…….

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા- 12/12/21

વંદન… વંદન… વંદન કરીએ સ્વામી

વંદન કરીએ કરોડો કરોડો, સ્વામી ચરણોમાં,

નમસ્કાર કરીએ કરોડો, પ્રમુખસ્વામી ચરણોમાં…

ભવથી અમને ઉગારવાને, આપે ધર્યો અવતાર,

શત શત જીવજો, શરદ હે સ્વામી, સહુના છો આધાર,

આતમના અમ દીપ જલાવી, વસજો અંતરમાંય, હો સ્વામી,

  … નમસ્કાર ૧

પ્રમુખસ્વામીજી ઋણ આપનું, અગણીત અપરંપાર,

પ્રાણ અમારા પાથરીએ તોયે, તોલે ના’વે લગાર,

તવ રાજીપો સંપ સુહૃદભાવ, સેવા સમજણમાંય,

  … નમસ્કાર ૨

અરજ અમારી સુણજો હે સ્વામી, કરજો અક્ષરરૂપ,

નિર્દોષબુદ્ધિ ભક્તિ દેજો, સહુનો મહિમા અનૂપ,

અંત સમે અમ હાથ ગ્રહીને, લેજો અક્ષરમાંય, હો સ્વામી,

—-પૂ.અક્ષરજીવન સ્વામી

સભા આજે અડધા અમદાવાદ માટે પ્રત્યક્ષ અને બાકીના અડધા માટે વિવિધ સંસ્કાર ધામો માં ઓનલાઈન હતી. ગઈકાલે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની 100 મી જન્મજયંતી ચાણસદ તીર્થસ્થાને વર્ચ્યુઅલ રિયાલિટી સાથે ધામધૂમ થી ઉજવાઈ….અને એના જ પડઘા આજની સભામાં હતા…..સૌપ્રથમ દિવ્ય દર્શન મારા વ્હાલા ના…

સભામાં યુવક મિત્રો અને સંતો દ્વારા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નો મહિમા ગાતા કીર્તન…..રજૂ થયા……બધા અદભુત પદ….!! બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી.મહારાજ નું સમગ્ર જીવન જ એક કીર્તન સમ હતું…..વચનામૃત નું જીવંત સ્વરૂપ હતું…..એમની એક એક પળ…ભગવાન માટે..એમના હરિભક્તો માટે કૃષ્ણાર્પણ હતી….!!

ત્યારબાદ ભાગવત માં પુરુષોત્તમ ભગવાન ના 39 ગુણ વર્ણવ્યા છે . તે પૈકી અમુક ગુણો પર વિવિધ સંતો ને મનોનીય પ્રવચન નો લાભ આપ્યો….જોઈએ ગુણ મુજબ સારાંશ…

1. કરુણા સાગર પ્રમુખ સ્વામી મહારાજ- પ્રવચન કાર પૂ. પરમ નંદન સ્વામી….

  • ભાગવત અને ભગવાન સ્વામિનારાયણ ના પોતાના જે કરુણા ના ગુણ હતા ..તેવા જ ગુણ પ્રમુખ સ્વામી મહારાજ માં દેખાય છે…
  • દુષ્કાળ હોય કે ઉતારા નજીક સરોવર માં તરતા બતક હોય…પુર હોય…ભૂકંપ હોય કે વાવાઝોડું….કે કોમી રમખાણો હોય…સર્વે જીવો ના સુખાકારી…ભોજન અને શાંતિ માટે બાપા એ પોતાની જાત ને ઘસી નાખી. વ્યસન મુક્તિ માટે યુવકો ને સમય જોયા વગર સતત પ્રયત્ન કરતા રહેતા.
  • જીવમાત્ર ના લૌકિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે મંદિરો, સંતો અને પોતાના પ્રગટ પ્રમાણ એવા મહંત સ્વામી મહારાજ ની ભેટ આપી….

ત્યારબાદ સ્વામી બાપા ના કરુણા સભર ગુણ ના દર્શન કરાવતો એક અદભુત વીડિયો રજૂ થયો…..!! સ્વામી …કરુણા અપરંપાર…!!…રાત દિવસ ન જોયા આપે….વર્ષા હોય કે ટાઢે તાપે….દેહ તણી તમાં ન રાખી…સ્વામી વિચર્યા અપરંપાર…!!! આટલી ઉંમરે…આટલી બધી વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ..આવું અતિ કઠિન વિચરણ ..કદાચ કોઈ સામાન્ય મનુષ્ય દ્વારા શક્ય જ નથી…!!!!!

