દિલ્હી ડાયરી-૧

24 Jan

શીતળ પવન ….ધુમ્મસી વાતાવરણ અને હવામાં રાજકારણ ની મહેક સાથે સ્વાગત છે…ભારત ની પોલીટીકલ રાજધાની મા….અર્થાત દિલ્હી મા..! ઘણા સમય બાદ હું પુનઃ દિલ્હી મા છું પણ ઓફિસિયલ કામ થી પ્રથમ વાર જ છું. દિલ્હી ની મને એક વાત ગમી છે…..વિશાળતા અને એનો અલગ જ મિજાજ…! મારા ઘણા મિત્રો દિલ્હી મા છે અને એમની સાથે નો મારો અનુભવ કહે છે કે દિલ્હી ના મિજાજ ને તમે ઠંડો ન કરી શકો…..આની માટીમાં જ એક મિજાજ છે, જે એક સમાન્ય માણસ ને પણ એક અલગ વ્યક્તિ ..એક લડાકુ બનાવે છે…અને કદાચ આથી જ દિલ્હી મા ક્રાઈમ રેટ કંઇક વધારે જ છે.

ધુમ્મસી દિલ્હી.......એક સવાર દિલ્હી મા...!

તો, અમદાવાદ થી રાજધાની પકડી અને ઠંડી ની મજા માણતા માણતા…..એસી થી “ઠંડી” નો સામનો કરતાં કરતાં નવી દિલ્હી સ્ટેશને પહોંચ્યા….પણ પહેલે થી ખબર હતી, આથી બે-ત્રણ સ્વેટર રીના એ બેગ મા મૂકી દીધા હતા અને એ કામ લાગ્યા. હવે મારે દિલ્હી ની દ્વારકા મા પહોંચવા નું હતું અને ગુગલ ભાઈ ફરીથી કામ લાગ્યા….મેઈન સ્ટેશન ને વટાવી ને મેટ્રો ટ્રેન ને પકડી. મારી જિંદગી ની આ પ્રથમ મેટ્રો હતી અને એ સુખદ હતી. ભીડ તો અહીં પણ લાગે છે પણ, અમે એરપોર્ટ એક્સપ્રેસ પકડી આથી મોંઘી પણ સહજ સવારી -ઠાકોરજી ની દયા થી મળી. મેટ્રો અદભૂત છે….ખુબ ફાસ્ટ અને સલામત છે….અને એ જ દિવસ મા અમે ત્રણ વાર મેટ્રો મા ફર્યા……ઠંડી તો એવી કે જાણે કે હાડકા પણ થીજી જાય, પણ એસી ઉનાળા ની જેમ અહીં, શિયાળા મા પણ કામ લાગ્યું….! હોટલ પહોંચ્યા પછી તો કોઈ જ તકલીફ ન હતી…અને ફરી થી હરિ દયા એ મારું સ્વામિનારાયણ જમણ….અને એ ય પાછું ગુજરાતી – મળી ગયું…..અને દિલ બાગ બાગ થઇ ગયું……

દિલ વાલો કી દિલ્હી..........

હજુ બે ત્રણ દિવસ…દિલ્હી મા જ છીએ…..જીવન ખુબ જ ફાસ્ટ જાય છે અને મારા મન મા વિચારો નું એ જ ઘોડા પુર દોડી રહ્યું છે….કે શું જીવન આ  જ છે? સ્થિરતા ની વ્યાખ્યા શું? એક તરફ જીવન ના અનંત રંગો જોવા મળે છે તો એક તરફ આ ભાગંભાગી નો અદ્રશ્ય થાક લાગે છે……..મન-તન ની શાંતિ – કેરિયર ની લ્હાય મા કદાચ ખોવાઈ રહી છે…….પણ બીજો શું ઓપ્શન છે???? આજકાલ , તમારે “સ્થિર” રહેવા વધારે ઝડપ થી દોડવું પડે છે……એ એકદમ સત્ય છે.

જે હોય તે……પણ આ સફર મજાનો છે……જો શક્ય હશે તો મારું પ્રિય અક્ષરધામ અને ૨૬ મી જાન્યુઆરી ની પરેડ જોવા મળશે…….!

બાકી, તો હરિ જ્યારથી મળ્યા….ત્યાર થી અક્ષરધામ મળેલું છે …જ…….!

ડાયરી બાકી છે…..કારણ કે સફર બાકી છે………સાથે રહેશો……

રાજ

Tags: , , , , , ,

IKF- પતંગોત્સવ

12 Jan

ગઈકાલ ની જ વાત છે કે -આપણો પતંગ , અમદાવાદી ,કડક આકાશ મા ઉંચે “ગગન વિશાળ” મા પોતાના પરછમ બિછાવી રહ્યો હતો.  એક વાત તો મે માર્ક કરી છે કે , આપણા અમદાવાદ મા હજુ દિવાળી ના ફટાકડા ની ગંધકી વાસ દુર થાય , ત્યાં તો આકાશ મા પતંગો જોવા મળે છે, અને વળી, કેટલાક વર્ષ થી અમદાવાદ મા દર વર્ષે , મોદીજી ની મહેરબાની થી IKF (  International Kite Festival) નું ભીડ ભર્યું આયોજન થાય છે. અને જાણે કે આખું અમદાવાદ , “જેમ નવરાત્રિ ની નવ રાત્રી ઓ તેમ ઉત્તરાયણ ના પાંચ દિવસ” પતંગમય થઇ જાય છે…..અને કેમ ન થાય….આ બધું લાવવા વાળા મોદી જ છે કે જેમની આગળ પેલા કોન્ગ્રેસિયા ના પતંગો ક્યાં કપાઈ ને…ક્યાં ખોવાઈ ગયા – એ ખબર જ નથી પડતી..!!!!

Kite Festival this time...

પણ સારું છે…..કે પતંગોત્સવ ને કારણે- ગુજરાત આખી દુનિયામાં જાણીતું બન્યું છે. આતો , એવું કહેવાય કે….” મીઠાઈ ની દુકાન બેસી ને ..સ્વાદ ની સંતૃપ્તિ સાથે સાથે ધંધો પણ થાય……” આપણો ગાંડો શોખ, એ ગુજરાત ના પ્રવાસન ઉદ્યોગ માટે કમાણી નું સાધન બન્યો છે. તો, ગઈકાલે અમે- અમદાવાદ ના રીવર ફ્રન્ટ ( એને ગુજરાતી મા શું કહેવાય?) પર આયોજિત, આ ઉત્સવ મા જઈ આવ્યા…..તો જોઈએ…એની સાથે સંકળાયેલ ” વાત” અને “લાત”………

વાત…..

  • મજાનો ઉત્સવ…..સારી ભીડ…..જાત જાત અને ભાત ભાત ના અવનવા પતંગો…..
  • મસ્ત જગ્યા……રીવર ફ્રન્ટ- જાણે કે અમદાવાદ કોઈ વિદેશી શહેર હોય એમ લાગે છે……..
  • બોટિંગ, પેરાસેલીંગ…..વોટર સ્કુટર…..અને કદાચ તરતું રેસ્ટોરન્ટ- ભવિષ્ય મા….અદભૂત છે. અને અમદાવાદી હોવાનો ગર્વ થાય છે…..
  • પતંગો વિષે ઘણું જાણવા મળ્યું……અને સાથે સાથે મજબુત- ગુજરાત ટુરીઝમ નો એક ચહેરો પણ જોવા મળ્યો……

Boating in Sabarmati river- પતંગોત્સવ

લાત…..

