Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-31/03/24

सत्यस्य स्वात्मनः सङ्गः सत्यस्य परमात्मनः।

सत्यस्य च गुरोः सङ्गः सच्छास्त्राणां तथैव च॥८॥

विज्ञातव्यमिदं सत्यं सत्सङ्गस्य हि लक्षणम्।

कुर्वन्नेवंविधं दिव्यं सत्सङ्गं स्यात् सुखी जनः॥९॥

સત્સંગ દીક્ષા

અર્થાત- સત્ય એવા આત્માનો સંગ કરવો, સત્ય એવા પરમાત્માનો સંગ કરવો, સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સચ્છાસ્ત્રનો સંગ કરવો એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું. ……આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે…….

ઉનાળો હવે અમદાવાદ ને ઘેરી રહ્યો છે……પણ સત્સંગ માં તો શિર સાટે ય જવું એવો મોટા પુરુષો નો મત છે…..આખરે અહીં તો ક્ષણભંગુર દેહ ના કલ્યાણ કરતા અક્ષર એવા જીવ ના કલ્યાણ ની વાત છે…..પછી એક અમદાવાદી તરીકે જ્યાં ફાયદો મોટો હોય ત્યાં જ જાવું અને પરિણામે આજની સભામાં સમય પહેલા પહોંચી ગયા…..સૌપ્રથમ મારા વ્હાલા ના અદભુત …શાંત…શીતળ દર્શન……ચાલો તૃપ્ત થઈએ….

સભાની શરૂઆત મન ને સ્થિર કરનારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ……..એ સ્થિર થયું એટલે જીવ મૂર્તિ માં ચોંટ્યો….. એક યુવકે ” ધર્મપતિ હરિકૃષ્ણ જી ..તમે ભક્તપતિ ભગવાન…..એ વર માંગુ છું…” પ્રેમાનંદ સ્વામી રચિત પ્રાર્થના પદ રજૂ કર્યું…….અને હૃદય એ પ્રાર્થના માં લીન થઈ ગયું…..નિર્વિકલ્પ…એકાંતિક…નિર્દોષ બુદ્ધિ યુક્ત…દાસનુદાસ ભાવે અખંડ ભક્તિ એ જ સદાય ની પ્રાર્થના છે. જો એ મળે તો બ્રહ્મરૂપ ચપટી માં થવાય…..!! ત્યારબાદ યુવક મિત્ર ધવલ દ્વારા “સદગુરુ એ સાન માં સમજાવીયું રે લોલ…..સત્સંગ વિના સુખ ક્યાંય નથી રે લોલ….” ભક્ત કવિ વલ્લભ દાસ રચિત પદ રજૂ થયું……બ્રહ્મસત્ય….! સત્સંગ વિના જીવ ને સુખ ક્યાંથી મળે??? જીવ નું પોષણ જ એ કરે છે….ત્યારબાદ મિત્ર નીરવ ના સ્વરે ” સ્વામી શ્રીજી નું આ જ્ઞાન …સિંહ ગર્જના સમાન….” પદ રજૂ થયું……ખરેખર સાચી વાત….!! વેદોક્ત સિદ્ધાંત કે જેને સ્વયં શ્રીજીમહારાજ દ્વારા સાર રૂપે આપણ ને મળ્યો છતાં તે એક ખુણિયું જ્ઞાન તરીકે અમુક વર્ષો દબાયેલું…છાનું રહ્યું…..કારણ?? આ સિદ્ધાંત સિંહ ગર્જના સમાન હતો….કાચા પોચા માણસો નું આ કામ નહોતું….લોકલાજે….સમાજ ની …જુના શાસ્ત્રો ની તંતી ના બીકે કોઈ એને જાહેર માં પ્રગટ ન કરી શક્યા….પણ ગુણાતીત પરંપરા એ પોતાના શિર સાટે આ જ્ઞાન ને છડેચોક પ્રસરાવ્યું…… અને આજે એનું પરિણામ સમગ્ર જગત માં  અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત રૂપે બ્રહ્માંડ માં ગુંજે છે……!!!!

એ પછી ગયા રવિવારે બાપા શાહીબાગ મંદિરે રવિસભામાં પધાર્યા હતા તેની સ્મૃતિ દર્શન એક વિડીયો ના માધ્યમ થી થયા……

અદભુત દર્શન…..

