Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-03/12/23

પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો જે,

“હે મહારાજ! આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જેને પોતાના કલ્યાણની ઇચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવાં અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન-પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. એનો એ જ ઉત્તર છે.”

— વચનામૃત- ગઢડા મધ્ય 62

આજે અમદાવાદ ધુમ્મીલ હતું…….છેલ્લા બે દિવસ થી ત્રણેય ઋતુઓ જાણે કે હળીમળી ને અમદાવાદ પર …ગુજરાત પર રાજ કરતી હોય તેવો માહોલ છે….પણ આપણા હૃદય મન પર તો એક હરિ નું જ રાજ છે અને સદાય રહેશે……..તો એ જ મારા જગન્નાથ ના અદભુત દર્શન કરીએ…..એને વધાવીએ….

સભાની શરૂઆત પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ……મન મૂર્તિ માં સહેજે જોડાઈ ગયું…..એ પછી એ જ સંત ના શાસ્ત્રીય રાગ માં ” રહેજો..રહેજો રે….તમે સદાય સાથે રહેજો રે…..” પૂ.મહાપુરુષ દાસ રચિત પદ રજૂ થયું……આ સાવરા ગુમાની….હરિવર ને અંતર માં અખંડ રાખવો અઘરો છે અને એટલા માટે જ એની જ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી બ્રહ્મરૂપ થવું પડે…..જો એ થાશું તો જ એ રીઝશે અને હૈયા માં અખંડ સહજ આનંદ પ્રવર્તશે…..!!! એ જ વાત ગુણાતીત ગુરુ ના સતત સાનિધ્ય ની છે…….એના માટે પણ પાત્રતા કેળવવી પડે. એ પછી યુવક મિત્ર જૈમીન અને અન્ય દ્વારા ” મોરે મંદિર આજ બધાઈ…ગાઓ મંગલ માઈ રે….” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન પદ અને ” માઇરી મેં તો પુરુષોત્તમ વર પાયો….” અને ” મંગલ છાઈ રહ્યો ત્રિભુવન મેં….” મુક્તાનંદ સ્વામી રચિત પદો…રજૂ થયા……..શ્રીજી એકવાર રાજી થાય અને અંતર ને મંદિરિયે પધારે….બિરાજે પછી બાકી શુ રહે?? આઠો જામ બસ સુખ ની જ લ્હાણી……!!

ત્યારબાદ અમદાવાદ શહેર ના વિવિધ વિસ્તારોમાં ઉજવાયેલા અન્નકૂટ ઉત્સવો ના દર્શન કરાવતો એક વીડિયો રજૂ થયો……

અદભુત દર્શન…..!!

આજે સ્વામિનારાયણ નામ ના ડંકા બ્રહ્માંડ માં ગુંજે છે…BAPS એકલા ના જ આજે 1550 થી વધુ મંદિરો સમગ્ર જગત માં સ્થપાયેલા છે…..એ જ શૃંખલા માં આજે અમદાવાદ ના જગતપુર ખાતે બની રહેલા નવીન શિખર બદ્ધ મંદિર ની રચના વિશે વિસ્તૃત માહિતી વીડિયો ના માધ્યમ થી મળી……આજે અમદાવાદ માં 40 થી વધુ સંસ્કાર ધામો…. શાહીબાગ નું મુખ્ય મંદિર….અને 760 થી વધુ મંડળો ચાલે છે……સત્સંગ શ્રીજીની મરજી થી કૃપા થી એટલો બધો વિસ્તર્યો છે કે શાહીબાગ સિવાય પણ એક અન્ય મોટા શિખરબદ્ધ મંદિર ની જરૂર હતી જે આજે જગતપુર ખાતે રચાઈ રહ્યું છે……..!

એ પછી આ નવીન જગતપુર મંદિર નિર્માણ ની વિશેષ માહિતી પૂ. નિર્મલ ચરિત સ્વામી એ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપી. જગતપુર ના આ મંદિર માં સંત નિવાસ, ઉતારા,હોસ્ટેલ, સભા ખંડ, પ્રેમવતી અને ખુલ્લી જગ્યા છે….કુલ 104 ફૂટ ઊંચું મંદિર….135000 ઘનફૂટ માર્બલ વપરાશે…….વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ લગભગ 750 થી વધુ ગાડીઓ માટે….ની રચના 2025 ના અંત સમયમાં થશે. આ વિશાળ મંદિર ના નિર્માણ ની સેવા ની લખણી શરૂ થઈ ગઈ છે……..અચૂક લાભ લેવો….ત્યાં અભિષેક મંડપ બની ગયો છે….પૂજા વિધિ માં જોડાવા માંગતા હરિભક્તો ને ત્યાં જ પૂજન અભિષેક નો લાભ મળશે…તેનો અવશ્ય લાભ લેવો. વિશેષ માહિતી આગામી સમય માં સંતો અને કાર્યકરો દ્વારા સર્વ ને મળશે.