  • પાર્કિંગ….ક્યાં છે? અને સિક્યુરિટી- એ તો મજાક જ લાગી…..! મેટલ ડિટેક્ટરો તો અવાજ કરતાં વાજીંત્રો જેવા લાગ્યા….ટોન વાગે પણ કોઈ કશું ચેક ન કરે….અરે..! આપણે કેટલા લાપરવાહ છીએ….મુંબઈ કેઅમદાવાદ મા થયેલા બોમ્બ ધડાકા ભૂલી ગયા????
  • અશિસ્ત પ્રજા-  આપણે લોકો ક્યારેય નહી સુધરીએ…..ગમે ત્યાં ચાલવાનું…થૂંકવા નું…..અને કચરો તો કચરાપેટી થી દુર જ ફેંકવા નો…( કેમ? સાલું કચરાપેટી બગડવી ન જોઈએ…..ને..) હે..રામ…!
  • રસ્તે પતંગ લુંટવા દોડતા છોકરાં….! રોજ છાપાં મા દુખદ ઘટનાઓ આવે છે….પણ કોઈ સુધરતા જ નથી…..વાડજ- દિલ્હી દરવાજા વાળો BRTS  ટ્રેક સૌથી ભંગાર અને ગંદા ટ્રેક મા આવી શકે….આજુબાજુ ના ઝુપડપટ્ટી ના લોકો- આ ટ્રેક મા જ ફરે…ઢોર પણ ત્યાં જ ફરે….કચરો પણ આ ટ્રેક મા જ નાખવા નો….પતંગ ઉડાડવા…ક્રિકેટ રમવા- આ ટ્રેક મા જ ઘુસવા નું….! કોઈક અડફેટે આવી જાય તો વાંક બિચારા બસ વાળા નો જ ગણવા નો….!
  • સાબરમતી નદી મા – ખુલ્લેઆમ કોલ્ડ્રીંક્સ ની બોટલો, ફૂડ પેકેટ્સ….કચરો નાખવા નો….- આ બધું જોયા પછી લાગ્યું કે- કદાચ રીવર ફ્રન્ટ માટે એક સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ બનાવવું પડશે……
  • અને અંતે……આપણો – સ્વભાવ- વિદેશી નાગરિકો…અને એ પણ ખાસ કરી ને સ્ત્રી પર્યટકો ને જોયા નથી ને- એમને હેરાન કરવા – આ લોકો પાછળ પડ્યા નથી….! ઘણું જ શરમજનક લાગે છે….કે બીજા દેશ વાળા આ લોકો આપણા વિષે શું વિચારતા હશે?

તો – આ ઉત્સવ માનવીએ….જલસા કરીએ…પણ મર્યાદાઓ મા રહી ને……! મજા અગત્ય ની છે….પેચ કે કાપકૂપી નહી……!

રાજ

Tags: , , , , , , , , , ,

BAPS રવિસભા -તા ૮/૦૧/૨૦૧૨

8 Jan

આજ ની સભા ખાસ હતી. કારણ કે ,  અત્યારે ગુજરાત ના વિવિધ ક્ષેત્રો ના સંનિષ્ઠ કાર્યકરો ની મંદિર મા શીબીર ચાલી રહી છે. ” અલ્પવિરામ કે પૂર્ણ વિરામ” વિષય આધારિત આ શીબીર- દર્શાવે છે કે ભક્તિ એ એક અલ્પવિરામ છે અને મોક્ષ એ કદાચ પૂર્ણ વિરામ….! પણ કાર્યકરો ની કાર્યદક્ષતા…ફરજ…કે નિષ્ઠા – એ એક સતત વિષય છે. પળેપળ , કાર્યકર્તા પોતાના કર્તવ્ય પાલન દ્વારા અનેક મુમુક્ષો ને – હરિ અને સંતો મા જોડી રાખે છે…! કાર્યકર્તા બનવું– એક સરળ કમ તો નથી જ. એ સાબિત થાય છે.  આથી જયારે અમે સભામાં ગયા- ત્યારે શીબીર નો અંતિમ દિવસ હોવા છતાં ઘણા કાર્યકરો જોવા મળ્યા. અને ધનુર્માસ અત્યરે પુર જોશ મા છે. શ્રીજી નો શણગાર – એના ઉપલક્ષ મા ધ્યાનાકર્ષક હતો. રમકડાં- એ જ્ઞાન સાથે ગમ્મત ના સાધન છે- અને આજે એ માહોલ હતો. જુઓ નીચેના ફોટા….

આજ ના દર્શન....

ધનુર્માસ- રમકડાં અને જ્ઞાન.....

અમે જયારે સભામાં બેઠા ત્યારે- કીશોરમંડળ ના કિશોરો દ્વારા- શાસ્ત્રીજી મહારાજ ના ગુણો પર વક્તવ્ય ચાલતું હતું. પૂ. શાસ્ત્રીજી મહારાજે વડતાલ છોડ્યું..કેમ? શું કારણ હતું? – પૈસો….પ્રતિષ્ઠા …..કે અહં…? જવાબ- ના છે. એક ” અક્ષર પુરુષોત્તમ ના સિધ્ધાંત ના પ્રસાર ખાતર- શાસ્ત્રીજી મહારાજે અનેક વિઘ્નો, દાખડા….દુખો કે વિરોધ સહ્યા…પણ ૧૯૦૭ મા શરુ થયેલી – અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ની આ યાત્રા આજે, પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના વડપણ અને આશીર્વાદ હેઠળ સમગ્ર દુનિયા મા સ્વામિનારાયણ નામ નો ડંકો – વગાડી રહી છે. ” ભગવાન અને ભક્ત” ના આ યુગ્મ ને – આના થી વધારે કોણ..કઈ રીતે પૂજી શકે?  માન આપી શકે?  જો ૮૨ વર્ષ ની ઉમરે – પૂ. શાસ્ત્રીજી મહારાજ – માત્ર સત્સંગ માટે આટલું વેઠી શકતા હોય તો – આપણે કેમ આળસ કરીએ છીએ…..રવિસભા અને કથા-વાર્તા – જીવન નું અભિન્ન અંગ થાવું જ જોઈએ…..હાર્દિક અને ચિરાગ દ્વારા થયેલા તેજસ્વી પ્રવચનો- અદભૂત હતા.

ત્યારબાદ- પૂ. સંતો ના સ્વરે કીર્તન થયા. ” સ્વામી ગુણાતીતાનંદ આજ , આવી ને અઢળક ઢળ્યા…” ઢોલ અને તબલા ના સાથે -જોશીલું આ કીર્તન પણ અદભૂત હતું. ત્યારબાદ શરુ થયું પ્રવચન કે જેની રાહ શરૂઆત થી જ જોવાતી હતી. પૂ. ડોક્ટર સ્વામી આજે પુનઃ અમદાવાદ ને આંગણે હતા અને અને એમનું તેજસ્વી, પણ રસપ્રદ પ્રવચન – ભલભલા માણસ ના આત્મા -મનોબળ ને ઝંઝોળી નાખે એવું હોય છે. એમની પ્રવચન કરવા ની લાક્ષણિકતા -જોવા લાયક હોય છે. એ જ ચરોતરી જુસ્સો…..જ્ઞાન થી ભરેલી ” સીધી સટ્ટાક” વાતો…..! આજના એમના પ્રવચન ની જોઈએ થોડીક ઝલક….

  • વિષય હતો- આત્મનિષ્ઠા, સંઘ નિષ્ઠા….સ્વરૂપ નિષ્ઠા..
  • પોતાના સંસ્કાર- ધર્મ- વિકટ પરિસ્થિતિ ઓ મા પણ ન છોડવા….અને એ સત્ય યાદ રાખવું કે ( સારંગપુર ૧૦ વચનામૃત- ) ભગવાન સદાયે અંતરમાં વિરાજમાન હોય છે….બસ એને સમજો…..વિશ્વાસ રાખો…
  • ભગવદ ગીતા ના શ્લોકો મા અડધા થી વધુ શ્લોકો – મા ભગવાને – પોતાના સ્વરૂપ ની- એમાં નિષ્ઠા રાખવા ની- અને પ્રગટ મા માણવા ની વાતો કરેલી છે. આપણા શાસ્ત્રો – એ અદભૂત છે- દુનિયાના મોટા મોટા સાહિત્યકારો કે તત્વચિંતકો એ પણ એ માન્યું છે..સ્વીકાર્યું છે. પણ આપણી નવી પેઢી ને આનું જ્ઞાન નથી.
  • બ્રહ્મ નું જ્ઞાન, એ સર્વોચ્ચ જ્ઞાન છે. એ જ્ઞાન આગળ બધા જ્ઞાન ફિક્કા છે.
  • ભગવાન- હીરા જેવા…પારસમણી જેવા..કે ચિંતામણી જેવા છે. તમે એમને મન મા સતત ધારો અને એ – તમને ઉગારે છે….ભવસાગર તારે છે.
  • જ્યાં સુધી આપણા મા સંઘ ભાવના છે….એકતા છે ત્યાં સુધી આપણો ધર્મ, નિષ્ઠા અને ભક્તિ કાયમ છે. ઘર અને બહાર- એકતા, સમત્વ અને સ્નેહ થી વર્તો. પ્રેમ અને સ્નેહ થી દુનિયા નો કોઈ પણ સવાલ કે પ્રશ્ન – ઉકેલી શકાય છે.
  • યાદ રાખો- બીજા ના ભલા મા જ આપણું ભલું છે. બીજા ના ધર્મ, કે એના નિયમો, ધર્મગુરુ ઓ કે એના ભગવાન ને ક્યારેય તિરસ્કૃત ન કરો.

