Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા- 16/10/22

“….ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે…….અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વકર્તા જાણે તોય પણ જન્મ-મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં. અને જે જીવ ભગવાનને સર્વકર્તાહર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી……

….જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામીસેવકભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો……”

ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વકર્તા જાણીને, તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે………..

……અમારો તો એ જ ઇશક છે ને એ જ સિદ્ધાંત છે જે, ‘તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કર્તાહર્તા જાણીને અને સ્વામીસેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી. અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં.’ માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજ્યો……”

— ભગવાન શ્રી સ્વામિનારાયણ… વચનામૃત કારીયાણી 10

આજે રવિસભા પ્રત્યક્ષ રૂપે શાહીબાગ હતી પણ પરોક્ષ રૂપે શતાબ્દી મહોત્સવ નગર માં હતી , કારણ કે અડધું અમદાવાદ સત્સંગ મંડળ “ટાણા”ની સેવા કરવા નગરે ઉમટયું હતું……ચાલો એ સૌને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ કહી ને …સર્વે ના કારણ… ક્ષેત્રજ્ઞ એવા શ્રીહરિ…મારા વ્હાલા ના દર્શન કરીએ…

સભાની શરૂઆત, સંતો યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…….ત્યારબાદ એક યુવક દ્વારા..” વંદન ગુરુજી…વંદન પ્રમુખજી…..સેવામાં રાખો સદાય…..” વનમાળી દાસ રચિત પદ રજૂ થયું. ગુરુ આજ્ઞા એ પ્રવૃત્તિ માં જોડાઈ , કેવળ એક હરિ ની પ્રસન્નતા અર્થે પ્રવૃત્તિ કરવી , એ પણ નિષ્કામી ભક્તિ નો એક પ્રકાર છે……..અને આ પણ બ્રહ્મરૂપ થવાનો માર્ગ છે……. ગુરુ આજ્ઞા એ થતી સર્વે ક્રિયાઓ…ભક્તિ રૂપ હોય છે…..! એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત અદભુત જોશીલું પદ “આજ મને સામે મળ્યો છે અલબેલો….” રજૂ થયું……! અદભુત પદ……એ અલબેલો…રંગડા નો રેલો આપણા હૃદય માં યથાર્થ વસી જાય એટલે ભયો..ભયો…!! ત્યારબાદ સારંગપુર થી પધારેલા એક સાધક દ્વારા “પ્રમુખજી….છોજી અમારું જીવન…..” કોઠારી બાપા ભક્તિપ્રિય સ્વામી રચિત પદ નો લાભ મળ્યો…..સત્પુરુષ જો આપણો આત્મા બને તો એના જેવા ગુણ આપણા થાય અને બ્રહ્મ સંગાથે બ્રહ્મરૂપ થવાય……એમાં કોઈ શક નથી.

ત્યારબાદ 28 સપ્ટેમ્બર ના રોજ મહારાષ્ટ્ર ના તીર્થસ્થાન નાસિક માં નવીન ભવ્ય મંદિર ની પ્રતિષ્ઠા વિધિ દર્શન નો વીડિયો દ્વારા સૌને લાભ મળ્યો….

ત્યારબાદ પૂ. પ્રિય સ્વરૂપ સ્વામી દ્વારા વચનામૃત કારીયાણી 10 ના આધારે રસપ્રદ પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ….