ત્યારબાદ, આપણા ગુણાતીત ગુરુઓ ની રુચિ મુજબ સારંગપુર માં ચાલતા યુવા તાલીમ કેન્દ્ર (YTK) વિશે વિશેષ પરિચય એક વીડિયો ના માધ્યમ થી મળ્યો…..બાપા કહે છેકે જેં ૬૦ વર્ષ માં પ્રાપ્ત ન થાય તેવા ગુણ અહી માત્ર છ માસ માં યુવકો ને મળે છે…..!!! શક્ય હોય તો આ યુવક તાલીમ કેન્દ્ર નો લાભ અવશ્ય લેવો….. જ…!!! છેલ્લા ૧૬ વર્ષ માં બે હજાર થી વધુ યુવકો અહી તાલીમ લઈ ને તૈયાર થયા છે …..બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે શરૂ કરેલી અને આજે મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત.. પોષિત…આ કેન્દ્ર ના આજે ડંકા વાગે છે.

આજે સભામાં મહામહોપાધ્યાય મહા આચાર્ય શ્રી પૂ. ભદ્રેશ સ્વામી હાજર હતા અને સત્સંગ વિશે વિશેષ પ્રવચન નો લાભ એમની જ્ઞાન સભર વાણી થી મળ્યો…..જોઈએ સારાંશ….

  • આપણે અતિ ભાગ્યશાળી છીએ કે સર્વોપરી ભગવાન….એમને ધારણ કરનાર પ્રગટ સત્પુરુષ….સર્વોપરી સિદ્ધાંત…સર્વોપરી સત્સંગ સાક્ષાત મળ્યા છે…..
  • સત્સંગ દીક્ષા ગ્રંથ માં મહંત સ્વામી એ સત્સંગ શબ્દ ની વ્યાખ્યા કરી છે….સત્સંગ એટલે…સત્ય એવો આત્મા…સત્ય એવા ભગવાન…સત્ય એવા ગુરુ…સત્ય એવા શાસ્ત્રો…મળ્યા એ જ સત્સંગ….
  • જેવો સંગ એવો રંગ….આપણે જે પણ આજે છીએ એ સંગ ને લીધે જ છીએ….વચનામૃત માં અનેક વચનામૃત માં સંગ શુદ્ધિ ની વાત કરી છે…..
  • પ્રથમ …આત્મા નો સંગ એટલે કે આત્મ વિચાર કરવો..અંતરદ્રષ્ટિ કરવી…સત્ય એટલે પોતાના આત્મા નો સંગ સદાય કરવો….આપણે દેહ નથી પણ આત્મા છીએ…એ વિચાર કરવો.
  • બીજો- સત્ય એવા ભગવાન નો સંગ…વિચાર…સમાગમ કરવો. નિત્ય પૂજા દર્શન…કથાવાર્તા…કીર્તન…..નવધા ભક્તિ…. થી ભગવાન નો સંગ સદાય કરવો…..આ સહજ થાવું જોઈએ…પરાણે નહીં. ભગવાન ના મહિમા નો નિરંતર વિચાર કરતા રહેવું. એ જ સર્વ કર્તાહર્તા છે….એ જે કરશે એ સારું જ કરશે એનું અખંડ ચિંતવન કરવું જેથી સ્થિતપ્રજ્ઞ થવાય….સુખદુઃખ માં સ્થિર રહેવાય…અભય થઈ જવાય….જીવન માં પરિપૂર્ણતા નો અનુભવ થાય છે… આપણે આપણા ગુરુઓ ના જીવન માં આ સ્થિતિ સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
  • ત્રીજી વાત- સત્ય એવા ગુરુ નો સંગ કરવો……મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે….ગીતામાં ભગવાને કહ્યું કે …શ્રેષ્ઠ મનુષ્ય નું અનુસરણ કરવું….ગુરુ નો સંગ એટલે એમની સ્મૃતિ કરવી. એમણે કરેલા ઉત્સવો..સમૈયાઓ….ની સ્મૃતિ કરવી જેથી એમની સ્મૃતિ સદાય રહે…ત્રણ લાભ થાય…1. બ્રહ્મરૂપ થવાય…2. ભગવાન ના યથાર્થ સ્વરૂપ મહિમા ની ઓળખાણ થાય…3. ભગવાન ના પ્રગટ પણા નો અનુભવ થાય છે…ગુરુ ના મહિમા..કાર્ય…આશીર્વચન.. આજ્ઞા….નો વિચાર સદાય કરવો. એમની સ્મૃતિ સદાય કરવી. જેવી ભગતજી મહારાજ ને પોતાના ગુરુ ગુણાતીતાનંદ સ્વામી વિશે નિષ્ઠા ભક્તિ હતી તેવી ભક્તિ આપણે આપણા ગુરુ ની કરવી….એમના પ્રસંગો ની સ્મૃતિ કરીએ તો ય આપણી મૂંઝવણ ટળી જાય….
  • ચોથું…..સત્ય એટલે સત્ય શાસ્ત્રો નો સંગ કરવો…આપણા માટે વચનામૃત આવું શાસ્ત્ર છે…મોક્ષ શાસ્ત્ર છે. જીવન ના દરેક પ્રશ્નો નું સમાધાન..સહજ…સાવ લોક સામાન્ય ભાષા માં અહીં આ ગ્રંથ માં થી મળે છે. યોગીબાપા તો કહેતા કે જે કોઈ 108 વાર વચનામૃત વાંચે તો તેને મહારાજ ના દર્શન થાય…!! વચનામૃત ને એની લઢણ માં જ વાંચવું તો જીવ માં દ્રઢ થાય…મહારાજ સ્વામી અને ગુરુઓ ના જીવન ચરિત્ર પણ વાંચવા……જેથી આપણી સ્મૃતિ તાજી રહે..દ્રઢ રહે…..મહિમા સમજાય.
  • આ ચારેય સંગ યથાર્થ રાખીએ તો જીવ બળિયો થાય….બ્રહ્મરૂપ થાય. એમાં ય ત્રીજો સંગ…સત્પુરુષ નો સંગ અવશ્ય…મહિમા એ સહિત કરવો. ભગવાન ને આવા સત્સંગ માટે સદાય પ્રાર્થના કરવી.

