Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-03/03/24

શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

“સત્સંગમાં દૃઢ પાયો કેનો થાય ને કેનો ન થાય?” પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો, ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, “જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિક સર્વેમાંથી પણ ગુણ લીધા……

એવી રીતે….. સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દૃઢ પાયો થાય છે, અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દૃઢ પાયો નથી.”

વચનામૃત-લોયા-5

આજે અમદાવાદ માં ગઈકાલ ના માવઠા ની અસર રૂપે વાતાવરણ ઠંડુ હતું…….જીવન માં આમ જ માવઠા અને તડકા છાયા આવ્યા કરે છે…અનિશ્ચિતતા વચ્ચે પણ જો જીવ નું કલ્યાણ નિશ્ચિત કરતું હોય તો તે છે સત્સંગ છે…..ભક્તિ:કૃષ્ણસ્ય સર્વદા….એમ જગત નો નાથ શિક્ષાપત્રી માં કહી ગયો છે…..માટે જ અહીં હરપળ ભક્તિ..જ્ઞાન..ધર્મ અને વૈરાગ્ય યુક્ત સત્સંગ છે અને જીવ નું કલ્યાણ નિશ્ચિત છે…..એ જ સત્સંગ ને વધાવવા આજે રવિસભા માં સમયસર આવી ગયા…..સૌપ્રથમ મારા વ્હાલા ના નેણભરી…હૃદય ભરી ને દર્શન…..

સભાની શરૂઆત સ્વામિનારાયણ ધૂન થી થઈ……અને સભા આ લય માં જોડાઈ પછી એક યુવક દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત ” પ્યારી લાગે છે તારી…..” પદ રજૂ કર્યું……ભગવાન નું સર્વે દિવ્ય છે…રુચિરં છે…..પ્રેમભીનું છે……એ પછી અન્ય એક યુવક દ્વારા ” લાગી રે લગન મને સ્વામી તારા નામ ની……”…પદ રજૂ કર્યું…..જો સત્પુરુષ માં આમ જ દ્રઢ પ્રીતિ થાય તો ભગવાન ની પ્રાપ્તિ સહેજે છેટે નથી……બસ આ બ્રહ્મ સત્ય સમજી રાખવું…..! એ પછી મિત્ર જૈમીન દ્વારા ” ભગવાન સૌનું ભલું કરો….ભગવાન ભજી લેવા…” પદ રજૂ થયું……બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ના જીવન કવન નું આ પદ એમના ગુણાતીત કરુણા ના દર્શન કરાવે છે. સૌનું ભલું થાજો…એ જ પ્રાર્થના એમના જીવન માં સદાય વણાયેલી હતી….અને એ જ રીત એમના જીવન ની હતી. આપણા ગુરુ આવા તો આપણે કેવા થાવું???એ વિચારી લેવું……..

એ પછી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ નાદુરસ્ત સ્વાસ્થ્ય ને લીધે અમદાવાદ યોગીજી મહારાજ હોસ્પિટલમાં આરામ માં છે…એમના 28 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી ના દર્શન નો લાભ વીડિયો દર્શન દ્વારા મળ્યો….

આટલી મોટી ઉંમરે …નાદુરસ્ત સ્વાસ્થ્ય વચ્ચે પણ સ્વામીશ્રી ની ભક્તિ જુઓ……એ જ સ્થિરતા.. એ જ ભક્તિ ભાવ……!!! અદભુત…..!!

એ પછી સ્વયં શ્રીજી ની વાણી સ્વરૂપ એવા વચનામૃત લોયા -5 ના નિરૂપણ નો લાભ પૂ. વિવેકમુની સ્વામી જેવા વિદ્વાન…બુલંદ સ્વર ના વક્તા દ્વારા મળ્યો…..જોઈએ સારાંશ….

  • આ સત્સંગ જીવ ના જન્મ મરણ ના રોગ ને ટાળે એવો છે……ગુણાતીત તો છડેચોક કહે છે કે અમારો જન્મ જ આવા સત્સંગ થકી આ રોગ ને ટાળવા થયો છે…..શ્રીજી મહારાજ તો કહે છે કે જીવ એક દિવસ નો સત્સંગ કરે તો ય લખ ચોરાસી ટળી જાય છે…..આ સત્સંગ સુખદાયક છે….અને આપણો એક જ સંકલ્પ છે….અક્ષરધામ …! એ પ્રાપ્ત કરવા સત્સંગ અનિવાર્ય છે…..
  • ગુણાતીત સ્વામી કહે છે કે બીજે જે કાર્ય…કલ્યાણ એક કલ્પે થાય તે અહીં એક દિવસ માં થાય……અહીં સત્સંગ એ સત્પુરુષ નું શરીર છે…જો જીવ ને સત્સંગ માં ગુણ લેવા નો સ્વભાવ હોય તો તે અચૂક બ્રહ્મરૂપ થાય…..ગુણ લીધા નો સ્વભાવ હોય તો આપણા માં ગુણ ની વૃદ્ધિ થાય…આપણું અંતર સદ્ગુણો થી ભરાઈ જાય….માટે જ સદાય ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી…..
  • દરેક વ્યક્તિ માં કૈક તો સદગુણ હોય જ છે…જો એ ગુણ પરખતા અને ગ્રહણ કરતા આવડે તો જીવન સફળ થઈ જાય…..આપણે બંધ આંખે પણ શ્રેષ્ઠ વસ્તુ જ લઈએ છીએ..તો ખુલ્લી આંખે અને ખુલ્લી સમજણે સારા ગુણ કેમ ન લઈએ??? …કયારેક કોઈના ગુણ ચાહી એ છતાં દેખાય નહીં તો વચનામૃત ગ.પ્ર.24 મુજબ એ જીવના સત્સંગ નો ….તેનો ભગવાન નો યોગ થયો છે તેથી તેના પુણ્ય નો પાર નહીં…તેમ વિચારી ને તેનો ગુણ લેવો…..No negativity in satsang ….એમ બાપા એ કહ્યું હતું.
  • જો અવગુણ લેવા નું શરૂ થાય તો તે વધતો વધતો સત્પુરુષ અને ભગવાન ના અભાવ સુધી પહોંચે અને જીવ સત્સંગ માં થી પડી જાય…..માટે જ સત્સંગ માં સદાય ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી…..

એ પછી પૂ.દિવ્ય કિશોર સ્વામી અને યુવકો ના મધુર સ્વરે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત “ભાગ્ય જાગ્યા રે આજ …જાણવા….” પદ રજૂ થયું…….. બ્રહ્મ સત્ય….!! આપણા પુણ્યો નો પાર નથી….અનંત જન્મો ના પુણ્યો સફળ થાય ત્યારે આવો સત્સંગ…આવા સત્પુરુષ….આવા ઇષ્ટદેવ સાક્ષાત મળે……પ્રાપ્તિ ના મહિમા નો કોઈ પાર ન કહેવાય….કારણ કે જ્યાં આપણો હાથ સ્વયં શ્રીજી એ ગ્રહયો છે……!!!!! વાત સમજવી અઘરી છે પણ સમજો તો આ બ્રહ્મ સત્ય સમજાય…..!!!

એ પછી સભામાં ઉપસ્થિત સદગુરુ પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પોતાના પ્રસંગોચિત આશીર્વચન માં કહ્યું કે…(જોઈએ સારાંશ માત્ર) – યોગીબાપા ની પ્રિય વાત હતી…સ્વામી ની વાતો ની 4/136 ની વાત-

“…ભગવાનના ભક્તના ગુણ કહેવા; તેમાંથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય, ને એમાં દાખડો કાંઈ પણ ન મળે, એમ કરવાનું કહ્યું, પણ ફલાણો આવો ને ફલાણો આવો, એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા ને તેનું આપણે શું કામ છે?……. ને કોઈને નહિ સમજાતું હોય તો વળી આગળ સમજાશે; તેની શી ઉતાવળ છે? ને ક્યાં ભાગી જાય એમ છે? પણ કોઈના દોષ ન કહેવા…… તેમાં લવા ને બાદશાહની દાઢીનું દૃષ્ટાંત દીધું, તે મુખ્ય માથે લેવું…….”

….માટે જ સત્સંગ માં આવ્યા છીએ તો ગુણ જ ગ્રહણ કરવા….તો જ છૂટકો છે. સત્સંગ માં અવગુણ લીધા કરતા હોય તો તે અર્ધ બળેલા કાષ્ઠ ની જેમ અંતર માં ધૂંધવાયા કરે અને અંતે સત્સંગ માં થી પડી જાય……શુભ વાસના વાળો જીવ સર્વે ના ગુણ જ લે…..મહિમા જ સમજે…..અને એ જ સત્સંગ માં આગળ વધે….આપણા ગુરુઓ એ એ જ કર્યું છે….કોઈનો અવગુણ લીધો જ નથી…જાગા સ્વામી કહેતા કે પારકી ક્રિયા…પારકો આકાર ..પારકા દોષ કયારેય ન જોવા……! સત્સંગ માં દાસાનુદાસ….નાના માં નાના થઈને રહેવું……એમ કૃષ્ણજી અદા કહેતા….! દરેક નો મહિમા સમજવો…..શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ અક્ષર પુરુષોત્તમ ના મહિમા ની વાત મારે માથે બેસી ને કરે તો ય મંજુર છે…..!  સંત તુકારામ…સંત એકનાથ…વગેરે સંતો ના આખ્યાન ..પ્રસંગો આપણ ને ખબર જ છે. તેમની ગુણ ગ્રાહક દ્રષ્ટિ ને લીધે જ એ ભક્તિ માં મોટેરા થયા….સત્સંગ નો ખપ હોય પણ જો કોઈ સત્સંગી નો અવગુણ લેતા હોય તે જીવ અભાગી છે….! ભગવાન ના ભક્ત નો કોઈ અવગુણ લે તો સ્વામી ને એ ગમે નહીં…..સત્સંગ ના ગુણ આવે તો નમ્રતા આવે….દાસભાવ આવે…..અને એ દેખાય…અને તો જ સત્સંગ કર્યો કહેવાય….!!આ વાત નું સદાય જાણપણું રાખવું……

અદભુત વાત…..!!! એ પછી પ.પૂ ડોક્ટર સ્વામી એ  લખેલ …જગતપુર મંદિર ના નિર્માણ માટે ની બાળ બાલિકા ભક્તો ની સેવા માટે ની પ્રેરણા આપતો પત્ર રજૂ થયો…..એ પછી રાયસણ ગુરુકુલ માં ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓ નું જાહેર સન્માન થયું.

આજની સભાનો એક જ સાર હતો કે- આ સત્સંગ ની પ્રાપ્તિ અનંત જન્મો ના પુણ્ય ફળીભૂત થયા હોય તો જ થાય…..માટે જ સત્સંગી માત્ર દિવ્ય છે…..સર્વે ના ગુણ જ લેવા…કારણ કે આપણે સત્સંગ માં ટકવું છે…..આગળ વધવું છે……છેવટે તો આપણે સત્સંગ માં બ્રહ્મરૂપ થવા જ આવ્યા છીએ…બરોબર ને…!!!!

અહીં તો જે દાસાનુદાસ થાય તે જ મોટેરો થાય…….!! અધ્યાત્મ ની આ જ રીત છે……સમજી રાખો…..

સર્વે ને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ…..

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS રવિસભા -25/02/24

“પાંદડે પાંદડે સ્વામિનારાયણ નું ભજન થાશે…….”

— અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

ગઈ સભામાં સામાજિક પ્રસંગે હોવાથી રવિસભા ચૂકી ગયો…આ રવિવારે તો અમદાવાદ ને આંગણે પ્રત્યક્ષ સત્પુરુષ ની દિવ્ય હાજરી અને સત્સંગ નો એજ કેસર ભીનો માહોલ…..પછી હૈયું હાથ કઈ રીતે રહે…..!!!!સમયસર પહોંચી ને સર્વ પ્રથમ મારા વ્હાલા ના જીવ ભરી ને દર્શન…..ચાલો એનો  ગુલાલ…કરીએ…

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઇ……મન એકતાર થઈ ગયું….પછી એ જ અલબેલા ને અંતર ને દ્વાર સત્કારવા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી નું પદ “આજ મે તો દીઠા રે અલબેલો આવતા રે લોલ….” એક યુવક મિત્ર ના સ્વરે રજુ થયું…….અને એ જ તેજસ્વી…. લટકંતી ચાલ… એ જ હાથ માં રૂમાલ લઈ ને ચાલતા શ્રીજી ની મૂર્તિ મનોચક્ષુ સમક્ષ છવાઈ ગઈ…..!અદભુત…અદભુત…..! એ પછી મિત્ર જૈમિન દ્વારા અબુ ધાબી ના નવીન..ભવ્ય મંદિર ની પ્રશસ્તિ ..મહિમા ને રજુ કરતું એક પદ “અબુ ધાબી મંદિર ગાથા સૌ સુરમુની ગા રહે…” રજુ થયું……!ખૂબ જ ભવ્ય મંદિરો.. એ માત્ર શિલ્પ કળા ના સ્થાપત્ય નથી પણ બ્રહ્મ જ્ઞાન ની વિદ્યાપીઠ છે…. એ બાપા ના વચનો આજે સુપેરે સ્પષ્ટ દેખાય છે. લાખો જીવો ના કલ્યાણ નો માર્ગ સહજ થયો એ આજે દેખાય છે.

એ પછી તારીખ ૧૭-૧૯ ફેબ્રુઆરી, અબુ ધાબી ભવ્ય મંદિર ખાતે ગુરુ મહંત સ્વામી મહારાજ ના દિવ્ય વિચરણ ના દિવ્ય દર્શન નો લાભ એક વિડિયો ના માધ્યમ થી મળ્યો…..

એ જ સત્પુરુષ આજે અમદાવાદ માં બિરાજમાન છે….એમના આગમન અને સ્વાગત નો વિડિયો દર્શન રજુ થયા….

અદભુત દર્શન…..!!