પૂ. ડોક્ટર સ્વામી ની અસ્ખલિત વાણી- લગભગ સવા કલાક સુધી સતત વરસતી રહી અને સમગ્ર સભા એમાં સાથ આપતી રહી. આટલી ઉમરે- આટલું બધું જોશ- ખરેખર માન્યા મા ન આવે ,એવું છે.

છેવટે સભા ને અંતે- ઉત્તરાયણ કે મકર સક્રાંતિ ના પર્વ નિમિત્તે- ઝોળી ઉત્સવ વિષે જાહેરાતો થઇ. સવારે- ૭ થી ૧૦ મંદિર મા – વિસ્તાર પ્રમાણે – હરિભક્તો માટે દાન-પુણ્ય માટે ની વ્યવસ્થા કરેલી છે. લાભ લેવો.  પૂ. ડોક્ટર સ્વામી- રોજ સવારે પોતાના પ્રવચન નો લાભ હરિભક્તો ને આપશે. આથી, જરૂર થી લાભ લેવો.

તો, આજની સભા- બળ ભરી સભા હતી. પૂ. યોગી બાપા કહેતા કે” કદીયે મોળી વાતો ન કરવી” – આજે એ વાત સાબિત થઇ. આજે આપણી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થામાં ૮૫૦+ સંતો છે, એમાં થો ૭૫ જેટલા સંતો એન્જીનીયર છે, ૧૦ જેટલા ડોક્ટરેટ થયેલા છે તો એક સંતે હમણાં ડી.લીટ. ની ડીગ્રી મેળવી છે. આ બધું શા માટે? આ બધું – એક હરિ માટે છે….હરિભક્તો ના કલ્યાણ માટે છે……સંસાર ના સુખ ભોગો છોડી ને – સાધુ થાવું સહેલું નથી- દાખલા તરીકે શ્રીજી દર્શન સ્વામી જેવા સંતો છેલ્લા ૩૩ વર્ષ થી એકટાણા કરે છે…..મહિનામાં ૬-૭ દિવસ નિર્જળા ઉપવાસ કરે છે….છતાં એમની સેવાઓ અટકતી નથી…..આ બધું કોના માટે…?

વિચારો……..ભક્તિ એ સહજ માર્ગ નથી….અને સહજ માર્ગ જ છે……..વિચારો…!

જય સ્વામિનારાયણ….

રાજ

 

Tags: , , , , , , , , , ,

રસપ્રદ ફોટા-૪

3 Jan

“ગમતા નો  કરીએ ગુલાલ”…. સમયાંતરે જે જોવા મળ્યું….ગમ્યું …એ તમારી સાથે વહેંચવા ની ઈચ્છા થઇ, એટલે વહેંચ્યું. કહેવાય છે કે – કોઈ પણ વાત શબ્દો થી કહેવાય, એના કરતાં વધારે અસરકારક રીતે ફોટા દ્વારા કહી શકાય છે.  વાત અમુક અંશે સાચી છે, કારણ કે ચિત્ર- એ જ છે પણ દ્રષ્ટી દ્રષ્ટી પ્રમાણે એની વ્યાખ્યા….અને વ્યાખ્યાન બદલાય છે. જુઓ નીચેના ફોટા…..

હે રામ....! ALA ........RAM !

 

જપ જપિયા.....! ખબર પડી?

 

હે નેનો....તારા આવા એ દા' ડા આવશે....એવું નહોતું ધાર્યું..!

 

અને બજાજ સુપર - ખરેખર એન્ટીક પીસ છે.... :-)

 

તો , બસ હસતા રહો……માણતા રહો……જીવન અદભૂત અનુભવ છે…!

રાજ

Tags: , , , ,

BAPS રવિસભા- તા ૦૧/૦૧/૨૦૧૨

1 Jan

નવું વર્ષ …નવી આશાઓ….પણ એ જ સાંજ અને એજ સભા….મારા હરિ માટે ની સભા….મારા પોતાના માટે ની સભા…!  આજનો દિવસ -એક સાચી રીતે જ શિયાળા નો દિવસ હતો. સુરજ ને પણ જાણે આળસ અને રવિવાર ચઢ્યો  હોય, એમ શાંતિ થી ” ઉઠ્યો” હોય એવું લાગતું હતું.  પણ અમારી સોસાયટી ના કુતરાઓ ને શિયાળો નડતો હોય એવું નથી લાગતું, કારણ કે રીના ની ગાડી એમના ગુસ્સા નો ભોગ બની, અને ગાડી ની વેરાન-છેરણ સીટ ને રીપેર કરાવવા મારે મિરઝાપુર ના ચક્કર કાપવા પડ્યા.

પણ આજે વર્ષ નો પ્રથમ દિવસ…પ્રથમ રવિવાર…..પ્રથમ સભા હતી….આજે હું આજે એને ચૂકવા માંગતો ન હતો…આથી સમયસર મંદિરે પહોંચી ગયા. ઠાકોરજી ના દર્શન કર્યાં. ધનુર્માસ નું માહાત્મ્ય હજુ પણ ઠાકોરજી ના શણગાર પર દેખાય છે. આજના દર્શન…..બસ….જેનાથી મન શાંત થઇ ગયું…..

આજ ના દર્શન.....

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે પૂ. સંતો દ્વારા પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના ૨૦૦૯ ના વિચરણ વિષે નિરૂપણ અને ભાવાર્થ ચાલતો હતો.  પૂ. સ્વામીશ્રી ના વિચરણ ના નિરૂપણ નો ફાયદો એ છે કે – એમાં થી શબ્દે-શબ્દ , એમનું સ્વરૂપ અને હરિભક્તો પ્રત્યે નો એમનો ભાવ ઓળખાય છે. સાથે- એક હરિ જ સર્વ નો કર્તા-હર્તા છે- એ વિચાર મજબુત થાય છે.  આ નિરૂપણ નો સાર હતો….

  • સતત , રોજીંદી ક્રિયા વચ્ચે પણ ભજન-કથા વાર્તા – એ ભક્તિ નું જરૂરી અંગ છે. ભજન કરવું અને કરાવવું- એ ના થી સત્સંગ નું કોઈ મોટું અંગ ન હોઈ શકે.
  • સંતો- હરિભક્તો  મા નિર્દોષ બુદ્ધિ રાખવી- પોતાના જ્ઞાન અને સમજણ અનુસાર- એમના સદગુણો ને ગ્રહણ કરવા.
  • ગુરુ નું વચન- બ્રહ્મવાક્ય સમાન રાખવું……અને એક ભગવાન નું જ કર્તા-હર્તા પણું સ્વીકારવું- એક એમની જ મરજી ચાલે છે, અને એ જે કરે છે એ-જીવ ના કલ્યાણ હેતુ જ કરે છે.

ત્યારબાદ કીર્તન થયા- ” વારે વારે જાઉં વારણીયે…” પ્રેમાનંદ સ્વામી દ્વારા રચાયેલા પદો – કિશોર મંડળ ના સભ્યો દ્વારા ગવાયા. ત્યારબાદ નું પદ ” પ્રીત પુરવ ની તમારી..સુંદરવર શામળિયા” ગવાયું અને સમગ્ર સભા પણ એમાં સમન્વિત થઇ ગઈ….તાળીઓ ના તાલે ગવાતું આ પદ- અદભૂત હતું. ત્યારબાદ, પૂ. શ્રીહરિ સ્વામી ના મુખે- ઉત્તરાયણ અને તેના માહાત્મ્ય વિષે પ્રવચન થયું. એના અંશ…..