અદભુત પ્રવચન….!! સહજ ભાષા માં ગહન જ્ઞાન…..!!!

એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વચન માં કહ્યું કે ( સારાંશ માત્ર) – પૂ.ભદ્રેશ સ્વામી વિદ્વતા ની દ્રષ્ટિએ આપણા સંપ્રદાય માં અજોડ છે. ગુણાતીત સ્વામીએ એમના બીજા પ્રકરણ માં સંગ ની વાત અનેક વાર કરી છે. અંતર માં સદાય ટાઢું રહે એ માટે સદાય સત્સંગ કરવો. બ્રહ્મરૂપ થઈ..આત્મા રૂપ થઈ ને ભગવાન નું ભજન સદાય  કરવું. ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજવા…..સંશય ન કરવો. આપણા ગુરુઓ એ આ જ કર્યું છે. પૂ.ભદ્રેશ સ્વામી એ આપણો સિદ્ધાંત શાસ્ત્રો ને આધારે સ્પષ્ટ કર્યો છે. આગળ પણ તેમની આ સંશોધન યાત્રા પ્રગતિ કરતી રહે….

The letter નામની એક ડોક્યુમેન્ટરી પ.પૂ. મહંત સ્વામી મહારાજે ડિસેમ્બર 2020 માં , કોરોના કાળ વખતે અબુધાબી મંદિર નિર્માણ સમયે એક પત્ર લખેલો …એ પર બની છે…..જે 5 એપ્રિલ , 2024 ના રોજ યૂટ્યૂબ અને આપણી વેબસાઈટ પર રજૂ થશે. જેનું ટ્રેલર આજે રજૂ થયું.

આજની સભાનો એક જ સાર હતો……જીવનો સત્સંગ કરી લેવો……આ અતિ દુર્લભ મનુષ્ય અવતાર અને એનાથી ય દુર્લભ આવો સર્વોપરી સત્સંગ આમ ચૂટકી માં નથી મળતો…..એ તો અનંત જન્મો ના સુકૃત ભેગા થાય ત્યારે આ ભગવદ કૃપા એ જ આ યોગ મળે છે. માટે જ સત્સંગ કરી લેવો…..આ જન્મ સફળ કરી લેવો….સ્વયં શ્રીજી જ કહે છે કે સત્સંગ વિના તો અતિ વિદ્વાન હોય તે પણ અધોગતિ ને પામે છે…….!

