Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

આજની વણમાગી સલાહ-૧૭/૦૬/૨૦૧૩

“જે લોકો ચહેરા પર સ્મિત સાથે વાત નથી કરી શકતા એમણે ધંધો કરવા નું સપને પણ વિચાર ન કરવો……..અને જે લોકો વધારે પડતું ..અને બિન જરૂરી …કૃત્રિમ સ્મિત સાથે અન્ય ને વાત કરે છે……એમણે પણ આ જોખમ ન લેવું……”

હસતા રહેજો…..એમાં કોઈ ચાર્જ નથી લાગતો……

રાજ


Leave a comment

BAPS પ્રમુખ વરણી દિન વિશિષ્ટ રવિસભા- ૧૬/૦૬/૨૦૧૩

                               “…અને એમ જાણે જે….”ભગવાન વિના બીજો કોઈ જગત નો કર્તા છે જ નહિ અને એમ જાણે જે ..ભગવાન વિના સુકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી..” એવી જેને ભગવાન વિષે સાકાર પણા ની દ્રઢ પ્રતીતિ હોય ને જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે……………એવી નિષ્ઠા વાળો જે સંત છે તેના પગ ની રજ ને તો અમે પણ માથે ચઢાવી એ છીએ અને તેને દુખવતા થકા મન માં બીએ છીએ અને તેના દર્શન ને પણ ઇચ્છીએ છીએ…

——– શ્રી સ્વામીનારાયણ ભગવાન -વચનામૃત ગઢડા પ્રથમ-૩૭——-

“નારદ મેરે સંત સે અધિક ન કોઈ….” જેવા સર્વોત્તમ પદો ને સ્વયમ શ્રીહરિ એ સમર્થન આપ્યું છે..પોતાનો રાજીપો બતાવ્યો છે. આવા સંત અને ભગવાન મળે એટલે જીવન કશું જ બાકી રહેતું નથી…એ જ વાત આજે -વિશિષ્ટ રવિસભામાં કરવામાં આવી…અને હૃદય ખુશ થઇ ગયું. એ સત્પુરુષ- એટલે કે આપણા ગુર -પ્રમુખ સ્વામી મહારાજ- કે જેમના શરણ માં ગયા પછી -હરિ અને અક્ષરધામ આપણા માટે સહજ બન્યું છે….એમના ચરણો માં લાખ લાખ વંદન…..

તો આજે રવિસભા નો ઇન્તઝાર…મન-તન-હૃદય ને રીચાર્જ કરવાનો…તરબતર કરવા નો ઇન્તઝાર પૂરો થયો….! થેન્ક્સ શ્રીજી….! ગયા રવિવારે હું રાજકોટ હતો અને આ રવિવારે બપોર સુધી- બરોડા માં….પણ જેવું કામ પૂરું થયું કે- તરત જ ઘરે ભાગવામાં આવ્યું…મારા હરિ માટે…..મારા હરિકૃષ્ણ માટે……!

પણ વાતાવરણ માં ભેજ ની બુંદો ભરપુર હતી અને ગમે ત્યારે ખરી પડે એવું લાગતું હતું, અને એવું જ થયું…..ચાલુ રવિસભા એ અમદાવાદ માં- આજે ધોધમાર વરસાદ પડ્યો……શ્રીજી જાણે કે હૃદય થી વરસ્યા…અને સત્સંગ ની સાથે સાથે ભીની ભીની બુંદો થી હરિભક્તો ભીંજાતા રહ્યા……અને રવિસભા આજે ખરા અર્થમાં “હૃદય”સભા બની રહી….

સમયસર મંદિરે પહોંચ્યો ત્યારે -મંદિર માં હરિભક્તો ની ભીડ જરા વધારે હતી- કારણ હતું…પ્રમુખ વરણી દિન ની વિશિષ્ટ રવિસભા….! આથી સર્વ પ્રથમ મારા વ્હાલા ના મનભરી ને દર્શન કરવામાં આવ્યા….