  • ખગોળશાસ્ત્ર મુજબ- સુરજ મહારાજ નું ઉત્તર દિશા….મકર રાશી  તરફ ગમન- ૨૧ ડીસેમ્બર થી જ શરુ થઇ જાય છે,  આથી આપણે ૧૪ જાન્યુઆરી, જે ઉત્તરાયણ મનાવી એ છીએ…એ એક ઉજવણી થી વિશેષ કશું નથી- છતાં, એનું મહત્વ ઓછું થાતું નથી.
  • મકરસંક્રાંતિ મા આપણા શાસ્ત્રો મુજબ દાન ધરમ- શુભ કાર્યો નો મહિમા અપરંપાર છે.
  • બલીરાજા, નચિકેતા, દધીચી ,કર્ણ જેવા દાનવીરો અમર થઇ ગયા.
  • મહારાજ ના વખત મા- પણ દાદા ખાચર, ઝીણા ભાઈ, સંતો, લાડુબા વગેરે ભક્તો ના ત્યાગ , બલિદાન અવિસ્મરણીય છે…વીરો સાખડ અને વ્રજાનંદ સ્વામી ની વાત, કે પંચાળા ના કાલુંબાઈ જેવા સત્સંગી ની વાતો પણ સંપ્રદાય મા જાણીતી છે.
  • શાસ્ત્રીજી મહારાજ ના વખત મા , આશાભાઈ-ઈશ્વારભાઈ જેવા હરિભક્તો કે જાહેર મા કહેતા કે- શાસ્ત્રીજી મહરાજ માટે તો અમે વેચાઈ જાશું…
  • દાન મુખ્યત્વે ત્રણ પ્રકાર ના હોય છે- દૈહિક, દ્રવ્યિક, સામયિક – જે જેની શક્તિ હોય એ પ્રમાણે કરે…..
  • શાસ્ત્રીજી મહારાજ ની આ સંસ્થામાં , ઉચ્ચ અભ્યાસ વાળા, પોતાના પરિવાર ના એક ના એક દીકરા હોય તેવા, વિદેશ ના નાગરિક હોય તેવા….અસંખ્ય સંતો છે. માત્ર એક પ્રમુખ સ્વામી ના વચને- સ્વામિનારાયણ ભગવાન ખાતર પોતાનું ઘર-બાર-સુખ-પરિવાર છોડી ને ત્યાગ ને વરેલા છે…..એ પણ એક મહાન દાન છે.

ત્યારબાદ,પૂ. બ્રહ્મવિહારી સ્વામી એ પોતાની લાક્ષણિક અદા મા પૂ. સ્વામીશ્રી ના મુંબઈ ખાતેના પ્રસંગો નું વર્ણન કર્યું. અને મકરસંક્રાંતિ માટે ની ઝોળી પર્વ નિમિત્ત ની તૈયારીઓ અને વ્યવસ્થા વિષે વાત કરી. આજ થી જ હરિભક્તો, પોતાની સેવા -જે તે વિસ્તાર ના કાર્યકરો ને લખાવી શકશે…

ત્યારબાદ, પૂ. અક્ષરવત્સલ સ્વામી એ , વીડીઓ-ફોટા દ્વારા નુતન, શ્રી પ્રમુખસ્વામી હોસ્પિટલ વિષે ઊંડાણપૂર્વક માહિતી આપી. ૭ માળ ની, એકદમ અદ્યતન, બધી જ સગવડો અને બધાજ પ્રકાર ના ઓપરેશનો કરી શકે, અને લગભગ મેડીકલ ની બધી જ ફેકલ્ટીઓ ની સગવડ ધરાવતી હોસ્પિટલ હવે સંપૂર્ણ પણે તૈયાર છે. ઘર આંગણે -આંતરરાષ્ટ્રીય કક્ષા ની સેવા – એ અમુલ્ય લાભ જ કહેવાય. વળી આ મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલ મા એલોપથી ની સાથે સાથે આયુર્વેદ, હોમીઓપથી, નેચરોપથી વગરે જેવા વિભાગો નો પણ સમન્વય કરવામાં આવ્યો છે. ચાલો…….હવે આપણે શાંતિ..!!!!!!

ત્યારબાદ અમુક જાહેરાતો થઇ -જેમાં સત્સંગ પરીક્ષા માટે ઓડીઓ સીડી, પૂ. મુકુન્દ્ચરણ સ્વામી લિખિત- હિંદુ ધર્મ  ના સ્ત્રી-ભક્તો પર એક પુસ્તક પ્રગટ થયું.

તો નવા વર્ષ ની આજની સભા- ભરચક હતી…..આથી કહી શકાય કે શરૂઆત હમેંશ ની જેમ સારી જ રહી, અને શ્રીજી ને પ્રાર્થના કે આવનારું સમગ્ર વર્ષ- આ જ્ઞાન-સભા નો પૂર્ણ લાભ મળતો રહે……

જય સ્વામિનારાયણ….

રાજ

Tags: , , , , , , , ,

છેલ્લો દિવસ….અંતિમ ઘડીઓ…

31 Dec

” સમય અને ભરતી કોઈ ની રાહ જોતા નથી…” આ કહેવત કદાચ બધા એ સાંભળી છે….અને અનુભવી છે. સમય ને પાંખો હોય છે અને એ સતત વહેતો જ રહે છે, આથી જ કદાચ આપણા સુખ અને દુઃખ કાયમી નથી. મનહર ઉધાસ  દ્વારા ગવાયેલી ગઝલ – એ સમય નો સંપૂર્ણ અને સાંગોપાંગ અનુભવ કરાવે છે….

સંધ્યા ની જેમ ક્ષણ મા , ઢળી જાય છે સમય, સદભાગી કો’ક ને જ ફળી જાય છે સમય,

આઝાદ ઉડવું કેમ? સમસ્યા છે સમય…સમજી શકે એને જ સમજાય છે સમય…..”

તો સમય સરતો ગયો, અને અમે એની મસ્તી મા બસ કર્મો કરતા ગયા. આજે , ઈસુ ના વર્ષ ૨૦૧૧ ની છેલ્લી રાત્રી છે…..અને અમુક ઘડીઓ જ બાકી છે રાત્રી ના બાર વાગવા તરફ સમય ના કાંટા વણથંભ્યા ધપી રહ્યા છે. સમય સાપેક્ષ છે…..આપણી લાગણીઓ ને….આપણા વિચારો ને..! જયારે તમે ગમગીન હો ત્યારે સમય કદાચ ૮૦ મીનીટ ના કલાક નો હોય છે અને ખુશ હોઈ એ ત્યારે એ જ કલાક માત્ર ૪૦ મીનીટ નો હોય છે……તો કરવું શું? સમય ને પકડી રાખવો , એ કદાચ શક્ય નથી- પણ હા એને શબ્દો મા કંડારી શકાય છે….નજરો મા કેદ કરી શકાય છે….હૃદય મા ભરી શકાય છે…..આંખોમાં આંજી શકાય છે. તો, મે તેને કઈ રીતેપકડી રાખ્યો? જુઓ……

  • ૨૦૧૧ મા મે ૧૧૫ પોસ્ટ લખી અને લગભગ ૨૭૦૦૦ લોકો એ મારો બ્લોગ વાંચ્યો……..અથવા ૨૭૦૦૦ વાર મારો બ્લોગ વંચાયો….આંકડા ઓ ની રમત છે…..પણ મને સંતોષ છે…પોતાના વિચારો દુનિયા સાથે વહેંચવા નો….બાકી વર્ષો થી હું આત્મમંથન માટે….ડાયરી લખતો જ રહ્યો છું….થોડોક બ્રેક પાડ્યો, પણ નવા વર્ષ થી નહી પડે…..એ મારી ગેરંટી..!
  • મારો બ્લોગ હવે સંપૂર્ણ પણે ગુજરાતી ભાષા- આત્મ્ભાષા ના કલેવર ધારણ કરતો જાય છે…..વિચારો , હરપળ નવો શબ્દ દેહ ધારણ કરી આત્મ-રંજન કરવા પ્રગટ થાય છે……..
  • મારું પ્રથમ ધ્યેય- સત્સંગ અને મારા હરિ ની વાતો- મારી અપેક્ષા મુજબ પ્રથમ ક્રમે જ રહી છે……અને નવા વર્ષ માટે પણ શ્રીજી ને પ્રાર્થના કે – જીવન નો જે પણ ક્ષણ કે પળ જીવાય….એ એમના રાજીપા માટે…..એમની હાજરી સાથે જ જીવાય…..
  • કોમેન્ટ્સ કેટલી આવી? એ ચકરડા મા પડવા ની કોઈ ઈચ્છા નથી….કોમેન્ટ્સ ને આધારે મનોરંજન કરવા ની ઈચ્છા નથી…..બસ આ બ્લોગ જે કોઈ પણ વાંચે….એ કંઇક નવું જાણે….સ્થિતપ્રજ્ઞતા ની દિશા મા …પોતાને નિમિત્ત માત્ર સમજી ને સમભાવ રાખવા ની દિશા મા એક પગલું ભરે તો યે બસ…….આખરે આપણું અસ્તિત્વ સમજાય તો યે ઘણું છે.