સમજી રાખો….સત્સંગ ના મહિમા ને સમજી રાખો…જીવ માં દ્રઢ કરી લો….

જય જય સ્વામિનારાયણ…. જય જય અક્ષરપુરુષોત્તમ….

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


1 Comment

BAPS પ્રાગજી ભક્ત પ્રાગટ્યોત્સવ સભા-24/03/24

આજે અમદાવાદ નું શાહીબાગ મંદિર હરિભક્તો ના અભૂતપૂર્વ મહેરામણ થી ઉભરાતું હતું……કારણ…પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની ઉપસ્થિતિમાં બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્ત નો ભવ્ય પ્રાગટ્યોત્સવ ઉજવાવવા નો હતો…….ભારે ભીડ ને લીધે ઠાકોરજી ના દર્શન બંધ હતા….ઉપર અને નીચેનો ..એમ બંને હોલ 4 વાગ્યા થી જ ભરાઈ ગયા હતા….પાર્કિંગસ બધા ફૂલ થઈ ગયા હતા…મારે પણ મંદિર ના પ્રાંગણ માં ગેટ પાસે બેસવું પડ્યું અને સભા ને સ્ક્રીન પર જ નિહાળવા માં આવી……ચાલો આજના હોળી ઉત્સવ ના પ્રસંગે ઠાકોરજી ના દર્શન કરીએ…..

સભાની શરૂઆત ધૂન અને પ્રાર્થના થી થઈ….એક કીર્તન “કરું વંદના પ્રાગજી ભક્ત ને…” યુવકો દ્વારા રજૂ થયું… પછી પૂ. કૃષ્ણસ્વરૂપ સ્વામી દ્વારા ભગતજી મહારાજ ના મહિમા નું “માંગો માંગો ભગતજી આજ….” પદ રજૂ થયું……એક ગૃહસ્થ દ્વારા પોતાના દેહ ને સ્વામી ની આજ્ઞા એ કૃષ્ણાર્પણ કરી ને…બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા ની આ ઘટના આપણા ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. જીવ સંસાર માં હોય કે ત્યાગશ્રમ માં….જો બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ ના વચન માં યથાર્થ જોડાઈ જાય તો બેડો પાર થઈ જાય……બ્રહ્મ સંગે બ્રહ્મ થઈ જાય….!!! આપણે સંસારીઓ માટે તો ભગતજી મહારાજ નું સમગ્ર જીવન જ એક પ્રેરણા છે…….એ પછી યુવક મિત્રો દ્વારા ” હોરી આઈ રે…આઈ રે……” પ્રેમાનંદ સ્વામી રચિત રંગભીનું પદ રજૂ થયું….અને મનોચક્ષુ સમક્ષ એજ કેસર ભીનો શ્યામ અને એના સંતો હરિભક્તો સાથે ની એ ગુલાલ અબીલ કેસુડો …કેસર ની હોળી …ફુલદોલ ઉત્સવ નો રંગીન મિજાજ છવાઈ ગયો…..શ્રીજી ની એ મૂર્તિ કેવી હશે…!!!! આ હરિ રંગ તો જીવ ને ચડવો જ જોઈએ ….કે જેથી જન્મોજન્મ સુધી ઉતરે જ નહીં….!!! માટે જ ભગતજી મહારાજ ની જેમ ભગવાન પાસે આ જીવ ને ચડે એવો રંગ માંગવો……!

એ પછી યુવકો દ્વારા ભગતજી મહારાજ ના જીવન દર્શન..વિવિધ ગુણો  ની ઝાંખી કરાવતું એક નૃત્ય -વિડીયો સંવાદ અને પછી સંતો દ્વારા પ્રસંગ કથન….એ રજુઆત રૂપે કાર્યક્રમ  રજુ થયો.