એ પછી કોઠારી પૂ. ધર્મતિલક સ્વામી દ્વારા આ જ કડી માં વિશેષ પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ સારાંશ માત્ર….

  • આપણે અનોખા છીએ કારણ કે આપણે પ્રત્યક્ષ ગુણાતીત ગુરુ સાથે જોડાયેલા છીએ…..આવા મોટા પુરુષ માટે શું ન થાય?? ઉત્તર વચનામૃત માં શ્રીજી મહારાજે આપ્યો છે….આપણે જગતભરના સત્સંગીઓ દેખાવ,વેશ ભૂષા માં ભિન્નતા છે પણ અભિન્ન છે એ – ભગવાન અને મોટા પુરુષ માં અનન્ય નિષ્ઠા છે…..એ બધામાં એક છે……
  • આપણે આટલા મોટા મંદિરો…મોટા ઉત્સવો નું આયોજન સહેલાઇ થી થાય છે કારણ કે 1) આપણે ત્યાં ભગવાન અહીં પ્રગટ રીતે સત્પુરુષ માં પ્રત્યક્ષ બિરાજમાન છે….2) હરિભક્તો નું તન મન ધન થી સંપૂર્ણ સમર્પણ……
  • આપણું બધું ભગવાન નું આપેલું છે…..બધું એમનું ધાર્યું જ થાય છે…એમની મરજી વગર એક સૂકું પાંદડું પણ હાલી શકતું નથી…..એટલે જ એમના માટે એમની આજ્ઞા મુજબ વ્યવહાર મા થી દશાંશ વિશાંશ ભગવાન ના ઋણ માટે અવશ્ય કાઢવો જેથી વ્યવહાર મા સુખિયા રહેવાય……માટે જ દાન ધર્મ અવશ્ય કરવું…..પણ વિવેક પૂર્વક સુપાત્ર ને જ કરવું.
  • કોઈનું દાન અર્થે આપેલું ભગવાન સ્વીકારે છે અને અનેક ઘણું પાછું આપે છે…..ભગવાન તો ભક્ત વત્સલ છે..કોઈનું બાકી રાખતા નથી…એ સુદામા હોય…દ્રૌપદી હોય…કે અનેક સમર્પિત હરિભક્તો ના પ્રસંગો…..એ બધા આ વાત ના સાક્ષી છે કે ભગવાન અને સંત ને આપેલું નિમિત્ત માત્ર ગણી ને આપણ ને અઢળક લાભ …અનેક ગણું…આપે છે….આ તો આજ્ઞા માં રહે એ ભક્તો ને સુખિયા કરવા ભગવાન અને સંત ના ચરિત્ર માત્ર છે. જ્યારે કપરો સમય હતો ત્યારે બોચાસણ મંદિર નિર્માણ વખતે સોનામહોર ભરેલા ચરુ મળેલા છતાં શાસ્ત્રીજી મહારાજે એને પાછા પાયા માં મુકાવી દીધા અને એક એક રૂપિયા માટે હરિભક્તો ના ઘરે ઘરે જઈ ભિક્ષા માંગી…..શુ સ્વાર્થ હતો?? શાસ્ત્રીજી મહારાજે સ્વયં કહેલું કે જે મારી ઝોળી માં એક દાણો પણ અર્પણ કરશે તેનું મારે કલ્યાણ કરવું છે…….બસ, જીવમાત્ર નું કલ્યાણ જ એમનો સ્વાર્થ છે.
  • માટે જ મોટા પુરુષ ની આજ્ઞા મુજબ ચોખ્ખો ધર્માદો કાઢવો જ જોઈએ …..જેથી વ્યવહારે સુખી રહેવાય….શુદ્ધ ભાવે સેવા કરી લેવી…..ભગવાન અને સંત નું આપેલું જ એમને પાછું આપવા નું છે……