944402_534832993221340_1860798756_n

સભામાં ગોઠવાયા ત્યારે પુ.શુકમુની ના મધુરા સ્વરે ધુન્ય-કીર્તન -પ્રાર્થના ચાલી રહ્યા હતા…પુ.પ્રેમ્વાદન સ્વામી અને પુ. શુકમુની સ્વામી સગા ભાઈઓ છે અને બંને સંગીત-સ્વર માં અત્યંત પારંગત છે- એમના મુખે કીર્તન ને સાંભળવા એટલે કે હરિને તાદ્રશ્ય નિહાળવા……! “રહો ને સ્વામી આજ મારા હૃદય મંદિર માં…..” ગુરુ ભક્તિ ના રંગે રંગાયેલું આ કીર્તન -પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ને તાદ્રશ્ય કરતુ ગયું…..ત્યારબાદ પુ.બ્રહ્મવિહારી સ્વામી જેવા વિધવાન અને પુ.સ્વામીશ્રી ના અત્યંત નિકટ ના સંત ના મુખે- “ગુરુભક્તિ” પર અદ્ભુત પ્રવચન રજુ થયું…….બ્રહ્મવિહારી સ્વામી ની ખાસિયત છે- અનુભવો-પ્રસંગો ને અદ્ભુત રીતે ગુંથી ને – શ્રોતાઓ ને અધ્ય્તામિક ઊંડાઈ સુધી લઇ જાવા……તો ચાલો જોઈએ અમુક અંશ…..

  • ૨૧-૦૫-૧૯૫૦ ના રોજ- આંબલી વાળી પોળ માં – શાસ્ત્રીજી મહારાજે -૩૦ વર્ષીય તેજસ્વી નવજુવાન શાસ્ત્રી શ્રી નારાયણસ્વરૂપ દાસ ને શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા ના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા ત્યારે – તેમણે કહ્યું કે…”અમે ઘણા કામ કર્યા છે, તેમાં હજુ હું ક્યારેય પસ્તાયો નથી..ને આ કાર્ય માં પણ મને ખાતરી છે કે બધું યોગ્ય જ છે……મારે પસ્તાવું નહિ પડે …તમે એના દેહ સામું જુઓ છો…….હું તેના જીવ સામું જોઉં છું……”- જે આજે સ્પષ્ટ દેખાય છે…૯૦૦ થી વધુ વિધવાન સંતો- ( ૧૮૦૦% નો વધારો- ૧૯૫૦ અને ૨૦૧૩ વચ્ચે સરખામણી કરીએ તો..) અને ૧૨૦૦ થી વધુ મંદિરો( અધધ..૨૨૦૦૦% નો વધારો…૧૯૫૦ થી ૨૦૧૩ વચ્ચે) – પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા અસ્તિત્વ માં આવ્યા છે….એમાં શાસ્ત્રીજી મહારાજ-યોગીજી મહારાજ ની સંકલ્પ શક્તિ અને પ્રમુખ સ્વામી મહારાજ ની શિષ્ય ભક્તિ દેખાય છે……
  • ડો.અબ્દુલ કલમ હોય કે…આર.કે લક્ષમણ જેવા તદ્દન નાસ્તિક માણસ…..બીલ ક્લીન્ટન હોય કે અટલાદરા નો એક અંધ હરિભક્ત…દરેક ના હૃદય ને સ્વામીશ્રી સ્પર્શ્યા છે……અરે આર .કે. લક્ષ્મણ તો સ્વામી નો હાથ પકડી ને નાના બાળક ની જેમ રડી પડ્યા હતા…….એટલું એમનું હૃદય ઉભરાઈ ગયું હતું.
  • સ્વામીશ્રી હરિભક્તો ને હમેંશા હૃદય માં રાખે છે…..પણ એ માટે આપણે એ યોગ્યતા લાવવા ની છે..એમને રાજી કરવાના છે…..
  • સ્વામીશ્રી એ જે આજે સંસ્થા નો વિકાસ કર્યો છે..એ એમના પ્રેમ..સ્નેહ અને અધ્યાત્મિક દિવ્યતા ને આભારી છે. એ અધ્યાત્મિક દિવ્યતા અને હૃદય ની શુદ્ધ પવિત્રતા વગર આ શક્ય જ નથી……સ્વામીશ્રી પોતાના સઘળા કર્યો નું શ્રેય પોતાના ગુરુઓ ને જ આપે છે……અને દરેક કાર્ય માં એમને જ આગળ રાખે છે……
  • ગુરુ આજ્ઞા અને ગુરુ રાજીપા વગર કશું જ શક્ય નથી. ….પ્રમુખ સ્વામી ને આજે પણ એમની ઓળખાણ પૂછો તો કહેશે….” હું -યોગીજી મહારાજ નો શિષ્ય”…..અદ્ભુત..અદ્ભુત…નિર્માની પણું ….શિષ્ય પણું…..
  • આપણી આ સંસ્થા શ્રીજી ની સંસ્થા છે…..ગુણાતીત પરંપરા ની સંસ્થા છે…..શાસ્ત્રીજી મહારાજ-યોગીજી મહારાજ ની સંકલ્પ ની સંસ્થા છે…..પ્રમુખ સ્વામી મહારાજ ની “ગુરુભક્તિ” ની આ સંસ્થા છે…..
  • રઘુવંશ માં કવિકાલિદાસ કહે છે એમ- આજે પણ સ્વામીશ્રી ના દર્શન માત્ર થી હરિભક્તો ના દુખ માત્ર નાશ પામે છે…….મન ના વિકાર ટળી જાય છે……મન નિર્મળ થઇ જાય છે…….એ જ અધ્યાત્મિક દિવ્યતા છે….