  • શરદ ઋતુ માં રચાયેલું આ વચનામૃત છે…..શ્રીજી મહારાજ ને તાવ ની કસર જણાય છે…આમાં ભગવાન નું મનુષ્ય ચરિત્ર દેખાય છે. મહારાજ ની આ કસર જ ભક્તો ને માટે કઠણ કાળ સમાન છે…આમ ભક્ત ભગવાન નો પરમ સ્નેહ અહીં દેખાય છે.
  • આવો જ સ્નેહ આજે પણ સત્પુરુષ અને હરિભક્તો વચ્ચે જોવા મળે છે…અમદાવાદ ના રામચંદ્ર ભાઈ બારોટે, પ્રમુખ સ્વામી મહારાજ ને આંખ માં તકલીફ થાય ત્યારે ભગવાન ને પ્રાર્થના કરી કે એ આંખ ની તકલીફ અમને થાય પણ બાપા ને ન થાય….!!
  • ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજી….એમના સ્વરૂપ અને મહિમા સમજી ને….કેવળ એમની પ્રસન્નતા અર્થે જ….એમને સ્વામી જાણી ને જ જે તપ થાય….સેવા થાય….તે જ ઉત્તમ છે…મોક્ષ નું કારણ છે….
  • સર્વે જીવ ના કાળ કર્મ ના ફળપ્રદ દાતા એક ભગવાન જ છે….માયા ના આવરણ થી જીવ ના સ્વભાવ ઘડાય છે….પણ સર્વ જીવ ના નિયંતા એક ભગવાન જ છે. આમ ભગવાન નું કર્તાપણું સમજવું એ મોક્ષ નું એક કારણ છે…ગ.પ્ર 65 માં કહ્યું તેમ…ભગવાન જીવ ને શક્તિ- જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ,ક્રિયા શક્તિ- આપે છે…જીવ સુષુપ્તિ માં જાય ત્યારે એને કશું જ જ્ઞાન નથી હોતું..પણ એ સુષુપ્તિ માં થી જગાડનાર એક ભગવાન જ હોય છે…..આમ મહિમા સમજવો
  • ઘણીવાર જીવ બધો મહિમા સમજે અને વર્તે તો ય દુઃખ આવે છે …કેમ?? એની પાછળ ભગવાન નો હેતુ જીવ ના કલ્યાણ માટે જ હોય છે…..શૂળી નો ઘા સોય તો ટાળવા માટે જ ભગવાન આવું કરે છે…..જીવ ના મોક્ષ માટે પણ ભગવાન આવું કરે છે….જીવ ની મોહ માયા..અહં મમત્વ તૂટે…મુક્ત થઈ પરમ પદ ને પામે એ જ ભગવાન અને મોટા પુરુષ નો સ્વાર્થ હોય છે……ગ.પ્રથમ 62 મુજબ તો ભગવાન ક્યારેક ભક્ત ની નિષ્ઠા ચકાસવા તેની કસોટી કરતા હોય છે…..!! અદભુત…અદભુત…!!
  • જીવ જો ભગવાન નો આ મહિમા..આ સ્વરૂપ…આ લીલા જાણે….સર્વ કર્તાહર્તા પણુ… સમજે… તો જીવ બ્રહ્મરૂપ થઈ એક ભગવાન ને પામે છે……જીવ નિર્ભય થઈ જાય છે……નચિંત થઈ જાય છે…..દરેક ક્રિયામાં એક ભગવાન ની આજ્ઞા માં સહજ વર્તાય છે…કોઈ સ્વભાવ નડતા નથી…મનમાં સહેજ પણ પ્રશ્ન ..સંકલ્પ કે વિકલ્પ થતા નથી……આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન માં આવી નિષ્ઠા સ્પષ્ટ દેખાય છે……સદાયે હળવાફુલ…. સદાય સ્થિર….સહજ આનંદ માં દેખાય છે……
  • બસ ..આ જ સમજવા માટે ભગવાન ને સદાય પ્રાર્થના કરવી….અને વર્તવું.

અદભુત પ્રવચન…..!! ત્યારબાદ પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વચન નો લાભ આપતા કહ્યું કે- ભગવાન ને રાજી કરવા તપ કરવું…અને મોક્ષ માટે તો એક ભગવાન ને જ સર્વ કર્તાહર્તા જાણવા..સમજવા એ જ છે….આશાભાઈ.. ઈશ્વરભાઈ નું સર્વસ્વ આગમાં ખાખ થઈ ગયું છતાં શાસ્ત્રીજી મહારાજ ને સેવા કરી ને રાજી કર્યા….પ્રમુખ સ્વામી મહારાજે એમના સેવાકાળ માં અતુલ્ય કાર્યો… પ્રગતિ કરી પણ બધું જ એક શ્રીજી દ્વારા જ થયું છે એવો વિચાર સદાય રહ્યો છે…એવો ભગવાન નો સર્વ કર્તાહર્તા નો ભાવ સમજાય તો જીવ ક્યાંય પાછો ન પડે…ડગી ન જાય…! આવા પ્રમુખ સ્વામી મહારાજ નો શતાબ્દી ઉત્સવ અત્યંત ધામધૂમ થી થવાનો છે….લગભગ 50000 જેટલા સ્વયંસેવક સમૈયા માં થવાના છે…..અમેરિકા અક્ષરધામ માં પણ હરિભક્તો તન મન ધન થી સેવામાં ખૂબ મંડી પડ્યા છે…..જોરદાર સેવા સૌ કરી રહ્યા છે….સત્સંગ ની પ્રગતિ કલ્પના બહાર ની થઈ છે….હરિભક્તો..સંતો..મંદિરો ના અદભુત કર્યો થઈ રહ્યા છે…આપણે અત્યારે ટાણા ની સેવામાં જોડાઈ જવું…..