ત્યારબાદ, આપણી સંસ્થા ના સદગુરુ સંત અને આંતરરાષ્ટ્રિય સંયોજક પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ અબુધાબી મંદિર ની સ્થાપના અંગે વાત કરતા કહ્યું કે.(સારાંશ માત્ર) …..1997 માં પ્રમુખ સ્વામી મહારાજ અહી પધારેલા અને રણ પ્રદેશ માં વિચરણ દરમ્યાન અહી ભવ્ય મંદિર બને એવો સંકલ્પ કરેલો. આરબ દેશો માં ઇસ્લામિક નિયમો ચાલે અને જાહેર માં અન્ય ધર્મ ના નિયમો..પૂજા કરવા ખૂબ જ અઘરા હતા…..ત્યાં રહેતા હરિભક્તો અને ગુણભાવી ભક્તો ની ઈચ્છા અહી મોટું મંદિર બને તેવી હતી….સત્પુરુષ ના સંકલ્પ….શ્રીજી ની મરજી અને સંતો હરિભક્તો ના અથાક પરિશ્રમ…ત્યાંના શાસકો ની અમૂલ્ય સહાય…આપણી ભારત સરકાર ની સહાય થી આ સ્વપ્ન સાકાર થયું. 27 એકર જમીન ત્યાંના શાસકો દ્વારા  મળી અને કામ થયું…. એ પણ શિખરબદ્ધ મંદિર ની ડીઝાઈન પાસ કરી….સર્વે ના સંકલ્પ મુજબ આ કમળ ખીલ્યું….! રણ મા solid rock foundation… મજબૂત ખડક માત્ર 3 મીટર ની ઊંડાઈ એ મળ્યા…જે ચમત્કાર જ કહેવાય….જેની પર સમગ્ર મંદિર આજે  ઉભુ છે. અનેક નિષ્ઠાવાન કાર્યકરો હરિભક્તો એ પોતાની દેહ…સંસાર…નોકરી ધંધા ની પરવા કર્યા વગર એમાં સેવામાં જોડાઈ ગયા…..અને જે મંદિર બનાવવા મા વર્ષો લાગે એ જ કાર્ય ખૂબ જ ટૂંકા સમય માં બની ગયું.વિશાળ હોલ, સંત ઉતારો, વેલકમ સેન્ટર, વિશાળ પાર્કિંગ, પ્રેમવતી વગેરે અહી છે….શુદ્ધ સનાતન હિન્દુ ધર્મ નું આ મંદિર છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ પણ આ મંદિર જોઈને ખુબ જ રાજી થયા….જોડે આવેલા મંત્રીઓ, અમલદારો, આમંત્રિત મહેમાનો સર્વે ખૂબ જ રાજી થયા….આવું શિલ્પકળા, વૈદિક સ્થાપત્ય યુક્ત ભવ્ય મંદિર આરબ ઈતિહાસ મા કદાચ પ્રથમ જ છે. ત્યાંના રાજા અને અધિકારીઓ નો ખુબ જ સહયોગ રહ્યો….સૌ રાજી થયા અને સત્પુરુષ ના સંકલ્પ અનુસાર ભવ્ય મંદિર બન્યું….દોઢસો સંતો અને અહી ના હજારો હરિભક્તો ની હાજરી વચ્ચે ભવ્ય ઉદઘાટન થયું. મોટા પુરુષ અને ભગવાન ના સંકલ્પ મુજબ સમગ્ર વિશ્વ માં આજે ડંકા વાગે છે…..બસ , આપણે એમની આજ્ઞા અનુસાર ઉપાસના ભક્તિ માં દ્રઢ રહીએ…..

એ પછી સંસ્થા ના પ્રખર વક્તા અને અતિ વિદ્વાન સંત પૂ. અક્ષર વત્સલ સ્વામી એ અબુ ધાબી મંદિર વિશે વિશેષ માહિતી આપી….જોઈએ સારાંશ…

  • જ્યાં ઇસ્લામ સિવાય બીજા ધર્મ ની ચર્ચા કરવી પણ એક જમાના માં અઘરી હતી ત્યાં આજે મહારાજ ના સંકલ્પ અનુસાર ભવ્ય મંદિર બન્યું છે…..અહી ડંકા વાગ્યા અને બીજે બધે પણ હવે ડંકા વાગતા જ રહેશે. ગઈકાલે જ સમાચાર મળ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ અને અક્ષર પુરુષોત્તમ મહારાજ nasa દ્વારા ચંદ્ર પર પહોંચી ગયા…..!!!આવા તો અનેક ડંકા….સત્પુરુષ અને મહારાજ ના સંકલ્પ અનુસાર વાગતાં જ રહેશે….!! આ બધું કેવળ ભક્તિ ની શક્તિ થી…એમના સંકલ્પ અનુસાર થાય છે.
  • નાના બાળક થી માંડી ને વયોવૃદ્ધ હરિભક્તો માં સત્પુરુષ દ્વારા એવી નિષ્ઠા પ્રગટી છે કે સૌ કોઈ સત્સંગ ની સેવા મા સ્વયમ જોડાઈ જાય છે. અહી કેવળ ભક્તિ નો જ વિસ્તાર છે….નાના માં નાના હરિભક્તો ની ભક્તિ..શ્રધ્ધા નો ચમત્કાર છે. ભગવાન સ્વામિનારાયણે જીવ માત્ર ના કલ્યાણ માટે સહજ ..સહેલા માર્ગ આપ્યા….ભગવાન માં દ્રઢ પ્રેમ જેવા સહજ માર્ગ થી સર્વે શાસ્ત્રો નો સાર આપ્યો……નરસૈંયો..મીરાબાઈ…જેવા ભક્તો ભગવાન માં દ્રઢ પ્રીતિ થી તરી ગયા……ભગવાન પ્રેમીજનો ને વશ છે…..આપણા સંપ્રદાય માં ભગવાન સ્વામિનારાયણ અને હરિભક્તો સંતો ના વચ્ચે સ્નેહ ..પ્રીતિ ના અનેક ઉદાહરણ છે. પ્રેમાનંદ સ્વામી..બ્રહ્માનંદ સ્વામી આદિક અનેક પરમહંસ ના વચનામૃત માં ઉલ્લેખ…..એમના અનેક પદ આ પ્રીતિ ની સાક્ષી પૂરે છે.
  • ભગવાન નો એક જ સ્વાર્થ છે…..આપણ ને ભક્તિ શીખવાડવી છે….પોતાનો રાજીપો આપવો છે. બસ એ તો પોતાના ભક્તો ના પ્રેમ ને વશ છે.
  • આપણા BAPS ના હરિભક્તો નો પ્રેમ..ભક્તિ…એની જ શક્તિ છે કે આજે BAPS ના ડંકા દિગંત માં ગાજે છે. બસ…મહારાજ ને અંતર માં અખંડ ધારીએ અને ભક્તિ માં દ્રઢ રહીએ તો બસ આનંદ જ આનંદ છે…..

અદભુત……!!! આપણા એક પરમ ભક્તરાજ મણિનગર ના પ્રવીણભાઈ દવે નો અક્ષરવાસ થયો છે……. એ પૂ. અક્ષરવત્સલ સ્વામી એ જાહેરાત કરી.

આજની સભાનો એક જ સાર હતો……પ્રેમીજન ને વશ પાતળિયો…… આપણે જેટલો પ્રેમ આપણા ભગવાન ને કરીશું…એનાથી અનેક ઘણો અધિક એ મારો વહાલો આપણ ને કરશે……..અને એ આપણો થાય પછી બાકી શું રહે????બસ એ તો પ્રેમ ..સ્નેહ..ભક્તિ નો ભૂખ્યો છે…….બસ મન મૂકી ને પ્રેમ કરી લેવો…

જય જય સ્વામિનારાયણ….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

રાજ


Leave a comment

BAPS રવિસભા -11/02/24

अक्षरं अहम पुरुषोत्तम दासोस्मि

અક્ષર એવો હું પુરુષોત્તમ નો દાસ છું……

આજની સભા પણ વિશિષ્ટ હતી. સારંગપુર સંસ્કૃત મહાવિદ્યાલય ના ભાવિ પંડિતો આજે જ્ઞાન અને મહિમા સાથે શાસ્ત્રો માં વર્ણવિત સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત દર્શન નું પ્રદર્શન કરવા ના હતા……આથી સભામાં સ્વાભાવિક છે તેમ સમય પહેલા પહોંચી ગયા અને જીવભરી ને મારા વ્હાલા ના દર્શન કર્યા…..

સભાની શરૂઆત પૂ.સંતો અને યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન પ્રાર્થના થી થઇ….. એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા “અક્ષર પુરુષોત્તમ ..દયાળુ પ્રભુ…..” પદ રજુ થયું……. આપણે આપણા ગુણાતીત ગુરુઓ ના ચરણો મા કરોડો સાષ્ટાંગ દંડવત કરીએ તો પણ ઓછું છે કારણ કે એમણે સમગ્ર સનાતન શાસ્ત્રો નો સાર અને સ્વરૂપ એક અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે આપણ ને મૂર્તિમંત કરી આપી આત્યંતિક કલ્યાણ ને સહજ કરી આપ્યું………! શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ મહારાજ ના મંદિરો…મૂર્તિઓ સ્થાપી ને આ સર્વોપરી સિદ્ધાંત ના વાવટા બ્રહ્માંડે રોપી દીધા……એટલા માટે જ પ્રશાંતભાઈ એ “એવા શાસ્ત્રીજી મહારાજ ને અમારા લાખો વંદન હો…..” ભક્ત રાજ રસિક દાસ રચિત પદ રજુ કરી એ મહા પુરુષ ના અતુલ્ય કાર્ય મહિમા ને જીવસ્થ કરી દીધું……અદભુત….અદભુત….!!! આ સમજવા એકવાર પુસ્તક “લિખિતંગ યગ્નપુરુશ દાસ “અચૂક વાંચી જવું……વાંચી જવું…..! એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ એ જ રસિક દાસ રચિત “જય જય યજ્ઞ પુરુષ સુખકારી….” પદ રજુ કરી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મહિમા ને ફરી થી વર્ણવ્યો……અદભુત…!!

વસંત પંચમી નજીક છે અને એ જ સર્વોપરી ગુરુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો પ્રાગટ્ય દિન આવી રહ્યો છે…..એમના જ સંકલ્પ …સિદ્ધાંત રૂપે એમનું જ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ આજે અબુ ધાબી દેશ માં ….વસંત પંચમી ના રોજ અતિ ભવ્ય અક્ષર પુરુષોત્તમ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે…..તેના 6-7 ફેબ્રુઆરી ના દર્શન વિડિયો ના માધ્યમ થી મળ્યા…….

ગુણાતીત ના વિશાળ કાર્ય …..સ્વયમ શ્રીજી ના સંકલ્પ ના ફળ રૂપ એવા 1250થી વધુ નાના મોટા ભવ્ય મંદિરો સમગ્ર જગત માં સમગ્ર શાસ્ત્રો ના સાર રૂપી સિદ્ધાંત …અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને સહજ જીવમાત્ર સુધી પહોંચાડી રહ્યા છે………આગળ આગળ જુઓ…શું થાય છે..???જગત ના નાથ નો સંકલ્પ મોળો થોડો હોય……!!!

એ પછી સારંગપુર મહા તીર્થ સ્થાન ના સંસ્કૃત મહા વિદ્યાલય ના ભાવિ પંડિતો એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત વિશે પોતાનો વિશિષ્ટ કાર્યક્રમ રજૂ કર્યો……શરૂઆત અમદાવાદ ના જ વિદ્યાર્થી જીતભાઈ એ સંસ્કૃત દેવભાષા માં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નો મહિમા કહ્યો…….ગુજરાતી મિશ્રિત આ પ્રવચન માં ગીતા, ઉપનિષદો,બ્રહ્મ સૂત્ર માં વર્ણવેલો આ સિદ્ધાંત…..બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નું કાર્ય, દાખડો…મંદિરો ની રચના….હરિભક્તો નો આ સિદ્ધાંત માટે નો દાખડો અને સમર્પણ અદભુત રીતે વર્ણવ્યું….અને સાબિત કર્યું કે  સર્વે સર્વોપરી છે……અદભુત પ્રવચન….!!

એ પછી વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ પ્રગટ અક્ષરબ્રહ્મ ના અસ્તિત્વ.. મહિમા…સ્વરૂપ વિશે વિશેષ છણાવટ પ્રશ્નોત્તર….સંવાદ રૂપે વેદ નો આધાર લઈને કરી……મહામહોપાધ્યાય પૂ.ભદ્રેશ સ્વામી ના અક્ષર પુરુષોત્તમ દર્શન…એના ભાષ્ય..સિદ્ધાંત સુધા ને.. આધારે અક્ષર રુપ ના વેદ પુરાણો…ઉપનિષદો…બ્રહ્મ સૂત્રો….ગીતા માં ઉલ્લેખ ની વાત થઈ……અદભુત….!!! આમ, પ્રતિપાદિત થાય છે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ..દર્શન એ સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત છે. પુરુષોત્તમ ને પામવા હોય તો અક્ષર રૂપ થાવું જ પડે……અને અક્ષર રૂપ થવું હોય તો અક્ષર બ્રહ્મ ગુરુ નો યોગ….સમાગમ અનિવાર્ય છે…….અક્ષર બ્રહ્મ રૂપ ગુરુ એ ભગવાન પ્રાપ્તિ માટે નો એક સેતુ છે…જેનાથી માયા રૂપી નદી પાર કરી શકાય છે. માયા ની આ ગહન નદી ને પાર કર્યા સિવાય પુરુષોત્તમ ના ચરણો માં જવાય જ કેમ?? વચનામૃત માં ઠેર ઠેર શ્રીજી એ આ જ ગહન વાતો…એનો અર્થ…એનો સાર અને સમાધાન સહજ શબ્દો માં વર્ણવ્યા છે……ગીતા માં વિષાદ ગ્રસ્ત અર્જુન ને સ્વયં ભગવાને અક્ષર બ્રહ્મ….બ્રહ્મરૂપ થવા ની આજ્ઞા કરી…..બ્રહ્મરૂપ થશે તો જ સર્વે મોહ માયા ટળશે…. એમ કહી ને ભગવાને કહ્યું…અર્જુન બ્રહ્મ થા…..મારા માટે પાત્ર થા…..!!!! અદભુત…અદભુત……!!!ગીતા ના અધ્યાયે અધ્યાયે…બ્રહ્મ ની વ્યાખ્યા…બ્રહ્મ નો મહિમા અને બ્રહ્મ થવા ની આજ્ઞા કરી……..એ જ બ્રહ્મ ના લક્ષણો આજે પણ પ્રગટ સત્પુરુષ માં સુસ્પષ્ટ દેખાય છે…….એ સત્પુરુષ કોણ??? આપણા ગુરુ….મહંત સ્વામી મહારાજ……જાતે ચેક કરો…..પારખો… પછી સ્વીકારો…..!!!!!

બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।

સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્‍ભક્તિં લભતે પરામ્ ॥

અર્થાત- બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્નચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે. (ગીતા: ૧૮/૫૪)

એ પછી આ મહાવિદ્યાલય ની સ્થાપના 2013 થી અત્યાર સુધી ની માહિતી એક વીડિયો ના માધ્યમ થી મળી…….સાક્ષાત ગુરુકુલ પદ્ધતિ થી અહીં સંસ્કૃત અને અન્ય ભાષા ઓ માં વિવિધ શાસ્ત્રો નું જ્ઞાન સંતો અને વિદ્વાનો દ્વારા મળે છે……અદભુત વિદ્યાલય….!! શક્ય હોય અને રસ હોય તો આ વિદ્યાલય માં જરૂર પ્રવેશ મેળવવો…..ભવિષ્ય ઉજ્જવળ છે…..! ધોરણ 12 પછી પ્રવેશ માટે અરજી કરી શકાય છે…… સંપૂર્ણ પણે મફત ..નિઃશુલ્ક અભ્યાસ છે……..લાભ લેવો….

હરિકૃષ્ણ ભાઈ નામ ના મહા વિદ્યાલય ના એક વિદ્યાર્થી કે જે હાલ વેદાંત માં  ડૉક્ટરેટ કરી રહ્યા છે……તેમણે મહા વિદ્યાલય વિશે વિશેષ વાત કરતા કહ્યું કે- ગુરુ મહંત સ્વામી મહારાજ અહીં ના વિદ્યાર્થીઓ પર ખૂબ જ રાજી છે…..સર્વોપરી અભ્યાસ ક્રમ…તેજસ્વી વિદ્યાર્થીઓ….અનેકો ગોલ્ડ અને સિલ્વર મેડલ્સ…અનેક રિસર્ચ પેપર્સ…..હાવર્ડ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ માટે વિશેષ આમંત્રણ…..ત્યાં ના વિદ્યાર્થીઓ અહીં અધ્યયન કરી રહ્યા છે…….અનેકો બહેનો પણ સંસ્કૃત નો અભ્યાસ અલગ અલગ જગ્યા એ રહી ને કરેલા છે……બાપા એ કહ્યું કે અહીં જે ભણશે તે મહા વિદ્વાન થશે……!!!! સાથે સાથે સદ્ગુણો…..નિષ્ઠા..સમર્પણ જેવા સર્વોપરી ગુણો પણ અહીં સહજ આવે છે. અહીં ના વિદ્યાર્થીઓ નું ભવિષ્ય ઉજ્જવળ છે અને અહીં ના બહાર પડેલા વિદ્યાર્થીઓ હાલ દુનિયાભર માં સંસ્કૃત ના અધ્યાપક તરીકે કારકિર્દી આગળ વધારી રહ્યા છે.

હાલ મહા વિદ્યાલય માં આચાર્ય તરીકે સેવા આપી રહેલા પૂ. જ્ઞાન તૃપ્ત સ્વામી એ પોતાના પ્રવચન માં કહ્યું કે- (જોઈ એ સારાંશ)

  • જુના ખરડા માં શ્રીજી મહારાજે કહ્યું કે જીવ માત્ર નું અજ્ઞાન ટાળી ને તેમને  બ્રહ્મરૂપ  કરવા માટે તેમનો જન્મ થયો છે. વિવિધ વચનામૃત માં પણ આ જ વાત કરી…ઉપાસના નો મહિમા….એની શુદ્ધતા ની વાત કરી….ભગવાન ના સ્વરૂપ ની નિષ્ઠા સમજવા ની અગત્યતા ની વાત કરી. સ્વરૂપ નિષ્ઠા માં ખામી રહી જશે તો અક્ષરધામ ની પ્રાપ્તિ નહીં થાય…..
  • આપણે તો ગુણાતીત જ મૂળ અક્ષર અને સહજાનંદ જ પુરુષોત્તમ….. એ જ્ઞાન ……સ્વયં ગુણાતીત પરંપરા એ સર્વ ને દ્રઢ કરાવ્યું……મૂર્તિમંત કર્યું અને જીવ માત્ર ને આત્યંતિક મોક્ષ નો માર્ગ બતાવ્યો…..ગુણાતીત નું આ કાર્ય ચાલુ છે…ચાલુ જ રહેશે…….બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંત ના પ્રવર્તન માટે અઢળક દુઃખ સહન કર્યા…..દાખડો કર્યો…..અને પરિણામે આજે પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના હસ્તે એ જ સર્વોપરી કાર્ય ચાલુ જ છે…..જગતભરમાં  આ જ સિદ્ધાંત ને મૂર્તિમંત કરતા હજારો મંદિર ના વાવટા દિગંત માં ફરકી રહ્યા છે……..

અદભુત…અદભુત…..!!!

સભાને અંતે અમદાવાદ ના 9 જેટલા ભાવિ પંડિતો નું સન્માન થયું……મહા વિદ્યાલય માં અભ્યાસ ઇચ્છુક યુવક યુવતીઓ શાહીબાગ મંદિર ઓફીસ નો સંપર્ક કરે. આવનારી વસંત પંચમી…14/2 ના રોજ અબુ ધાબી મંદિર નો લોકાર્પણ સમારોહ નું જીવંત પ્રસારણ છે.

આજની સભાનો એક જ સાર હતો કે …..બ્રહ્મ સંગે બ્રહ્મરૂપ થવું અને પુરુષોત્તમ ની સેવા માં અખંડ રહેવું………!!! બસ …બ્રહ્મરૂપ કઈ રીતે થવું….એનો અભ્યાસ કરવો….અને એમ વર્તવું……એ જ મોક્ષ નો માર્ગ…….

આપણું એક જ ધ્યેય……અક્ષરમ અહં પુરુષોત્તમ દાસોસ્મિ

જય જય સ્વામિનારાયણ……. સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS વિશિષ્ટ રવિસભા-04/02/24

“બધા કાર્યકરો ને હાથ થી ડાંગર ફોલી ને મેળવેલા અણીશુદ્ધ ચોખા જેવા અણીશુદ્ધ કરી ને અક્ષરધામ લઇ જવા છે….અરે..કાર્યકરો ના પરિવાર ને પણ અક્ષરધામ ની પ્રાપ્તિ થશે….”

————————

પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ, કણાદ,સુરત

ઘણા રવિવાર થી હું રવિસભા નો લાભ લઇ ના શક્યો…કારણ??? અંગત….શિબિર…વગેરે….પણ રવિસભા ચૂક્યા નું દુઃખ છે જ…..જે આજે સમય પહેલા સભામાં આવી સરભર કરવા નો આછો પાતળો પ્રયત્ન કરવા માં આવ્યો……આજની સભા કાર્યકર સુવર્ણ મહોત્સવ (1972-2022)ની વિશિષ્ટ સભા હતી…… આપણી સંસ્થા ના પાયા માં ના એક ભાગ એટલે દ્રઢ નિષ્ઠાવાન કાર્યકરો…….અને એમની નિષ્ઠા ને વધાવતું આ 2024નું વર્ષ….કાર્યકર સુવર્ણ મહોત્સવ વર્ષ તરીકે ઉજવાશે….તો આ નિષ્ઠા અને અનેક કાર્યકરો ના સમર્પણ ની સ્મૃતિ સાથે.. એ સર્વે ના કારણ એવા મારા વ્હાલા ના અદભુત દર્શન….

સભાની શરૂઆત “ભજો સ્વામિનારાયણ…..”ધૂન થી થઇ….યુવક મિત્રો એ સભાનો માહોલ હરિમય કરી દીધો……યુવકો અને ધવલ દ્વારા “પ્રણામ હો… પ્રણામ હો…હે સહજાનંદ જી…” પદ રજુ થયું…..એક હરિ ના ચરણો મા સંપૂર્ણ માથું મૂકીએ તો સહજ આનંદ સદાય રહે…. એ જ બ્રહ્મ અવસ્થા…!! અન્ય એક યુવક દ્વારા “એલી જો ને આ ધર્મકુમાર.. સલોણો શોભતા….” પદ રજુ થયું…..ઉચ્ચ…ઝડપી સ્વરો માં ગવાતા આ બ્રહ્માનંદ સ્વામી રચિત આ પદે સભા ને ડોલતી કરી દીધી…..બ્રહ્માનંદ રેલાઈ ગયો….!! ત્યારબાદ પ્રશાંતભાઈ દ્વારા “સેવા માં રાખો સદાય….વંદન ગુરુજી…વંદન પ્રભુજી….” ભક્તરાજ વનમાળી દાસ રચિત પદ રજુ થયું…..શાસ્ત્રો કહે છે કે મોટા પુરુષ ની મન કર્મ વચને સેવા જ ભગવાન ની સેવા છે…..મોક્ષ નું કારણ છે…….અને આપણે તો અહી સેવા એ તો બ્રહ્મરૂપ થવાનો માર્ગ છે….એમ ડંકા ની ચોંટે ગવાય છે….વર્તાય છે…જીવાય છે……એટલે જ આપણો સત્સંગ સર્વોપરી છે. એ પછી જૈમિન ના સ્વરે “અમે સૌ સ્વામી ના બાળક….જીવીશું સ્વામી ને કાજે…” ભક્તરાજ મોતીદાસ દ્વારા રચિત બળ ભર્યું પદ રજુ થયું….. આપણા સત્સંગ ની અસ્મિતા ની પુષ્ટિ કરતું આ પદ સૌમાં નિર્ભયતા નું ….નિષ્ઠા નું….સમર્પણ નું બળ ભરી દે તેવું હતું….સભા તાળીઓ થી ગુંજી ઉઠી …

એ પછી આપણી સંસ્થા મા યુવક મંડળ ની રચના..કાર્ય વિશે નો ઈતિહાસ વિડિયો ના માધ્યમ થી રજુ થયો…..બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ થી શરૂ થયેલી યુવક સભાઓ ને વિધિવત સ્વરૂપ 1972મા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા મળ્યું……અને યુવક મંડળ આગળ જતા વિસ્તૃત થતાં કાર્યકરો ની વિશાળ સેના નું સર્જન આજે જોઈ શકાય છે.

ત્યારબાદ પુ. વિવેકમુની સ્વામી દ્વારા આ કાર્યકરો ની સેવા પ્રવૃત્તિ વિશે માહિતી પ્રવચન દ્વારા મળી…જોઈએ સારાંશ….

  • કાર્યકરો માટે સેવા સત્સંગ નું પ્રથમ સુખ છે…સત્પુરુષ ના સાનિધ્ય નું સુખ….દર્શન..વાતો..મળવું અને પ્રસાદી ના માધ્યમ થી આ સુખ અનરાધાર મળી રહ્યું છે ….
  • બીજું સુખ…સત્સંગ કથા વાર્તા નું સુખ….જે સત્સંગ ને સદાય લીલો પલ્લવ રાખે છે.
  • ત્રીજું સુખ….ઉત્સવ સમૈયા નું સુખ……જેમાં કાર્યકરો નો અથાગ ..અવિરત પરિશ્રમ રહેલો છે. આયોજન…વ્યવસ્થા…. અમલીકરણ….અહી શીખવા..શીખવાડવા મળે છે…..સત્સંગ શિક્ષણ પરીક્ષા….સ્વામિનારાયણ મેગેઝીનો…ઘરસભા, સંત પધરામણી …સામાજિક સેવા ના આયોજન પાછળ કાર્યકરો નો નિસ્વાર્થ પુરુષાર્થ …સેવા છે….આથી જ કાર્યકરો આપણી સંસ્થા ના કરોડરજ્જુ સમાન છે.
  • પ્રમુખ સ્વામી મહારાજે તો આવા કાર્યકરો ને શ્વેતાંબરી સાધુઓ કહ્યા…અને એમનો પરિવાર સહિત મોક્ષ ના આશીર્વાદ આપ્યા…….એમનો ખૂબ જ રાજીપો આજે પણ મહંત સ્વામી મહારાજ દ્વારા દેખાય છે.

એ પછી યુવકો દ્વારા સેવા ના મહિમા નો એક સંવાદ રજુ થયો……

અદભુત સંવાદ……એક ગુરુ…એક હરિ ને જ રાજી કરવા પોતાના જીવન ને કૃષ્ણાર્પણ કરવાની નિસ્વાર્થ ભાવના તો અહી..આપણી સંસ્થા મા જ જોવા મળે…..

એ પછી ગુરુ મહંત સ્વામી મહારાજ ની નિશ્રા માં સુરત ખાતે યોજાયેલા કાર્યકર સુવર્ણ મહોત્સવ સભા ના દર્શન નો લાભ વિડિયો દ્વારા મળ્યો…..કાર્યકરો ના અનુભવો…એમની સેવા ની સુવર્ણ ગાથાઓ……. બાળ..બાલિકા..યુવક યુવતી…મહિલા કે વડીલ મંડળો ની અદભુત સેવાઓ ની ગાથા ઓ..કેસર ની ફોરમ ની જેમ સર્વ ને તરબતર કરી ગઈ..બાપા એ સમગ્ર કાર્યકર સેવા નો સાર એક જ વાક્ય માં કહ્યો….. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી……!! બાપા એ પોતાના આશીર્વચન માં કહ્યું કે ..બધા કાર્યકરો ને હાથ થી ડાંગર ફોલી ને મેળવેલા અણીશુદ્ધ ચોખા જેવા અણીશુદ્ધ કરી ને અક્ષરધામ લઇ જવા છે….અરે..કાર્યકરો ના પરિવાર ને પણ અક્ષરધામ ની પ્રાપ્તિ થશે……!!!…અદભુત વિડિયો…!!!

ત્યારબાદ પૂ. કોઠારી ધર્મતિલક સ્વામી એ પ્રસંગોચિત પ્રવચન કરતા કહ્યું કે…..જોઈએ સારાંશ…

  • લોયા ૩ ના વચનામૃત માં સ્વયમ શ્રીજી એ કહ્યું કે મહિમા એ સહિત નિશ્ચય થાય ત્યારે એ જીવ ભગવાન અને સત્પુરુષ ના રાજીપા અર્થે શું ન કરે?? બધું જ થાય જે આપણા કાર્યકરો માં સ્પષ્ટ દેખાય છે. આપણી ગુણાતીત પરંપરા એ આપણ ને રાજી કરવા પોતાના દેહ ને કૃષ્ણાર્પણ કરી દીધો……
  • આપણા કાર્યકરો એ અતિ કઠીન…વિપરીત સંજોગો માં પણ પોતાની સેવા ની જવાબદારી સુપેરે…સમર્પણ ભાવે…નિસ્વાર્થ ભાવે નિભાવી છે. પોતાના ધંધા…નોકરીઓ ની પણ પરવા નથી કરી. એકવાર મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે…..કાર્યકરો તો અમારા હાથ પગ છે….. સદગુરુ ઓ છે……

ત્યારબાદ વિડિયો ના માધ્યમ થી પ.પૂ.મહંત સ્વામી મહારાજે કાર્યકર સુવર્ણ મહોત્સવ ની દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત કરી..તેના દર્શન થયા…..અહી સભામાં પણ સર્વ કાર્યકરો એ ઊભા થઈ..ધ્વજ, બોર્ડ્સ દ્વારા એમાં પ્રતીક રૂપે ભાગ લીધો…..

