મારી છેલ્લી પોસ્ટ ૧૯ ઓગસ્ટ ના રોજ હતી અને આજે ૩૦ ઓગસ્ટ છે……..અર્થાત ૧૧ દિવસ ના લાંબા અંતરાલ બાદ નવી પોસ્ટ આવી છે…..કારણ?? કાઈ નહિ…..બસ આળસ……!!! સાચી વાત છે….આજકાલ વાતાવરણ જ કૈક એવું છે કે- વરસાદ રોજ અંધારે છે અને પડતો નથી……એની આવી આળસ ને સાથ આપવા હું પણ આળસુ થઇ ગયો છું……થોડીક અવળવાણી……
“….અબ કરે સો આજ કરે……આજ કરે સો કલ……..;
ઇતની જલ્દી અભી ક્યા હૈ પ્યારે…જબ જીના હૈ બરસો……”
હાહાહા………!! જે હોય તે પણ બીલ ગેટ્સ ના નામે ફરતો એક મેસેજ એવું કહે છે કે- બીલ ગેટ્સ ને આળસુ માણસો વધુ પસંદ છે કારણ કે- એ કોઈ પણ કામ ..અલગ રીતે…ઓછી મહેનતે…ઓછા સમય માં કઈ રીતે થઇ શકે ??..એની નવી રીતો શોધી કાઢે છે….!! 🙂 ….જે હોય તે…પણ આળસ સારી નથી જ એ બધાનો અનુભવ છે……હું હવે ધ્યાન માં રાખીશ કે- આળસ નામના શત્રુ ના જાસા માં આવ્યા વગર – કૈંક નવું….મનગમતું -અહી બ્લોગ પર ટીંગાડતો રહીશ…..! તો શું ચાલે છે આજકાલ..??
- ૨૦ મી તારીખે- આ દેહ નો જન્મદિન ગયો……હજુ કેટલા બાકી?? ખબર હોત તો અહી થોડા બેઠા હોત?? જે હોય તે- પણ એવું જીવવું કે- આપણે સ્થૂળ દેહે ન હોઈએ ત્યારે આજુબાજુ વાળા ને આપણી ખોટ સાલવી જોઈએ……( સારી રીતે કે નરસી રીતે….એ પ્રશ્ન પણ થવો જોઈએ…) ….આજ તારીખે- તેજાબી લેખક ચંદ્રકાંત બક્ષી અને આપણું નાક કપાવે એવા પપ્પુ ગાંધી ના પિતાશ્રી રાજીવરત્ન ગાંધી નો પણ જન્મ દિવસ હતો…..પણ- કોઈ એ મારી સરખામણી- આમની સાથે કરવી નહિ…કેમ?? એ પણ ન પૂછવું…!
- તો- જન્મદિવસે શું કર્યું?? સોમવારે જન્મ દિવસ હતો..આથી ઉજવણી રવિવારે જ – કરવામાં આવી……અર્ધાંગીની ને સમય મળે- એમ જ ઉજવણી થાય ને…!! હરિ તો આખા ગામ માં – સામે થી કહી આવ્યો કે- મારા પપ્પા નો જન્મ દિવસ છે…અને ચોકલેટ વિતરણ નો વ્યાપ વધારી દીધો…! હાહાહા…..
- સ્વીમીંગ- છેવટે ૨૫૦ મીટર તરવા ની આકરી પરીક્ષા મેં પાસ કરી દીધી…આથી કહી શકાય કે- હું તરી શકું છું..પણ ક્યાં?? એ પ્રશ્ન છે…….કોચ દ્વારા સલાહ આપવામાં આવી છે કે- ભલે પરીક્ષા પાસ કરી- પણ પાણી જોઈ કુદી ન પડવું…..!! કેમ…? તમને લાગે છે કે તમને તરતા આવડે છે…પણ પાણી ને થોડી ખબર છે કે- તમને તરતા આવડે છે??? હાહાહા……જે હોય તે- પરીક્ષા પાસ કરી -પણ અમદાવાદ મહાનગર પાલિકા ના અણઘડ નિયમ તો જુઓ……શીખાઉ માટે- આખા વર્ષ નો ( માર્ચ થી એપ્રિલ જ ગણાય…) ચાર્જ-૧૮૦૦ રૂપિયા…અને ૬ માસ માટે ( માર્ચ થી સપ્ટે.-) ૧૧૦૦ રૂપિયા……અને ઓકટોબર થી માર્ચ ના – ૭૦૦ રૂપિયા…….! મેં અધ-ઓગસ્ટ માં પરીક્ષા પાસ કરી આથી…..જો મારે પૈસા ભરવા હોય તો- એક જ વિકલ્પ બચે- ઓક્ટોબર થી માર્ચ વાળો……અને એ માટે મારે એક મહિનો- તરવા નો લાભ લીધા વગર બેસી રહેવું પડે……અને ઓક્ટોબર માં ફરીથી પરીક્ષા આપી- પૈસા ભરવા ના….!!! પરીક્ષા ફરીથી આપવા ની…..એ પણ કોઈ પણ જાત ની પ્રેક્ટીસ વગર…….હવે વિચારો- કેવું અઘરું છે…….! આના કરતા- મહિના ના ફીક્ષ ચાર્જ માં તરવા ના દે??? અમદાવાદ ના વહીવટ કારો માં ક્યારે બુદ્ધિ આવશે???
- રક્ષાબંધન- સમય અત્યારે એવો ચાલે છે કે- કોઈ ની પાસે -પોતાના પરિવાર-રીત રીવાજો માટે જાણે કે સમય જ નથી……ઘરમાં હું સૌથી નાનો……મોટી બે બહેનો-પછી મારો મોટો ભાઈ..અને હું છેલ્લો….! સમય અને સંજોગો ને લીધે -ભાઈ અને બહેન ન આવી શક્ય….માત્ર સૌથી મોટી બહેન આવી- એ પણ ખુબ મોડી……પણ એનો લાભ- આશીર્વાદ મળ્યા- એ જ મોટી વાત…..! લાગે છે- કે- રક્ષા બંધન – હવે પહેલા જેવી નહિ રહે……ઓનલાઈન રાખડી ઓ મળી જશે…..અને ઓનલાઈન સબંધો ચમકી ઉઠશે…….! જેવી હરી ઈચ્છા……..! સમય સાથે ચાલુ- એ જ સમય ની માંગ છે………..
- શ્રાવણ માસ- દર વર્ષ ની જેમ એકટાણા – નિર્વિઘ્ન ચાલે છે…..શરૂઆત માં નક્કી કર્યું હતું કે- એકટાણું કરવું……અને બીજા સમય માં – માત્ર ફળ પર જ રહેવું……શરૂઆત તો સારી રહી પણ પછી- દેહ ભાવ વધ્યો……અને મનેકમને – વેફર્સ કે ચેવડો લેવો પડ્યો……..! જે હોય તે- પણ આજ્ઞા મુજબ થોડું ઘણું યે વર્તાય છે તેનો આનંદ છે…બાકી આ દેહ ..આ મન તો વાંદરા ને પણ શરમાવે તેવું છે…….! જે પણ કૈક ઇન્દ્રિયો પર નિયંત્રણ થાય છે તે કેવળ અને કેવળ- શ્રીજી અને સત્પુરુષ ની જ દયા છે…- હજુ શ્રાવણ ને પૂરો થવામાં ૧૦ દિવસ બાકી છે………અને હિમત ભરપુર છે……
- સત્પુરુષ- શાસ્ત્રો જેને અક્ષરબ્રહ્મ……બ્રહ્મ…..અક્ષર…..ભગવાન ને રહેવાનું ધામ કહે છે…તે સ્વયમ મનુષ્ય દેહે- મહંત સ્વામી મહારાજ રૂપે – અમદાવાદ ને આંગણે- ૨ જી સપ્ટેમ્બર ના રોજ પધારી રહ્યું છે……અમારી સેવા છે……અને સમગ્ર અમદાવાદ ને સમીપ દર્શન નો લાભ મળવા નો છે…….પછી સુખ માં બાકી શું રહે?? આ વખતે સતત ૨૦ દિવસ સુધી – ધાર્યા કરતા વધુ સુખ મળવા નું છે………જોઈએ- હરિ ઈચ્છા શું છે??
તો- બસ….બીજું શું?? સમય ની સાથે ડગ ભરતા રહો……..થાક લાગે તો થોડોક પોરો ખાઈ લો..પણ પાછા વળવા ની વાત ન કરો……..સતત આગળ વધવું- એ જ જીવન…!
જય સ્વામિનારાયણ…………
રાજ