“विश्वे वैदिक धर्म मर्म महिमा सत्संग विस्तारकं,
वात्सलयं करुणा अहो जनजने, आकर्षणम अद्भुतं,
नारायण स्वरूप स्वामी प्रमुख, वंदे गुरुम मुक्तिदं ।।”
આજની સભા અતિ વિશિષ્ટ હતી…..ગયા વર્ષે જગત ભર ના હરિભક્તો એ અમદાવાદ ને આંગણે પોતાના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ નો ન ભૂતો ન ભવિષ્યતિ ઉત્સવ શાનદાર રીતે ઉજવ્યો…આજે એક વર્ષ પછી એની જ સ્મૃતિ સભા હતી……પછી હૈયું ઝાલ્યું કેમનું રહે??? સૌપ્રથમ જેના માટે….જેના દ્વારા આ સર્વે છે….તેના દર્શન……
આજે સભાની શરૂઆત સૌના પ્રાણપ્યારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજ ના મહિમા ના પદો થી થઈ……સૌ યુવકો, બાળકો એ કોરસ માં એક સુરે મહિમા પ્રશસ્તિ ના પદો દ્વારા એ ગુરુહરી ની સ્મૃતિ ને તરોતાજા કરી દીધી…..અને એ જ સદાય તેજસ્વી…સ્મિત સભર…કરુણા કૃપા થી છલકાતું મુખારવિંદ મનો ચક્ષુ સમક્ષ છવાઈ ગયું…..!! જેમની એક હાકલે જીવ માત્રે પોતાનું મનગમતું મૂકી….કેવળ એક શ્રીજી ને ગમતા માં પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું…..પોતાની ટેવો…. પોતાના સ્વભાવો….પોતાની મન મરજીઓ પાછળ મુકવા ની શરૂઆત કરી…અધ્યાત્મ ના …બ્રહ્મરુપતા ના પંથે આગળ વધી ગયા…..!! એક આદર્શ શિષ્ય કઇ રીતે થવાય….આદર્શ ગુરુ કઇ રીતે થવાય…..એ સૌને શીખવી ગયા….!!!!……એમના ગુણલા ગાઈએ એટલા ઓછા છે……!!!
એ પછી એ જ મહા ઉત્સવ….શતાબ્દી મહોત્સવ ની સ્મૃતિ ઝલક એક વીડિયો ના માધ્યમ થી થઈ…….અદભુત વીડિયો….!!! એ જ સ્મૃતિ માં શતાબ્દી ઉત્સવ ના અભિન્ન ભાગ બની ગયેલા- ડોલ અને ઝાડુ, ખુરશીઓ અને બ્લોકસ……સમગ્ર સભા આગળ રજૂ થયા અને સભા રંગ માં આવી ગઈ…!!! સભાના આયોજન માં રહેલા મુખ્ય સંતો પૂ. નિખીલેશ સ્વામી…પૂ. નારાયણ મુનિ સ્વામી મંચ પર બિરાજમાન હતા…..સભા એમનો લાભ લેવાની હતી……
એમની હાજરી માં શરૂ થયો સંવાદ અને નૃત્ય સંવાદ નો પ્રારંભ…..જોઈશું સારાંશ….
- સંવાદ- 80000 થી વધુ કાર્યકરો પૈકી અમુક ના અનુભવો…..વર્ષ આખા ની સેવા કરતા કાર્યકરો હોય કે બધી સુખ સગવડો….ઘર ની ચિંતા..ધંધાપાણી …નોકરીઓ…..પ્રસંગો વગેરે છોડી ને સેવામાં આવેલા કાર્યકરો નો નિષ્ઠા ને સાષ્ટાંગ દંડવત….!!!!