ત્યારબાદ પૂ. ઇશ્વરચરણ સ્વામી ના આશીર્વચન નો લાભ મળ્યો….એમણે કહ્યું કે- જગતપુર ના મંદિર ની જગ્યા પ.ભ. લાલજીભાઈ ચૌહાણ દ્વારા મળેલી……અમદાવાદ નો સત્સંગ આજે અનેકઘણો વધ્યો છે……શાહીબાગ નું આ સ્થાન મહાપ્રસાદી નું છે….શ્રીજી અને સંતો આ માર્ગે સાબરમતી માં સ્નાન માટે જતા..અહીં આંબાવાડિયું હતી અને અહીં આરામ કરતા…શાસ્ત્રીજી મહારાજ અહીં બે બે માસ રહેતા…કપરી સ્થિતિ માં અહીં મંદિર રચાયું….જગતપુર નું મંદિર આખું મકરાના માર્બલ માં બને છે…..સુંદર જાળીઓ….મોટો સભા મંડપ, બૅઝમેન્ટ માં પાર્કિંગ, ઉતારા, પ્રેમવતી બધું જ છે. ગુરુ આજ્ઞા એ આ બધું થાય છે….માટે જ સેવા નો મોકો ઝડપી લેવો…….ગુરુ ને રાજી કરી લેવા…

અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં બાળ મહોત્સવ ઉજવાયો છે…ઉજવાવવા નો છે……તેનો વીડિયો દર્શન નો લાભ મળ્યો…

આપણા શહેર ને સ્વચ્છ રાખવા માટે ની શપથ – સર્વે એ લીધી……! સ્વચ્છતા અંતર ની હોય કે બહાર ની…..હરિ ને એ જ ગમે…!!!

આવતા રવિવારે સભા અહીં શાહીબાગ મંદિરે જ રાખી છે…..

આજ ની સભા- સમર્પણ….નિમિત્ત ભાવ ની હતી……બધું ભગવાન નું આપેલું છે અને એના ચરણો માં જ આપવા નું છે. એ તો ભાવ નો ભૂખ્યો છે પણ એની આજ્ઞા મુજબ , એના સંકલ્પ ની પૂર્તિ માં આપણે માધ્યમ બનવા નું છે……જો એ કરશું તો એ રાજી થશે અને એના રાજીપા થી વિશેષ શુ હોઈ શકે????

એ રાજી તો બધું જ રાજી….!!! એના રાજીપો એ જ આપણું જીવન….!!!

સદાય પ્રથમ શ્રીહરિ ને રે…..

જય જય સ્વામિનારાયણ….

રાજ…


Leave a comment

BAPS રવિસભા- 11/09/2022

આજકાલ અમદાવાદ મેઘરાજા ની છત્રછાયા થી આચ્છાદિત રહે છે અને મેઘરાજા મન આવે ત્યારે મનમૂકી ને વરસે છે….સભા શરૂ થઈ અને મેઘરાજા આજે પણ વરસી પડ્યા……સત્સંગ ની અનરાધાર વર્ષા અને સાથે મેહુલો પણ અનરાધાર….પછી કોરા કોણ રહે?? ચાલો ..જેની આ કૃપા વર્ષા છે…તે સર્વના “કારણ” કૃપાનિધિ ના દર્શન…

સભાની શરૂઆત સ્વામિનારાયણ ધૂન થી થઈ…ત્યારબાદ એક યુવક દ્વારા સદ્. મંજુકેશાનંદ સ્વામી રચિત પદ ” મુને પ્યારી રે નટવર નામ ..મૂર્તિ તારી રે…” રજૂ થયું. ભગવાન ની મૂર્તિ નું આકર્ષણ જ એવું છે કે જીવ ના બધા સંકલ્પ વિકલ્પ ઓગળી જાય…..જો કવિ દલપતરામ જેવા વિચક્ષણ કવિ ને શ્રીજી નું એક લટકું 73..73 વર્ષ સુધી ભુલાતું ન હોય તો દર્શન ના સુખ ની શી વાત કરવી??? એ પછી એક અન્ય યુવક દ્વારા ” જન્મ સુધાર્યો રે મારો….”..મુકતાનંદ સ્વામી નું પદ રજૂ થયું……આપણ ને તો શ્રીજી મહારાજ પ્રગટ પ્રમાણ મળ્યા એટલે જ જન્મોજન્મ ની તપશ્ચર્યા સફળ થઈ….જન્મારો સફળ થયો…! ત્યારબાદ પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી ના ઘૂંટાયેલા સ્વરે ..” સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ ટળે નહિ…” બ્રહ્માનંદ સ્વામી રચિત પદ રજૂ થયું…..જો આ જગત ના વિષય સંકલ્પ ….અહં મમત્વ છોડી ને એક સાચા સત્પુરુષ ના સત્સંગ થકી જીવ બાંધીએ તો સંસાર ની ભ્રમજાળ તૂટે…જીવ મુક્ત થઈ … જરૂર બ્રહ્મરૂપ થાય……!