ત્યારબાદ પુ.ઈશ્વર ચરણ સ્વામી એ પણ આ જ કહ્યું…..ગઢડા પ્રથમ ૩૭ પ્રમાણે – એક ભગવાન ને જ કર્તાહર્તા જાણે……અને એમના સાકાર પણા ની દ્રઢ નિષ્ઠા સમજે એ સંત તો ભગવાન ને પણ અતિશય પ્રિય છે……અને એવા જ સત્પુરુષ આપણ ને મળ્યા છે…..એમને સેવી લેવા એ જ આપણા કલ્યાણ નું…મોક્ષ નું…પરબ્રહ્મ ને પ્રાપ્ત કરવાનું કારણ બને છે….

સભાને અંતે અમુક જાહેરાતો થઇ……

  • ધોરણ-૧૦ અને ૧૨ માં ઉચ્ચ પરિણામ ધરાવતા વિદ્યાર્થી -વિદ્યાર્થીનીઓ નું સન્માન થવાનું છે…..તા-૨૧-બપોર ૧૨ વાગ્યા સુધીમાં -જરૂરી પત્રકો સાથે શાહીબાગ મંદિર નો સંપર્ક કરવો…..
  • IAS-IPS જેવી ઉચ્ચ કારકિર્દી બનાવવા માંગતા યુવાઓ માટે- ઉચ્ચ અધિકારીઓ કે જેમણે આ પડવી હાંસિલ કરી છે -તેમના દ્વારા માર્ગદર્શન- આવતા શનિવારે -શાહીબાગ મંદિર કહતે સાંજે ૬-૮ – રાખવામાં આવેલ છે……
  • આર્ષ-ગાંધીનગર અક્ષરધામ ખાતે ૨૨/૬/૧૩  ના રોજ- સાંજે- ૪-૭ -પુ.બ્રહ્મવિહારી સ્વામી નું “તત્વજ્ઞાન-મનુષ્ય જીવનમાં” પર પ્રવચન છે…..

અંતે એક અદભુત લાભ સર્વ હરિભક્તો ને મળ્યો…….ફૂલડોલ ઉત્સવ પર સ્વામીશ્રી એ રંગ છાંટી ને પ્રસાદી ના કરેલ માળા ઓ ના મણકા સર્વ હરિભક્તો ને સ્વામીશ્રી ના સ્મૃતિ ફોટા સાથે -બધા ને આપવા માં આવ્યા…………..

પ્રસાદી નો મણકો અને સ્મૃતિ ચિત્ર

પ્રસાદી નો મણકો અને સ્મૃતિ ચિત્ર

અંતે સ્વામીશ્રી ના પ્રમુખ વરણી દિન ની સારંગપુર ખાતે ઉજવણી નો વિડીયો બતાવવા માં આવ્યો…….

પ્રમુખ વરણી દિન ઉત્સવ-સારંગપુર

આજ ની રવિસભા- સાચા અર્થમાં ગુરુ ભક્તિ ના મહિમા ની સભા હતી…….પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ની સભા હતી…….અને આ માટે જ…આપણા એ ગુરુ ના ચરણો માં સહસ્ત્ર સહસ્ત્ર વંદન…….કે જેમણે આપણ ને શ્રીજી ની પ્રાપ્તિ- અક્ષરધામ ની પ્રાપ્તિ સહજ કરાવી…..બસ હવે ગુરુ-સ્વામી-શ્રીજી ને રાજી કરવા ના છે…..