2. બુદ્ધિમત્તા…બુદ્ધિ સાગર પ્રમુખ સ્વામી મહારાજ- પૂ. હરીનારાયણ સ્વામી

  • ગાંધીનગર અક્ષર ધામ ની ડિઝાઇન માં સ્વામી એ જે સૂચન આપેલું તેના લીધે અક્ષરધામ આજે સૌને આકર્ષે છે…..
  • સ્વામી ની વ્યવહાર કુશળતા…તર્ક શક્તિ…અનુમાન શક્તિ અદભુત હતી….કોઈ વ્યક્તિ ને એક નજરે જોઈ એના મનમાં શુ છે…એ સ્વામીશ્રી સહજ પારખી જતા….
  • અદભુત નિરીક્ષણ શક્તિ….એક નજર માં બાંધકામ માં કોઈ ભૂલ હોય તો સ્વામી ને નજરે આવી જાય…!! અતુલ્ય યાદશક્તિ…હરિભક્તો ની પેઢી ઓ ની પેઢી ઓ …સંબંધો….ગામ પરિવાર બધું યાદ રહેતું. સામે વાળો તો આટલી ઉંમરે સ્વામી ની યાદ શક્તિ જોઈ ઘા ખાઈ જતા…
  • સ્વામી એટલે શાંતિ નો સાગર….ડો.આર કે લક્ષ્મણ ને આનો અનુભવ દિલ્હી અક્ષરધામ દર્શન વખતે થયેલો…

3. ભક્તિ સાગર પ્રમુખ સ્વામી મહારાજ- પૂ.દિવ્ય કિશોર સ્વામી

  • સ્વામીની વાતો -૩/૬૫ માં કહ્યું છે કે …સત્પુરુષ ને એક પળ પણ ભગવાન નું વિસ્મરણ થતું નથી. કોઈ પણ ક્રિયા હોય….સ્વામીશ્રી ના મન માં તો એક ભગવાન જ હોય…
  • ગમે તેવું સ્વાસ્થ્ય હોય…સર્જરી હોય….બીમારી હોય ..એમા પણ સ્વામીશ્રી ને હરપળ એક ભગવાન ની જ ચિંતા થતી…..ભોજન હોય કે નવા ચશ્માં…સર્વ પ્રથમ ઠાકોરજી ને જ અર્પણ કર્યા બાદ એનો ઉપયોગ થતો….
  • એમના માટે હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ એટલે સાક્ષાત મહારાજ…..એકમાત્ર ભગવાન ની જ વાસના….એમની સેવા ની નાના માં નાની વાત …સ્વામીશ્રી ધ્યાન રાખતા. એમની મર્યાદા સદાયે જાળવતા….
  • ભગવાન નો મહિમા ગાવા નો એમને સદાયે તાન રહેતો….નિર્જળા ઉપવાસ હોય છતાં ભગવાન ના કથા કીર્તન કલાકો સુધી કરતા…..દેહ તો એક શ્રીજી ની પ્રસન્નતા અર્થે કૃષ્ણાર્પણ કરી દીધેલો…..!!!!

ત્યારબાદ પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે…( જોઈ એ સારાંશ)

  • સ્વામીશ્રી સદાયે નિઃસ્વાદી…. સરળ..સહજ…તદ્દન નિર્માની. અત્યંત શાંત વ્યક્તિત્વ, એમની પોતાની જન્મજયંતી કોઈ ઉજવે..એ ન ગમે ……પણ કેવળ ગુરુઆજ્ઞા એ કરી ને જ જન્મજયંતી માં સન્માન સ્વીકારતા…
  • હરિભક્તો…સંતો ને રાજી કરવાનો ખૂબ જ ઉત્સાહ…એ કોઈ રાષ્ટ્રપતિ ને મળે કે કોઈ સામાન્ય વ્યક્તિ ને…પણ બધા પ્રત્યે સરખો જ સ્નેહ રાખતા…..
  • બાપા એ આપણ ને અખંડ..અનંત સુખ આપ્યું છે….એમનો મહિમા આપણે દુનિયામાં પ્રસારાવવા નો છે….એ જ આપણી મોટી સેવા…..

સભાને અંતે ….બાપા ની સ્વાગત યાત્રા રૂપે યુવકો…હરિભક્તો દ્વારા એમની મૂર્તિ ને ધામધૂમ સાથે સભાગૃહ માં વધાવવા માં આવી….સમગ્ર સભા આ સ્વાગત ઉત્સવ માં ઉલ્લાસ ..ઉત્સાહ થી જોડાઈ…..!! આવનારું વર્ષ …અમદાવાદી હરિભક્તો માટે શતાબ્દી ઉત્સવ વર્ષ તરીકે ઉજવાશે…..આ તો એની શરૂઆત માત્ર હતી….!! અંતે બાપા ની મૂર્તિ ને ભવ્ય રીતે સ્ટેજ પર બિરાજમાન કરાવવા માં આવી જેથી સૌ હરિભક્તો પુષ્પાંજલિ દર્શન નો લાભ પ્રાપ્ત કરી શકે.

આજની સભા નો એક જ વિચાર….એક જ સાર….આપણી પ્રાપ્તિ …આપણા ઇષ્ટદેવ…આપણા ગુરુ સર્વોપરી છે….બસ હવે તેને હૃદય માં દ્રઢ કરવાની છે…..બાપા નો મહિમા જન માત્ર સુધી પહોંચાડવા નો છે…..સર્વે ને આત્યંતિક કલ્યાણ નો માર્ગ બતાવી ને આ જનમારો સફળ કરવાનો છે….

વાલમ વધામણાં હો…..સ્વામીને હરખે વધાવીએ….

જય સ્વામિનારાયણ

રાજ