- ઉત્સવ સમય ની સેવા ની સ્મૃતિ બાળકો યુવકો દ્વારા એક પરેડ- વિવિધ વેશભૂષા, મોટા દિવા,કળશ, ઢોલક દ્વારા શ્લોક વડે થઈ….નાનકડા શંભુ ના ઘરે બાપા પધાર્યા એનો વીડિયો કલીપ રજૂ થયો….યુવકો દ્વારા LED લાઇટ્સ સાથે નૃત્ય રજૂ થયું….દેશ માટે બલિદાન આપનાર જવાનો ની નૃત્ય નાટીકા નું પ્રદર્શન , વાંસ ની લાકડીઓ પર ચાલી ને નૃત્ય કરતા યુવકો, બાળનગરી ના અતિ પ્રખ્યાત શો- સુવર્ણા, શેરું, બોઝો ના નૃત્યો રજૂ થયા અને સમગ્ર સભા આનંદ થી ઝૂમી ઉઠી…..!!!! એ પછી વિવિધ વિભાગો ની સેવાઓ..મહિમા અને અનુભવો સંવાદ દ્વારા રજૂ થયા….
- યુવકો દ્વારા અતિ વિખ્યાત લાઈટ એન્ડ સાઉન્ડ શો ની એક ઝાંખી ની રજુઆત થઈ……અદભુત…..
વચ્ચે પૂ.સંતો એ સ્મૃતિ પ્રવચનો કર્યા….જોઈએ સારાંશ માત્ર……..
એમાં પ્રથમ પૂ. નિખીલેશ સ્વામી એ કહ્યું કે- ઉત્સવ માટે જમીન શોધવા બધાએ , બધા પાસા વિચાર્યા પછી, અથાગ પ્રયત્નો શરૂ કર્યા….જમીન મળી પણ એની હાલત બહુ ખરાબ….શરૂમાં 200 એકર જમીન પૂરતી લાગી…..પછી તો 200 ની 400….અંતે તો 800 એકર થઈ…..સામે જમીન ના માલિક ખેડૂતો પણ 400 થી 500 જેટલા હતા..એ સૌની સાથે સંકલન કરી ને ઉત્સવ માટે જમીન મેળવવા ની હતી….સાયન્સ સીટી ના રમેશભાઈ આદિક 4 હરિભક્તો છેલ્લા ત્રણ ચાર વર્ષ થી આની સાથે સંકળાયેલા હતા…તેમણે છેક શતાબ્દી ઉત્સવ પછી વાઇન્ડ અપ ની સેવા સુધી જોડાયેલા રહ્યા…..!!! કામ શરૂ થયું…ઝેરી સાપ , વરસાદ-કીચડ, કાચા રસ્તા …..આદિક અનેક વિઘ્નો હતા છતાં હરિભક્તો સેવા માટે ધાર્યા કરતાં અનેક ઘણી વધુ સંખ્યા માં ઉમટી પડ્યા……મહિલા ઓ હોય કે વૃદ્ધ હરિભક્તો….. સૌએ અઢળક સેવા કરી છે.
એ પછી પૂ. નારાયણ મુનિ સ્વામી એ પોતાના અનુભવો વહેંચતા કહ્યું કે- ઉત્સવમાં માં ડગલે પગલે આશ્ચર્ય ના અનુભવ થયા…..અનેક વિઘ્નો આવ્યા….પણ સત્પુરુષ ના આશીર્વાદ હતા કે નગર સર્વોપરી થશે અને…..એ મુજબ જ થયું….! “દિવાળી અને નવું વર્ષ તો નગર માં જ…” એમ સ્વામી ની આજ્ઞા થઈ અને હજારો હરિભક્તો ત્યાં ઉમટી પડ્યા……સત્પુરુષ ના આવા ઐશ્વર્ય નો અનુભવ હંમેશા થતો આવ્યો છે…અને થતો રહેશે…..!!! સેવા માટે હરિભક્તો નો ઉમંગ તો જુઓ…….સંતો ને આજીજી કરી ને કે અક્ષરડેરી ની માનતા માની ને પણ જેને સેવા માં નિયમ મુજબ યોગ્યતા નહોતી એવા વૃદ્ધ અને અશક્ત હરિભક્તો પણ સેવા માં પહોંચી ગયા…..!!! પાછા મોટા પુરુષ ની કરુણતા….અહં શૂન્યતા તો જુઓ…..નગર માં પધારેલા મુલાકાતી ઓ જ્યાં ચાલ્યા હતા એ જગ્યા ની ચરણરજ પોતાને માથે ચડાવી….!! સ્ટેજ પર થી સર્વે કાર્યકરો ને મોટા મોટા સદગુરુ સંતો , આયોજક સંતો એ દંડવત કર્યા….!! આ તો પ્રમુખસ્વામી નો ઉત્સવ હતો અને પ્રમુખસ્વામી એ જ કર્યો…….!!! ગર્વ ની વાત છે કે આવા મહા ઉત્સવ થી જગત ને આવા મોટા ઉત્સવ કઈ રીતે કરવા..એ આપણે શીખવ્યા..!! મહંત સ્વામી હૈ તો મુમકીન હૈ….!!!! સભા તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠી……!!!