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે 4 સપ્ટેમ્બર ના રોજ APC છાત્રાલય માં આપેલા દિવ્ય દર્શન સ્મૃતિ નો વીડિયો ના માધ્યમ થી સર્વ ને લાભ મળ્યો…….અદભુત સ્મૃતિ….!!

ત્યારબાદ વિવિધ સંતો ના મૂખે શતાબ્દી નગર માં સેવા આપતા હરિભક્તો ની અતુલ્ય સેવા ..મહિમા નો લાભ વિવિધ સંતો ના મુખે જાણવા મળ્યો….જોઈ એ સારાંશ

  • બાંધકામ વિભાગ માં સેવા આપતા પૂ. આદર્શ મનન સ્વામી એ કહ્યું કે …હરિભક્તો એ પોતાના દેહ, સુખ સગવડ ની પરવા કર્યા વગર મેદાન પર ના ઝાડી ઝાંખળા સાફ કર્યા…..ચુના થી માર્કિંગ કરવા ની સેવા હોય કે મજૂરો પણ એકવાર માટે કામ કરતા અચકાય એવી સેવા હોય કે સતત દેહ તોડી નાખે એવા ઉજાગરા હોય ….કે 20 ફૂટ ઊંડા ખાડા માં થી પાણી ખાલી કરવાનું હોય….સર્વે સેવામાં ઉમંગ ઉત્સાહ થી જોડાયા…પોતાના દેહ કૃષ્ણાર્પણ કર્યા…અને સામે સ્વામી શ્રીજી એ સૌના વ્યવહાર સાચવ્યા…એના અનેક પ્રસંગો પ્રત્યક્ષ છે.
  • એ પછી ડેકોરેશન વિભાગ માં સેવા આપતા પૂ. સમર્થ મુનિ સ્વામી એ પોતાના અનુભવ વર્ણવતા કહ્યું કે….એક હરિભક્ત ના પત્ની દિવ્યાંગ, છતાં એમની મંજૂરી લઈ… એમની દેખરેખ ની વ્યવસ્થા કરી પોતે સેવામાં આવ્યા….!! એવા તો , અનેક પ્રસંગો કે જેમાં હરિભક્તો ના ઘર ની આર્થિક વ્યવસ્થા બરાબર ન હોય, સ્વાસ્થ્ય નો પ્રશ્ન હોય , ઘરના સભ્યો બીમાર હોય…આખો દિવસ સેવા કરી હોય તો પણ સાંજે ફરીથી સેવામાં જોડાઈ જાય…સેવા તો કરે પણ સાથે સાથે પોતાના ગજા બહાર ની આર્થિક સેવા પણ સમર્પિત કરે…!! આવા તો અનેક પ્રસંગો સ્વામી એ વર્ણવ્યા …અને હરિભક્તો ની પોતાના ગુરુ માટે સર્વસ્વ સમર્પિત કરવા ની ભાવના નો પરિચય સર્વ ને થયો…! અદભુત…..અદભુત….

એ પછી એક વીડિયો ના માધ્યમ થી જન્મ શતાબ્દી ગીત ની રજુઆત થઈ…..પ્રમુખ સ્વામી કી જન્મ શતાબ્દી ….એક નિશાન હમારા હૈ…..ગીત રજૂ થયું. પ્રખ્યાત ગાયક કલાકાર શાન દ્વારા ગવાયેલું આ ગીત અત્યારે જગત માં ગુંજી રહ્યું છે….બસ હવે તો એક જ નિશાન…..શતાબ્દી ઉત્સવ …એમા સર્વસ્વ સમર્પણ…!!

ટ્રાન્સપોર્ટ વિભાગ માં સેવા આપતા પૂ. ઉજ્જવલ મુનિ સ્વામીએ કહ્યું કે …રાજુભાઇ નામના એક હરિભક્તે શતાબ્દી ની સેવામાં જોડાવા પોતાના બધા ઢોર વેચી દીધા, ખેતી નો પાક બદલ્યો…ચારધામ ની યાત્રા કેન્સલ કરી…અને એક વર્ષ ની સેવામાં જોડાયા…રોજ સવારે 3 વાગ્યે ઉઠી ને નિત્યક્રમ પુરા કરી સેવામાં જોડાઈ જાય…! કિરણ ભાઈ એ 1 વર્ષ ની સેવા માટે નોકરી છોડી તો એમના પરિવાર નો વ્યવહાર અન્ય એક હરિભક્તે ઉપાડી લીધો….! આમ, આવા અનેક હરિભક્તો એ પોતાના બધા વ્યવહાર ગૌણ કરી કે છોડી ને , સેવામાં સમર્પિત થયા છે…..જે લોકો માત્ર નોકરી ધંધા અર્થે શતાબ્દી માં કામ કરવા આવ્યા હતા…એમને એવા દિવ્ય અનુભવ થયા કે એ બધા સત્સંગી થઈ ગયા…!!

