અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,
“કેવી મતિ એક પ્રકારની રાખ્યે રૂડું થાય ને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય? અને કેવી મતિને વારંવાર ફેરવીએ તો રૂડું થાય ને ન ફેરવીએ તો ભૂંડું થાય?”
પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે,
“ભગવાનના નિશ્ચયરૂપ જે મતિ તેને તો ફરવા જ દેવી નહીં, ભગવાનનું માહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય; ને એ મતિને વારંવાર ફેરવે તો ભૂંડું થાય. અને પોતે પોતાના મનને જાણ્યે જે મતિમાં નિશ્ચય કર્યો હોય જે, ‘મારે આમ કરવું છે,’ તે મતિને સંતને વચને કરીને વારંવાર ફેરવવી ને સંત કહે જે, ‘અહીં બેસવું નહીં ને આ કરવું નહીં,’ તો તે ઠેકાણે બેસવું નહીં ને તે કરવું નહીં. એવી રીતે મતિને ફેરવે તો રૂડું થાય ને એ મતિને ફેરવે નહીં ને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય.”
—————————
વચનામૃત – લોયા 06
આજકાલ વિવાદો..અજ્ઞાન નો ઉકળાટ વધારે છે અને એમાં એક હરિ નું જ શરણું પકડવું પડે……અને આથી જ સમય પહેલા જ મંદિરે પહોંચી ગયા…..મારા વ્હાલા ના મનભરી ને દર્શન કર્યા અને હૃદયભરી ને પ્રાર્થનાઓ કરી ……સર્વે નું ભલું હો……એ પ્રાર્થના સાથે….મારા વ્હાલા ના અમીટ દર્શન…
સભાની શરૂઆત પૂ.વિવેકમુની સ્વામી અને યુવકો દ્વારા ધૂન અને પ્રાર્થના થી થઈ…..મન હરિ માં એકાકાર થઈ ગયું…….અને કેવળ એક હરિ જ રહ્યા…..!!! આ તો સમાધિ ની જાણે કે શરૂઆત છે…..પથ લાંબો છે…વિકટ છે પણ સારથી …પણ એ જ છે….!! બસ ચલતે રહો…..!!! એ પછી પૂ.વિવેકમુની સ્વામી દ્વારા જ સદગુરુ મંજુકેશાનંદ રચિત પદ ” તારી મૂર્તિ લાગે છે પ્યારી…શ્રી ઘનશ્યામ હરિ….” રજૂ થયું…..અને એ જ મરમાળી …કિશોર મૂર્તિ ના દર્શન હૃદય માં અંકિત થઈ ગયા….મહારાજ ના એક એક અંગ નું કેવું અદભુત વર્ણન…..!!! એ તો સાક્ષાત નારાયણ મળ્યા હોય તો જ આવા કેફ થાય અને આવા પદ ની રચના થાય…..! એ પછી પૂ દિવ્યકિશોર સ્વામી ના મુખે ” જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે….” પદ રજૂ થયું…….સર્વોપરી સંપ્રદાય ….એનો સર્વોપરી સિદ્ધાંત…..કે જેમાં જીવ ના મોક્ષ…બ્રહ્મરૂપ થવા સિવાય કોઈ વાત નહીં….!! બસ બ્રહ્મરૂપ થવું….કેમ થવું….કઈ રીતે થવું….એ સર્વે અહીં સર્વ શાસ્ત્ર ના સાર રૂપે સહજ શીખવા મળે છે……તમે શીખો છો કે નહીં…?? એ તમારા પર છે…બાકી અહીં કલ્યાણ નો માર્ગ સ્પષ્ટ દેખાડ્યો છે…..એ પછી યુવકો દ્વારા ” ગાવો રે ગુણ પ્રગટ ગુરુજી ના ….અવસર નહીં મળે રે આવો રે…” ભક્તરાજ વલ્લભ દાસ રચિત કીર્તન નો લાભ મળ્યો…..! પ્રગટ નું સુખ જ સર્વોપરી છે…….માણી લેવું….!
