પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
“ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિષે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળનાં જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઈ જાય છે….”
———————-
વચનામૃત ગઢડા પ્રથમ -08
ઇસવીસન 2024 ના વર્ષ ના નવીન વર્ષ ની આ પ્રથમ સભા …..નવા ઉમંગ…નવા ઉત્સાહ…..નવા જોમ જામ સાથે ની આ એકાદશી ની સભાની શરૂઆત મારા વ્હાલા ના સદાય નવીન દર્શન થી…….ચાલો એક એને જ જીવન ની પ્રત્યેક ક્રિયા…પ્રત્યેક ક્ષણ માં કેન્દ્ર માં સ્થિર કરીએ….
આજની જ માગશર માસ ની વદ એકાદશી એ સ્વામિનારાયણ મહામંત્ર ની ભેટ સ્વયં ભગવાન સ્વામિનારાયણ દ્વારા સંવત 1858 જગત ને ભેટ મળી હતી……222 વર્ષ પહેલાં ની આ સ્મૃતિ અર્થે જ સભાની શરૂઆત યુવક મંડળ દ્વારા જોશ સાથે ગવાતા ” ઓમ સ્વામિનારાયણ……” મહામંત્ર ની ધૂન થી થઈ……એ પછી એક યુવક દ્વારા ” વ્હાલું લાગે સ્વામિનારાયણ નામ…..”વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત પદ ખૂબ જ રસાળ સ્વરે રજુ થયું………બસ આ એક જ નામ છે જેના માટે શું ન થાય..??? એ જ સર્વે પ્રશ્નો…સર્વે સંકલ્પ વિકલ્પ નું સમાધાન છે…….જો એ અંતર માં છે તો બાહ્ય કોલાહલ ના ખારા દરિયા માં પરમ શાંતિ નો મીઠો વીરડો મળ્યો હોય એવો આનંદ થશે…..! એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા ” પ્રાણી…સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈ એ રે….” પ્રેમસખી રચિત પદ સ્વરબદ્ધ થયું…….આ મહામંત્ર નો મહિમા મોટો છે…..એ સમજાય તો એનું અખંડ સ્મરણ સહેજે રહે……સર્વે મૂંઝવણ નું સમાધાન આ જ છે….! ત્યારબાદ એક યુવક મિત્ર ના બુલંદ સ્વરે ” મારે સ્વામિનારાયણ ભજવા રે…..”પ્રેમાનંદ સ્વામી રચિત પદ રજુ થયું…..સર્વોપરી ભગવાન મળ્યા છે તો એને ભજતાં તો સંસાર…લોકલાજ કે વિઘ્ન આડા આવે તો પણ ગભરાવું નહીં…..શિર સાટે સત્સંગ કરી લેવો…..! એ પછી મિત્ર પ્રશાંત ભાઈ દ્વારા ” જે સ્વામિનારાયણ નામ લેશે….” મહિમા પદ રજૂ થયું…..અદભુત…!!
એ પછી 1984 માં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ગઢડા માં આજની જ તિથિએ આયોજિત ગઢડા મંદિર મહોત્સવ…સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ ના સ્મૃતિ દર્શન નું સુખ એક વીડિયો દ્વારા સર્વે ને મળ્યું…..
એ પછી પૂ.હરીનારાયણ સ્વામી જેવા વિદ્વાન સંત ના મુખે ” સ્વામિનારાયણ મહામંત્ર ના મહિમા” વિશે અદભુત પ્રવચન રસાળ શૈલી માં થયું…જોઈએ સારાંશ….
- વિક્રમ સંવત 1858 ..આજની જ તિથિએ ફણેણી ગામ માં ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ભેટ જગત ને આપી….જેને ગુણાતીત ગુરુઓ એ પોતાના એક જ કાર્ય હેતુ…ભગવાન ભજવા અને ભજાવા…દ્વારા જગપ્રસિદ્ધ કરી દીધો…….એના ડંકા યુગેયુગે વાગતા રહેશે…..
- આ મંત્ર જ પવિત્રતા ની ઓળખ થઈ ગઈ છે….આ મંત્ર સર્વે સમસ્યા ઓ નું સમાધાન છે……….તન, મન ધન ના પ્રશ્નો નું સર્વે સમાધાન આ મંત્ર થી થયા ના ઉદાહરણ પ્રસંગો છે. આ મંત્ર ભગવાન નો સાક્ષાત્કાર કરાવે છે….મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે……
- આ મંત્ર ભક્તે સહિત ભગવાન નું ભજન …સ્વામી એ સહિત નારાયણ નું પૂજન ….નું પ્રતીક છે…..ભગવાન ના ભક્ત…રાધાજી..હનુમાનજી…અર્જુન જી…આદિક ભક્તો ભગવાન ની ભક્તિ કરતા ભગવાન મય થઈ ગયા…ભગવાન સાથે જ એમનું પણ ભજન થાય છે……મહિમા એ સહિત…દ્રઢપણે ભગવાન નું ભજન કરવું…..શ્રદ્ધા રાખવી….ધીરજ રાખવી…..અને ભજન કરતા રહેવું.