એ પછી પૂ.અમૃતયોગી સ્વામી કે સંત ઉતારા ની વ્યવસ્થા સંભાળે છે ..તેમણે પોતાના અનુભવ વર્ણવતા કહ્યું કે…નિસ્વાર્થ ભાવે સેવા નો ઉત્સાહ અહીં જ જોવા મળે……હરિભક્તો એ પોતાની સારો પગાર…સારો હોદ્દો ધરાવતી નોકરીઓ છોડી અહીં સેવામાં જોડાઈ ગયા છે……એક દિશા..એક વિચાર…પરસ્પર સુહૃદભાવ…સંપ…એકબીજાની કાળજી રાખવા ની વાત…અહીં જ જોવા મળે…! અરે…હરિભક્તો એ સંતો ના ઉતારા માટે પોતાના વિશાળ બંગલા છોડી નાના ફ્લેટ માં ભાડે રહેવા નું પસંદ કર્યું…!! અદભુત….અદભુત….!

એક વીડિયો ના માધ્યમ થી પૂ.ડોક્ટર સ્વામી એ શતાબ્દી ઉત્સવ કઈ રીતે ઉજવવો એની વિશેષ માહિતી …આશીર્વચન આપ્યા….એમણે કહ્યું કે….સંપ સુહૃદભાવ થી સેવા કરીશું તો આ ઉત્સવ ધાર્યો નહિ હોય તેવો વિશેષ થશે….સફળતા થી ઉજવાશે. આપણા ગુણાતીત ગુરુઓ એ સંપ નો મોટો મહિમા કહ્યો છે…ઘસાવું, નમવું, ખમવું, મન મૂકી દેવું…એક બીજાને અનુકૂળ થવું….એમ કરવા થી સંપ વધશે…..! એકબીજાનો મહિમા સમજાય તેવી વાત કરવી, મદદ ની ભાવના રાખવી, ભૂલ માફ કરવી…સુધારો લાવવામાં મદદ કરવી..સંપ વધારવો…..શરૂઆત આપણા ઘર થી કરવી…અને તો જ આપણો શતાબ્દી ઉત્સવ સાચા અર્થ માં સફળ થશે.

પૂ.સંતે જાહેરાત કરતા કહ્યું કે આજની શતાબ્દી સ્વયંસેવક ની શિબિર હતી જે અત્યંત સફળ રહી….85% હાજરી સાથે લગભગ 2700 કાર્યકરો હાજર રહ્યા….આવતા રવિવારે પૂ.આનંદ સ્વરૂપ , બીજા ફેજ ના વિસ્તાર ની સભાનો લાભ આપશે. હવે જે હરિભક્તો 35 દિવસ ની સેવા માં જોડાઈ નથી શક્યા…..એ 15 દિવસ ની સેવામાં જોડાઈ શકશે…..આ મહંત સ્વામી મહારાજ ની આજ્ઞા મુજબ ટાણા ની સેવા છે….જેની જાહેરાત પરાસભા માં થશે. મહિના ના ઓછામાં ઓછી 2 પરાસભા …હવે થી શતાબ્દી મેદાન પર સેવા તરીકે થશે…રાત્રે 8 થી 12 સમય ગાળો રહેશે…!! ….અદભુત…અદભુત….!

પૂ. મહંત સ્વામી મહારાજે સર્વે સંતો હરિભક્તો ને એક પત્ર દ્વારા ” દિવાળી અને નવું વર્ષ …શતાબ્દી મેદાન પર..” ની હાકલ કરી છે…એનું પઠન થયું અને સમગ્ર સભા બળ માં આવી ગઈ…

આજની સભાનો એક જ સાર હતો કે જે ગુરુ એ આપણા માટે એમનું સમગ્ર જીવન કૃષ્ણાર્પણ કરી દીધું …એના માટે શું ન થઈ શકે???

વિચારો………વિચારો…..કારણ કે હવે વારો આપણો છે…

જય સ્વામિનારાયણ…. સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