એ પછી શ્રાવણ માસ ની પારાયણ પ્રસંગે આજે પૂ.વેદપુરુષ સ્વામી એ , શ્રીહરીલીલામૃત ગ્રંથ( આણંદ માં શ્રીહરિ નું અપમાન) પર પારાયણ નો લાભ આપ્યો….યજમાનો દ્વારા પ્રસંગોચિત પૂજા વિધિ આરતી બાદ પારાયણ શરૂ થઈ…જોઈએ સારાંશ….
- લોયા 6 ના વચનામૃત માં શ્રીહરિ એ કહ્યું છે તેમ જીવે મનધાર્યું મૂકવું…..ભગવાન અને સંત કહે તેમ કરે તો જ સુખ થાય…..સંપ્રદાય ના ઇતિહાસ માં ઘણા પ્રસંગ છે ….ભયાવાદર ના જાદવજી….ઉપલેટા ના જોરાભાઈ વગેરે ના પ્રસંગ માં સ્પષ્ટ દેખાય છે કે એ લોકો એ ભગવાન ની આજ્ઞા લોપી અને દુઃખ આવ્યું…..
- મોટા પુરુષ પૂર્વાપર નું જુએ છે ….આથી જ એમની આજ્ઞા મુજબ જ કરવું…મનધાર્યું ન કરવું. પોતાનું ગમતું મૂકી દેવું…..મોટા પુરુષ અને ભગવાન રાજી થાય એમ જ કરવું……..
- સત્પુરુષ અને મહારાજ …સદાયે પોતાના ભક્તો માટે ઝુક્યા છે…..ભક્તો ની ભૂલ ને પોતાના શિરે લીધી છે અને ભક્તો ને બચાવ્યા છે……આ નિર્માની પણુ જ તો સત્પુરુષ નો ગુણ છે…એ જ રીતે સહન કરવું- એ પણ મોટા પુરુષ નો પોતીકો ગુણ છે……જે ભક્તો વિપરીત પરિસ્થિતિ માં પણ ભગવાન ને છોડતા નથી…એમને ભગવાન પણ છોડી દેતા નથી…એની રક્ષા માં રહે છે. છેક શ્રીજી મહારાજ થી લઈને આજે મહંત સ્વામી મહારાજ સુધી…..સૌએ પોતાના શિષ્યો ના સુખાકારી માટે સદાય સહન જ કર્યું છે….અને આ ગુણ જોઈને અનેક જીવ સત્સંગી થયા છે…..
- આજના પ્રસંગ માં સ્વામી એ કહ્યું તેમ આણંદ શહેર માં દ્વેષી ઓ એ મહારાજ નું સંતો નું સાથે ના હરિભક્તો નું અપમાન ધૂળ ઢેફા થી કર્યું છતાં મહારાજે સૌને માફ કર્યા અને પરિણામ આજે આણંદ માં દેખાય છે…..આજે ત્યાં સ્વામિનારાયણ સત્સંગ સર્વોપરી છે….મહારાજ એ સમયે બોલ્યા હતા..કે ઇડરિયો ગઢ જીત્યા….!!!
- આમ, આપણા ભગવાન ની…ગુરુ ની એ જ રિતી નીતિ છે કે ..અપમાન નો બદલો અપમાન થી ન લેવો……બસ ઊલટું એના સારા માટે ભગવાન ને પ્રાર્થના કરવી…..!!! અને એટલે જ આપણા ગુરુ…આપણા ભગવાન….આપણો સંપ્રદાય સર્વોપરી છે……!!
જાહેરાત થઈ કે- એ પછી આવતા ગુરુવારે, જન્માષ્ટમી ની વિશિષ્ટ સભા બાલમંડલ દ્વારા અતિ ભવ્ય રીતે ઉજવવા ની છે …આવતા રવિવારે પણ પારાયણ છે…..ફરાળી ભાખરી લોન્ચ થઈ છે….