એ પછી જાહેરાત મુજબ…અમદાવાદ ના વાસુદેવ ભાઈ મિસ્ત્રી ના પુત્ર..એકના એક પુત્ર જે એન્જીનીયર… IIM માં થી MBA થયેલા હાર્દિકભાઈ મિસ્ત્રી, અને અન્ય યુવક વિજયરાજ ભાઈ , અને ભાવેશભાઈ પટેલ (વિધવા મા નો એક માત્ર પુત્ર) દીક્ષા લેવાના છે તેમનું અભિવાદન થયું……!! અદભુત….અદભુત….!! દિવાળી ઉત્સવ માં લગભગ 10000 થી વધુ હરિભક્તો શતાબ્દી નગર માં સેવામાં જોડાવા ના છે…..! અદભુત…..! 24 તારીખે સાંજે…દિવાળી ના દિવસે ચોપડા પૂજન થવાનું છે…25 તારીખે ગ્રહણ ની સભા છે….26 તારીખે સવારે નૂતન વર્ષ ની મહાપૂજા, અન્નકૂટ દર્શન નો લાભ મળશે.

આજની સભાનો એક જ સાર હતો કે– આ સત્સંગ એ શ્રીજી નો જ સંકલ્પ છે…જે કાંઈ થઈ રહ્યું છે…અને થશે એ કેવળ અને કેવળ શ્રીજી મહારાજ ના સંકલ્પ મુજબ જ…એમની મરજી અનુસાર જ થાય છે…એમ શ્રીહરિ નું સર્વકર્તા હર્તા પણુ મનાશે… સમજાશે તો જીવન માં આપણે સ્થિતપ્રજ્ઞ બનીશું…બ્રાહ્મી સ્થિતિ સહેજે પ્રાપ્ત થશે….કલ્યાણ થશે….!! એક એમની મરજી એ જ આપણું પ્રારબ્ધ….એમનો રાજીપો એ જ આપણું કર્મ….આપણું જીવન

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય સ્વામિનારાયણ..