સભામાં અમુક જાહેરાત થઈ….. રાંદેસણ ના ગુરુકુળ માટે દીકરીઓ ની પ્રવેશપ્રક્રિયા શરૂ થઈ ગઈ છે….

આજની સભાનો એક જ સાર હતો…….જો જીવ ને આત્યંતિક કલ્યાણ નો ખપ હોય…..બ્રહ્મરૂપ થઈ ને એક પુરુષોત્તમ ને વરવા ની દૃઢતા હોય તો પોતાના ગુરુ અને ભગવાન કાજે શું ન થાય??? પોતાનું સર્વસ્વ એક એમના જ રાજીપા અર્થે સમર્પિત કરી દે……અને આ જ મોક્ષ નો શોર્ટકટ છે……

સત્સંગ નું બીજું નામ જ સમર્પણ છે……સમજી રાખીએ….

જય સ્વામિનારાયણ…….પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS રવિસભા-07/01/24

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિષે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળનાં જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઈ જાય છે….”

———————-

વચનામૃત ગઢડા પ્રથમ -08

ઇસવીસન 2024 ના વર્ષ ના નવીન વર્ષ ની આ પ્રથમ સભા …..નવા ઉમંગ…નવા ઉત્સાહ…..નવા જોમ જામ સાથે ની આ એકાદશી ની સભાની શરૂઆત મારા વ્હાલા ના સદાય નવીન દર્શન થી…….ચાલો એક એને જ જીવન ની પ્રત્યેક ક્રિયા…પ્રત્યેક ક્ષણ માં કેન્દ્ર માં સ્થિર કરીએ….

આજની જ માગશર માસ ની વદ એકાદશી એ સ્વામિનારાયણ મહામંત્ર ની ભેટ સ્વયં ભગવાન સ્વામિનારાયણ દ્વારા સંવત 1858 જગત ને ભેટ મળી હતી……222 વર્ષ પહેલાં ની આ સ્મૃતિ અર્થે જ સભાની શરૂઆત યુવક મંડળ દ્વારા જોશ સાથે ગવાતા ” ઓમ સ્વામિનારાયણ……” મહામંત્ર ની ધૂન થી થઈ……એ પછી એક યુવક દ્વારા ” વ્હાલું લાગે સ્વામિનારાયણ નામ…..”વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત પદ ખૂબ જ રસાળ સ્વરે રજુ થયું………બસ આ એક જ નામ છે જેના માટે શું ન થાય..??? એ જ સર્વે પ્રશ્નો…સર્વે સંકલ્પ વિકલ્પ નું સમાધાન છે…….જો એ અંતર માં છે તો બાહ્ય કોલાહલ ના ખારા દરિયા માં પરમ શાંતિ નો મીઠો વીરડો મળ્યો હોય એવો આનંદ થશે…..! એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા ” પ્રાણી…સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈ એ રે….” પ્રેમસખી રચિત પદ સ્વરબદ્ધ થયું…….આ મહામંત્ર નો મહિમા મોટો છે…..એ સમજાય તો એનું અખંડ સ્મરણ સહેજે રહે……સર્વે મૂંઝવણ નું સમાધાન આ જ છે….! ત્યારબાદ એક યુવક મિત્ર ના બુલંદ સ્વરે ” મારે સ્વામિનારાયણ ભજવા રે…..”પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજુ થયું…..સર્વોપરી ભગવાન મળ્યા છે તો એને ભજતાં તો સંસાર…લોકલાજ કે વિઘ્ન આડા આવે તો પણ ગભરાવું નહીં…..શિર સાટે સત્સંગ કરી લેવો…..! એ પછી મિત્ર પ્રશાંત ભાઈ દ્વારા ” જે સ્વામિનારાયણ નામ લેશે….” મહિમા પદ રજૂ થયું…..અદભુત…!!

એ પછી 1984 માં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ગઢડા માં આજની જ તિથિએ આયોજિત ગઢડા મંદિર મહોત્સવ…સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ ના સ્મૃતિ દર્શન નું સુખ એક વીડિયો દ્વારા સર્વે ને મળ્યું…..

એ પછી પૂ.હરીનારાયણ સ્વામી જેવા વિદ્વાન સંત ના મુખે ” સ્વામિનારાયણ મહામંત્ર ના મહિમા” વિશે અદભુત પ્રવચન રસાળ શૈલી માં થયું…જોઈએ સારાંશ….

  • વિક્રમ સંવત 1858 ..આજની જ તિથિએ ફણેણી ગામ માં ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ભેટ જગત ને આપી….જેને ગુણાતીત ગુરુઓ એ પોતાના એક જ કાર્ય હેતુ…ભગવાન ભજવા અને ભજાવા…દ્વારા જગપ્રસિદ્ધ કરી દીધો…….એના ડંકા યુગેયુગે વાગતા રહેશે…..
  • આ મંત્ર જ પવિત્રતા ની ઓળખ થઈ ગઈ છે….આ મંત્ર સર્વે સમસ્યા ઓ નું સમાધાન છે……….તન, મન ધન ના પ્રશ્નો નું સર્વે સમાધાન આ મંત્ર થી થયા ના ઉદાહરણ પ્રસંગો છે. આ મંત્ર ભગવાન નો સાક્ષાત્કાર કરાવે છે….મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે……
  • આ મંત્ર ભક્તે સહિત ભગવાન નું ભજન …સ્વામી એ સહિત નારાયણ નું પૂજન ….નું પ્રતીક છે…..ભગવાન ના ભક્ત…રાધાજી..હનુમાનજી…અર્જુન જી…આદિક ભક્તો ભગવાન ની ભક્તિ કરતા ભગવાન મય થઈ ગયા…ભગવાન સાથે જ એમનું પણ ભજન થાય છે……મહિમા એ સહિત…દ્રઢપણે ભગવાન નું ભજન કરવું…..શ્રદ્ધા રાખવી….ધીરજ રાખવી…..અને ભજન કરતા રહેવું.

આજે સભામાં સદગુરુ પ.પૂ.ડોક્ટર સ્વામી ઉપસ્થિત હતા…પ.પૂ.ઇશ્વરચરણ સ્વામી દ્વારા અમદાવાદ મંડળ વતી તેમનું ફુલહાર થી સ્વાગત થયું. પૂ.ડોક્ટર સ્વામી ના સેવક સંત પૂ.આદર્શ યોગી સ્વામી નું પણ કોઠારી પૂ. ધર્મતિલક સ્વામી દ્વારા ફુલહાર થી સ્વાગત થયું…

એ પછી ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આ સ્વામિનારાયણ મહામંત્ર ના મહિમા વિશે વીડિયો ના માધ્યમ થી લાભ મળ્યો…..સત્પુરુષ થકી આ મંત્ર…નિયમ ધર્મ અને ભગવાન ના સ્વરૂપ ની દ્રઢતા થાય તો સર્વે વાસનાઓ નિર્મૂળ થઈ જાય….

એ પછી પૂ.ડોક્ટર સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે ( સારાંશ માત્ર….) ….

  • બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આજ્ઞા કરી હતી કે રૂપિયા 25000 નો નફો જતો કરી ને પણ રવિસભા નો લાભ લેવો….આપણા સંતો અદભુત કથા વાર્તા કરે છે…અવશ્ય લાભ લેવો…આપણા હરિભક્ત આફ્રિકા વાળા મગનભાઈ નો કથા વાર્તા કરવા નો ઇશક સૌ કોઈ જાણે છે…..કલાકો સુધી કથા વાર્તા ચાલતી…..આપણા હરિભક્તો નું સેવા સમર્પણ પણ અદભુત છે. રોબિન્સ વીલ અક્ષરધામ નું કાર્ય જુઓ તો સમજાય કે સ્વામિનારાયણ ભગવાન નો સંકલ્પ કરોડ મનવાર ભરાય એટલા જીવો નું કલ્યાણ કરવા નું છે.
  • અંતઃકરણ શુદ્ધ રાખવા ની શ્રીજી મહારાજ ની આજ્ઞા છે…..આપણી પાસે બધું જ છે, પણ આપણું અંતઃકરણ શુદ્ધ છે….??? કામ,ક્રોધ..હઠ, માન, ઈર્ષ્યા આદિક અશુદ્ધિઓ અંતર માં પડી છે…તેને દૂર કરવા ની છે. જેનું અંતઃકરણ શુદ્ધ હોય તેને જ જગત યાદ કરે છે.

અદભુત પ્રવચન….!! જાહેરાત થઈ કે પ.પૂ.ડોક્ટર સ્વામી સતત એક માસ અમદાવાદ માં રહેવા ના છે. અઠવાડિયા ના ત્રણ દિવસ…સોમ,મંગળ, બુધ….લાભ મળશે. પોતાના અંગત પ્રશ્નો માટે એમની સાથે મુલાકાત માટે જે તે વિસ્તાર ના કાર્યકરો ને મળવું.

ઉત્તરાયણ 14 તારીખે સવારે ઝોળી સભા…8 થી 10 થશે. સાંજે રવિસભા નથી. 26 જાન્યુઆરી સોલા ભાગવત ખાતે બ્રહ્નમોત્સવ યોજાશે…….હરિભક્ત બહેન જીંકલ બેન દ્વારા 6 માસ ની મહેનત ને લીધે ગોંડલ ના ઘનશ્યામ મહારાજ નું તૈલ ચિત્ર તૈયાર થયું છે…જેનું પૂજન પૂ.ડોક્ટર સ્વામી દ્વારા થયું….

આજની સભાનો એક જ સાર હતો- સ્વામિનારાયણ મહામંત્ર……આ બીજ મંત્ર સમાન છે….જો જીવ માં દ્રઢ થશે….જેનું અખંડ સ્મરણ રહેશે તો હરિ ક્યાંય છેટો નથી…..અને હરિ ભેગો હશે તો છતે દેહે અક્ષરધામ નું અખંડ સુખ મળશે.

બસ…..સ્વામિનારાયણ… સ્વામિનારાયણ… અખંડ સ્મરણ કરતા રહીએ.

જય જય સ્વામિનારાયણ…..

રાજ


Leave a comment

BAPS વિશિષ્ટ રવિસભા-31/12/23

श्री राम चंद्र कृपालु भजमन हरण भाव भय दारुणम्।
नवकंज लोचन कंज मुखकर, कंज पद कन्जारुणम्।।

इति वदति तुलसीदास शंकर शेष मुनि मन रंजनम्।
मम ह्रदय कुंज निवास कुरु कामादी खल दल गंजनम्।।

આજે 31 મી ડિસેમ્બર, 2023…….ઇસવીસન 2023 ના વર્ષ નો અંતિમ દિવસ……પાછું વળી ને જોવાનો દિવસ….લોક પરલોક ના હિસાબ માંડવા નો દિવસ……આવનારા નવા વર્ષ 2024 માં નવી..આધી અધૂરી રહી ગયેલી એષણા ઓ ને પુનઃ સાકાર કરવા ના આયોજનો નું વર્ષ……..બસ આપણે તો શ્રીજી ચરણ માં એક જ પ્રાર્થના…….સત્સંગ માં ઉત્તરોઉત્તર પ્રગતિ થતી રહે…..સત્પુરુષ અને શ્રીજી ને રાજી કરી શકીએ……એ રાજી તો બધું રાજી…..એ જ એક વિચાર સાથે એ જ મારા વ્હાલા શામળિયાના મનભરી ને….દર્શન….

સભા ની શરૂઆત સદાય ની જેમ પૂ.સંતો અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…….અંતર હરિ સ્મરણ માં એકાકાર થઈ ગયું……આજની સભા વિશિષ્ટ હતી….અયોધ્યા શ્રી રામ મંદિર માં શ્રી રામ લલ્લા ભગવાન 22 મી જાન્યુઆરી એ અતિ ભવ્ય રીતે બિરાજમાન થવા જઈ રહ્યા છે…..એના અક્ષત કુંભ ની પધરામણી આજે અહીં મંદિર માં…સભા માં હતી….એને વધાવવા સમગ્ર સભા ઉમટી પડી હતી….!! ..લગભગ 500 વર્ષ ની …લાખો હરિભક્તો ની તપશ્ચર્યા નો અંત થવા જઈ રહ્યો છે…….જય શ્રી રામ….જય જય શ્રી રામ….!!!

પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી એ ભાવ સભર સ્વર માં સંત પ.પૂ. તુલસીદાસ રચિત શ્રીરામ ચંદ્ર કૃપાળુ……સ્તુતિ નો લાભ આપ્યો અને જીવ રામમય થઈ ગયો…..!!! રામ કહો કે મારો હરિ…..એ ક્યાં નથી???? રામ સર્વત્ર છે…..સૌના છે…..! ત્યારબાદ મિત્ર જૈમીન દ્વારા એ જ પરમ રામ ભક્ત રાજ તુલસીદાસ જી રચિત ” ઠુમક ચલત રામચંદ્ર…..” પદ રજૂ થયું અને ભગવાન ની એ બાળ લીલા ના દિવ્ય દર્શન મનોચક્ષુ પર છવાઈ ગયા…….ભગવાન ની સર્વ દિવ્ય છે…મધુર છે…..એમની પ્રત્યેક લીલા બ્રહ્મરૂપ કરે એવી છે….! એ પછી મિત્ર ધવલ દ્વારા ” રામ રસ એસો હૈ મેરે ભાઈ….” સંત કવિ કબીરજી રચિત કીર્તન નો લાભ મળ્યો……આ તો રામ રસ…હરિ રસ છે….જેનો સ્વાદ જે જીવ ને જીવે ચડી જાય તેને આ સમગ્ર જગત ના સર્વે સ્વાદ ફિક્કા ફસ લાગે…….એ જ બ્રહ્મ સત્ય છે…..!! આ તો બ્રહ્મ રસ છે…….આપણ ને તક મળી છે…છોડવી નહીં…સાન માં સમજી જાઓ….!