શુભ રાત્રી……શ્રીજી ની ચેષ્ટા ના પદો સાથે…..

જય સ્વામીનારાયણ….

રાજ

 


1 Comment

આજકાલ-૧૪/૦૬/૨૦૧૩

તો છેવટે , તન-મન-હૃદય સંતૃપ્ત થયા ખરા……! મેઘરાજા ને આપણા પર દયા આવી ખરી…..ભલે ને એ અલપઝલપ હોય….પણ વરસવા ના તો આપણા પર જ છે ને……! ઘણીવાર એવું લાગે છે કે- વરસતા વરસાદ મા છત્રી લઇ ને ફરનાર ને દંડ થાવો જોઈએ……ખેર….આ તો અંગત વિચાર છે….નકારાત્મક પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપવી નહી ….જરાક ભીંજાઈ લેવું યારો….!

અત્યારે બરોડા -ધોધમાર વરસાદ નો લાભ અને આનંદ લઇ રહ્યો છું…….અલબત્ત ઘર થી દુર છું એટલે જરાક દુઃખ છે પણ ચાલ્યા કરે……નિલકંઠ વરણી ના પેલાં બ્રહ્મ ઉપદેશ ની જેમ…..” વાદળ જો એક જ જગ્યા એ રહેવા લાગે તો બાકી ની ધરતી તરસી મરી જાય……” આથી ચલતા રહેવું જીવન છે અને અટકવું- મોત……! તો આજકાલ શું ચાલે છે?

  • ગયો વીક એન્ડ અને આ સમગ્ર અઠવાડિયું- ભારે ગયું…….પ્રવાસ..પ્રવાસ…..જ…અને લગભગ ૧૦૦૦ થી વધુ લોકો સાથે મુલાકાત-અલગ વિચારો…..ની આપલે…..! એક વાત તો અનુભવી…..યાર નોકરી કરવી તો- માર્કેટિંગ ની જ કરવી…..કમસેકમ- તમને એકલતા ક્યારેય  ન સતાવે…..
  • મારા હીરો-હરિકૃષ્ણ ના નખરા વધતા જાય છે………સવારે સવારે એલાર્મ ક્લોક ની જરૂર નથી પડતી…..એક દમ નિયમિત રીતે ઉઠી જવાય છે…… :-) અને ઘણા બધા કામ એકસાથે કેવી રીતે કરવા- એ શીખવા મળી રહ્યું છે……હરિ રોજ- એક નવી ચેલેન્જ આપે છે……જોઈએ કેટલા પાર ઉતરીએ છીએ…?????
  • અને છાપાં- મીડિયા વાળા- અને કોંગ્રેસ વાળા- જાણે કે આદું-ફૂદીના-મરચા-લવિંગ-તજ ખાઈ ને મોદી ની પાછળ પડ્યા છે……….નમોફોબિયા- એ બધા ને તો ઠીક પણ હવે તો અડવાણી ને પણ નડવા માંડ્યો છે……..અને મોદી સાહેબ ને બેઠા બેઠા અઢળક પ્રસિદ્ધી મળી રહી છે એ લટકા મા…..! જો – આ બધા જનતા ની પસંદગી ને નહી સમજે તો – ટાઢા પાણી એ જવા ના છે…..લખી રાખો…..
  • ગુજરાત ની હોટલો વિષે એક ફરિયાદ છે……યાર થોડુંક કસ્ટમર સર્વિસ મા તો સમજો…….! ખેર…..પતંગ હોટલ મા ઘણા સમય બાદ પુનઃ જવામાં આવ્યું…….ફૂડ તો ઠીક હતું- પણ ઉપર થી અમદાવાદ નો- સાબરમતી નો- રિવરફ્રન્ટ નો નજારો દિલ ને ભાવ્યો………..
  • અને છેલ્લે- આપણે બધા ગુજરાત મા છીએ…..ગુજરાતી બોલીએ-જાણીએ -સમજીએ છીએ…..છતાં- એકબીજા સાથે અંગ્રેજી મા વાત કેમ????? વોલ્વો-કલ્ચર મા મે વારંવાર જોયું છે અને એ પણ છોકરીઓ મા ખાસ………! યાદ રાખો- જે પ્રજા ને પોતાની સંસ્કૃતિ…..પોતાના સંસ્કાર….પોતાના ધર્મ…..પોતાના સાહિત્ય-શાસ્ત્રો…..પોતાના સંગીત પર…..પોતાની ભાષા પર ગર્વ નથી…..એ નામશેષ થઇ જાય છે……..! યાર- આપણે પણ ભણેલા-ગણેલા છીએ….સારું અંગ્રેજી જાણીએ-બોલીએ-સમજીએ છીએ……છતાં શરૂઆત તો ગુજરાતી મા જ કરીએ છીએ……

તો- બસ મેઘરાજા ને માણતા રહો……અને પોતાની જાત ને ઢંઢોળતા રહો……ક્યાંક પોતાની “જાત” જડી જાય…….!

શુભ રાત્રિ

રાજ


Leave a comment

પ્રમુખ વરણી દિન……..

“શોભો  સાધુ ગુણે સદાય સરળ ને જક્તે અનાસક્ત છો…..
શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભય ની કૃપા તણું પાત્ર છો…….
ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા, ગંભીર જ્ઞાને જ છો……
નારાયણસ્વરૂપ દાસ ગુણીને, સ્નેહે જ વંદુ અહો……

તા -૨૧-૦૫-૧૯૫૦ , રવિવાર -સંવંત-૨૦૦૬ ની જેઠ સુદી ૪…….એક ઐતિહાસિક દિવસ અને એક ઐતિહાસિક નિર્ણય…એ પણ અત્યંત વિચક્ષણ….તેજસ્વી…સિદ્ધ…બ્રહ્મસ્વરૂપ પુ.શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ દ્વારા…!એ ઘટના નું આંખ્યો દેખી…હૃદય સ્પર્શી સાક્ષી હતું…..એક સ્થળ જે હતું- અમદાવાદ, શાહપુર વિસ્તાર ની આંબલી વાળી પોલ . અને શાસ્ત્રીજી મહારાજ ના સર્વાનુમતે લેવાયેલા એક નિર્ણયે- સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત અને સ્વામીનારાયણ સંપ્રદાય ના વાવટા દિગંત માં ફરકાવી દીધા……….!

આ દિવસ એટલે કે- શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસ ની – પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ તરીકે ઓળખાવવા ની શરૂઆત…પ્રમુખ વરણી દિન….! પ.ભ. રસિકભાઈ એ પ્રમુખ સ્વામી ની નિમણુક નો પત્ર બધા ને વાંચી સંભળાવ્યો અને શાસ્ત્રીજી મહારાજે પોતાની ચાદર એ ૩૦ વર્ષીય ધીર ગંભીર નવજુવાન તેજસ્વી સાધુ ને ઓઢાડી અને યોગીજી મહારાજ તરફ નિર્દેશ કરી નારાયણ સ્વરૂપ દાસ ને કહ્યું કે….” આ યોગી મહારાજ વચન સિદ્ધ અને બહુ પ્રતાપી સંત છે…..તેમની છત્રછાયા માં રહી તમારે સત્સંગ દિપાવવા નો છે……” અને સાથે યોગી મહારાજ ને કહ્યું કે…” જોગી..આશીર્વાદ આપો કે એ તમારા જેવો થાય…”……….અને સમગ્ર વિશ્વ ને – એક નવો દિશા સૂચક મળી ગયો……જેણે અનંત જીવો નું કલ્યાણ કરવા પોતાના દેહ-માત્ર ને ઘસી નાખ્યો અને પરિણામે….આજે  સતત ૬૩ વર્ષ થી શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ ના પ્રમુખ તરીકે…૧૨૦૦ થી વધુ મંદિરો…..૯૦૦ થી વધુ અતિ વિધવાન સંત…..અને ૧૦ લાખ થી વધારે નિષ્ઠાવાન..નિયમ ધર્મ માં પાકા સત્સંગીઓ……અને એક સર્વોપરી સિધ્ધાંત-૦ અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત…….ના ડંકા- આજે બ્રહ્માંડ માં ગુંજે છે………! ૯૩-૯૩ વર્ષ ની ઉમરે નવજુવાનો ને શરમાવે એવું તેજસ્વી અને ઉત્સાહ પણું -પ્રમુખ સ્વામી આજે સારંગપુર ને દ્વાર પ્રગટ કરી રહ્યા છે……..અને હજારો મુમુક્ષુ ઓ ને – એક હરિ નો માર્ગ બતાવી રહ્યા છે…….!

bapa (34)

એ નિમણુક સમયે શાસ્ત્રીજી મહારાજે એક હરિભક્ત ને કહેલું કે…”અમે ઘણા કામ કર્યા છે, તેમાં હજુ હું ક્યારેય પસ્તાયો નથી..ને આ કાર્ય માં પણ મને ખાતરી છે કે બધું યોગ્ય જ છે……મારે પસ્તાવું નહિ પડે …તમે એના દેહ સામું જુઓ છો…….હું તેના જીવ સામું જોઉં છું……”

શત પ્રતિશત સત્ય વચન…આજે એ દેખાય છે…અને પ.પુ.પ્રમુખ સ્વામી ના આ અદ્રિતીય કાર્યો ને કારણે આજે આપની ગુણાતીત પરંપરા …ગર્વ અનુભવતી હશે…..શાસ્ત્રીજી મહારાજ ના મુખ પર માત્ર સંતોષ નહિ….અત્યંત ખુશી અને ગર્વ ની લાગણી હશે…….

તો આજ ના દિવસે- આપણા પ્રગટ ગુરુ હરિ- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના ચરણો માં સહસ્ત્ર સહસ્ત્ર વંદન……આવા અનંત જન્મો એમના માટે ન્યોછાવર……અને એજ પ્રાર્થના કે…આપણે અક્ષર રૂપ થઇ એક પુરુષોત્તમ ની ભક્તિ કરતા રહીએ…….

રાજ


Leave a comment

આજ ની વણમાગી સલાહ-૧૧/૦૬/૨૦૧૩

જીવન માં કોઈ ચીજ કાયમી નથી હોતી…….તમારા સુખ પણ…તમારા દુખ પણ…..અને તમારી  નોકરી,કંપની કે બોસ (અને આજકાલ પત્ની પણ….)…..આથી ભાઈઓ-બહેનો….જીવન માં બહુ લાગણીશીલ ન થાવું…ખમી લેવું…..

- રાજ


2 Comments

BAPS રવિસભા-૦૨/૦૬/૨૦૧૩

                 અહો….જોગી જેવા સાધુ અનંત કોટી બ્રહ્માંડ માં નથી…જોગી તે જોગી , સાક્ષાત ગુણાતીત સ્થિતિ..!

—— બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી  મહારાજ——

432207_371786972922914_979373117_n

ફોટો સૌજન્ય- અજ્ઞાત

એ સદાયે વહેતું સ્મિત……કરુણતા ..અને શ્રીજી ની અખંડ કથા વાર્તા……એટલે કે જોગી અર્થાત- યોગીજી મહારાજ….! ગુણાતીત પરંપરા ના અદ્ભુત સંત નો પ્રાકટ્યોત્સવ ૪ -જુન ના રોજ આવી રહ્યો છે અને સમગ્ર સંસ્થા અત્યારે “યોગી પર્વ” ની તૈયારી માં લીન છે. આજ ની રવિસભા આ મહાન સંત વિભૂતિ માટે જ હતી. આવતો રવિવાર – અને રવિસભા- અમદાવાદ ખાતે વિશેષ સભા છે- કે જે “યોગી પર્વ ની સ્મૃતિ” સભા તરીકે થવાની છે અને કીર્તન આરાધના નો ભવ્ય પ્રોગ્રામ છે…..સર્વ હરિભક્તો ને હાજર રહેવા પ્રાર્થના…….

આજે અમદાવાદ માં ગરમી નો પારો ૪૩-૪૪ ની આસપાસ હતો આથી- રસ્તાઓ- મંદિર સુમસામ લાગતું હતું, અને જરા સહેજ સાંજ ઢળી અને સમગ્ર શહેર માં જાણે કે ચેતન નો સંચાર થયો. ..અને મંદિર માં હરિભક્તો નો પ્રવાહ વધ્યો.  હું સમયસર મંદિરે પહોંચી ગયો અને હમેંશ ની જેમ સર્વ પ્રથમ મારા વ્હાલા ના દર્શન વિસ્ફારિત નેત્રે -હૃદયે કરવામાં આવ્યા…….

આજ ના દર્શન...

આજ ના દર્શન…

સભામાં ગોઠવાયો ત્યારે – સંતો-યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય ચાલી રહી હતી, ધુન્ય નો ઢાળ જુદો હતો આથી જરા રસપ્રદ લાગી…આમેય હરિનામ નું સ્વરૂપ- રાગ ગમે તે હોય- હૃદય ને એ ભાવે જ છે…..ત્યારબાદ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ના ચરણો માં પ્રાર્થના સાથે એક કીર્તન રજુ થયું….” મમ મસ્તક તમે હસ્ત ધરો…યોગીબાપા મારી રક્ષા કરો……” …..આ કીર્તન પર થી મહારાષ્ટ્ર ના વારસી શહેર ના શિંદે ભગત નો કિસ્સો યાદ આવી ગયો…..જેમાં પુ.પ્રમુખ સ્વામી મહારાજે- એમના સ્નેહી ને સ્વપ્ન દર્શન આપતાં કહ્યું હતું કે” અમારા ભક્ત ના લેખ વિધાતા નહિ…અમે લખીએ છીએ……” …સત્ય વચન..બ્રહ્મ વચન…..! સત્પુરુષ અને ભગવાન ના શરણે ગયા પછી- ચિંતા કરવા ની રહેતી નથી……આપણા યોગ-ક્ષેમ-કુશળતા નું વહન એ જ કરે છે……જરૂર છે – બસ આપણી સો પ્રતિશત શરણાગતિ ની..! ત્યારબાદ પુ.યોગીપુરુષ સ્વામી દ્વારા પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના ૧૯૭૦ પછી ના વિચરણ નું વિવરણ કરવામાં આવ્યું…….સર્વ પ્રસંગો નો સાર એક જ હતો…..

  • પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ માટે- હરિકૃષ્ણ મહારાજ જ સર્વોપરી-સર્વ પ્રથમ અને સર્વ ના કર્તાહર્તા છે…….
  • દરેક કાર્ય માં ભગવાન ને જ હમેંશા આગળ રાખવા…..એમની મરજી સિવાય કશું જ થતું નથી……

ત્યારબાદ પુ.શુક મુની સ્વામી દ્વારા યોગીજી મહારાજ ના ચરણો માં એક સુગમ કીર્તન રજુ કરવામાં આવ્યું- ભક્તરાજ ઘનશ્યામ ભાઈ દ્વારા રચિત આ કીર્તન…” યોગી આંખલડી તમારી જમના ના નીર છે……..” એ વાત નું દ્યોતક છે કે- સત્પુરુષ ની આંખ હમેંશા કરુણા થી ભરેલી હોય છે….

ત્યારબાદ યોગીજી મહારાજ ના આ કરુણાસભર સાનિધ્ય નો ભરપુર લાભ અને તાદ્રશ્ય અનુભવ જેને મળ્યો છે એવા સદ.ઈશ્વરચરણ સ્વામી એ – યોગીબાપા ના જીવન પ્રસંગો ને આધારે- તેમના જીવન નો પરિચય આપ્યો…” સુરજ ને શી જરૂર ..એક દીપક ની” જેમ- યોગીબાપા ના પ્રત્યેક પ્રસંગે- એમનું  સત્પુરુષ-પણું છલકાઈ ઉઠે છે …..જોઈએ કેટલાક અંશ…..

  • વીનું ભગત ( પુ.મહંત સ્વામી નું પૂર્વાશ્રમ નું નામ) બીમાર હતા ત્યારે -યોગીબાપા એ સ્વયમ એમનું માથું દબાવ્યું હતું અને સાથે સાથે ચંપકલાલ શેઠ ને પણ આજ્ઞા કરી હતી કે- વીનું ભગત ની સેવા કરો- તો સત્સંગ થાય…
  • હાલ માં આર્ષ -અક્ષરધામ દિલ્હી ખાતે સેવા આપતાં જનક ભાઈ દવે જયારે યુવક હતા ત્યારે- યોગીજી મહારાજ એમના ભોજન નો ખ્યાલ એક માં ની જેમ રાખતા……
  • લીંબડી ના હરિભક્ત સદાશિવ ભાઈ ને યોગીબાપા એ કહ્યું હતું કે” અમને વાસણ ઉટકવા ખુબ ગમે” ગોંડલ માં તો યોગીબાપા એ જ સેવા કરતા…હરિભક્તો ના એંઠા વાસણ ઉટકી ઉટકી ને એમની આંગળીઓ ઘસાઈ ગયેલી……..છતાં અન્ય એક સાધુ- ઘનશ્યામ ચરણ સ્વામી સાથે હરિ ભક્તો ના એંઠા વાસણો ધોવા ખેંચાખેંચી થતી…..!
  • મોટી સભા માં યોગીબાપા નું સન્માન થયા પછી- કવિ દુલા કાગ- જયારે યોગીબાપા ને મળવા એમના ઉતારે ગયા તો- બાપા ને- ભાજી કાપવા ની સેવામાં જોડાયેલા જોઈ- ચક થઇ ગયેલા…..એમની સાદગી…નિર્માની પણું જોઇને ચરણો માં ઝુકી ગયેલા…..
  • એવી જ રીતે પ્રોફ બામણીયા( કે.કા.શાસ્ત્રી ના મોટાભાઈ કે જે મરજાદી વૈષ્ણવ હતા) , રાજકોટ ના રણછોડ દાસ બાપુ કે ડોંગરેજી મહારાજ….યોગીબાપા ના સ્નેહ અને સાધુતા આગળ નત મસ્તક હતા………તો પુ.સંત સ્વામી ને સ્વામીએ કહેલું કે- અમે તો અક્ષરધામ થી આવ્યા છીએ………
  • અજાતશત્રુ યોગીજી મહારાજ ને તો જુના મંદિર ના મોટા મોટા સાધુઓ પણ માનતા…….લંડન અને આફ્રિકા માં મંદિર કર્યા બાદ તો બધા સાધુઓ- સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાય -યોગીજી મહારાજ ની સાધુતા અને દિવ્યતા ને માની ગયો હતો પણ યોગીબાપા- આ બધા નો શ્રેય તો એક હરિ ને જ આપતાં…..

યોગીજી મહારાજ ના આવા પ્રસંગો એ વાત નો પુરાવો છે કે- ગુણાતીત પરંપરા માં શ્રીજી મહારાજ સદાયે પ્રગટ છે…….પોતાના શરણાગત નું ધ્યાન રાખવા એ સદાયે પ્રગટ રહે છે……..અને રહેશે……

ત્યારબાદ અમુક જાહેરાત થઇ…..

  • ભક્તિ સંગીત ના ચાહક હરિભક્તો માટે- ઇન્સ્ટ્રુમેન્ટલ ( અર્થાત માત્ર સંગીત..સુર નહિ) સંગીત ના ૪ વોલ્યુમ બહાર પડ્યા છે..લેવા માં  આવશે…….
  • આવતા રવિવારે વિશિષ્ટ રવિસભા છે- કીર્તન આરાધના- સમય ૫.૪૫ સાંજ થી……
  • આંબલી-બોપલ ના હરિભક્તો માટે- ઇસ્કોન પ્લેટીનમ ખાતે- સાંજે ૮ વાગ્યે- વિશેષ કથા વાર્તા નો પ્રોગ્રામ રાખેલ છે…તારીખ- ૮/૦૬/૨૦૧૩( વિગત ચેક કરી લેવા વિનંતી)

ત્યારબાદ આરતી અને વિડીયો દર્શન નો લાભ મળ્યો………

તો- આજ ની રવિસભા- અને આવનારી રવિસભા- એ સાક્ષાત બ્રહ્મ- સ્વરૂપ , યોગીજી મહારાજ ના ચરણો માં સમર્પિત હતી……યોગી-ગીતા ના એ નિયમો- આપણા જીવન માં ઉતારી શકીએ – જીવી શકીએ- એટલે અક્ષરધામ પાકું……..

જય સ્વામિનારાયણ……રાજી રહેશો……

રાજ


1 Comment

આજ ની વણમાગી સલાહ- ૩૧/૦૫/૨૦૧૩

પત્ની જયારે રસોડા માં કામ કરતી હોય ત્યારે એની આગળ પાછળ ન ફરવું…..નહીતર તેનો મૂડ, રસોઈ નો સ્વાદ અને તમારું શર્ટ બગડી શકે છે……”

અનુભવી આનંદે શોભિત,

રાજ

Follow

Get every new post delivered to your Inbox.

Join 429 other followers