તો નવા વર્ષ ની રાહ મા….૨૦૧૧ ની આ છેલ્લી પોસ્ટ છે…..બસ આગળ ધપો…..આવતીકાલ નો સોનેરી સુરજ આપણી રાહ જોઈ રહ્યો છે……….

આવતીકાલ ની સવાર આપણી છે.......

જુના વર્ષ ને વિદાય આપીએ….નવા વર્ષ ને આવકારીએ……કારણ કે હરપળ એ નવી જ છે…” ક્ષણે ક્ષણ હું જન્મતો….ક્ષણે ક્ષણ હું મરતો…” ની જેમ મારા ફેવરીટ મરીઝ દ્વારા રચિત પંક્તિ ઓ દ્વારા સમાપન કરીએ…….

” બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જયારે જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે…..

દુનિયા મા કંઇક નો કરજદાર છું , “મરીઝ”…..ચૂકવું બધાનું ઋણ જો અલ્લાહ ઉધાર દે….”

જય સ્વામિનારાયણ…

રાજ

 

Tags: , , , , , , , , , , ,

શ્રીહરિના પ્રસાદીના પત્રો

30 Dec

સ્વામિનારાયણ સંપ્રદાય મા પત્રો- લેખન- સાહિત્ય રચના ની પરંપરા અદભૂત રહી છે. છેક પૂ. રામાનંદ સ્વામી ના સમય થી થયેલા અભૂતપૂર્વ પત્ર લેખન ના પુરાવા આજે પણ સંપ્રદાય મા જ્ઞાત છે.  શ્રી બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સંપ્રદાય ના આજ ના પુસ્તકો મા પણ પૂ. શાસ્ત્રીજી મહારાજ, પૂ. ભગતજી મહારાજ, પૂ. નિર્ગુણદાસ સ્વામી દ્વારા લેખિત અસંખ્ય પત્રો આજે પણ ઉપલબ્ધ છે. એમાં પણ પૂ. શાસ્ત્રીજી મહારાજ નો અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત માટે નો દાખડો , પૂ. નિર્ગુણદાસ સ્વામી ના પત્રો મા સુપેરે જોવા મળે છે. એવું કહેવાય છે કે પૂ. નિર્ગુણદાસ સ્વામી પત્રો લખતા એ- એક મોટા અહેવાલ  થી ઓછા ન હતા. પત્રો થી સંપ્રદાય નું જે પોષણ થયું , છે, જે જગજાહેર વાત છે.

” શ્રીજી ના પ્રસાદી ના પત્રો” એ શ્રીજી મહારાજે સ્વયં લખેલા પત્રો નો અમુલ્ય સંગ્રહ છે. મે આ પુસ્તક નો શોધવા ઘણા મંદિરો કે ઘણા સ્થળો ની મુલાકાત લીધી, સંતો ની સાથે, મંદિરો ના સંચાલક મંડળ સાથે ચર્ચા કરી પણ – એ ક્યાં ય પણ પ્રાપ્ત ન થઇ. લગભગ ૯૦ વર્ષ પહેલા પ.ભ. માધવલાલ કોઠારી એ આ પુસ્તક પ્રકાશિત કર્યું હતું અને તેની એક પ્રત ગુજરાત વિદ્યાપીઠ મા પણ છે. અમુક સમય પહેલા હું અને રીના કાલુપુર સ્વામી. મંદિરે દર્શને ગયા હતા અને ત્યાં આગળ , ચર્ચામાં ખબર પડી કે – હિમતનગર સ્વામિનારાયણ મંદિરે – પૂ. શાસ્ત્રી શ્રી હરજીવન દાસ સ્વામી એ – શેઠ પરિવાર ના સહયોગ થી આ પુસ્તક પુનઃ પ્રગટ કર્યું છે. હું તો ઉત્સાહિત થઇ ગયો અને તુરંત જ હિમતનગર રહેતા સબંધી નો સપર્ક કરી- આ પુસ્તક મેળવવા મા આવ્યું. હજુ ગઈકાલે જ મારા હાથમાં આ પુસ્તક આવ્યું અને હું જાણે કે સાતમાં આકાશ મા હોઉં- એટલો આનંદ થયો.

કેટલીક ઝલક……

  • શ્રીજી મહારાજે લખેલો પ્રથમ પત્ર- કે રામાનંદ સ્વામી પર હતો, એ એમના સ્વ- હસ્તાક્ષર મા પ્રગટ થયો છે. એ સમય ની ભાષા- મા વ્રજ કે હિન્દી મા લખાયેલો આ પત્ર- શ્રીજી નો- પોતાનો સત્સંગ દ્રઢ કરવા માટે ની દિશામાં પ્રથમ પ્રયાસ હતો.

શ્રીજી નો પૂ. રામાનંદ સ્વામી પર નો ઐતિહાસિક પત્ર

  • લગભગ ૫૪ પત્રો પ્રગટ થયા છે, જે મોટાભાગે ગુજરાતી- ( એ સમય ની ગુજરાતી) મા છે. હજુ અસંખ્ય પત્રો મળ્યા નથી- આથી લીસ્ટ કદાચ લાંબુ હોઈ શકે છે.
  • એમાં થી અમુક પત્રો શ્રીજી એ સ્વયં લખેલા છે, તો મોટાભાગ ના પત્રો- શ્રીજી એ શુક્મુની, મુળજી બ્રહ્મચારી કે અન્ય લહિયા સંતો ને હાથે લખાવેલા છે.
  • પત્રોમાં મોટેભાગે ઉપદેશો, આત્મા-પરમાત્મા નું જ્ઞાન, જીવ ના કલ્યાણ ની વાતો, સંતો-હરિભક્તો  ના મહિમા ની વાતો કરેલી છે. અમુક પત્રો મા પોતાના સ્વરૂપ ની યથાર્થતા દર્શાવવા નો પ્રયત્ન પણ શ્રીજી એ કરેલો છે.

હજુ તો મે આ પુસ્તક વાંચવા નું શરુ જ કર્યું છે, અને હું પત્ર ના શબ્દે-શબ્દે ટપકતા શ્રીજી ની અમૃત વાણી/ઉપદેશો થી પ્રભાવિત થઇ ગયો છું. મને યાદ આવે છે કે પ્રસંગ કે જયારે – શ્રીજી ના એક પત્ર ને આધારે- હરિભક્તો , લગ્ન ની ચોરી મા થી ઉઠી ને જે કામ કરતા  હોય તે પડતું મૂકી ને પરમહંસ ની દીક્ષા લેવા હાજર થઇ ગયા હતા. એક જ રાત મા પાંચસો પરમહંસો ને દીક્ષા નો પ્રસંગ- એક અદભૂત અને અવિસ્મરણીય પ્રસંગ છે…..અને એ દર્શાવે છે કે – શ્રીજી ના પત્રો પણ કેટલા પ્રભાવશાળી હતા.

શ્રીજી ના પ્રસાદી ના પત્રો...

તો વાંચન ચાલુ છે…..અભ્યાસ ચાલુ છે…..આથી આ પત્રો ની ચર્ચા પણ ચાલુ જ રહેશે.

જય સ્વામિનારાયણ,

રાજ

Tags: , , , , , , , , , , , ,

એક સવાર- નળ સરોવર ને કાંઠે…..

26 Dec

આમ તો , નળ સરોવર નો પ્રોગ્રામ એક માસ પહેલા થી જ નક્કી હતો. કારણ કે અમે રહ્યા મોટા માણસો….કે જેમણે પોતાના માટે પણ સમય કાઢવા મા , અપોઈન્ટમેન્ટ લેવી પડે છે.. :-) , જે હોય તે…..પણ જયારે શરુ શરુ મા આ વાત થઇ એટલે હું ચિંતિત થઇ ગયો, કારણ હતા….