એક વીડિયો ના માધ્યમ થી અમેરિકા સેવામાં વ્યસ્ત સદગુરુ પૂ.ઈશ્વર ચરણ સ્વામી એ ” ક્ષમા” ના ગુણ પર પ્રવચન આપતા કહ્યું કે- માફ કરવું….સહન કરવું એ ગુણાતીત નો પોતીકો…આપણો ગુણ છે….અંતર ની શાંતિ નો માર્ગ છે. બીજા ની ભૂલ માફ કરતા શીખો….આપણા ભગવાને…ગુરુઓ એ આ જ કર્યું છે. જીવન માં કોઈના પ્રત્યે રાગદ્વેષ રાખવો નહીં….બીજાની ભૂલો ભૂલી જાઓ…..અક્ષરધામ નું નિર્માણ આ ગુણો શીખવા માટે છે….માટે જ આદર્શ સત્સંગી …બનવું…આવા ગુણ જીવન માં કેળવવા…
એ પછી એક વીડિયો દ્વારા એ જ “ક્ષમા” ના ગુણ વિશે એક સંવાદ રજૂ થયો….ભુજ ના અતિ ભયંકર ભૂકંપ પર અમેરિકા અક્ષરધામ માં એક સંવાદ સભામાં રજુ થયો હતો…એનો વીડિયો હતો. ભૂકંપ વખતે આપણી સંસ્થા એ ત્યાં તાત્કાલિક ધોરણે ભોજન શાળા શરૂ કરી સર્વે પીડિતો…સેવામાં જોડાયેલા સરકારી સ્ટાફ…સ્વયંસેવકો ને ગરમાગરમ જમવાનું પૂરું પાડ્યું. આપણા એક સંત અને એક સ્વયંસેવક ને સેવા દરમિયાન અકસ્માત થયો પણ ત્યાં ફરજ પર ના ડોકટરે એની ટ્રીટમેન્ટ કરવાની ના પાડી…..એ સંત અને સેવક પછી તો ધામ માં ગયા…કાર્યકરો માં આક્રોશ હતો અને બધાના મનમાં ગાંઠ પડી ગઈ કે આ ડૉક્ટર્સ ને આપણે હવે કોઈ સગવડ આપવી નથી…જમવાનું પણ પૂરું પાડવું નથી…….પણ આપણા ગુરુ પ્રમુખસ્વામી મહારાજે આજ્ઞા કરી કે એમની ભૂલ ભૂલી જાઓ…આપણા થી એમના જેવું ન થાય…આપણે તો સેવા કરવાની……પૂ.બ્રહ્મવિહારી સ્વામી એ પોતે એમને પીરસવા નું છે….!!! અદભુત…..અદભુત….! અતુલ્ય કરુણા….!!
એ પછી, મહંત સ્વામી મહારાજ નો યુવકો સાથે નો સંવાદ રજૂ થયો…..અમેરિકા ના આ યુવકો બાલમંડલ માં હતા ત્યારે એમને એક શિબિર માં બેસવા ઉઠવા ની અગવડ પડી હતી અને મહંત સ્વામી મહારાજે એ સમયે એમની માફી માંગી હતી…..Lesson of forgiveness…..! સ્વામીએ કહ્યું કે ક્ષમા એ ખુમારી નો ગુણ છે….હું પોતાને અને સામા વાળા ને સરખા જ સમજી ને વિચારીએ……તો ક્ષમા થઈ શકે.
આજની સભાનો એક જ સાર હતો……આપણા ગુરુ અને ઇષ્ટદેવ ની આજ્ઞા શિરસાટે રાખવી…..મનધાર્યું ન કરવું અને કોઈ આપણું અપમાન કરે તો એનું સામે અપમાન ન કરવું પણ એનું ભલું જ થાય એમ જ સદાય પ્રાર્થના કરવી….! એમાં જ સ્વામી શ્રીજી નો રાજીપો છે….અને એટલે જ આ સત્સંગ છે…..સુખ છે…
ચાલો આજની સ્થિતિ અનુસાર …સર્વે અજ્ઞાની ના કલ્યાણ માટે…એમની સદબુદ્ધિ માટે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના ચરણો માં પ્રાર્થના કરીએ…
સર્વે નું ભલું હો…..સર્વે નું કલ્યાણ હો…..
જય સ્વામિનારાયણ….. સદાય પ્રથમ શ્રીહરિ ને રે….
રાજ