સભા મંચ પર હાજર પૂ. બ્રહ્મવિહારી સ્વામી એ પોતાના અનુભવ વહેંચતા કહ્યું કે- 800 થી વધુ અતિ વિશિષ્ટ અને દોઢ લાખ થી વધુ વિશિષ્ટ આમંત્રિત મહાનુભાવો પધાર્યા…પણ આપણા ગુરુ મહંત સ્વામી એ તો નગર માં પધારનાર સર્વે વ્યક્તિ ઓ ની ચરણરજ માથે ચડાવી ને સૌને મહાનુભાવ કરી દીધા…….સ્વયં પ્રધાનમંત્રી મોદી એ પણ કહ્યું કે આ ઉત્સવ માં હું એક હરિભક્ત …એક કાર્યકર તરીકે આવ્યો છું……!! પ્રમુખસ્વામી ને મળ્યા થી બધું બદલાઈ ગયું છે…..! નગર માં એક મુલાકાત એક સારા માણસ બનવા માટે ની હતી…..પ્રમુખસ્વામી મહારાજના સ્મરણ માં ય એવી શક્તિ છે કે અશક્ય ને શક્ય કરે…..! પ્રમુખ સ્વામી મહારાજે અલગ ટેલેન્ટ નથી શોધ્યા પણ અલગ ટેલેન્ટ બનાવ્યા છે….એવો મહાનુભાવો નો અનુભવ હતો. વિદેશ મંત્રી એસ જયશંકર તો બોલી ઉઠ્યા કે આ નગર માં તો ભારત ને વર્લ્ડ કલાસ લેવલ નું બનાવવું છે એ લેવલ કરતા પણ ઊંચું લેવલ છે….!! પ્રધાનમંત્રી મોદીએ તો સુરીનામ દેશ ના રાષ્ટ્રપતિ ને નગર જોવા અમદાવાદ મોકલ્યા…..એ તો બધા અન્ય પ્રોગ્રામ કેન્સલ કરી નગર જોવા આવ્યા અને અભિભૂત થઈ ગયા……ભગવાન ની હાજરી નો મહંત સ્વામી માં અનુભવ થયો……!! આ નગર માં પધારેલા લાખો મુલાકાતીઓ ના જીવન થોડા ઘણા બદલાયા છે…એ આ નગર ની…ઉત્સવ ની ફલશ્રુતિ હતી….!
એ પછી એક વીડિયો દ્વારા પ.પૂ.મહંત સ્વામી મહારાજે શતાબ્દી ઉત્સવ ના વાઇન્ડ અપ ની સેવા નિમિત્તે આપેલા આશીર્વાદ રજૂ થયા…..! સ્વામી કાર્યકરો ની સેવા માં કેટલા રાજી હતા એ એમના શબ્દો માં …મુખારવિંદ પર દેખાતું હતું…..! એ પછી એક સંવાદ દ્વારા શતાબ્દી ઉત્સવ પછી કાર્યકરો હરિભક્તો ..મુલાકાતીઓના હૃદય પર જે એની અસર પડી છે…તેનું આકલન એક પત્રકાર દ્વારા થાય છે….એમ રજુઆત થઈ…..વીડિયો દ્વારા એ સર્વે ના અનુભવ રજૂ થયા….એમનું જીવન કેટલું બદલાયું …એની અનેક ઝલક..અનેક અનુભવ માણવા…જાણવા મળ્યા…..! સર્વે ના જીવન ખૂબ બદલાયા……બધાને ગુરુ ના વચન…ભગવાન ની કૃપા નો પ્રત્યક્ષ અનુભવ થયો…..એના આ સર્વે જીવંત ઉદાહરણ છે.
એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પોતાના પ્રેરક આશીર્વચન માં કહ્યું કે – પૂ. નિખીલેશ સ્વામી તો છેલ્લા ત્રણ વર્ષ થી ઉત્સવ ની સેવા માં ધૂણી ધખાવી ને બેઠેલા…..એ જ રીતે પૂ . નારાયણ મુનિ સ્વામી અને મોટેરા સંતો….બધા સંતો અને કાર્યકરો ની અઢળક સેવા …નિષ્ઠા ને પરિણામે આ ઉત્સવ અદભુત…અજોડ…અકલ્પનીય થયો……આપણા ગુરુ મહંત સ્વામી મહારાજે પણ આટલી મોટી ઉંમરે ખૂબ દાખડો કરેલો છે…વહેલી સવાર થી લઈને છેક મોડી રાત્રી સુધી સર્વે ને મળતા…. દર્શન આપતા……!!!
પૂ.અક્ષરવત્સલ સ્વામી એ જાહેરાત કરતા કહ્યું કે…આજની સભામાં ગુજરાત વિદ્યાપીઠ ના ઉપકુલપતિ ભરત ભાઈ જોશી હાજર હતા…એમનું, કન્ઝ્યુમર કોર્ટ ના જજ મનહરભાઈ….કલાકાર દિલીપભાઈ…સિદ્ધિ બિલડર્સ ના ભરતભાઇ અને રોનાકભાઈ..નું જાહેર માં સન્માન થયું…..એ પછી શતાબ્દી ઉત્સવ માં પોતાની અમૂલ્ય સેવા આપનાર સંતો..પૂ.ઇશ્વરચરણ સ્વામી, પૂ.શ્રીહરિ સ્વામી, પૂ.શ્રીજી સ્વરૂપ સ્વામી, પૂ.નિખીલેશ સ્વામી, પૂ.બ્રહ્મવિહારી સ્વામી,પૂ.ઋષીરાજ સ્વામી, પૂ.વિવેકજીવન સ્વામી, પૂ.વિમલપ્રકાશ સ્વામી,પૂ.વિશ્વસ્વરૂપ સ્વામી, પૂ.પ્રેમ વદન સ્વામી, પૂ. રાહુલ સ્વામી,પૂ.વિવેક મુનિ સ્વામી, પૂ.યોગી વલ્લભ સ્વામી , પૂ. ધર્મ રત્ન સ્વામી, પૂ.ભક્તિ યોગી સ્વામી નું સન્માન થયું…….!!! સૌને દંડવત…..!
એ પછી સભાને અંતે- જગતપુર મંદિર નિર્માણ…મહાપૂજા નો વીડિયો દર્શન નો લાભ મળ્યો…..શ્રી નીલકંઠ વર્ણી ચરિત્ર સિરીઝ માં આગળ નો વીડિયો Nikanth and spells of darkness પ્રગટ થયો છે….અંતે એક નૃત્ય દ્વારા સભાનું સમાપન થયું…..
આજની સભાનો એક જ સાર હતો- આપણા અનેક જન્મ ના પુણ્ય છે તો આવા સર્વોપરી ગુરુઓ….સર્વોપરી ઇષ્ટદેવ સહેજે મળ્યા છે…….તો આ પ્રાપ્તિ ના મહિમા ને વધાવી લેવો…….એને જીવ માં દ્રઢ કરી લેવો……એ જ કલ્યાણ નું સર્વોત્તમ સાધન છે.
જય જય સ્વામિનારાયણ…… સદાય પ્રથમ શ્રીહરિ ને રે……
રાજ