  • રવિવાર…..અર્થાત રવિસભા નો દિવસ….
  • રવિવાર- એટલે પોતાનો દિવસ….શિયાળા ની ઠંડી પરોઢ અને સવારે ૩-૪ વાગ્યે ઉઠી ને પક્ષીઓ જોવા નળ સરોવર જવાનું..???
  • અને રવિવાર- એટલે ભીડ ભાડ નો દિવસ….ફરવા જવાના સ્થળે…આખી દુનિયા ઉમટી પડે…અને મજા એ સજા થઇ જાય….

છતાં, છેક છેલ્લી ઘડી સુધી હા- ના મા મન અટવાતું રહ્યું, અને છેવટે, કંઇક નવું જોઈશું…..અને મિત્રો સાથે છે…એટલે મજા બેવડાઈ જાશે…એમ વિચારી ને – પ્રોગ્રામ કો લોક કાર દિયા….! હવે રહી તૈયારી ની વાત…..તો, બધાએ નક્કી કર્યું હતું, એમ ઘરે થી નાસ્તો લઇ ગયા, પણ જમવાનું તો બહાર જ ગોઠવવા મા આવ્યું. બે કાર…૯ મોટા…૬ નાના…એમ મળી ને રવિવાર ની ઠંડી, ધુમ્મસી , ગાઢી સવારે – સવારે ૫ વાગ્યે ઘરે થી રવાના થયા. આ બાજુ અમદાવાદ- સાબરમતી મેરેથોન માટે તૈયારી કરી રહ્યું હતું, અને અમે કુદરત માટે ના મેરેથોન માટે સડસડાટ ભાગી રહ્યા હતા….મન…મેરેથોન પર હતું…!

અમદાવાદ થી (નળસરોવર) લગભગ ૯૦-૯૫ કિલોમીટર દુર છે. સાણંદ થી ત્રીસેક કિલોમીટર અંદર જવાનું….વેકરીયા ગામ ની સીમ થી શરુ થઇ…૧૨૦ કિમી ના ક્ષેત્રફળ મા ફેલાયેલું આ સરોવર- એક અદભૂત નજારો છે. રસ્તો જોખમી છે…..સિંગલ ટ્રેક …ટ્રાફિક નોન સેન્સ….બમ્પ્સ ગાડી ના પાટા તોડી નાખે એવા……અને ત્યાં પહોંચ્યા પછી…પાર્કિંગ…હરિ બચાવે…! જુઓ સારું- નરસું…….

સારું….

  • સરોવર- અદભૂત….સુરજ ને ક્ષિતિજ મા નીકળતા જોવો…અને એના સુવર્ણ કિરણો ને – સરોવર ના એકદમ પારદર્શક પાણી પર પથરાઈ ને જે નજારો ઉભો કરે છે…..એ જોયા પછી – મારી ગેરંટી કે – આ અનુભવ અને શાંતિ તમે જીવન ભર નહી ભૂલો…..! સહજ મા જ હરિમય થઇ જવાય એવું આહલાદક વાતાવરણ હતું…….
  • પક્ષીઓ- જે નળ સરોવર ના મૂળ માલિક છે( આપણે તો ઘૂસ પેઠિયા છીએ…..) એમની વિવિધ જાતિ ઓ….ઝુંડ….. વાહ….વાહ છે. છેક રશિયા..સાઈબેરિયા…ઉત્તર ચીન….કે અલાસ્કા થી આવતા પક્ષીઓ…તમે જોતા જ દંગ થઇ જાવ..!
  • સરોવર નું એક દમ પારદર્શક પાણી….ઊંડાઈ માત્ર ૫-૬ ફીટ …આથી…પાણી ને ધીરે ધીરે ચીરતી બોટ મા બેસી ને- તમે સરોવર ના તળિયા ને….જલીય જીવન ને આંખો મા ભરી શકો છો….

નળ સરોવર- સુરજ..અને સવાર....

નરસું….

  • રસ્તો…પાર્કિંગ મા જવા માટે લાઈન મા ઉભા રહેવું….ધૂળિયું પાર્કિંગ…..! સિંગલ ટ્રેક રસ્તો -જોખમી તો છે જ….પણ સાથે સાથે સરકારી ઉદાસીનતા આંખે ઉડી ને વળગે છે……
  • બોટ વાળા ઓ ની ઉઘાડી લુંટ….૩૦૦ જેટલા બોટ વાળા છે, જેને સરકારી પરવાનો પ્રાપ્ત છે….એ સામાન્ય દિવસે ૩૦૦ થી ૧૦૦૦ સુધી ભાડું વસુલે છે, જે રવિવારે અને રજાઓ ને દિવસે….વધી ને ૪૦૦૦-૫૦૦૦ ( એ પણ બે-ત્રણ કલાક માટે) સુધી પહોંચી જાય છે. કોઈ ધારા- ધોરણ નહી….નકરી ભીડ ભાડ…!
  • અસહ્ય ગંદકી- લોકો આ કુદરતી અભ્યારણ મા જે રીતે ખાલી પ્લાસ્ટિક બેગો, ટીન્સ, બાટલીઓ….કાગળિયા ફેંકે છે…એ જોઈ ને આપણ ને ભારતીય હોવા પર શરમ આવે…..અને બીજું દયા જનક એ છે કે – સરોવર વચ્ચે રહેલો તરબલા આઈલેન્ડ ( જે પક્ષીઓ ના ઈંડા – બચ્ચા ના ઉછેર માટે સ્વર્ગ જેવો હતો) , ચા- રોટલા-શાક- કોલ્ડ્રીંક્સ, સિગારેટ્સ, નમકીન ના પાઉચો વેચતા – ઘુસણખોરો થી ભરેલું  છે….અને એના થી પણ ખરાબ- આ બધું ખાઈ ને લોકો ખુલ્લેઆમ ગંદકી કરતા ફરે છે……! સરકારી ખાતા તો ઊંઘે જ છે……

નળ સરોવર- ઘૂસપેઠિયા ગંદકી ખોરો....

તો નળ સરોવર મુલાકાત માટે શું ધ્યાન મા રાખવું………?

  • શક્ય હોય તો- ઘરે થી એવી રીતે નીકળો કે તમે સૂર્યોદય- બોટ મા બેસી ને….સરોવર ના પાણી સાથે જોઈ શકો…આથી અમદાવાદીઓ માટે સવારે ૪-૪.૩૦ નીકળવું જરૂરી છે…..
  • ઘરે થી બાયનોક્યુલર….સારા કેમેરા….ઝુમ લેન્સ લેવા નું ભૂલશો નહી……ગોગલ્સ જરૂરી છે…..
  • ઘરે થી નાસ્તો – પાણી લઈને જવું….અને પાર્કિંગ મા જ નાસ્તો કરી ને જવું. ત્યાં જઈને ગંદકી કરવા નો કોઈ મતલબ નથી…યાદ રાખો પાર્કિંગ – નળસરોવર થી ૧.૫-૨ કિમી દુર છે….અને છકડા વાળા એક છકડા ના ( ૯-૧૦ વ્યક્તિ) ના ૧૧૦ -૧૨૦ રૂપિયા લે છે….ધ્યાન રાખો.
  • ભાવતાલ કરતા શીખી જવું……અથવા કોઈ ” વણિક બુદ્ધિ” વાળા ને સાથે રાખવો……એને આગળ રાખવો…. :-)
  • ત્યાં જમવા નો આગ્રહ રાખવો નહી…..બપોર નું ખાણું..સાણંદ થી અમદાવાદ જતા – કોઈ સારી હોટલ મા જ રાખવું….અથવા ઘરે આવી ને જમી શકાય…

તો, યાદ રાખો….જીવન મા સફર જરૂરી છે….એની મજા લેવી જરૂરી છે….પણ અન્ય ના – કોઈ ના હિત ના ભોગે નહી….! નળ સરોવર – પક્ષીઓ નું નિવાસ સ્થાન છે….એમના જીવન નો ખુબ અગત્ય નો હિસ્સો અહીં વ્યતીત થાય છે….આથી એનું મહત્વ સમજો અને યાત્રા ની મજા લો..!