એ પછી અલગ અલગ  સંતો દ્વારા ભગતજી મહારાજ ના જીવન અને ગુણો પર ટૂંકા વક્તવ્ય-વિડીયો સંવાદ રજૂ થયા….ભગતજી મહારાજ ના દિવ્ય ગુણો- બાળ ચરિત્ર, સેવા,જ્ઞાન ની સ્થિતિ, અને પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના એવા જ ગુણો નું પણ દર્શન વક્તવ્ય દ્વારા રજૂ થયું….( સ્થળ મર્યાદા ને લીધે પ્રવચન ના અંશ રજૂ કરી શકાયા નથી…ક્ષમા કરશો જી..)

અદભુત…અદભુત…!!!

એ પછી પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે ( સારાંશ..)- 1955માં ગોંડલ ખાતે ભગતજી મહારાજ નું જીવન ચરિત્ર છપાયું ત્યારે જે કાગળ એમાં વપરાયા હતા તે કાગળ ને અક્ષરદેરી માં પૂજન માટે યોગીબાપા એ મુકાવેલા. આ એક આદર્શ ભક્ત નું ચરિત્ર છે જેની કથા યોગીજી મહારાજ વારેઘડીએ કરાવતા…..ભગતજી મહારાજ માટે ગુણાતીત સ્વામી નું એક એક વચન…એક એક ક્રિયા દિવ્ય હતી…બ્રહ્મરૂપ હતી…..ભગતજી સાવ સામાન્ય હરિભક્ત હતા…સ્વામી ના મહિમા પ્રવર્તન કાજે અસહ્ય અપમાનો …તિરસ્કાર સહન કર્યા…..વિમુખ થયા..છતાં સ્વામી નો મહિમા ગાવા નું છોડ્યું નહીં….આપણે દાસભાવે..નિર્માની ભાવે સત્સંગ કરવા નો છે..જેથી અપમાનો થાય તો ડગી ન જવાય……મહારાજ સ્વામી ને પ્રાર્થના કરવા ની કે ભગતજી મહારાજ જેવી સ્થિતિ થાય તો છતે દેહે અક્ષરધામ નું સુખ આવે…..

પછી જેની ઉત્કંઠા થી પ્રતીક્ષા થઈ રહી હતી એ ક્ષણ આવી ગઈ…..સતપુરુષ નું આગમન થયું અને સમગ્ર હરિભક્ત ગણ ઉત્સાહ માં આવી ગયો…..હોળી ના રંગો એ દર્શન થી અંતર માં છવાઈ ગયા….ફુલદોલ ઉજવાઈ ગયો…અંતર શાંત થઈ ગયું….!!…બસ…સત્સંગ ના રંગે…મહારાજ સ્વામી ના રંગે આ જીવ હમેંશા રંગાયેલો રહે એટલે જીવ ની અનંત યાત્રા સફળ….!!!

પછી તો વિડીયો દ્વારા એ અખંડ ફુલદોલ ઉત્સવ સુખ ની સ્મૃતિ તાજી થઈ…….સમગ્ર ભક્ત ગણ એ ઉત્સાહ માં ડોલી ઉઠ્યા….બાપા એ બધાને દર્શન આપ્યા….આરતી કરી અને આજની સભા સફળ કરી દીધી…..બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ચરિત્ર નો 9 મો ભાગ પ્રગટ થયો…એનું લોકાર્પણ બાપા એ કર્યું. બાપા એ આશીર્વાદ આપતા કહ્યું કે (સારાંશ) —ભગતજી મહારાજ સર્વે ગુણો માં આદર્શ હતા…..અનેક અપમાનો સહન કર્યા છતાં ડગ્યા નથી…સ્વામી ની જીભ વળી તેમ તેમનો દેહ વળ્યો…. સ્વામી નું અખંડ અનુસંધાન….બધા હરિભક્તો ને બ્રહ્મ ની મૂર્તિ માનતા….શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું કે સત્પુરુષ આ પૃથ્વી પર થી કદી જાતા જ નથી….સત્પુરુષ આજે પણ પ્રગટ છે…!!…આપણે પણ આ જ કરવાનું છે…….આમ, બાપા એ સ્વયં સત્પુરુષ ના ચિરંજીવી પણા ની વાત કહી…..!!!! આપણા મોટા ભાગ્ય….!!

બાપા એ વિવિધ પુષ્પો દ્વારા અક્ષર પુરુષોત્તમ મહારાજ ની સાથે ફુલદોલ નો ઉત્સવ મનાવ્યો….તો પૂ.ઇશ્વરચરણ સ્વામી એ સ્વામીશ્રી ને ફૂલો થી વધાવ્યા…..!!

આજની સભા ભગતજી મહારાજ અને એમના જ પ્રગટ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ ને સમર્પિત હતી. એમને શ્રીજી નો જેવો રંગ લાગ્યો છે….એવો જ શાશ્વત રંગ આપણ ને લાગે એટલે આ જન્મારો સફળ…..

સૌ સદાય આ રંગ ને તાજો રાખજો…….આ અક્ષર રંગ છે…..આમ સહજ ઉતરે તેમ નથી…..

જય જય સ્વામિનારાયણ…… સદાય પ્રથમ શ્રીહરિ ને રે…

રાજ


Leave a comment

BAPS રવિસભા-03/03/24

શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

“સત્સંગમાં દૃઢ પાયો કેનો થાય ને કેનો ન થાય?” પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો, ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, “જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિક સર્વેમાંથી પણ ગુણ લીધા……

એવી રીતે….. સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દૃઢ પાયો થાય છે, અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દૃઢ પાયો નથી.”

વચનામૃત-લોયા-5

આજે અમદાવાદ માં ગઈકાલ ના માવઠા ની અસર રૂપે વાતાવરણ ઠંડુ હતું…….જીવન માં આમ જ માવઠા અને તડકા છાયા આવ્યા કરે છે…અનિશ્ચિતતા વચ્ચે પણ જો જીવ નું કલ્યાણ નિશ્ચિત કરતું હોય તો તે છે સત્સંગ છે…..ભક્તિ:કૃષ્ણસ્ય સર્વદા….એમ જગત નો નાથ શિક્ષાપત્રી માં કહી ગયો છે…..માટે જ અહીં હરપળ ભક્તિ..જ્ઞાન..ધર્મ અને વૈરાગ્ય યુક્ત સત્સંગ છે અને જીવ નું કલ્યાણ નિશ્ચિત છે…..એ જ સત્સંગ ને વધાવવા આજે રવિસભા માં સમયસર આવી ગયા…..સૌપ્રથમ મારા વ્હાલા ના નેણભરી…હૃદય ભરી ને દર્શન…..

સભાની શરૂઆત સ્વામિનારાયણ ધૂન થી થઈ……અને સભા આ લય માં જોડાઈ પછી એક યુવક દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત ” પ્યારી લાગે છે તારી…..” પદ રજૂ કર્યું……ભગવાન નું સર્વે દિવ્ય છે…રુચિરં છે…..પ્રેમભીનું છે……એ પછી અન્ય એક યુવક દ્વારા ” લાગી રે લગન મને સ્વામી તારા નામ ની……”…પદ રજૂ કર્યું…..જો સત્પુરુષ માં આમ જ દ્રઢ પ્રીતિ થાય તો ભગવાન ની પ્રાપ્તિ સહેજે છેટે નથી……બસ આ બ્રહ્મ સત્ય સમજી રાખવું…..! એ પછી મિત્ર જૈમીન દ્વારા ” ભગવાન સૌનું ભલું કરો….ભગવાન ભજી લેવા…” પદ રજૂ થયું……બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ના જીવન કવન નું આ પદ એમના ગુણાતીત કરુણા ના દર્શન કરાવે છે. સૌનું ભલું થાજો…એ જ પ્રાર્થના એમના જીવન માં સદાય વણાયેલી હતી….અને એ જ રીત એમના જીવન ની હતી. આપણા ગુરુ આવા તો આપણે કેવા થાવું???એ વિચારી લેવું……..

એ પછી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ નાદુરસ્ત સ્વાસ્થ્ય ને લીધે અમદાવાદ યોગીજી મહારાજ હોસ્પિટલમાં આરામ માં છે…એમના 28 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી ના દર્શન નો લાભ વીડિયો દર્શન દ્વારા મળ્યો….

આટલી મોટી ઉંમરે …નાદુરસ્ત સ્વાસ્થ્ય વચ્ચે પણ સ્વામીશ્રી ની ભક્તિ જુઓ……એ જ સ્થિરતા.. એ જ ભક્તિ ભાવ……!!! અદભુત…..!!

એ પછી સ્વયં શ્રીજી ની વાણી સ્વરૂપ એવા વચનામૃત લોયા -5 ના નિરૂપણ નો લાભ પૂ. વિવેકમુની સ્વામી જેવા વિદ્વાન…બુલંદ સ્વર ના વક્તા દ્વારા મળ્યો…..જોઈએ સારાંશ….

  • આ સત્સંગ જીવ ના જન્મ મરણ ના રોગ ને ટાળે એવો છે……ગુણાતીત તો છડેચોક કહે છે કે અમારો જન્મ જ આવા સત્સંગ થકી આ રોગ ને ટાળવા થયો છે…..શ્રીજી મહારાજ તો કહે છે કે જીવ એક દિવસ નો સત્સંગ કરે તો ય લખ ચોરાસી ટળી જાય છે…..આ સત્સંગ સુખદાયક છે….અને આપણો એક જ સંકલ્પ છે….અક્ષરધામ …! એ પ્રાપ્ત કરવા સત્સંગ અનિવાર્ય છે…..
  • ગુણાતીત સ્વામી કહે છે કે બીજે જે કાર્ય…કલ્યાણ એક કલ્પે થાય તે અહીં એક દિવસ માં થાય……અહીં સત્સંગ એ સત્પુરુષ નું શરીર છે…જો જીવ ને સત્સંગ માં ગુણ લેવા નો સ્વભાવ હોય તો તે અચૂક બ્રહ્મરૂપ થાય…..ગુણ લીધા નો સ્વભાવ હોય તો આપણા માં ગુણ ની વૃદ્ધિ થાય…આપણું અંતર સદ્ગુણો થી ભરાઈ જાય….માટે જ સદાય ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી…..
  • દરેક વ્યક્તિ માં કૈક તો સદગુણ હોય જ છે…જો એ ગુણ પરખતા અને ગ્રહણ કરતા આવડે તો જીવન સફળ થઈ જાય…..આપણે બંધ આંખે પણ શ્રેષ્ઠ વસ્તુ જ લઈએ છીએ..તો ખુલ્લી આંખે અને ખુલ્લી સમજણે સારા ગુણ કેમ ન લઈએ??? …કયારેક કોઈના ગુણ ચાહી એ છતાં દેખાય નહીં તો વચનામૃત ગ.પ્ર.24 મુજબ એ જીવના સત્સંગ નો ….તેનો ભગવાન નો યોગ થયો છે તેથી તેના પુણ્ય નો પાર નહીં…તેમ વિચારી ને તેનો ગુણ લેવો…..No negativity in satsang ….એમ બાપા એ કહ્યું હતું.
  • જો અવગુણ લેવા નું શરૂ થાય તો તે વધતો વધતો સત્પુરુષ અને ભગવાન ના અભાવ સુધી પહોંચે અને જીવ સત્સંગ માં થી પડી જાય…..માટે જ સત્સંગ માં સદાય ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી…..

એ પછી પૂ.દિવ્ય કિશોર સ્વામી અને યુવકો ના મધુર સ્વરે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત “ભાગ્ય જાગ્યા રે આજ …જાણવા….” પદ રજૂ થયું…….. બ્રહ્મ સત્ય….!! આપણા પુણ્યો નો પાર નથી….અનંત જન્મો ના પુણ્યો સફળ થાય ત્યારે આવો સત્સંગ…આવા સત્પુરુષ….આવા ઇષ્ટદેવ સાક્ષાત મળે……પ્રાપ્તિ ના મહિમા નો કોઈ પાર ન કહેવાય….કારણ કે જ્યાં આપણો હાથ સ્વયં શ્રીજી એ ગ્રહયો છે……!!!!! વાત સમજવી અઘરી છે પણ સમજો તો આ બ્રહ્મ સત્ય સમજાય…..!!!

એ પછી સભામાં ઉપસ્થિત સદગુરુ પૂ. ઇશ્વરચરણ સ્વામી એ પોતાના પ્રસંગોચિત આશીર્વચન માં કહ્યું કે…(જોઈએ સારાંશ માત્ર) – યોગીબાપા ની પ્રિય વાત હતી…સ્વામી ની વાતો ની 4/136 ની વાત-

“…ભગવાનના ભક્તના ગુણ કહેવા; તેમાંથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય, ને એમાં દાખડો કાંઈ પણ ન મળે, એમ કરવાનું કહ્યું, પણ ફલાણો આવો ને ફલાણો આવો, એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા ને તેનું આપણે શું કામ છે?……. ને કોઈને નહિ સમજાતું હોય તો વળી આગળ સમજાશે; તેની શી ઉતાવળ છે? ને ક્યાં ભાગી જાય એમ છે? પણ કોઈના દોષ ન કહેવા…… તેમાં લવા ને બાદશાહની દાઢીનું દૃષ્ટાંત દીધું, તે મુખ્ય માથે લેવું…….”

….માટે જ સત્સંગ માં આવ્યા છીએ તો ગુણ જ ગ્રહણ કરવા….તો જ છૂટકો છે. સત્સંગ માં અવગુણ લીધા કરતા હોય તો તે અર્ધ બળેલા કાષ્ઠ ની જેમ અંતર માં ધૂંધવાયા કરે અને અંતે સત્સંગ માં થી પડી જાય……શુભ વાસના વાળો જીવ સર્વે ના ગુણ જ લે…..મહિમા જ સમજે…..અને એ જ સત્સંગ માં આગળ વધે….આપણા ગુરુઓ એ એ જ કર્યું છે….કોઈનો અવગુણ લીધો જ નથી…જાગા સ્વામી કહેતા કે પારકી ક્રિયા…પારકો આકાર ..પારકા દોષ કયારેય ન જોવા……! સત્સંગ માં દાસાનુદાસ….નાના માં નાના થઈને રહેવું……એમ કૃષ્ણજી અદા કહેતા….! દરેક નો મહિમા સમજવો…..શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ અક્ષર પુરુષોત્તમ ના મહિમા ની વાત મારે માથે બેસી ને કરે તો ય મંજુર છે…..!  સંત તુકારામ…સંત એકનાથ…વગેરે સંતો ના આખ્યાન ..પ્રસંગો આપણ ને ખબર જ છે. તેમની ગુણ ગ્રાહક દ્રષ્ટિ ને લીધે જ એ ભક્તિ માં મોટેરા થયા….સત્સંગ નો ખપ હોય પણ જો કોઈ સત્સંગી નો અવગુણ લેતા હોય તે જીવ અભાગી છે….! ભગવાન ના ભક્ત નો કોઈ અવગુણ લે તો સ્વામી ને એ ગમે નહીં…..સત્સંગ ના ગુણ આવે તો નમ્રતા આવે….દાસભાવ આવે…..અને એ દેખાય…અને તો જ સત્સંગ કર્યો કહેવાય….!!આ વાત નું સદાય જાણપણું રાખવું……

અદભુત વાત…..!!! એ પછી પ.પૂ ડોક્ટર સ્વામી એ  લખેલ …જગતપુર મંદિર ના નિર્માણ માટે ની બાળ બાલિકા ભક્તો ની સેવા માટે ની પ્રેરણા આપતો પત્ર રજૂ થયો…..એ પછી રાયસણ ગુરુકુલ માં ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓ નું જાહેર સન્માન થયું.

આજની સભાનો એક જ સાર હતો કે- આ સત્સંગ ની પ્રાપ્તિ અનંત જન્મો ના પુણ્ય ફળીભૂત થયા હોય તો જ થાય…..માટે જ સત્સંગી માત્ર દિવ્ય છે…..સર્વે ના ગુણ જ લેવા…કારણ કે આપણે સત્સંગ માં ટકવું છે…..આગળ વધવું છે……છેવટે તો આપણે સત્સંગ માં બ્રહ્મરૂપ થવા જ આવ્યા છીએ…બરોબર ને…!!!!

અહીં તો જે દાસાનુદાસ થાય તે જ મોટેરો થાય…….!! અધ્યાત્મ ની આ જ રીત છે……સમજી રાખો…..

સર્વે ને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ…..

સદાય પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