રાજ


Leave a comment

પુણે થી ગયો નાગપુર…નાગપુર થી નાસિક…

તો મારું પરિભ્રમણ ( ગોળાકારમાં નહિ..નિરાકાર સ્વરૂપમાં..) શરુ છે. અને હું અમદાવાદ થી પુના ગયો. આમ તો હું ઘણીવાર પુના ગયો છું અને દર વખતે પુના મને નવું જ લાગ્યું છે. એક શહેર તરીકે પુના એની કક્ષા ના બીજા શહેરો કરતા ઘણું આગળ લાગે છે. જમીન-મકાનોનો વિકાસ, આર્થિક વિકાસ , રોજગારીની તકો, લોકોની ખરીદ શક્તિ વગેરે વગેરે પરિબળોને આધારે આ હું તારણ કાઢી રહ્યો છું. અમદાવાદ પણ કંઇ પાછળ નથી , એ હું સ્વીકારું છું, પણ પુના વિકાસની આ દોડ માં આગળ છે, એ દેખીતું છે. એના મગરપટ્ટા, કોન્ડવા કે આર્મી કેન્ટોનમેન્ટનો એરિયા તમે જુઓ તો ,આ હકીકત સમજી શકો. મારું કામ પૂરું કરી , હું નાગપુર માટે રવાના થયો. નાગપુર માટેની આ મારી પ્રથમ જ સફર છે, પણ નાગપુર મને હમેંશા આકર્ષિત કરતુ રહ્યું છે કારણ કે ત્યાં આગળ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ નું હેડ ક્વાર્ટર છે અને અમારો પરિવાર વર્ષો થી સંઘ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલો રહ્યો છે. જેના માટે તન-મન-હૃદય- થી ગર્વ છે.
તો નાગપુર ,ખરેખર પુના થી ખાસું દુર પડે છે . લગભગ ૧૨-૧૩ કલાકની મુસાફરી તો છે જ…હું ગઈકાલે જ નાગપુર પહોંચ્યો. પણ શહેર પ્રથમ નજરે જ ભીડભાડ થી ભરેલું અને વિકાસ માં ખુબ જ પાછળ લાગ્યું. રિક્ષા વાળા તો અહિયા અમદાવાદના કુખ્યાત રીક્ષાવાળાઓ ને ભુલાવી દે એવા છે…કોઈ પણ જગ્યા એ જવું હોય ..૩૦-૪૦ રૂપિયાથી ઓછું તો બોલતા જ નથી!!! જો તમને જાણકારી ન હોય તો સમજો કે તમે લુંટાઈ જ ગયા!!! અને અહિયા ગુજરાતીઓ ની સંખ્યા ખાસ્સી છે પણ ગુજરાતી ભોજન શોધવા થી પણ જડતું નથી. અમે પ્રયત્ન કર્યો તો ગુજરાતી કહી શકાય એવું ભોજન ,સ્વાદે વાહિયાત અને ભાવે વધારે પડતું મોંઘુ મળ્યું. નિરાશા થઇ પણ ગુજરાતી વેપારી મન માં જાગી ઉઠ્યો અને એમાં પણ ધંધાની તક દેખાણી!!!! નાગપુર નું કામ ખતમ કરી રાત્રે નાસિક માટે જવા રવાના થયા. એસી ક્લાસ માં ટીકીટ ના મળી એટલે સ્લીપર માં ઘુસ્યા પણ મજા ન આવી. આપણી ટ્રેનો અંદર થી કેટલી ગંદી, અને અસલામત હોય છે એનો અનુભવ થયો. છેવટે ટીસી ને પટાવી, એસી ક્લાસમાં ઘુસ્યા અને છેવટે રાત તો સારી ગઈ જ….તો પહોંચ્યા નાશિક….નાસિક વિષે શું કહું? એક દમ શાંત, મંદિરો થી ભરપુર અને ગોદાવરી નદી ના સાનિધ્ય માં વસેલું આ નાનું શહેર રસપ્રદ લાગ્યું. કામકાજ ને લીધે વધારે કંઇ ફરવા તો ન મળ્યું પણ રસ્તામાં જેટલું જોયું એ મજાનું હતું.

ગોદાવરીને ઘાટે...નાસિક

આસ્થાનો ઘાટ..નાસિક

નાસિક -ત્રંબક ,આપણા હિંદુ તીર્થ સ્થાનોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આથી ગોદાવરી નદીના ઘાટ જોવા રાત્રે અમે નીકળ્યા પણ જેમ વિચાર્યું હતું તેમ જ , નદીના ઘાટ એટલા બધા ગંદા અને તીવ્ર વાસ ફેલાવતા હતા. હજારો તીર્થ યાત્રીઓ અહીં આવે છે અને નાસિક  મ્યુનિસિપાલીટી ને એની આવક પણ થાય છે છતાં આવો હાલ!!!!!!ગંદા હૈ પર ચલતા હૈ સબ!!!!આથી બસ ફટાફટ ભાગ્યા અને ગુજરાતી થાળીની તપાસ કરી પણ નાસિકમાં પણ દુકાનો અને હોટલના બોર્ડ ગુજરાતીમાં દેખાય પણ એમાં ગુજરાતી કશું નહિ…છેવટે પંજાબી જૈન ખાઈને ચલાવ્યું…..એમાં પણ મજા ક્યારેક હોય છે અને એણે પુરેપુરી માણવી એ મને આવડે છે…

જીવનમાં એક જગ્યા એ સ્થિર રહેવું કદાચ અશક્ય છે પણ મનને એક જગ્યાએ સ્થિર રાખવું કઠીન ખરું પણ અશક્ય નથી…..આથી જ તો સ્થિરતા મનોનીય છે અને તેથી જ અગત્ય ની છે….

રાજ