આ સફર પછી….મને BAPS ના સત્સંગી હોવા નો ગર્વ થાય છે…..જે પ્રમાણે મંદિરો, કે ઉતારા…બગીચા સ્વચ્છ અને વ્યવસ્થિત હોય છે….એવું અહીં પણ કેમ ન થઇ શકે…..! બસ વ્યવસ્થા બદલાય ….લોકો ની માનસિકતા બદલાય – એ જરૂરી છે…! અને સાથે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ની આજ્ઞા યાદ રાખો….” બીજા ના ભલા મા જ આપણું ભલું છે…..” તો પોતાની મજા સાથે કુદરત ની જાળવણી પણ એટલી જ જરૂરી છે…..!

બસ સાથે રહો…..આખરે જીવન પણ એક યાત્રા છે….

રાજ

Tags: , , , , , , , , ,

સાત્વિક ફૂડ ફેસ્ટીવલ – IIM

19 Dec

દર વર્ષ ની જેમ, આ વર્ષે પણ અમદાવાદ ના આંગણે, અને IIM ની ટીમ ના સહિયારા પ્રયત્નો થી, સાત્વિક ફૂડ ફેસ્ટીવલ હતો. અને અમારા જેવા શોખીન જીવડા કે જેમનો જન્મ ” ખાવા પીવા ” માટે જ થયો છે, એમના માટે તો આ એક મહા ઉત્સવ થી કમ ન હતું.  વળી, શ્રીજી ની દયા એવી છે કે- ત્યાં જૈન/સ્વામિનારાયણ જમવા નું સહજ મળી જાય છે. અને વેરાયટી તો પુષ્કળ હોય છે.

એ હાલો ...સાત્વિક ફૂડ મેળા મા....!

આ વખતે હું બહાર હતો, આથી છેલ્લા દિવસે જ આ ઉત્સવ મા જવાનું થયું.  રીના ની તબિયત જરા નરમ-ગરમ હતી, છતાં એ પણ ઉત્સાહ મા હતી, અને અમારા ગુરુ બંધુ , મહાન પ્રખર આયુર્વેદ “શિરોમણી” વિમલ ભાઈ પણ અમારી સાથે – અમને સાત્વિક ખાણી-પીણી ના ” ફાયદા-ગેર ફાયદા” સમજાવવા સાથે હતા આથી મજા બેવડાઈ ગઈ….. :-) …….અમે લોકો સમયસર પહોંચી ગયા- કારણ  કે લંચ લેવા નો પ્રોગ્રામ અહીં જ હતો…..ભીડ તો હોય જ છે…..( અમારા એક સ્નેહી – અમદાવાદ ને ભુખાવરા ઓ નું શહેર કહે છે….કે જ્યાં લોકો બસ ખાઉં ખાઉં જ કરે છે…..અને ખાવા માટે તો લાઈન મા પણ ઉભા રહે છે…) – ઘૂસ મારી અને નક્કી કર્યું કે – જમવા નું તરત શરુ ન કરવું….પહેલા બધી દુકાનો જોઈ લેવી….પછી જ બધા ને લાભ આપવો….! પણ , આવું શક્ય છે? આપણે તો આ નિયમ- બીજી જ દુકાને અર્થાત સ્ટોલ પર જઈ ને તોડી નાખ્યો……તો અમે શું જમ્યા….

  • મહુડા નો આઈસ ક્રીમ ( માર્ક્સ ૩.૫/૫)
  • બ્રાહ્મી ના ભજીયા ( ૫/૫)
  • સ્ટફ્ડ પરોઠા અને ટોઠાનું શાક ( ૩.૫/૫)
  • ચીકુ નો આઈસ્ક્રીમ ( ૪.૫/૫)
  • આદુ,આમલા, ફૂદીના નો શરબત( ૪.૫/૫)
  • લાઈવ ઢોકળા( ૪/૫)
  • દન્તારા નો શીરો( ૪/૫)
  • સાબરમતી જેલ ના ભજીયા( ૩.૫/૫)- IIM ના વિદ્યાર્થીઓ હવે- આ ભજીયા નું રે-બ્રાન્ડિંગ કરી રહ્યા છે- સર્વે મા અમને પૂછવા મા આવ્યું કે કયું નામ રાખવું…અમે પુણ્ય, જાગૃતિ, ચેતના જેવા નામ સજેસ્ટ કર્યાં…….. પણ ભાઈ- ભજીયા ની ગુણવત્તા સુધારો યાર…..!
  • કૃષ્ણ કમોદ – લાલ ચોખા જેવા ઓર્ગેનિક અનાજ ખરીદવામાં આવ્યા…….

આ વખતે- ખાવા પીવા પર બહુ જ ધ્યાન રાખ્યું અને રીંગણ નો ઓળો- રોટલા કે અન્ય ફરસાણ થી દુર રહ્યા…..પણ હા….આ વખતે પેલો વાંસ નો શીરો ન દેખાણો….! વાંસ નું અથાણું દેખાયું, પણ સાલું…ખાટુ હતું…..આથી  એને રહેવા દીધું…! રીના તો એટલી ઉત્સાહ મા હતી કે – એણે નર્મદા જીલ્લા થી આવેલા વિદ્યાર્થીઓ સાથે ફોટો પણ પડાવ્યો…… ફૂડ ફેસ્ટીવલ ના ફોટા – ફેસબુક અને ગુગલ + પર મુકવામાં આવ્યા છે……!

શિક્ષક અને વિદ્યાર્થીઓ..........!

નવા નવા સંશોધનો,  ભારત નું દુર પ્રદેશો ને છેક અહીં સુધી લાવી ને આવું અદભૂત આયોજન કરી- આવનારી પેઢી ને પોતાની સંસ્કૃતિ વિષે જાણકારી આપવા ના એક પ્રયાસ બદલ પ્રો. અનીલ ગુપ્તા અને એમની IIM ની ટીમ ને ૫ મા થી ૫ માર્ક્સ……!!!!

હવે બસ આવતા વર્ષ ની રાહ જોવાય છે…….. અને એક વાત હમેંશા તાજી રહેશે કે – કંઇક અલગ વિચાર જ – આપણું અસ્તિત્વ ટકાવી રાખે છે……

સલામ અમદાવાદ…..!

રાજ

Tags: , , , , , , , , , ,

BAPS રવિસભા- તા ૧૮/૧૨/૨૦૧૧

18 Dec

      गुणातीतो अक्षरम ब्रह्म , भगवान पुरुषोत्तम

जनों जानंइदं सत्यं मुच्यते भव्बंध्नात ll

રવિસભા – એટલે કે આત્મા ના રીચાર્જ માટે સત્સંગ નું ચાર્જર…..! આપણા શાસ્ત્રોમાં કહેવાય છે એમ કે જ્યાં સુધી આપણે ” આપણા” સુધી ન પહોંચીએ ત્યાં સુધી હરિ નો માર્ગ દેખાતો નથી. અને વચનામૃત મા પણ કહ્યું છે કે – હરિ ને જાણવા- પામવા માટે , આત્મ જાગૃતિ અનિવાર્ય છે. છેલ્લા , રવિવારે – હું રવિસભા ને ચુકી રહ્યો હતો પણ સત્સંગ કે મારો હરિ- મારા થી સહેજ પણ દુર ન હતા.  ગયા રવિવારે , હું વડતાલ હતો , અને શ્રીહરિ ના સામીપ્ય ને મનભરી ને પામી રહ્યો હતો. મારી જિંદગી મા કાલુપુર, વડતાલ, ગઢડા ના સ્વામીનારાયણ મંદિરો નું સ્થાન વિશેષ છે. મંદિર ની ભીંતો પર હાથ લગાવી ને – જાણે કે શ્રીજી અને એ સમય ના મોટેરા સંતો ના ચરણ નો સ્પર્શ કરી રહ્યો હોઉં એવું પ્રતીત થાય છે.  જે લોકો મંદિર, સત્સંગ કે ભક્તિ નો મહિમા નથી જાણતા…..એ લોકો મારી આ લાગણી ને સમજી નહી શકે…..! ચાલ્યા કરે………………….