આજે સભામાં સદગુરુ પ.પૂ.ડોક્ટર સ્વામી ઉપસ્થિત હતા…પ.પૂ.ઇશ્વરચરણ સ્વામી દ્વારા અમદાવાદ મંડળ વતી તેમનું ફુલહાર થી સ્વાગત થયું. પૂ.ડોક્ટર સ્વામી ના સેવક સંત પૂ.આદર્શ યોગી સ્વામી નું પણ કોઠારી પૂ. ધર્મતિલક સ્વામી દ્વારા ફુલહાર થી સ્વાગત થયું…
એ પછી ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આ સ્વામિનારાયણ મહામંત્ર ના મહિમા વિશે વીડિયો ના માધ્યમ થી લાભ મળ્યો…..સત્પુરુષ થકી આ મંત્ર…નિયમ ધર્મ અને ભગવાન ના સ્વરૂપ ની દ્રઢતા થાય તો સર્વે વાસનાઓ નિર્મૂળ થઈ જાય….
એ પછી પૂ.ડોક્ટર સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે ( સારાંશ માત્ર….) ….
- બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આજ્ઞા કરી હતી કે રૂપિયા 25000 નો નફો જતો કરી ને પણ રવિસભા નો લાભ લેવો….આપણા સંતો અદભુત કથા વાર્તા કરે છે…અવશ્ય લાભ લેવો…આપણા હરિભક્ત આફ્રિકા વાળા મગનભાઈ નો કથા વાર્તા કરવા નો ઇશક સૌ કોઈ જાણે છે…..કલાકો સુધી કથા વાર્તા ચાલતી…..આપણા હરિભક્તો નું સેવા સમર્પણ પણ અદભુત છે. રોબિન્સ વીલ અક્ષરધામ નું કાર્ય જુઓ તો સમજાય કે સ્વામિનારાયણ ભગવાન નો સંકલ્પ કરોડ મનવાર ભરાય એટલા જીવો નું કલ્યાણ કરવા નું છે.
- અંતઃકરણ શુદ્ધ રાખવા ની શ્રીજી મહારાજ ની આજ્ઞા છે…..આપણી પાસે બધું જ છે, પણ આપણું અંતઃકરણ શુદ્ધ છે….??? કામ,ક્રોધ..હઠ, માન, ઈર્ષ્યા આદિક અશુદ્ધિઓ અંતર માં પડી છે…તેને દૂર કરવા ની છે. જેનું અંતઃકરણ શુદ્ધ હોય તેને જ જગત યાદ કરે છે.
અદભુત પ્રવચન….!! જાહેરાત થઈ કે પ.પૂ.ડોક્ટર સ્વામી સતત એક માસ અમદાવાદ માં રહેવા ના છે. અઠવાડિયા ના ત્રણ દિવસ…સોમ,મંગળ, બુધ….લાભ મળશે. પોતાના અંગત પ્રશ્નો માટે એમની સાથે મુલાકાત માટે જે તે વિસ્તાર ના કાર્યકરો ને મળવું.
ઉત્તરાયણ 14 તારીખે સવારે ઝોળી સભા…8 થી 10 થશે. સાંજે રવિસભા નથી. 26 જાન્યુઆરી સોલા ભાગવત ખાતે બ્રહ્નમોત્સવ યોજાશે…….હરિભક્ત બહેન જીંકલ બેન દ્વારા 6 માસ ની મહેનત ને લીધે ગોંડલ ના ઘનશ્યામ મહારાજ નું તૈલ ચિત્ર તૈયાર થયું છે…જેનું પૂજન પૂ.ડોક્ટર સ્વામી દ્વારા થયું….
આજની સભાનો એક જ સાર હતો- સ્વામિનારાયણ મહામંત્ર……આ બીજ મંત્ર સમાન છે….જો જીવ માં દ્રઢ થશે….જેનું અખંડ સ્મરણ રહેશે તો હરિ ક્યાંય છેટો નથી…..અને હરિ ભેગો હશે તો છતે દેહે અક્ષરધામ નું અખંડ સુખ મળશે.
બસ…..સ્વામિનારાયણ… સ્વામિનારાયણ… અખંડ સ્મરણ કરતા રહીએ.
જય જય સ્વામિનારાયણ…..
રાજ