આજે સભામાં પૂ. જ્ઞાનવત્સલ સ્વામી જેવા પ્રખર વક્તા….અતિ વિદ્વાન સંત ઉપસ્થિત હતા…..અને એમની વાણી નો લાભ સર્વ ને મળ્યો……જોઈએ સારાંશ…..

  • બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સંપ..સુહર્દ ભાવ..એકતા માં બધું જ આવી ગયું એમ કહેતા……શ્રીજી એ કહ્યું કે જ્યાં સંપ હોય ત્યાં ભગવાન હોય….અને સુહર્દ ભાવ ને પોતાનો પ્રાણ કહ્યો……એ જ આપણા ગુણાતીત ગુરુઓ નો હૃદયગત ભાવ છે. જેના થી ભક્તિ સેવા નું પોષણ થાય….ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય મજબૂત થાય …
  • આપણી સંસ્થા હોય કે દુનિયાભર ની સફળ સંસ્થાઓ….કંપનીઓ હોય ત્યાં સંપ ને લીધે જ વિકાસ થયો છે…..ગુણાતીતાનંદ સ્વામી એ તો સંપ ને અધ્યાત્મ નો પ્રાણ કહ્યો…..એ હશે તો જ આ અધ્યાત્મ માર્ગ માં આગળ વધાશે…… માટે જ સંપ રાખવા….કોઈના પણ અભાવ અવગુણ ની વાત કરવી નહીં….આ માર્ગ માં જીવદશા કરતા બ્રહ્મ દશા અગત્ય ની છે….બ્રહ્મ નો માર્ગ અલગ છે…આપણી બુદ્ધિ ગુણાતીત પુરુષ ના દ્રષ્ટિકોણ ને ન પહોંચે……માટે જ એમની આજ્ઞા માં સારધાર… કોઈ સંશય વગર જોડાવું…..
  • માટે જ સત્સંગ મંડળ માં જે જવાબદારી આજ્ઞા મુજબ આવે તેમા યથાશક્તિ જોડાઈ જવું…..એ જ રીતે સુહર્દ ભાવ અને એકતા પણ અધ્યાત્મ માર્ગ માં અનિવાર્ય છે…..

ત્યારબાદ અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ના આમંત્રણ રૂપે ત્યાં થી અક્ષતકુંભ ની પધરામણી આજે સભામાં અત્યંત ધામધૂમ થી થઈ…..સંતો મહંતો કાર્યકરો …ભક્તો દ્વારા એના વધામણાં થયા…….શ્રી રામ મંદિર ની રચના માં આપણી સંસ્થા ખૂબ નજીક થી સંકળાયેલી છે……1989 માં શ્રી રામ મંદિર ની પ્રથમ શીલા નું પૂજન આપણા ગુરુ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે કરેલું …તો એના શ્રી રામ યંત્ર કે જે મંદિર સ્થાપન માટે પાયા માં છે તેની પૂજા પ.પૂ. મહંત સ્વામી મહારાજે કરેલી…..એવા તો અનેક કાર્યો માં આપણી સંસ્થા ….આ શ્રી રામ મંદિર ની રચના માં પ્રત્યક્ષ…પરોક્ષ રીતે જોડાયેલી છે……આ મંદિર ના આર્કિટેક આપણા જ છે…..અનેક વાર મંદિર રચના માટે ધૂન અને પ્રાર્થનાઓ અહીં થઈ….આપણા સંતો એમાં સક્રિય રહ્યા…..એટલે જ આપણા સર્વે મંદિરો માં શ્રી રામ મંદિર ની સ્થાપના નો ઉત્સાહ અનેરો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ 7 વર્ષ સુધી અયોધ્યા રહ્યા છે……એ પણ અદભુત સ્મૃતિ છે. આપણા સૌ મંદિરો માં શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા દિવસે મોટી મોટી સભાઓ….ઉત્સવો ….જીવંત પ્રસારણ થશે…..

કુંભ સાથે પધારેલા સર્વે સંતો ભક્તો અગ્રણીઓ નું સભામાં સ્વાગત થયું…..અક્ષત કુંભ નું પૂ.ઇશ્વરચરણ સ્વામી દ્વારા અને અન્ય સંતો ભક્તો દ્વારા વૈદિક વિધિ થી ભવ્ય પૂજન થયું….

પૂ.અક્ષરવત્સલ સ્વામી એ કહ્યું કે આ શ્રીરામ મંદિર એ સામાન્ય મંદિર નથી….પણ આ રામ રાજ્ય ની સ્થપાના નું પ્રતીક છે……આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ રાજા આદિક નું પ્રતીક આ ભગવાન શ્રી રામ ના આદર્શો નું સ્થાપન છે…..આપણો દેશ પુનઃ વિશ્વગુરુ બનશે….

શ્રીરામ મંદિર આંદોલન માં સક્રિય ભૂમિકા ભજવનાર અનેક કાર્યકરો પૈકી વિશ્વ હિન્દુ પરિષદ ના અશોકભાઈ એ કહ્યું કે લગભગ 500 વર્ષ નો સંઘર્ષ….76 જેટલા યુદ્ધ…..4 લાખ જેટલા રામભક્ત ના બલિદાન આજે સફળ થયા છે……આજે રામલલ્લા બિરાજમાન થવા ના છે…..અને માત્ર ગુજરાત માં જ 1 કરોડ થી વધુ ઘરો માં જઈને રૂબરૂ આમંત્રણ આપવાનું છે…..ઘરેઘર દિવાળી મનાવવા ની છે……અન્ય એક કાર્યકર કીર્તિભાઈ ભટ્ટે કહ્યું કે- અનેક કાર્યકરો એ….કાર સેવકો એ પોતાનું બલિદાન મંદિર માટે આપ્યું છે. …સર્વે સંતો એ પણ ખૂબ જ સમર્પણ આ મંદિર સ્થાપના માટે આપેલું છે….એને ભૂલવા નું નથી…..22 જાન્યુઆરી એ ઘરેઘર દિવાળી ઉત્સવ મનાવવા ની છે…….

અંતે સર્વે નું ફુલતોરા થી અભિવાદન થયું…..

પૂ. ઇશ્વરચરણ સ્વામી એ અંતે પોતાના આશીર્વચન માં એ સમય ની સ્મૃતિઓ તાજા કરતા કહ્યું કે…..1980 ની આસપાસ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને સર્વે સંતો એ અયોધ્યા ની યાત્રા કરેલી….હનુમાન ગઢી અને અન્ય મંદિરો ના દર્શન કરેલા…એ સમયે યોગી બાપા એ રામ જન્મભૂમિ પર બેસી અડધો કલાક ધૂન કરેલી…યોગીબાપા અને એ પછી પ્રમુખસ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ દ્વારા શ્રી રામ મંદિર ની સ્થપાના માટે અથાગ પ્રયત્નો થયેલા…..આપણે 22 જાન્યુઆરી એ મોટો ઉત્સવ ઘરેઘર અને મંદિરો માં ઉજવવા નો છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ આપણી સંસ્કૃતિ ના ..સંસ્કારો ના આદર્શ છે. આપણો ગૃહસ્થ પરિવાર કેવો આદર્શ હોવો જોઈએ ..એ રામાયણ અને ભગવાન શ્રી રામ પર થી મળે છે…….

જાહેરાત – 22 મી જાન્યુઆરી એ કેવી રીતે ઉત્સવ કરવા નો છે …એની માહિતી રજૂ થઈ…

સભાને અંતે- જગતપુર ના નવીન મંદિર મહાપૂજા ના દર્શન અને ધરમપુર શ્રીમદ રાજચંદ્ર મિશન ના નવીન સભાગૃહ ના પૂ. મહંત સ્વામી દ્વારા ઉદ્ઘાટન નો વીડિયો રજૂ થયો…..

આજની સભાનો એક જ સાર હતો……..જય જય શ્રી રામ…..!! ભગવાન શ્રી રામે જે કર્યું છે તે કરવા નું છે અને ભગવાન શ્રી કૃષ્ણે જે કહ્યું છે તે કરવા નું છે………બસ ભગવાન ના કહ્યા માં રહેશું તો જ એ પ્રસન્ન થશે…રાજી થશે……અને એ રાજી તો હરપળ દિવાળી જ છે………!!! મારો શ્રીજી એમાં જ રાજી છે……

જય જય શ્રી રામ……આવનારું નવું વર્ષ શ્રી રામ મય….શ્રીહરિમય બની રહે એ માટે સ્વામી શ્રીજી ને પ્રાર્થના…….

સર્વે નું ભલું હો…..સર્વે નું કલ્યાણ હો……

જય જય શ્રી સ્વામિનારાયણ

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS રવિસભા-17/12/23

“…..એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે ને તમારા ઇષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે.

…….અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી; એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે.

……….અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.”

—————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-અંત્ય-38

ભક્તિ નો માસ….માર્ગશીર્ષ અર્થાત માગશર માસ ની શરૂઆત થઈ ગઈ છે અને પ્રારંભ પણ ધનુર્માંસ ની હેલી સાથે થયો…..આથી પરોઢિયે મંગળા ધૂન અને આરતી નો લાભ અને અત્યારે રવિસભા નો પરમ લાભ……!બસ આજ ના હરિમય દિવસ ને માણતા માણતા…. મારા વ્હાલા ના આજ ના અદભુત દર્શન……

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ…..એ પછી એક યુવક મિત્ર દ્વારા જોશીલું…મૂર્તિ પદ….” જુઓ છબી શ્યામસુંદર વર કેરી રે….” ભુમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…….માત્ર આંખો બંધ કરી ને એ હરિ ની સોણલી છબી ને માણવા નો પ્રયત્ન કરો…….ગેરંટી છે કે હૈયું એની કલ્પના માત્ર થી બાગ બાગ થઈ જશે…..નવપલ્લીત થઈ જશે…..તો વાસ્તવ માં એ મૂર્તિ કેવી હશે???? એના ક્ષણભર ના દર્શન માત્ર થી…સારંગપુર 1 ના વચનામૃત માં કહ્યું છે તેમ અખંડ …અપ્રતિમ…સર્વોપરી સુખ નો અનુભવ થશે…..!! એ પછી અન્ય યુવક દ્વારા ” મન વસિયો રે…સહજાનંદ મારે મન વસિયો….” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…એ અખંડ સુખ ના સ્ત્રોત સમાન શ્રીજી ની છબી દેખાય પછી સીધી અંતર માં જ સોંસરવી ઉતરી જાય ને…..!! બાકી શુ રહે?? એ એક મન માં વસી જાય પછી સહજ જ આ લોક અને તેના ઉપભોગ સર્વે ફિકકા લાગે……જેને દૂધપાક ના આણા હોય તે ખાટી છાસ માટે દોરાય…???? 😊….હરિ ના અપ્રતિમ આકર્ષણ માં ….બ્રહ્માંડો ખેંચાઈ જાય….!! એ પછી મિત્ર ધવલ દ્વારા મૂર્તિ ના પદો ની આ શૃંખલા માં આગળ ” ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે…..” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું……..! અદભુત પદ….! એ પછી પૂ.દિવ્યકિશોર સ્વામી અને યુવકો દ્વારા “સતસંગ વિના, જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને….” બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત પદ સ્વરબદ્ધ થયું…….બ્રહ્મસત્ય….જીવ ને સત્સંગ નો ..અર્થાત સત્સંગ એટલે કે સાચા પુરુષ….સાચા શાસ્ત્ર….સાચા ભગવાન નો સંગ થાય તો જ જન્મમરણ ની આ લખચોરાસી ટળે…. બાકી તો માયા ના આ ગાઢા પડળ માં થી આપમેળે છટકવું શક્ય જ નથી….!

એ પછી ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના 4 થી 6 ડિસેમ્બર દરિમયાન ના નડિયાદ વિચરણ ના દિવ્ય દર્શન નો લાભ વીડિયો ના માધ્યમ થી થયો……

અદભુત દર્શન……

એ પછી જેની ઉત્કંઠા થી પ્રતીક્ષા થઈ રહી હતી તે પ્રવચન અને વક્તા નું આગમન થયું…..પૂ. અક્ષરવત્સલ સ્વામી જેવા વિદ્વાન સંત ના મુખે ” સનાતન ધર્મ” વિશે રસપ્રદ પ્રવચન નો બીજો ભાગ રજૂ થયો….જોઈએ સારાંશ માત્ર…..

  • સનાતન ધર્મ અજોડ..અતુલ્ય છે….મહાસાગર જેવો છે કે જેનું ઊંડાણ કોઈ પામી શક્યું નથી……જેની વ્યાખ્યા કરવી અઘરી છે….અતિ વિશાળ છે છતાં મદ થી છલકાતો નથી…કોઈ પાળ માં બંધાયેલો નથી…..1948 માં કાલુપુર સ્વામિનારાયણ મંદિર ના મહંત શાસ્ત્રી યજ્ઞપુરૂષ દાસ અને એક વૈશ્ય ભક્ત વચ્ચે કાનૂની વિવાદ થયેલો….એમાં જજો ની બેચ સનાતન ધર્મ ની વ્યાખ્યા કરવા બેઠેલી પણ વ્યાખ્યા થઈ શકી નહીં….એમણે આ સનાતન ધર્મ ને ધર્મ નહિ પણ જીવન જીવવા નો એક માર્ગ કહેલો……
  • આ સનાતન ધર્મ સદ્ગુણો…લક્ષણો..જીવન ની કેળવણી આદિક પર આધારિત છે. ભગવાન વેદવ્યાસ શાંતિ પર્વ માં કહે છે કે સૌના પ્રત્યે સદભાવ…સત્ય..શાંતિ..પવિત્રતા જેવા સદગુણ હોય…નિયમ ધર્મ હોય તે સનાતન ધર્મ છે….જો આવા સદગુણ આપણા માં નથી તો આપણે સનાતની નથી….આવા સદ્ગુણો માં…સનાતન નિયમો માં..ભગવાન માં….આત્મા પરમાત્મા, કર્મ ફળ અને પુનર્જન્મ , મૂર્તિ પૂજા અને અવતારવાદ માં અતૂટ શ્રદ્ધા …એ જ સનાતન ધર્મ…
  • અવતારો ની સંખ્યા માં અલગ અલગ શાસ્ત્રો માં ભેદ છે……આપણે સનાતન ધર્મ માં અવતારો ની સંખ્યા માં કોઈ મર્યાદા નથી….સંભવામી યુગે યુગે……શ્રદ્ધા મુજબ ભાવિકજનો… આદિ શંકરાચાર્ય થી લઈને ચૈતન્ય મહાપ્રભુ સુધી ભગવાન ના અવતારો ગણે છે…..આમ, અવતાર વાદ શ્રદ્ધા મુજબ જ ચાલે છે….એ જ સનાતન ધર્મ નું સૌંદર્ય છે….છતાં ભગવાન ની ભક્તિ ક્યારેય ઓછી થઈ નથી…થવાની નથી……ભલે ને વિરોધીઓ આક્રમણ કરે…!!
  • એવી જ શ્રદ્ધા કરોડો લોકો ના અંતર માં ભગવાન સ્વામિનારાયણ ને પરબ્રહ્મ માનવા માં છે……જેને કોઈ ડગાવી શકે નહીં…….ભગવાન સ્વામિનારાયણ ને પરબ્રહ્મ એમ ને એમ નથી ગણતા…..એના અનેક કારણો છે……
  • સ્વામિનારાયણ ભગવાન ને ઘણા સમાજ સુધારક કે સંત કે મહાપુરુષ….માને છે..એમાં કોઈ વાંધો નથી…પણ ભગવાન સ્વામિનારાયણ ના સમય ના સમકાલીન સમાજ સુધારક રાજા રામ મોહનરાય આદિક થયા , પણ એમને કોઈએ એમને ભગવાન ન ગણ્યા……તો એવું તે શું હતું સહજાનંદ સ્વામી માં ..કે એ એમને ભગવાન ગણાયા????
  • ગુરુ રામાનંદ સ્વામી એ સહજાનંદ સ્વામી ને દીક્ષા આપી ત્યારે એમને ભગવાન તરીકે ગણ્યા હતા…એનો ઉલ્લેખ એ સમય ના દસ્તાવેજી પુસ્તકો માં છે. સ્વમુખે, સ્વામિનારાયણ ભગવાને પોતાના પત્રો, વચનામૃત, પ્રસંગો દ્વારા અને પોતાના જીવન અને કાર્ય, ઐતિહાસિક વિચરણ યાત્રા માં આ પુરુષોત્તમ પણુ છલકાઈ ઉઠે છે..મુક્તાનંદ…ગોપાળાનંદ …બ્રહ્માનંદ…નિત્યાનંદ…નિષ્કુળાનંદ સ્વામી આદિક મોટા મોટા અતિ વિદ્વાન સંતો ના અનુભવો…….અતિ જડ ,વ્યસની મનુષ્ય માં થી નિષ્ઠાવાન હરિભક્ત બનેલા સમકાલીન વ્યક્તિઓ…..એ સમય ના રાજાઓ…અતિ પ્રતિષ્ઠિત વ્યકતીઓ સ્વામિનારાયણ સત્સંગી થયા…. એના પ્રસંગો ….જીવન પરિવર્તન ના પ્રસંગો…એની સાક્ષી પૂરે છે……..
  • એ સમય ના ત્રણ હજાર થી વધુ ધન સ્ત્રી ના ત્યાગી વિદ્વાન સાધુઓ ( એ પણ અતિ કઠિન એવા 113 પ્રકરણ માં થી પસાર થયેલા) , સમાધિ પ્રકરણ ( એના દસ્તાવેજી પુરાવા હજુ છે…..બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પણ એ જ સમાધિ પ્રકરણ ચલાવેલું…જેના ફોટો, ન્યૂઝ આર્ટિકલ હજુ છે…) , અતિ ગહન શાસ્ત્રો ની રચના, ગગનચુંબી મંદિરો…વડતાલ માં પોતાની મૂર્તિ ની સ્થાપના પોતાના હાથે કરી…પોતાના શિષ્યો ના સુખાકારી માટે માગેલા બે વરદાન…..સામાજિક સુધારા ના કાર્યો…. મહિલા ઓ ના શિક્ષણ પર ભાર મુક્યો, દહેજ પ્રથા બંધ કરાવી, દીકરી ને દૂધપીતી રિવાજ બંધ કરાવ્યો, સતીપ્રથા ને બંધ કરાવી…..આ બધું દસ્તાવેજી પુરાવા સાથે છે…..
  • આજે સ્વામિનારાયણ સંપ્રદાય સૌથી સુખી છે …એની પાછળ આ જ રહસ્ય છે…..એ જ સ્વામિનારાયણ ભગવાન આજે પણ ગુણાતીત પરંપરા દ્વારા પ્રગટ છે…..જે પ્રત્યક્ષ દેખાય છે. આ સંપ્રદાય નો વિરોધ એ સમયે પણ હતો અને આજે પણ વિરોધ છે અને કદાચ ભવિષ્ય માં ય વિરોધ રહેશે…..છતાં આ સંપ્રદાય ના મૂળિયા…..આ સનાતન ધર્મ સંપ્રદાય ના પાયા ડગશે નહીં……સમગ્ર સનાતન ધર્મ નો સાર રૂપ તત્વ…..નિયમ ધર્મ…ભક્તિ વૈરાગ્ય અહીં પ્રગટ પ્રમાણ જોવા મળશે….

અદભુત પ્રવચન…..!! સમગ્ર સભા તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠી…..!!! એ પછી જાહેરાત થઈ કે તિથિ મુજબ ના પ્રમુખસ્વામી મહારાજ ની જન્મતિથિ ઉત્સવ ની પ્રતીક ઉત્સવ આવતા રવિવારે ઉજવાશે…..પૂ. બ્રહ્મપ્રકાશ સ્વામી રચિત એક સંવાદ પણ રજૂ થશે. અબુધાબી મંદિર નો પ્રતિષ્ઠા ઉત્સવ નજીક છે……એના માટે થોડીક સૂચના ઓ રજૂ થઈ…જો આપ પ્રતિષ્ઠા ઉત્સવ માં જવાના હો તો ..Festival of harmony એપ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

આજે સભામાં સદગુરુ પૂ.ત્યાગવલ્લભ સ્વામી હાજર હતા…એમનું જાહેર સન્માન થયું…..પ.ભ. હર્ષદભાઈ ચાવડા નું પણ સ્વાગત થયું…..

આજની સભાનો એક જ સાર હતો…….કે પૂર્વ ના અનંત પુણ્ય પ્રગટ થયા હશે તો જ આવા સર્વોપરી ભગવાન નું શરણું મળ્યું છે…..અને એ જ સર્વોપરી શ્રીહરિ ….એમના એકાંતિક સંત ગુરુ રૂપે પ્રત્યક્ષ પ્રમાણ મળ્યા છે……આપણા ભાગ્ય નો કોઈ પાર નથી…એ લખી રાખવું…..

બસ પ્રાપ્તિ ના કેફ ને વધાવી લેવો……..

જય જય સ્વામિનારાયણ……

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

રાજ


Leave a comment

BAPS રવિસભા-03/12/23

પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો જે,

“હે મહારાજ! આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જેને પોતાના કલ્યાણની ઇચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવાં અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન-પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. એનો એ જ ઉત્તર છે.”

— વચનામૃત- ગઢડા મધ્ય 62

આજે અમદાવાદ ધુમ્મીલ હતું…….છેલ્લા બે દિવસ થી ત્રણેય ઋતુઓ જાણે કે હળીમળી ને અમદાવાદ પર …ગુજરાત પર રાજ કરતી હોય તેવો માહોલ છે….પણ આપણા હૃદય મન પર તો એક હરિ નું જ રાજ છે અને સદાય રહેશે……..તો એ જ મારા જગન્નાથ ના અદભુત દર્શન કરીએ…..એને વધાવીએ….

સભાની શરૂઆત પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ……મન મૂર્તિ માં સહેજે જોડાઈ ગયું…..એ પછી એ જ સંત ના શાસ્ત્રીય રાગ માં ” રહેજો..રહેજો રે….તમે સદાય સાથે રહેજો રે…..” પૂ.મહાપુરુષ દાસ રચિત પદ રજૂ થયું……આ સાવરા ગુમાની….હરિવર ને અંતર માં અખંડ રાખવો અઘરો છે અને એટલા માટે જ એની જ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી બ્રહ્મરૂપ થવું પડે…..જો એ થાશું તો જ એ રીઝશે અને હૈયા માં અખંડ સહજ આનંદ પ્રવર્તશે…..!!! એ જ વાત ગુણાતીત ગુરુ ના સતત સાનિધ્ય ની છે…….એના માટે પણ પાત્રતા કેળવવી પડે. એ પછી યુવક મિત્ર જૈમીન અને અન્ય દ્વારા ” મોરે મંદિર આજ બધાઈ…ગાઓ મંગલ માઈ રે….” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન પદ અને ” માઇરી મેં તો પુરુષોત્તમ વર પાયો….” અને ” મંગલ છાઈ રહ્યો ત્રિભુવન મેં….” મુક્તાનંદ સ્વામી રચિત પદો…રજૂ થયા……..શ્રીજી એકવાર રાજી થાય અને અંતર ને મંદિરિયે પધારે….બિરાજે પછી બાકી શુ રહે?? આઠો જામ બસ સુખ ની જ લ્હાણી……!!

ત્યારબાદ અમદાવાદ શહેર ના વિવિધ વિસ્તારોમાં ઉજવાયેલા અન્નકૂટ ઉત્સવો ના દર્શન કરાવતો એક વીડિયો રજૂ થયો……

અદભુત દર્શન…..!!

આજે સ્વામિનારાયણ નામ ના ડંકા બ્રહ્માંડ માં ગુંજે છે…BAPS એકલા ના જ આજે 1550 થી વધુ મંદિરો સમગ્ર જગત માં સ્થપાયેલા છે…..એ જ શૃંખલા માં આજે અમદાવાદ ના જગતપુર ખાતે બની રહેલા નવીન શિખર બદ્ધ મંદિર ની રચના વિશે વિસ્તૃત માહિતી વીડિયો ના માધ્યમ થી મળી……આજે અમદાવાદ માં 40 થી વધુ સંસ્કાર ધામો…. શાહીબાગ નું મુખ્ય મંદિર….અને 760 થી વધુ મંડળો ચાલે છે……સત્સંગ શ્રીજીની મરજી થી કૃપા થી એટલો બધો વિસ્તર્યો છે કે શાહીબાગ સિવાય પણ એક અન્ય મોટા શિખરબદ્ધ મંદિર ની જરૂર હતી જે આજે જગતપુર ખાતે રચાઈ રહ્યું છે……..!

એ પછી આ નવીન જગતપુર મંદિર નિર્માણ ની વિશેષ માહિતી પૂ. નિર્મલ ચરિત સ્વામી એ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપી. જગતપુર ના આ મંદિર માં સંત નિવાસ, ઉતારા,હોસ્ટેલ, સભા ખંડ, પ્રેમવતી અને ખુલ્લી જગ્યા છે….કુલ 104 ફૂટ ઊંચું મંદિર….135000 ઘનફૂટ માર્બલ વપરાશે…….વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ લગભગ 750 થી વધુ ગાડીઓ માટે….ની રચના 2025 ના અંત સમયમાં થશે. આ વિશાળ મંદિર ના નિર્માણ ની સેવા ની લખણી શરૂ થઈ ગઈ છે……..અચૂક લાભ લેવો….ત્યાં અભિષેક મંડપ બની ગયો છે….પૂજા વિધિ માં જોડાવા માંગતા હરિભક્તો ને ત્યાં જ પૂજન અભિષેક નો લાભ મળશે…તેનો અવશ્ય લાભ લેવો. વિશેષ માહિતી આગામી સમય માં સંતો અને કાર્યકરો દ્વારા સર્વ ને મળશે.

એ પછી કોઠારી પૂ. ધર્મતિલક સ્વામી દ્વારા આ જ કડી માં વિશેષ પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ માત્ર….

  • આપણે અનોખા છીએ કારણ કે આપણે પ્રત્યક્ષ ગુણાતીત ગુરુ સાથે જોડાયેલા છીએ…..આવા મોટા પુરુષ માટે શું ન થાય?? ઉત્તર વચનામૃત માં શ્રીજી મહારાજે આપ્યો છે….આપણે જગતભરના સત્સંગીઓ દેખાવ,વેશ ભૂષા માં ભિન્નતા છે પણ અભિન્ન છે એ – ભગવાન અને મોટા પુરુષ માં અનન્ય નિષ્ઠા છે…..એ બધામાં એક છે……
  • આપણે આટલા મોટા મંદિરો…મોટા ઉત્સવો નું આયોજન સહેલાઇ થી થાય છે કારણ કે 1) આપણે ત્યાં ભગવાન અહીં પ્રગટ રીતે સત્પુરુષ માં પ્રત્યક્ષ બિરાજમાન છે….2) હરિભક્તો નું તન મન ધન થી સંપૂર્ણ સમર્પણ……
  • આપણું બધું ભગવાન નું આપેલું છે…..બધું એમનું ધાર્યું જ થાય છે…એમની મરજી વગર એક સૂકું પાંદડું પણ હાલી શકતું નથી…..એટલે જ એમના માટે એમની આજ્ઞા મુજબ વ્યવહાર મા થી દશાંશ વિશાંશ ભગવાન ના ઋણ માટે અવશ્ય કાઢવો જેથી વ્યવહાર મા સુખિયા રહેવાય……માટે જ દાન ધર્મ અવશ્ય કરવું…..પણ વિવેક પૂર્વક સુપાત્ર ને જ કરવું.
  • કોઈનું દાન અર્થે આપેલું ભગવાન સ્વીકારે છે અને અનેક ઘણું પાછું આપે છે…..ભગવાન તો ભક્ત વત્સલ છે..કોઈનું બાકી રાખતા નથી…એ સુદામા હોય…દ્રૌપદી હોય…કે અનેક સમર્પિત હરિભક્તો ના પ્રસંગો…..એ બધા આ વાત ના સાક્ષી છે કે ભગવાન અને સંત ને આપેલું નિમિત્ત માત્ર ગણી ને આપણ ને અઢળક લાભ …અનેક ગણું…આપે છે….આ તો આજ્ઞા માં રહે એ ભક્તો ને સુખિયા કરવા ભગવાન અને સંત ના ચરિત્ર માત્ર છે. જ્યારે કપરો સમય હતો ત્યારે બોચાસણ મંદિર નિર્માણ વખતે સોનામહોર ભરેલા ચરુ મળેલા છતાં શાસ્ત્રીજી મહારાજે એને પાછા પાયા માં મુકાવી દીધા અને એક એક રૂપિયા માટે હરિભક્તો ના ઘરે ઘરે જઈ ભિક્ષા માંગી…..શુ સ્વાર્થ હતો?? શાસ્ત્રીજી મહારાજે સ્વયં કહેલું કે જે મારી ઝોળી માં એક દાણો પણ અર્પણ કરશે તેનું મારે કલ્યાણ કરવું છે…….બસ, જીવમાત્ર નું કલ્યાણ જ એમનો સ્વાર્થ છે.
  • માટે જ મોટા પુરુષ ની આજ્ઞા મુજબ ચોખ્ખો ધર્માદો કાઢવો જ જોઈએ …..જેથી વ્યવહારે સુખી રહેવાય….શુદ્ધ ભાવે સેવા કરી લેવી…..ભગવાન અને સંત નું આપેલું જ એમને પાછું આપવા નું છે……

ત્યારબાદ પૂ. ઇશ્વરચરણ સ્વામી ના આશીર્વચન નો લાભ મળ્યો….એમણે કહ્યું કે- જગતપુર ના મંદિર ની જગ્યા પ.ભ. લાલજીભાઈ ચૌહાણ દ્વારા મળેલી……અમદાવાદ નો સત્સંગ આજે અનેકઘણો વધ્યો છે……શાહીબાગ નું આ સ્થાન મહાપ્રસાદી નું છે….શ્રીજી અને સંતો આ માર્ગે સાબરમતી માં સ્નાન માટે જતા..અહીં આંબાવાડિયું હતી અને અહીં આરામ કરતા…શાસ્ત્રીજી મહારાજ અહીં બે બે માસ રહેતા…કપરી સ્થિતિ માં અહીં મંદિર રચાયું….જગતપુર નું મંદિર આખું મકરાના માર્બલ માં બને છે…..સુંદર જાળીઓ….મોટો સભા મંડપ, બૅઝમેન્ટ માં પાર્કિંગ, ઉતારા, પ્રેમવતી બધું જ છે. ગુરુ આજ્ઞા એ આ બધું થાય છે….માટે જ સેવા નો મોકો ઝડપી લેવો…….ગુરુ ને રાજી કરી લેવા…

અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં બાળ મહોત્સવ ઉજવાયો છે…ઉજવાવવા નો છે……તેનો વીડિયો દર્શન નો લાભ મળ્યો…

આપણા શહેર ને સ્વચ્છ રાખવા માટે ની શપથ – સર્વે એ લીધી……! સ્વચ્છતા અંતર ની હોય કે બહાર ની…..હરિ ને એ જ ગમે…!!!

આવતા રવિવારે સભા અહીં શાહીબાગ મંદિરે જ રાખી છે…..

આજ ની સભા- સમર્પણ….નિમિત્ત ભાવ ની હતી……બધું ભગવાન નું આપેલું છે અને એના ચરણો માં જ આપવા નું છે. એ તો ભાવ નો ભૂખ્યો છે પણ એની આજ્ઞા મુજબ , એના સંકલ્પ ની પૂર્તિ માં આપણે માધ્યમ બનવા નું છે……જો એ કરશું તો એ રાજી થશે અને એના રાજીપા થી વિશેષ શુ હોઈ શકે????

એ રાજી તો બધું જ રાજી….!!! એના રાજીપો એ જ આપણું જીવન….!!!

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય જય સ્વામિનારાયણ….

રાજ…


Leave a comment

BAPS રવિસભા- 26/11/23

આજે મારા માટે વિક્રમ સંવત 2080 ની પ્રથમ સભા હતી…..ગયા રવિવારે બહાર હોવાથી સભામાં હાજર ન રહેવાયું….આજે સવાર થી જ અમદાવાદ અને સમગ્ર ગુજરાત મેઘરાજા ની ઘટા માં ઢંકાયેલું હતું…..વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો અને ઠંડી બર્ફીલી બની ગઈ….છતાં સમય પહેલા સભામાં પહોંચી ગયો….નવા વર્ષ માં પ્રથમ વાર જ મારા વ્હાલા ના હૃદય ભરી ને દર્શન કર્યા……હરિ તો સૌનો….તો ચાલો હરિ ને અંતર માં વસાવીએ….

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ” રામકૃષ્ણ ગોવિંદ…..” ધૂન થી થઈ……સંપ્રદાય ના પાયા ની આ ધૂન થી અંતર હરિમય થઈ ગયું…..એ પછી મિત્ર જૈમીન દ્વારા રાગ ચારુકેશી માં ” સબસે ઊંચી પ્રેમ સગાઈ…..” ભક્તકવિ સુરદાસ રચિત પદ રજૂ થયું……આ તો અનેરો ભક્તિ માર્ગ છે જ્યાં સર્વ સમર્થ ભગવાન એક પ્રેમ ના શસ્ત્ર થી જ જીતાય છે…..એ તો સાવરો ગુમાની છે….એ તો કેવળ અને કેવળ પ્રેમીજન ને જ વશ થાય છે…….ઝૂકે એનો શ્રીનાથ……વ્રજસખી ને વશ વનમાળી સદાય…..!!!! એ પછી પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી ના મુખે ” કલી મેં સાચો સતયુગ આયો……” પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…..સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા અને એ જ અખંડ સુખ સર્વ ને આપ્યું….આત્યંતિક કલ્યાણ નો માર્ગ સર્વ ને બતાવ્યો…સર્વે જીવ ને સાચા અર્થમાં બ્રહ્મરૂપ થવાનો માર્ગ બતાવ્યો…….આમ, જ્યાં ભગવાન પ્રગટ ત્યાં જ ધર્મ..અને ત્યાં જ સતયુગ….!!….ત્યારબાદ જૈમીન દ્વારા મહાદેવ નો મહિમા પ્રગટ કરતું પદ ” કૈલાશ કે નિવાસી…નમું બારબાર હું….” ….પ્રસ્તુત થયું….આપણા સનાતન ધર્મ ની શોભા જ આ છે….હરિ હોય કે હર…..બસ એમની ભક્તિ થકી જ પરમ કલ્યાણ ને પામવા ના માર્ગ સહજ મળી રહે છે…….જીવ ને શિવ કરે એ જ આ સનાતન ધર્મ…..!!!

અમદાવાદ શાહીબાગ મંદિર, માં દિવાળી ઉત્સવ..અન્નકૂટ ઉત્સવ આદિક ઉત્સવો નો દર્શન લાભ વીડિયો ના માધ્યમ થી સૌને મળ્યો……

અદભુત…રસપ્રદ વીડિયો દર્શન…..!!!

ત્યારબાદ પૂ. અક્ષર વત્સલ સ્વામી જેવા અતિ પ્રખર વક્તા અને વિદ્વાન સંત ના મુખે..” હૈયે જ્યોત જલાવીએ…સનાતન ધર્મ ની” વિષય પર પ્રવચન નો લાભ મળ્યો…..જોઈએ સારાંશ….

  • સનાતન ધર્મ…..સનાતન જ છે અને સ્વામિનારાયણ સંપ્રદાય એ વૈદિક અને સનાતન ધર્મ નો જ એક ભાગ છે…..સનાતન ધર્મ નો અર્થ …..સનાતન એવો…અવિનાશી ધર્મ છે….ગીતા માં ભગવાન શ્રીકૃષ્ણ એ આ જ વાત કરી છે…..આ ધર્મ…અજન્મા છે….અવિનાશી છે…જેની આધુનિક ઇતિહાસ પણ પુષ્ટિ કરે છે……મનુષ્ય ની ઉત્પત્તિ સાથે સંકળાયેલો છે….
  • સનાતન ધર્મ એટલે જ હિન્દૂ ધર્મ??? હિન્દૂ શબ્દ કોઈ પુરાતન …વૈદિક શાસ્ત્રો માં નથી…..આ શબ્દ બહાર ના લોકો એ આપણ ને આપેલો છે…..પર્શિયન ઇતિહાસ માં આ શબ્દ નો પહેલો ઉપયોગ થયેલો….સિંધુ નદી ની આસપાસ રહેતા લોકો એટલે હિન્દૂ…એમાં બૌદ્ધ..જૈન બધા જ આવી ગયા…….બાકી આપણો મૂળ ધર્મ સનાતન જ છે……આપણે જ સૌથી પ્રાચીન છીએ….આપણો ઋગ્વેદ સૌથી પ્રાચીન પુસ્તક છે…..આપણા ધર્મ ની ઓછા માં ઓછી દસ હજાર વર્ષનો ઇતિહાસ છે…..જે સાબિત થયું છે…..બાકી ના ધર્મ નો ઇતિહાસ 2500 વર્ષ ની આસપાસ નો જ છે…..ઇજિપ્ત..ગ્રીક..રોમન…આદિક સાંસ્કૃતિક પરંપરા ઓ નાશ પામી…..આજે એ નથી…પણ હજારો વર્ષ થી આપણી સંસ્કૃતિ…આપણો ધર્મ આજે પણ ટકી રહ્યો છે…..એ જ સંસ્કૃત પરંપરા હજુ પણ જીવાય છે….
  • બાહ્ય આક્રમણ ખોરો એ આપણી સંસ્કૃતિ પર ભયાનક આક્રમણ કર્યા…..ભારે નરસંહાર..મંદિરો વિદ્યાપીઠો નો નાશ થયો છતાં…..આપણું અસ્તિત્વ આજે પણ એટલું જ નવપલ્લવિત છે…..તાજું છે…..આ ધર્મ એક વિશાળ જ્ઞાન પ્રવાહ છે…એમાં અનેક પ્રવાહો ઉમેરાયા છે…..આ ભાગીરથી નદી સદાય વહેતી રહી છે…..કારણ એના માં સંકીર્ણતા નથી…જડતા નથી……એના માં નવા પ્રવાહ ભળ્યા છે પણ સ્વરૂપ એ જ રહ્યું છે……
  • ભગવાન ના અવતારો પ્રગટ થતાં રહ્યા છે…..એમના નામ શાસ્ત્રો માં ઉમેરાતા રહ્યા છે….ધર્મ માં વધાવતા રહ્યા છે…..ઋગ્વેદ માં આશરે 60 થી વધુ દેવો ના નામ છે…એમાં થી ઘણા ના નામ આજે અજાણ્યા છે…તો સામે આપણા ભગવાન ના અવતારો ને સમગ્ર દુનિયા એ પણ સ્વીકાર્ય કર્યા છે……આ તો સનાતન ની વિશિષ્ટતા છે…જેમાં સહેજે જડતા નથી….આર્ય સમાજ વાળા સ્વામી દયાનંદ સરસ્વતી એ તો પોતાના ગ્રંથ સત્યાર્થ પ્રકાશ ભગવાન કૃષ્ણ…મહાદેવ….સ્વામિનારાયણ નું ખંડન કર્યું છે છતાં એ સનાતની ધર્મ ના કહેવાયા……અહીંયા સર્વે મત મતાંતર નું સ્વાગત થાય છે……કોઈ જડતા નથી….
  • સનાતન ધર્મ એક..પણ દાર્શનિક મત ને આધારે અનેક સંપ્રદાય છે……પોત પોતાના મત..ઇષ્ટદેવ ને જ એ સર્વોપરી ગણે છે..અન્ય અવતારો નું ખંડન… ન્યુન અધિક પણુ બતાવ્યું છે……છતાં આ સર્વે એક સનાતન ધર્મ નો એક ભાગ છે……અહીં મત ભેદ છે…..એ પણ સ્વીકાર્ય છે…..બૌદ્ધ અને જૈન જેવા અલગ જ દાર્શનિક મત..તત્વજ્ઞાન ધરાવતા ધર્મ …પણ સનાતન ધર્મ ના ભાગ રૂપે જ અભિન્ન રહ્યા છે……..
  • સનાતન ધર્મે સર્વે મત…તત્વજ્ઞાન….તાત્વિક ભેદ…..સંપ્રદાય….પેટા ધર્મો ને સહેજે સ્વીકાર્યા છે…..આ અવિનાશી ધર્મ પ્રવાહ છે જેમાં સર્વે નું અંગ સ્વીકાર્ય છે…..સનાતન ધર્મ ને એક શબ્દ ની વ્યાખ્યા માં બાંધવું મુશ્કેલ છે…..અનેક વ્યાખ્યા ઓ છે પણ સનાતન ધર્મ એના થી અધિક વિસ્તૃત છે……વિશાળ છે……કોઈ અવતાર ને માનો કે ન માનો…એના થી સનાતની થવાતું નથી…..સનાતન ધર્મ કૈક અલગ જ છે…..
  • સનાતન ધર્મ…એટલે સર્વે મતો…તત્વજ્ઞાન….નું સ્વાગત……તપ,ત્યાગ,ભક્તિ,ધર્મ,સત્ય,પ્રેમ,સમજણ,જ્ઞાન,દયા..કરુણા ….વગેરે સદ્ગુણો નો સમન્વય એટલે સનાતન ધર્મ…….!!જીવન નુઅંતિમ લક્ષ્ય સમજાવે…મુક્તિ પમાડે…એના માર્ગ બતાવે…એ જ સનાતન ધર્મ…..!!
  • સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ નું જ સાચું સ્વરૂપ છે…..જ્યાં સ્વામિનારાયણ ભગવાન ને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અને તેમના સર્વે અવતારો ને એવા જ આદર, પૂજ્ય ..ભક્તિ ભાવ થી પૂજવા માં આવે છે……આ સંપ્રદાય નું તત્વજ્ઞાન વૈદિક છે….જે વેદો..ઉપનિષદો…પુરાણો આધારિત છે……સ્વામિનારાયણ ભગવાન પોતે સર્વે ભગવાન ના અવતારો ની ભક્તિ ની વાત કરી છે…..સર્વે વૈદિક શાસ્ત્રો ના સાર રૂપ વચનામૃત અને શિક્ષાપત્રી આપ્યા…….અક્ષર પુરુષોત્તમ નું જ્ઞાન પ્રગટ કર્યું……એ જ પરંપરા માં આજે મહંત સ્વામી મહારાજે અમેરિકા અક્ષરધામ માં ભારત ભર ના 555 તીર્થ ક્ષેત્રો..નદીઓ ના રજ અને જળ પધરાવ્યા છે…….
  • આ સ્વામિનારાયણ સંપ્રદાય માં તમામ હરિભક્તો એકાદશી હોય કે જન્માષ્ટમી.. રામનવમી…શિવરાત્રી કે અન્ય ઉત્સવો…..તે દિવસે તપ..ઉત્સવ અવશ્ય કરે છે……આપણે સનાતન ના બધા નિયમ ધર્મ…ઉત્સવો…અવતારો…આચાર્યો નો આદર…ભક્તિ…પાલન કરીએ છીએ……જે વેદોક્ત ભાષ્ય આપણે ત્યાં રચાયા છે, તેમાં કોઈ નું ખંડન નથી…….સર્વે ના તત્વજ્ઞાન આપણે આદર થી સ્વીકારી ને આપણું તત્વજ્ઞાન આગળ કર્યું છે……..અમેરિકા ના અક્ષરધામ માં તો આપણા સનાતન ધર્મ ના સર્વે અવતારો…ભક્તો ની મૂર્તિઓ સ્થાપવા માં આવી છે……
  • આપણી ભક્તિ વેદ શાસ્ત્રો મુજબ પતિવ્રતા ની ભક્તિ છે…જેમ પત્ની માટે પોતાનો પતિ જ સર્વોપરી તો આપણા માટે આપણા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જ આપણા માટે સર્વોપરી……પણ એનો મતલબ એ નથી કે બીજા અવતારો નું ખંડન થાય…અપમાન થાય…..અહીં તો ભગવાન સ્વામિનારાયણ ની આજ્ઞા છે કે કોઈ પણ દેવ ની નિંદા ન કરવી…..કોઈ અવતારો નું ખંડન નહીં…..એટલે જ આપણે સાચા સનાતની છીએ……કોઈનો પણ દ્રોહ કરી એ તો આપણે સનાતની ન કહેવાઈએ..એવું મહાભારત કહે છે………
  • આપણે સાચા સનાતની છીએ…એ વાત દ્રઢ રાખવી…એનો ગર્વ લેવો…….આપણે સાચા સત્સંગી થઈએ…એટલે સાચા સનાતની થઈ જઈએ……આ શાસ્ત્રોક્ત છે…..એમાં લેશમાત્ર પણ સંશય ન થવો જોઈએ…..અક્ષરધામ ની ..આપણા મંદિર ની ધજાઓ…સનાતન ધર્મ ની ધજાઓ છે….જે શિખરે ફરકે છે….ફરકતી રહેશે……ગર્વ છે કે આપણે સ્વામિનારાયણ સત્સંગી છીએ…..

અમદાવાદ ના જગતપુર મંદિર નું નિર્માણ કાર્ય ચાલે છે તેની વિશેષ માહિતી આવતા રવિસભા માં મળશે…..એના પછી ની રવિસભા શતાબ્દી ઉત્સવ ની સ્મૃતિ સભા રૂપે એ જ શતાબ્દી મેદાન માં યોજાશે……

આજની સભાનો એક જ સાર હતો કે……..સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મ નું જ સ્વરૂપ છે…..અજ્ઞાની …દ્વેષી લોકો ભલે બુમ બરાડા પાડે ……પણ જેને સ્વામિનારાયણ સંપ્રદાય ના સાચા જ્ઞાન ની જાણકારી છે…..તેને સત્ય શુ છે એ સહેજે સમજાય છે……..સ્વામિનારાયણ સત્સંગી હોવાનો ગર્વ આપણ ને છે……..બસ એનું સાચું જ્ઞાન અને ગર્વ આપણ ને થવો જોઈએ……!!

જય જય સ્વામિનારાયણ……

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

રાજ


Leave a comment

BAPS રવિસભા-29/10/23

ગયા બે રવિવાર હું અમદાવાદ બહાર હતો આથી રવિસભા નો લાભ ન લેવાયો….પણ આજે એ ખોટ સરભર કરવા સમયસર સભામાં પહોંચી ગયો….ગઈકાલે ગુણાતીત પૂર્ણિમા…અર્થાત શરદ પૂર્ણિમા હતી પણ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ પણ હતું…..આથી આજે પૂર્ણ ચંદ્ર ના દર્શન નો લ્હાવો અદભુત હતો…..તમે પણ કરો એ પૂર્ણ ચંદ્ર…પૂર્ણ પુરુષોત્તમ ના દર્શન…..

સભાની શરૂઆત યુવક મિત્રો ના વૃંદ દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ….ત્યારબાદ મિત્ર પ્રશાંતભાઈ ના સ્વરે ” થઈ રહ્યો છે જયજયકાર રે સ્વામી મળવા થી…..” મુનિ અખંડનંદ રચિત પદ રજૂ કર્યું. આપણે તો અહીં સ્વામી મળ્યા એ જ સુખ છે…એ જ જય છે……આ તો બ્રહ્મ ની પ્રાપ્તિ છે જે પરબ્રહ્મ ની પ્રાપ્તિ માં અનિવાર્ય છે……! એ પછી ધવલભાઈ દ્વારા ” ધન્ય ધન્ય આ શરદપુનમ નો દન…..”અખંડાનંદ મુનિ દ્વારા જ રચિત પદ પ્રસ્તુત થયું…એ જ અક્ષરબ્રહ્મ ની સ્મૃતિ અને મહિમા…….ગુણાતીત પ્રગટ થયા અને સમગ્ર જગત ને પરબ્રહ્મ નો યથાર્થ મહિમા સમજાયો…..જીવમાત્ર ને આત્યંતિક કલ્યાણ નો માર્ગ સહજ મળ્યો….! એ જ ક્રમ માં જૈમીન દ્વારા ” સ્વામી ગુણાતીતાનંદ આજ આવી ને અઢળ ઢળ્યા….” એ જ અખંડા નંદ મુનિ રચિત પદ રજૂ થયું…..બળવત્તર પદ અને બુલંદ અવાજ…..અને એ જ સર્વોપરી મહિમા…..!!! પછી કસર શુ રહે??? એ પછી પૂ. પ્રેમવદન સ્વામી અને યુવકોના સયુંકત સ્વરો માં ” સહજાનંદ જી શરણ તમારે રાખો રે…..” પદ રજૂ થયું……સ્વામી નો મહિમા….સ્વરૂપ ઓળખાણ અને કાર્ય ..આ પદ માં સહેજે મળી જાય છે. ભગવાન મનુષ્યવતાર ધરે ત્યારે એ પોતાના ધામ, પાર્ષદ, ભક્તો અને ઐશ્વર્ય સાથે જ પધારે છે……એ જ આ સંદેશ છે.

એ પછી, ગયા રવિવારે 22/10/23 ના રોજ બાપા અહીં અમદાવાદ હતા અને એમના સ્વાગત ની સભા ના દિવ્ય દર્શન નો લાભ વીડિયો ના માધ્યમ થી મળ્યો…..

અદભુત વીડિયો….!! બાપા ના આશીર્વાદ મુજબ અંતઃકરણ શુદ્ધ કરવા નું છે….હૃદય ની ભાવના શુદ્ધ કરવાની છે , આમ થશે તો અંતઃકરણ અક્ષરધામ થશે અને અક્ષરપુરુષોત્તમ મહારાજ સાક્ષાત એમાં બિરાજમાન થશે……

એ પછી, અમેરિકા અક્ષરધામ માં પાયા ની સેવા કરનાર , વિદ્વાન સંત અને પ્રખર વક્તા એવા પૂ. અક્ષરવત્સલ સ્વામી ના અક્ષરબ્રહ્મ વિશે અતિ રસપ્રદ પ્રવચન થયું….જોઈએ સારાંશ….

  • આપણા હજારો વર્ષ પુરાણા વેદો શાસ્ત્રો માં અક્ષરધામ ના સ્વરૂપ વિશે અદભુત વર્ણન છે….જે આજે અમેરિકા અક્ષરધામ સ્વરૂપે મૂર્તિમંત થયું છે….જેની ખ્યાતિ સમગ્ર જગત માં પ્રસરી છે….દુનિયાભર ના સમાચાર પત્રો…. મીડિયા માં આનો ઊંડાણ થી ઉલ્લેખ થયો છે….
  • ગઈકાલે લગભગ 21000 અમેરિકનો એ અક્ષરધામ ની મુલાકાત લીધી…..આ અક્ષરધામ , 2000 વર્ષ ના હિન્દૂ મંદિર સ્થાપત્ય નો અર્ક છે…..જેનું નિર્માણ 12500 જેટલા સ્વયંસેવકો એ ભેગા મળી ને ..નિષ્ઠા થી કર્યું છે…એમની ગાથા નો જોટો જડે તેમ નથી…
  • અમેરિકા નો ભાવિક રાવલ…જે કર્મે પાઇલોટ છે..એ પોતાની કારકિર્દી ને બે વર્ષ માટે અટકાવી ને અહીં સેવામાં આવી ગયો હતો…..એ જ રીતે તિલક કરી ને યુવકે પાઇલોટ તરીકે ની કારકિર્દી અટકાવી ને સેવા માં આવી ગયા….માળા ના મણકા ઓ પર બધા સ્વયંસેવકો ના નામ લખી ને બાપા ને અર્પણ કરી……!!!
  • અતિ નિષ્ઠાવાન સ્વયંસેવક નું લિસ્ટ અનંત છે પણ અહીં ઉદાહરણ તરીકે જેમનો ઉલ્લેખ અહીં થયો તેમાં- હરિકૃષ્ણ જોશી, નિહાર (નેફ્રોલોજિસ્ટ) અને સૌમિલ, નિલ બફેલો શહેર( 5 વર્ષ સેવા) , અભી, અક્ષર પટેલ (સિસ્કો),મિત અને શશાંક, અશિષભાઈ(Philadelphia)..વગેરે…વગેરે….આવા અનેક હરિભક્તો એ પોતાના નોકરી ધંધા સગવડો સંબંધો ને મર્યાદિત કરી એક ભગવાન માટે સમર્પિત થઈ ગયા…અમૂકે સતત બે વર્ષ ની તો અમૂકે 5 વર્ષ ની સેવા કરી……!!! અને નિષ્ઠા એટલી કે આપણે સર્વ ના મસ્તક નમી જાય…..એમની ગાથા ઓ સાંભળી ને સ્વયં બાપા ના આંખ માં ઝળઝળિયાં આવી ગયા હતા….!!! આ લિસ્ટ માં સ્ત્રી હરિભક્તો પણ પાછળ નથી…..એ સર્વે ના નામ સુવર્ણ અક્ષરે સંપ્રદાય ના સેવા ઇતિહાસ માં કોતરાઈ ગયા છે……આ સૌ હરિભક્તો એ બધા માટે પ્રેરણા રૂપ છે….સર્વ ને સાષ્ટાંગ દંડવત કરીએ તો ય ઓછા છે…..

એ પછી પૂ.યજ્ઞપ્રિય સ્વામી એ હારતોરા થી પૂ.અક્ષરવત્સલ સ્વામી નું અભિવાદન કર્યું.

ત્યારબાદ સદગુરુ પૂ. ઇશ્વરચરણ સ્વામી નો મહિમા કાર્ય, ગુરુઓ નો રાજીપો…યોગદાન ..સમર્પણ ના દર્શન કરાવતો વીડિયો રજૂ થયો……અદભુત….!!! સ્વયં બાપા એ કહ્યું કે ઈશ્વર સ્વામી તો અમારા સૌનો પ્રાણ છે….બધું કાર્ય એ જ કરે તો ય સૌની પાછળ રહે……!!!! અદભુત….અદભુત….!

ત્યારબાદ પરમ પૂજ્ય ઇશ્વરચરણ સ્વામી એ આશીર્વચન આપતા કહ્યું કે ……અક્ષરધામ અમેરિકા નું નિર્માણ..સ્વયંસેવકો ની સેવા ગાથા ઓ…નિષ્ઠા ની કોઈ વાત થાય એમ નથી……સૌ ખૂબ જ ભણેલા ગણેલા હરિભક્તો…..એમની સેવા જોઈએ તો એમ જ થાય કે એમનામાં મહારાજ સ્વામી નો પ્રવેશ થયો છે અને જે કાર્ય 5 વર્ષે થાય એ માત્ર બે વર્ષ માં જ પૂરું કરી નાખ્યું…..શીખવા નું એટલું બધું ઝડપી કે કલ્પનામાં ન આવે…..!! વિપરીત વાતાવરણ વચ્ચે આવી પથ્થર ની અઘરી સેવા કરી….કોઈની સેવા..નિષ્ઠા મંદ નહોતી પડી….! અમેરિકા ના ખૂણેખૂણા થી હરિભક્તો સેવામાં આવ્યા અને baps એક પરિવાર જેમ એકબીજા થી આત્મીયતા થી બંધાયા….સતત બે વર્ષ સુધી બધાએ સહજ આનંદ સાથે જ સેવા કરી છે….! પ્રમુખસ્વામી મહારાજ 94 વર્ષ ની ઉંમરે ત્યાં પધાર્યા અને જમીન નો ખૂણેખૂણો જોયો…અને આશીર્વાદ આપ્યા કે જીવમાત્ર અહીં દર્શને ખેંચાશે…..!! આ સનાતન ધર્મ નું મંદિર છે….આપણા ગુણાતીત ગુરુઓ ના સંકલ્પ થી આ અક્ષરધામ રચાયું છે……અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત ના ડંકા વાગ્યા છે….!!!

પૂ.યજ્ઞપ્રિય સ્વામી એ સમગ્ર અમદાવાદ સત્સંગ મંડળ તરફ થી પૂ ઇશ્વરચરણ સ્વામી અને અમેરિકા અક્ષરધામ માં સેવા આપનાર અન્ય સંતો નું અભિવાદન થયું……

આજની સભામાં અમદાવાદ શહેર ના મેયર અને હોદ્દેદારો હાજર હતા જેમનું સન્માન થયું….સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન ગીરીશભાઈ દાણી એ baps સ્વયંસેવકો ને..એમની સેવા..સમર્પણ ના ગુણ ને વધાવ્યો…..પોતાને પ્રેરણા મળે એ માટે એમણે સંતો પાસે થી આશીર્વાદ માંગ્યા….!!

આવતા રવિવારે વિક્રમ સંવત વર્ષ ની અંતિમ સભા છે….સૌ હાજર રહેશો.

આજની સભાનો એક જ સાર હતો- જ્યાં ભગવાન અને એના એકાંતિક સંત પ્રત્યક્ષ હોય ત્યાં નિષ્ઠાવાન હરિભક્તો ની કમી ન હોય…….કલ્પનામાં ન આવે એવા કાર્ય સ્વયં ભગવાન એ હરિભક્તો માં પ્રવેશ કરી ને કરાવે…….!! ભગવાન આપણ ને પોતાના કાર્ય ના માધ્યમ તરીકે પસંદ કરે એના થી વિશેષ શુ હોય..???

બસ …આપણે તો નિમિત્ત માત્ર રહેવું…..સર્વે એક હરિ અને ગુરુ પર છોડી દેવું….એમની આજ્ઞા માં યથાર્થ વર્તીએ એટલે ભયો..ભયો….!!

સૌ સ્વયંસેવકો ના ચરણો માં સાષ્ટાંગ દંડવત સહિત …જય જય સ્વામિનારાયણ……..

રાજ