તો આજે સવારે અમે મારા પ્રિય સ્થળ આઈ આઈ એમ ના પ્રાંગણ મા હતા.. વર્ષ ના ત્રણ દિવસ માટે આવતો “ટ્રેડીશનલ ફૂડ ફેસ્ટીવલ” – એ એક અદભૂત અનુભવ છે( એના વિષે ની પોસ્ટ આવતી કાલે……)  અને બપોરે ઘરે આવ્યા ત્યારે રીના ની તબિયત થોડી બગડી હતી. આથી , એને આરામ મા મૂકી , હું સમયસર મંદિરે પહોંચી ગયો. શ્રીજી ના દર્શન ની તાલાવેલી હતી કારણ કે ૧૫ દિવસ – કોરાકટ ગયા હતા( શાહીબાગ મંદિર માટે) ….આથી દર્શન કરવા ભાગ્યો. ધનુર્માસ ની શરૂઆત થઇ ગઈ છે અને શાસ્ત્રો મુજબ વિદ્યા ની , કળા ની ઉપાસના પણ શરુ થઇ ગઈ છે. સ્વામિનારાયણ મંદિરો ની એક વિશેષતા મને હમેંશા ગમી છે કે- ભગવાન ના શણગાર પર થી જ લોકો ને, આપણા રીત રીવાજો અને પરંપરા ઓ નું તાદ્રશ્ય દર્શન થાય છે….અનુભવ થાય છે. જુઓ નીચેના ફોટા…..

આજ ના દર્શન.....

સભામાં ગોઠવાયા ત્યારે- કીર્તન ચાલી રહ્યું હતું. ” સદગુરુ નો મહિમા” જેવી થીમ પર આધારિત એ કીર્તન- કોઈક યુવક ના સ્વર મા કર્ણપ્રિય લાગી રહ્યું હતું. ” હરિ ને પમાડે – એ ગુરુ”   અને સાચા ગુરુ ની પ્રાપ્તિ દુર્લભ છે. જો તમારી શક્તિ અને જ્ઞાન હોય તો ગુરુ દત્તાત્રેય ની જેમ અન્ય જીવ-તત્વ-પદાર્થ ના સારા ગુણો ને જોઈ ને એમને પણ ગુરુ બનાવી શકો. આપણું તો સહજ ભાગ્ય છે કે પૂ.પ્રમુખ સ્વામી જેવા ગુરુ મળ્યા છે, એમાં પણ હરિ ની દયા છે. સને ૨૦૦૯ ના સ્વામીશ્રી ના વિચરણ ના પ્રસંગો- પૂ. ધર્મજ્ઞ સ્વામી એ વર્ણવ્યા…..સાર કંઇક આવો હતો…..

  • પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની બુદ્ધિમત્તા અત્યંત તીવ્ર છે. કોઈ પણ સમસ્યા નો ઉકેલ એમની પાસે સહજ હોય છે……IIM-Kolkata ના પ્રોફ. ગૌરાંગ ચટ્ટોપાધ્યાય સાથે નો સંવાદ દર્શાવે છે કે – આપણે અહં શૂન્ય બની ને, બધું જ એક હરિ પર છોડી ને, સાવ હલકા ફૂલ થઇ ને પણ આટલા મોટા સંપ્રદાય ની જવાબદારી સહજ પણે નિભાવી શકાય છે.
  • એક ભગવાન જ સર્વ ના કર્તા-હર્તા છે….એટલે આપણે કઈ ફિકર કરવી જ નહી. આદિ ને અંત પણ એ જ છે. આપણે આપણા કર્મ પુરેપુરા કરવા…..અને એ કર્મ વચ્ચે પણ હરિ ને એક પળ પણ ન વિસરવા……
  • આપણી આવરદા- હરિ નક્કી કરે એટલી જ હોય……આથી બધું એ જ નક્કી કરે….પોતાનું ધાર્યું ક્યારેય ન થાય.

એ પછી, પૂ સંતો ના મુખે  કીર્તન થયા. ” ‘કે બોલ્યા શ્રીહરિ રે…કે સાંભળો નરનારી હરિજન…..” – શ્રીજી એ જે પોતાના મુખે , પોતાનું સ્વરૂપ અને પોતાના ધામ ના વિષે- હરિભક્તો ને કહ્યું- એ પ્રેમાનંદ સ્વામી એ પદ- રચિત કરી લીધું.  એ જ રીતે પૂ. પ્રેમ વદન સ્વામી ના સ્વરે- ” પૂર્વ ના પુણ્ય ફળ્યા…જીવન આધાર મળ્યા…..” કીર્તન પૂ. પ્રમુખ સ્વામી ના મહિમા માટે ગવાયું.  ત્યારબાદ, પૂ. પરમાનંદ સ્વામી , જેવા વિદ્વાન સંત દ્વારા- ” સત્સંગ નો મહિમા” પર વિસ્તૃત પ્રવચન થયું. એનો ટૂંક મા સાર કંઇક આવો હતો.

  • સત્સંગ એ એક મકાન સામાન છે- કે જેનો પાયો મજબુત ન હોય તો- ગમે તેટલો જુનો કે ગાઢ સત્સંગ હોય- છુટતા વાર નથી લાગતી.
  • ગઢડા અંત્ય ના ૨, ૨૧- વચનામૃતો મા શ્રીજી એ સ્વયં કહ્યું છે કે- ” સત્સંગ અલૌકિક છે….જેના દ્વારા જ ભગવાન ની પ્રાપ્તિ સહજ બને છે”  આથી જ સત્સંગ નો પાયો દ્રઢ જ રાખવો.
  • જીવા ખાચર, આલૈયા ખાચર, માંછીયાવ ના ફઈબા….જેવા હરિભક્તો નો સત્સંગ જુનો હતો….મોટો હતો પણ એના પાયા કાચા હતા આથી- એ લોકો શ્રીજી નો રાજીપો પ્રાપ્ત ન કરી શક્યા…..
  • લોયા ૧૭ ના વચનામૃત પ્રમાણે- જીવ નો પાયો…આધાર જ સત્સંગ છે…..આથી જીવ મા પહોંચે તેવો સત્સંગ કરવો.
  • જો સમગ્ર વચનામૃત મા સત્સંગ નો મહિમા સમજવો હોય તો ૬ નિયમ દ્રઢ કરવા…….
  1. નિયમ ધર્મ મા દ્રઢતા ( ગ.પ્ર.૫૪)
  2. સત્સંગ નો મહિમા જાણવો અને એ પ્રમાણે વર્તવું
  3. સત્સંગ નો દ્રઢ પક્ષ રાખવો- જીવ જેટલો પક્ષ રાખવો અને વિપરીત પરિસ્થતિ ઓ મા પણ ડગવું નહી.( ગ.પ્ર.૭૮; ગ.મ. ૬૧)
  4. ગુણ-ગ્રહી ની દ્રષ્ટી રાખવી- સંતો ના હરિભક્તો ના ગુણ લેવા….( લોયા-૫)
  5. કથા વાર્તા ની અખંડ વૃતિ રાખવી…..
  6. હરિ સાથે શુધ્ધ પ્રીતિ રાખવી…….

પૂ.પરમાનંદ સ્વામી ની પ્રવચન ની સ્ટાઈલ રસપ્રદ છે. એક વાર લાભ લઇ જો જો….મજા આવશે.

ત્યારબાદ, અમુક જાહેરાતો થઇ – જેવી કે…..

  • આવતા બુધવારે – એકાદશી છે….ધનુર્માસ ચાલે છે આથી સ્વામિનારાયણ મહામંત્ર – ધૂન મા બધાએ ભાગ લેવા પધારવું….
  • આર્ષ ( AARSH) , ગાંધીનગર અક્ષરધામ – ખાતે આવતા શનિવારે ( ૨૪/૧૨) પૂ. શ્રીહરિ સ્વામી દ્વારા ” સંત નિર્ગુણ દાસ” પર પ્રવચન છે. અવશ્ય લાભ લઇ શકાય…..

અંતે એક વીડીઓ દર્શન ની જાહેરાત થઇ પણ ટેકનીકલ ક્ષતિ ને કારણે એ ન થયું, અંતે સભા નું સમાપન થયું.

આમ, રવિસભા- જ્ઞાન સભા થી વિશેષ થઇ રહી છે, અને એનો માહોલ, તમે ત્યાં હાજર હો તો જ જાણી શકો…..તો, બસ આ ભક્તિ યાત્રા મા સાથે રહો….

જય સ્વામિનારાયણ….

રાજ

Tags: , , , , , , ,

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers